Sunday, April 24, 2022

ન્યાયતંત્ર એક્ઝેટ્લી કામ કેવી રીતે કરે છે, કોઈ કહી શકે?

 


દિલ્હીમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સિબ્બલ અને ભૂષણને લાખો રૂપિયાની ફી કોણે ચૂકવી?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 સો દોષિત ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ.” … “જસ્ટિસ ડીલેડ ઈઝ જસ્ટિસ ડિનાઇડ.” … “સત્યમેવ જયતે.” … – આવું બધું સાંભળવા-વાંચવામાં સારું લાગતું હોય છે, પરંતુ વાસ્તવિકતા હંમેશાં આવી નથી હોતી એ પણ બધાને ખ્યાલ છે. કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રજૂ થઈ એના ઓછામાં ઓછા એક કે બે વર્ષ પહેલાં કેટલાક કાશ્મીરી પંડિતોએ 1990ના દાયકામાં તેમની સાથે થયેલા અત્યાચાર સામે ન્યાય માગવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે એ અરજીનો તત્કાળ એમ કહીને નિકાલ કરી દીધો હતો કે ઘણો લાંબો સમય વીતી ગયો હોવાથી આ કેસમાં હવે પુરાવા અને સાક્ષીઓ મળે તેમ લાગતું નથી! કોર્ટના આ નિર્ણય પાછળનો તર્ક આજેય કોઇને સમજાતો નથી. કેમ કે, કાશ્મીરમાં હિન્દુઓનો હત્યાકાંડ 1990ના અરસામાં થયો તેના છ વર્ષ પહેલાં 1984માં દિલ્હી સહિત ભારતમાં ઘણી જગ્યાએ સિખ વિરોધી હત્યાકાંડ થયો હતો અને તેના કેસ ફરી ખૂલ્યા હતા અને ઘણા આરોપીઓને સજા પણ થઈ હતી.

મહારાષ્ટ્રના પાલઘર ખાતે નિર્દોષ હિન્દુ સાધુઓની હત્યાનાં દૃશ્યો આજેય બધાની આંખ સામે તરવરે છે. એ ઘટનાને બરાબર બે વર્ષ પૂરા થઈ ગયા છે. એ કેસ ચલાવીને ઘાતકી હત્યારાઓને સજા કરવાની કોઇને ઉતાવળ નથી.

શ્રી રામ જન્મભૂમિનો કેસ આમ તો સ્વતંત્રતા પહેલાથી ચાલતો હતો, પરંતુ આપણે 1947 પછીની વાત કરીએ તો પણ 75 વર્ષ અર્થાત પોણી સદી સુધી કેસ ચાલતો રહ્યો એ કેવી રીતે બન્યું હશે?

ગરીબોની મદદ માટે નાણા ઉઘરાવવાની ઑનલાઇન અપીલ કરીને એ નાણાં અંગત કામો માટે વાપરી નાખનાર નકલી પત્રકાર રાણા અયુબનું કૌભાંડ માત્ર ત્રણ-ચાર કરોડનું જ છે એટલે એને વિદેશ જવા દેવામાં વાંધો નથી એવો ચુકાદો અદાલત આપે ત્યારે ન્યાયની દેવી કઈ કોઠીમાં મોં ઘાલીને રોતી હશે કોઈ જાણતું નથી.

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ નામની કુખ્યાત સંસ્થાની ભારતીય શાખાના નાણાકીય કૌભાંડની તપાસ ચાલુ હોય, તેના વડા આકાર પટેલ સામે લૂકઆઉટ નોટિસ નીકળેલી હોય અને એ  વિદેશ જતો હોય, ત્યારે તેને રોકવો એ કાયદાના રખેવાળોની ફરજ છે અને છતાં એ વ્યક્તિ અદાલતમાં પહોંચી જાય અને અદાલત આર્થિક અપરાધ કેસના એ શકમંદને વિદેશ જવાની છૂટ આપે એટલું જ નહીં પરંતુ તેને રોકનાર સીબીઆઈને એક શકમંદની માફી માગવા જણાવે ત્યારે કયા બંધારણની કઈ કલમ ઉપયોગમાં આવી હશે એ સમજાતું નથી.

