n અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત
ધર્મનું યુદ્ધ ધાર્મિક નેતૃત્વ વિના લડી શકાતું નથી.
સામાન્ય નાગરિકોને વિધિ-વિધાનો, કર્મકાંડ અને કથાઓમાં વ્યસ્ત રાખીને ધર્માંતર સામે
લડી નહીં શકાય એ વાત હિન્દુ સાધુ-સંતો અને કથાકારો ક્યારે સમજશે એ સમજાતું નથી.
સનાતની હિન્દુઓ હિંસામાં નથી માનતા એ વાત સાચી પરંતુ
સાથે દરેકે એ વાત પણ સમજવી અને યાદ રાખવી પડશે કે ક્રિશ્ચિયાનિટી હોય કે ઇસ્લામ કે
પછી બૌદ્ધ – આ કોઈ સંપ્રદાયો અહિંસામાં માનતા નથી. જે જે દેશો બૌદ્ધધર્મી છે ત્યાં
ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી માથું ઊંચકી નથી શકતા એ ઐતિહાસિક હકીકત છે. ભારત સહિત
પૂર્વના દેશો હાલ જે રોહિંગ્યાઓની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એ બધાને બૌદ્ધધર્મી
મ્યાનમારમાંથી ભગાડવામાં આવ્યા છે એ વાત કોઈનાથી છૂપી નથી.
દિલ્હીમાં કેજરીવાલના આશીર્વાદથી તેમના મંત્રી
રાજેન્દ્ર પાલ ગૌતમે હજારો હિન્દુઓનું જે રીતે ધર્માંતર કરાવ્યું અને એ દરમિયાન
હિન્દુ દેવી-દેવતાઓનાં દર્શન અને તેમની પૂજા નહીં કરવાના જે શપથ લેવડાવ્યા એ કઈ
હદે ચિંતાજનક છે એ વાત કદાચ આજે સામાન્ય લોકો, રાજકારણીઓ તેમજ બદમાશ મીડિયાને નહીં
સમજાય પરંતુ ભવિષ્યમાં ભારતના હિન્દુઓએ ધર્માંતર કરીને બૌદ્ધ બની જનારા પોતાના જ
બાંધવોની હિંસાનો ભોગ બનવું પડશે એ નિશ્ચિત છે.
આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર પાલ ગૌતમે જે હજારો
હિન્દુઓનું ધર્માંતર કરાવ્યું તેનું બીજું એક જોખમ તેમનાં નામો વિશેનું પણ
રહેવાનું. જ્ઞાતિ-જાતિ સમાનતાના નામે આ બધાએ ધર્માંતર કર્યું છે અને બંધારણ અનુસાર
આ લોકો ભારતમાં જ્ઞાતિના ધોરણે મળતા લાભ લેવાના હકદાર રહેતા નથી, પરંતુ વાસ્તવિકતા
એ છે કે આ લોકો તેમનાં મૂળ હિન્દુ નામો યથાવત રાખીને ભારતનાં સંસાધનો અને
વ્યવસ્થાઓનો અયોગ્ય લાભ લેતા રહેશે. આવું હાલ ક્રિપ્ટો ખ્રિસ્તીઓ કરી જ રહ્યા છે.
આમછતાં પ્રારંભમાં કહ્યું તેમ, ખાટલે મોટી ખોડ
હિન્દુત્વની છે. સાધુ-સંતો અને કથાકારો રોજેરોજ ઘટી રહેલી સનાતનીઓની સંખ્યાને
ટકાવી રાખવા પ્રયાસ કરતા નથી એટલું જ નહીં પરંતુ હિન્દુવાદી સંગઠનો પણ નિવેદનબાજીથી
આગળ વધતા નથી. જો સાધુ-સંતો અને કથાકારોએ તેમજ હિન્દુવાદી સંગઠનોએ જમીન પર પગ
રાખીને હિન્દુ સમાજને સંગઠિત રાખવાની કામગીરી કરી હોત તો તેમને આવાં ધર્માંતરોના
કાવતરાંની ગંધ આવી જાત અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાવતારબાજો આટલા મોટાપાયે
સફળ ન થાત. પરંતુ આ દેશની કામનસીબી છે કે સાધુ-સંતો-કથાકારો કર્મકાંડ અને
કથા-પ્રવચન કરીને વૈભવી આરામની અવસ્થામાં ચાલ્યા જાય છે અને હિન્દુવાદી સંગઠનો માત્ર
સૂત્રોચ્ચારો અને બૅનર-પેમ્ફલેટ દ્વારા સક્રિયતા બતાવવા પ્રયાસ કરે છે.
આવી બાબતોમાં રાજકીય નેતૃત્વ ઉપર આધાર રાખવાનો કોઈ
અર્થ નથી કેમ કે રાજકીય નેતૃત્વ અર્થાત સરકાર એક પ્રકારે વાલીની ભૂમિકામાં હોય છે
અને તેથી તે પોતે ઇચ્છે તો પણ અમુક પ્રકારનાં પગલાં ન લઈ શકે કેમ કે સરકાર
બંધારણની મર્યાદામાં બંધાયેલી હોય છે. અને એટલે જ હિન્દુ સાધુ-સંતો-કથાકારો ઉપરાંત
હિન્દુ સંગઠનોએ વિવિધ હિન્દુ સમુદાય, જ્ઞાતિ-જાતિ બધા જ એક તાંતણે બંધાયેલા છે
એવું દરેક સામાન્ય હિન્દુઓના મનમાં સ્થાપિત કરવા માટે અતિશય સક્રિય થવું પડશે.
અન્યથા હાલ નહીં તો ભવિષ્યમાં એ સ્થિતિ ચોક્કસ આવશે જ્યારે હિન્દુ સમુદાયોને એમ
લાગશે કે તેમને માર્ગદર્શન આપનાર, તેમનું નેતૃત્વ કરનાર કોઈ છે જ નહીં અને પરિણામે
સાવ સરળતાથી કાંતો એબ્રાહમિક સંપ્રદાયોમાં અથવા બૌદ્ધ સંપ્રદાયમાં ભળી જશે.
દિલ્હીની ઘટનાની જેમ જો આ પ્રવાહ મોટાપાયે શરૂ થશે તો પછી થોડી સદી પછી સનાતન
માત્ર ઈતિહાસનાં પાનાંઓમાં જ રહી જશે.
દિલ્હીમાં કેજરીવાલના આશીર્વાદથી તેમના મંત્રીએ આ જે
કાંડ કર્યો છે એ જ કેજરીવાલની નજર હવે ગુજરાત ઉપર છે. ગુજરાતીઓ સાવધાન થઇને શું
દરેકે દરેક બેઠક ઉપર કેજરી-મંડળીને ધૂળ ચાટતી કરશે કે પછી દિલ્હી અને પંજાબવાસીઓની
જેમ મફતની લાલચમાં સનાતનના દુશ્મનોને ખભે બેસાડશે? વિચારો... મિલતે હૈ બ્રેક કે બાદ!