આવી યાદી બનાવતા જઇએ તો અદાલતોમાં પડતર કેસો વિશે એક આખું દળદાર પુસ્તક તૈયાર થાય. છતાં દાયકાઓથી ચાલતા અગણિત કોર્ટ-કેસો વિશે કોઇને કશી જ ચિંતા નથી. પરંતુ આ દેશમાં ગેરકાયદે વસવાટ કરતા રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોની સાથે બધા ઊભા હોય છે. એમણે સરકારી જગ્યાઓ ઉપર અને જાહેર માર્ગો ઉપર ગેરકાયદે ઊભા કરી દીધેલાં દબાણો હટાવવાની કામગીરી સામે કોંગ્રેસી કૂળના સિબ્બલ અને માઓવાદી કૂળના ભૂષણ અવરોધ ઊભા કરી શકે છે! માત્ર આ દેશમાં જ આવું થઈ શકે.

કોંગ્રેસના ખભે બેસીને આવેલા અને ધિક્કાર તેમજ આક્રોશ ચડે એ હદના સેક્યુલારિઝમે આ દેશની પ્રગતિને એક સદી સુધી પાછળ ધકેલી દીધી છે. લઘુમતી ખુશામતનું માઓવાદી ઝેર એ હદે આ દેશની રગેરગમાં ફેલાઈ ગયું છે કે અહીંના મૂળ વતની એવા હિન્દુઓએ પોતાના નાના-નાના હકો માટે અરજીઓ કરવી પડે છે અને મોરચા કાઢવા પડે છે અને અપીલો કરવી પડે છે. રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યપ્રધાન 300 વર્ષ જૂના શિવમંદિર ઉપર બુલડોઝર ફેરવી દે ત્યારે  સેક્યુલર-લિબરલ પ્રજાતિ પીશાચી આનંદ માણે એના કરતાં વધારે ગંભીર સ્થિતિ કઈ હોઈ શકે?

રામનવમી શોભાયાત્રાઓ ઉપર ઠેરઠેર થયેલા જેહાદી હુમલાઓના સંદર્ભમાં ગયા રવિવારે મેં એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. હિંસાખોર સેક્યુલર પ્રજાતિએ એ જેહાદી હુમલાઓનો એમ કહીને બચાવ કર્યો હતો કે શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણી કરવામાં આવી હતી. એ સંદર્ભમાં મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ધારી લો કે ઉશ્કેરણી કરવામાં આવી હોય તો શું તમારી પાસે કાયદાનું શસ્ત્ર નહોતું? શું તમે એ કહેવાતી ઉશ્કેરણીના વીડિયો સહિત અન્ય પુરાવા પોલીસ અને અદાલતમાં રજૂ કરી શકતા નહોતા? કહેવાતી ઉશ્કેરણી એ શોભાયાત્રા દરમિયાન જ થઈ હોય તો વિધર્મી ટોળાં પાસે પથ્થરો અને લાકડીઓ અને તલવારો અને પેટ્રોલબોંબ પહેલેથી કેમ હાજર હતા? રામનવમી તેમજ હનુમાન જયંતિની શોભાયાત્રાઓ ઉપર થયેલા હિંસક હુમલાના કેસ પણ અદાલતોમાં ચાલશે...અને ત્યારે આ મુદ્દો ધ્યાનમાં લેવાશે કે નહીં એના વિશે ખાતરીપૂર્વક કહી શકાતું નથી. આવા હુમલા દ્વારા હિન્દુઓને તેમની ધાર્મિક પરંપરાઓનો ત્યાગ કરવા ફરજ પાડવામાં આવી રહી છે એ વાત ન્યાયતંત્રને સમજાવવામાં સફળતા મળશે? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 17, 2022

દેશ ભલે તમારો હોય, પણ તમે રામનવમી ઊજવી કેવી રીતે શકો?

મીડિયા સહિત અર્બન નક્સલીઓ હિંસા માટે રામભક્તોને જવાબદાર ઠેરવે છે, પણ મુદ્દો એ છે કે ઉશ્કેરણી થઈ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની કે પછી સીધી હિંસા કરવાની?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગયા રવિવારે રામ નવમીને દિવસે બપોર સુધી રામભક્તોમાં આનંદ ઉત્સાહ વ્યાપેલો હતો. દેશવાસીઓ ઠેરઠેર શ્રીરામની શોભાયાત્રા કાઢી રહ્યા હતા. પરંતુ બપોર બાદ જાણે એક સુનિયોજિત કાવતરું હોય એ રીતે એક સાથે કેટલાય રાજ્યોમાં શોભાયાત્રાઓ ઉપર હિંસક હુમલા કરવામાં આવ્યા. અનેક રામભક્તો ઘાયલ થયા, કેટલાય જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. અનેક રામભક્તોએ તેમના રહેઠાણ છોડીને સલામત સ્થળે ચાલ્યા જવું પડી રહ્યું છે.  એબ્રાહમિક સંપ્રદાયના લોકો, અન્ય ધર્મ પાળતા વિધર્મીઓને સેંકડો વર્ષોથી આવકારતા અને તેમને સ્વતંત્રતા અને સન્માન આપતા રહેલા આ દેશના રહેવાસીઓએ હવે શ્રીરામની શોભાયાત્રા કાઢતાં પણ ડરવું પડે એવો માહોલ ધર્માંતરિત લોકોએ કરી દીધો છે.

આ સમગ્ર ઘટનાક્રમમાં વધારે ખેદજનક વાત એ છે કે, મીડિયા સહિત અર્બન નક્સલીઓ રામભક્તોનો વાંક કાઢે છે. આ અર્બન નક્સલીઓ મીડિયા, સોશિયલ મીડિયા અને ટીવી ઉપર આવીને એવી છેલ્લી કક્ષાની દલીલ કરે છે કે, શોભાયાત્રામાં રામભક્તોએ ઉશ્કેરણી કરી એટલે હિંસા થઈ. મીડિયા સહિત અર્બન નક્સલીઓ હિંસા માટે રામભક્તોને જવાબદાર ઠેરવે છે, પણ મુદ્દો એ છે કે ઉશ્કેરણી થઈ હોય તો પોલીસમાં ફરિયાદ કરવાની કે પછી સીધી હિંસા કરવાની?

કોઇપણ સમુદાયને બીજાની લાગણીને ઠેસ પહોંચાડવાનો જરાય અધિકાર નથી. હિન્દુઓ માટે પણ આ જ કાયદો અને આ જ નિયમ લાગુ પડે છે. કોઇપણ હિન્દુ સમૂહ કે હિન્દુ નેતા કે પછી ધર્મગુરુ બીજા સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતા હોય, ઉશ્કેરણી થાય એવું કરતા હોય તો તેમને સજા કરવાની જોગવાઈ ભારતીય કાયદાઓમાં છે જ. દેશની અદાલતો પણ આ બાબતે પ્રો-એક્ટિવ હોય છે. હવે જો શ્રીરામની શોભાયાત્રા દરમિયાન આવી કોઈ ઉશ્કેરણી થઈ હોય, જે શક્ય જ નથી, તેમ છતાં જો કોઇએ ઉશ્કેરણી કરી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ અને કોર્ટમાં ફરિયાદ કરવાના વિકલ્પો ઊભા જ હોય છે.

તો પછી પથ્થરો મારવાની જંગલી પ્રવૃત્તિ શા માટે? અને પાછા ખૂબ મોટી સંખ્યામાં એ પથ્થરો ઘરના, ધાર્મિક સ્થળના ધાબાઓ ઉપર પહોંચી જાય! શોભાયાત્રા પહોંચે એટલે તરત જ ઉશ્કેરણી થઈ જાય...તરત જ ઉશ્કેરાયેલા લોકો ધાબે પહોંચી જાય અને પથ્થરો મારવાનું શરૂ કરી દે? એટલું ઓછું હોય તેમ તરત જ તેમના હાથમાં લાકડીઓ અને અન્ય શસ્ત્રો પણ આવી જાય અને રામભક્તોને મારવાનું પણ શરૂ કરી દે! આ કેવા પ્રકારની જંગાલિયત છે? આવો પથ્થરમારો અને શોભાયાત્રા ઉપર હિંસક હુમલા પૂર્વયોજિત કાવતરાં છે એવું અર્બન નક્સલી સેક્યુલરવાદીઓ અને મીડિયા શા માટે સ્વીકારતા નથી?

ગઝની અને ઘોરીના વંશજોને કાફિરો સાથે વાંધો હોય એ ચિંતાનું કારણ નથી. ચિંતાનું કારણ એ છે કે આ વંશજો કાફિરોને તેમના ધર્મનું પાલન કરવા દેવા જ નથી માગતા. અને એના કરતાં પણ વધારે ચિંતાનું કારણ છે- સેક્યુલરવાદી પ્રજાતિ. વિધર્મીઓ તો તેમને ગળથૂથીમાં જે શીખવવામાં આવે છે એ જ કરવાના છે, પરંતુ ગળાં ફાડીને તેમનો બચાવ કરનારા સેક્યુલરવાદીઓ સમગ્ર માનવજાત માટે જોખમી છે. આ દેશને બચાવવો હોય, આ દેશની સંસ્કૃતિને- તે જેટલી રહી છે એટલી બચાવી લેવી હોય તો કોઇપણ ભોગે અર્બન નક્સલી સેક્યુલરવાદીઓને, એમને સમર્થન આપતા મીડિયાવાળાઓને નશ્યત કરવા જ પડશે. યાદ રાખો, આપણી દુશ્મની કે આપણી લડાઈ વિધર્મીઓ સાથે નથી કેમ કે એ તો આપણામાંથી જ વટલાયેલા છે...પણ આપણી દુશ્મની અને લડાઈ અર્બન નક્સલી સેક્યુલરવાદીઓ સાથે હોવી જોઇએ. એમને બને એટલા ઝડપથી ઓળખી લો, બને એટલા ઝડપથી અર્બન નક્સલી સેક્યુલરવાદીઓને દરેક જગ્યાએથી જાકારો આપો, હાંકી કાઢો, ધક્કા મારીને કાઢી મૂકો...તો જ તમે અને વિધર્મીઓ શાંતિથી રહી શકશો. યાદ રાખો, પથ્થર પોતે જોખમી નથી પણ પથ્થર મારનારો જોખમી છે, એવી રીતે ખોટાને છાવરતા અર્બન નક્સલીઓ વધારે જોખમી છે. હિંસક વિધર્મીઓનો બચાવ કરતા હોય એવા સેક્યુલરવાદી અર્બન નક્સલીઓ તમારી આસપાસ કેટલા છે? વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 10, 2022

સાચો ઈતિહાસ જાણવા માગતા શિક્ષકો-પત્રકારો માટે ક્વિક રેફરન્સ



ભારતની રાજકીય સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ નામે ઠેરઠેર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ખોટા અને સાચા ઈતિહાસ વચ્ચેનો તફાવત જાણવા સ્વરાજ@75 વાંચવું રહ્યું

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 દુનિયાનો એકમાત્ર કમનસીબ દેશ ભારત છે જ્યાં 70-70 વર્ષ સુધી ગઝનીના આક્રમણકારી હિંસાખોરો તેમજ બ્રિટિશ લૂંટારાઓને મહાન દર્શાવતો ઈતિહાસ ભણાવાતો રહ્યો. પેઢીઓની પેઢીઓ આ સદંતર ખોટો ઈતિહાસ ભણીને નમાલી બની ગઈ. આ નમાલી પેઢીઓમાંથી જ તૈયાર થયેલા શિક્ષકો અને પત્રકારો પણ કોઈ સંશોધન કરવાને બદલે માઓવાદી-જેહાદી-મિશનરી હિંસાખારો દ્વારા તૈયાર કરવામાં આવેલા નકલી ઈતિહાસને આંખે પાટા બાંધીને ગોખતા રહ્યા અને સમાજને એ દૂષિત ઈતિહાસ પીરસતા રહ્યા. પરંતુ સ્વતંત્રતાના આ 75મા વર્ષે, સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે એક તક ઊભી થઈ છે જ્યારે કમ સે કમ આપણી વર્તમાન પેઢીને ભારતના સાચા અને ભવ્ય ઈતિહાસથી પરિચિત કરાવીએ અને એ દ્વારા આપણી ભાવિ પેઢીઓનું જીવન ગૌરવપ્રદ અને સુરક્ષિત બનાવીએ.

જે શિક્ષકો, પત્રકારો, વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્ર માટે થોડીઘણી નિસબત ધરાવતા હોય તેમણે સાચો ઈતિહાસ જાણવાની શરૂઆત સ્વરાજ@75 પુસ્તકથી કરવી જોઇએ. આ પુસ્તક હાલ હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. પ્રખર વિદ્વાન જે. નંદકુમારજી દ્વારા લિખીત આ પુસ્તકમાં માત્ર નવ (9) પ્રકરણમાં માઓવાદી-મિશનરી ઈતિહાસકારોના કાવતરાંને ખુલ્લું પાડવા સાથે ભારતવર્ષના સાચા ઈતિહાસના અનેક પ્રમાણ આપ્યાં છે. તે ઉપરાંત ભારતવર્ષનો સાચો ઈતિહાસ લખનાર લેખકો વિશે પણ શ્રી જે. નંદકુમારે તેમના આ પુસ્તકમાં માહિતી આપી છે.

શ્રી નંદકુમાર તેમના આ પુસ્તકમાં આધાર-પુરાવા તેમજ સચોટ દલીલો સાથે એ પણ પુરવાર કરે છે કે, છેક 1741માં એ સમયના ત્રાવણકોર (આજના કેરળ)ના રાજા માર્તન્ડ વર્માએ ભારતમાં આધિપત્ય જમાવવા વેપારીના વેશમાં આવેલા ડચ સામ્રાજ્યવાદીઓને યુદ્ધમાં હરાવીને ભગાડી મૂક્યા હતા. માઓવાદી-મિશનરી-જેહાદી ઈતિહાસકારોએ ભારતને સતત એવું જ ભણાવ્યું છે કે માત્ર અમુક જણે જ દેશને સ્વતંત્રતા અપાવી. પરંતુ એ વાત સાચી નથી એ જાણવા-સમજવાનું હવે અઘરું કે અશક્ય નથી. આ ઉપરાંત ઉપરોક્ત કથિત ઈતિહાસકારોએ એવી પણ સતત ભ્રમણા ફેલાવ્યે રાખી હતી કે, દેશના માત્ર અંગ્રેજી ભણેલા લોકોએ જ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આ ભ્રમણાનું પણ આ પુસ્તકમાં યોગ્ય ખંડન કરવામાં આવ્યું છે.

બ્રિટિશ ઘૂસણખોરોએ આ ભારતને સૌથી વધુ નુકસાન આ દેશ વિશે ખોટી માહિતી ફેલાવીને, ખોટા નૅરેટિવ ઊભા કરીને કર્યું છે. આવી જ ખોટી માહિતી સતીપ્રથા અંગેની છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ક્યાંય સતીપ્રથાનો એકપણ કિસ્સો મળતો નથી. મધ્યયુગીન ભારતમાં બે-પાંચ ગણ્યા-ગાંઠ્યા કિસ્સા છે જે વ્યક્તિગત કારણોસર હતાં, પરંતુ બદમાશ અંગ્રેજોએ તેને સમગ્ર હિન્દુ સમાજ સાથે જોડી દઇને તેના વિશે એ હદે અપપ્રચાર કર્યો કે આજ સુધી શિક્ષિત રાષ્ટ્રવાદીઓ પણ એમ જ માને છે કે, દેશમાં એક સમયે સતીપ્રથા હતી અને એ અંગ્રેજોએ દૂર કરી! ખેર, આ મુદ્દાને પણ આ પુસ્તકમાં (પાના નં. 38) આવરી લઇને તેના વિશે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે.

પુસ્તકના પ્રકરણ ચાર (4), પાના નં. 42 ઉપર લેખકે એક નાઇજિરીયન નવલકથાકાર બેન ઓકરીને ટાંક્યા છે. બેન ઓકરી કહે છે કે, કોઇપણ રાષ્ટ્રને ખતમ કરવા માટે તેના વિશે અપપ્રચાર કરવાનું શરૂ કરો. આવો અપપ્રચાર કરવાથી એ રાષ્ટ્રની પ્રજા હતાશ થવા લાગશે. ત્યારપછી એ પ્રજાને એવી હતાશાભરી વાતો જ જોવા-સાંભળવા-વાંચવાની ગમશે. અને આ રીતે ધીમે ધીમે એ રાષ્ટ્ર વિનાશ તરફ ધકેલાઈ જશે. - હવે આ વાતને ભારતના સંદર્ભમાં જોવાથી ખ્યાલ આવશે કે, 10મી સદીમાં જેહાદી આક્રમણકારીઓથી શરૂ કરીને 17મી સદીમાં અંગ્રેજ ઘૂસણખોરોએ ભારતની બાબતમાં બરાબર આવું જ કર્યું છે. ભારતીય સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ, ભારતીય કળા દરેકને આક્રમણકારીઓ તેમજ ઘૂસણખોરોએ તોડી-મરોડીને રજૂ કરી, એ પ્રકારે અપપ્રચાર ચલાવ્યો, એવાં લખાણો અને પુસ્તકો લખાયાં અને છેવટે પ્રજા પણ એ બધું માનવા લાગી અને એક સમયના પોતાના મહાન દેશને, પોતાની મહાન સંસ્કૃતિને અપખોડવા લાગી.

ટૂંકમાં, સ્વતંત્રતાના આ 75મા વર્ષે આપણી પાસે આપણા સાચા ઈતિહાસ, આપણા સાચા સાંસ્કૃતિક વારસાને ઓળખવાની તક આવી છે. અગાઉ કહ્યું તેમ- સાચા શિક્ષકો, સાચા પત્રકારો, અન્ય રાષ્ટ્રવાદી આગેવાનો આ અને આવાં બીજાં પુસ્તકો દ્વારા વર્તમાન પેઢીને જાગ્રત કરી શકે છે અને એ દ્વારા ભાવિ પેઢીને સુરક્ષિત કરી શકે છે. કરશો ને? જવાબની રાહ જોઈશ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

--------- પુસ્તક મેળવવા માટે સંપર્ક ----------

સુરુચિ પ્રકાશન

વૉટ્સએપ નંબર - 8851358634

www.suruchiprakashan.in 

કિંમત - રૂપિયા 63/-

Monday, April 4, 2022

પ્રશાંત કિશોરની પારકી કૂખ કોંગ્રેસને સત્તા જણી આપશે?

 

પારકી કૂખે જણેલા કુંવરના સહારે કોંગ્રેસ સત્તા મેળવવાના સપનાં જૂએ છે, પણ...જૂથવાદમાં ગળાડૂબ કોંગ્રેસે પહેલાં નેતા તો નક્કી કરવા પડશેને?

 n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંબંધિત દરેક પક્ષકારે પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ તો હંમેશ પ્રમાણે આવી દરેક મહત્ત્વની ચૂંટણી માટે ઓછામાં ઓછા એક વર્ષ પહેલાંથી તૈયારી શરૂ કરી દેતો હોય છે, એટલે એ વિશે અહીં વાત કરવાની કોઈ જરૂર નથી. તો રહ્યો એક જ પક્ષ – કોંગ્રેસ.

ગુજરાતમાં મૂળ કોંગ્રેસના કહી શકાય એવા છેલ્લા મુખ્યપ્રધાન હતા માધવસિંહ સોલંકી (1989-1990). ત્યારપછી છબિલદાસ મહેતા કોંગ્રેસની સરકારના મુખ્યપ્રધાન (1994-95) બન્યા હતા ખરા પરંતુ તેઓ પહેલેથી કોંગ્રેસમાં નહોતા અને સત્તા ગયા પછી પણ કોંગ્રેસમાં નહોતા રહ્યા. એટલે એવું કહેવામાં જરાય ખોટું નથી કે ગુજરાતમાં છેલ્લે આપબળે ચૂંટાયેલી કોંગ્રેસની સરકાર છેક 1990માં હતી, અર્થાત પૂરા 32 વર્ષ પહેલાં!

32 વર્ષથી આપબળે સત્તા જણી નહીં શકેલી કોંગ્રેસ હવે પ્રશાંત કિશોરની પારખી કૂખ ભાડે લેવા માગે છે એવા અહેવાલ છેલ્લા એકાદ અઠવાડિયાથી મળી રહ્યા છે. પણ મુદ્દો એ છે કે, કોંગ્રેસની આવી સ્થિતિ શા માટે આવી? અને એવું પણ નથી કે માત્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી સ્થિતિ છે. લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસ માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે.

કોંગ્રેસની આવી સ્થિતિ કંઈ આજકાલથી નથી. 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી કોંગ્રેસ પક્ષ જૂથવાદના કાદવમાં ખૂંપેલો છે. તેનાં સેંકડો ઉદાહરણ કોંગ્રેસના જ ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક – ગુજરાતનું રાજકારણઃ મારી નજરે (1956-1980)માં મળી આવે છે. આ પુસ્તકમાં અરવિંદભાઈએ પોતે કોંગ્રેસના નેતા હોવા છતાં પક્ષમાં જે કંઈ હુંશાતુંશી થતી હતી તેનું સાક્ષીભાવે વર્ણન – આલેખન અને અર્થઘટન કર્યું છે. જોઇએ કેટલાક નમૂનાઃ

--- કોંગ્રેસના નેતાઓમાં પરસ્પર મતભેદો અને સ્પર્ધાઓ ઘણી જ થઈ છે. આ મતભેદોમાં જ્યાં મોટી સામ્યતા રહી છે તે એ છે કે, આ મતભેદો પહેલાં કોઈ સૈદ્ધાંતિક આધાર ઉપર શરૂ થતા અને પાછળથી તે વિરોધ વ્યક્તિગત સત્તાસંઘર્ષનું રૂપ પકડી લેતો. 1947થી 77ના ત્રીસ વર્ષના ગાળામાં ઉત્તરપ્રદેશમાં 10 મુખ્યમંત્રીઓ આવ્યા અને ગુજરાત રાજ્યના 1960થી 77 સુધીના સત્તર વર્ષમાં 7 મુખ્યમંત્રીઓ સત્તાસ્થાને આવ્યા. (પાના નં. 2)

--- ઉત્તરપ્રદેશની રાજનીતિની ઊથલપાથલનું બીજ જવાહરલાલજી સાથેની ચંદ્રભાનુ ગુપ્ત (સી.બી.ગુપ્ત)ના વિચારોની ભિન્નતામાં પડેલું છે. તો ગુજરાતની ઊથલપાથલનું બીજ મોરારજીભાઈ દેસાઈ સાથેની ડૉ. જીવરાજ મહેતાના વિચારોની ભિન્નતામાં રહેલું હતું. (પાના નં. 2)

--- આ બધી પરિસ્થિતિથી (થાકેલા) ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતાએ પોતાના પદ ઉપરથી 19મી સપ્ટેમ્બર 1963ના રોજ રાજીનામું આપ્યું અને આ રીતે અધવચ્ચે જ પ્રથમ વખત જ પ્રધાનમંડળનું પતન થયું. કોંગ્રેસપક્ષની જૂથબંધીના દૂષણે હવે છાપરે ચઢીને દેખા દઈ દીધી હતી.(પાના નં. 11)

--- સમગ્ર દેશમાં અને ગુજરાતમાં 1967ના ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાઈ. ગુજરાતમાં એક મોટા અને સંગઠિત પક્ષ તરીકે સ્વતંત્ર પક્ષે કોંગ્રેસને પડકાર્યો. ભાઈકાકા પ્રત્યે લોકોને અપાર ચાહના હતી. ગુજરાતમાં ભાઈકાકાએ સ્વતંત્ર પક્ષને કોંગ્રેસના વૈકલ્પિક પક્ષ તરીકે મૂકી દીધો... ...ગુજરાત વિધાનસભાની કુલ 168 બેઠકોની ચૂંટણીમાં પરિણામ આવતાં કોંગ્રેસ પક્ષને 93 બેઠકો મળી. જ્યારે વિરોધ પક્ષે સ્વતંત્ર પક્ષને 65, પ્રજા સમાજવાદી પક્ષને 3 અને જનસંઘને 1 તથા બાકીની બેઠકો અપક્ષોને ફાળે ગઈ. સ્વતંત્ર પક્ષે આ ચૂંટણીમાં કોંગ્રેસના દાંત ખાટા કરી નાખ્યા હતા એમ કહીએ તો અતિશયોક્તિ નથી...(પાના નં. 20)

--- “ગુજરાતમાં અને સમગ્ર દેશમાં કોંગ્રેસ પક્ષને ચોથી લોકસભાની 1967ની ચૂંટણીમાં પ્રથમ વખત જ મોટો ફટકો પડ્યો હતો. કેન્દ્રમાં પણ શ્રીમતી ઈન્દિરા ગાંધીની સરકાર માત્ર 15 જેટલા સંસદસભ્યોની બહુમતીથી જ સત્તા પર આવી. દેશના લગભગ 7 થી 8 રાજ્યોમાં કોંગ્રેસપક્ષે પ્રથમ વખત જ સત્તા ગુમાવી.. (પાના નં. 21)

આ અને આવા અગણિત કિસ્સા એક સ્વર્ગસ્થ કોંગ્રેસ નેતાના પુસ્તકમાં છે જેનું સંપાદન અને પ્રકાશન શ્રી અરવિંદભાઈના નિધન પછી વરિષ્ઠ પત્રકાર-લેખક બિનીત મોદીએ કર્યું છે. પુસ્તકમાં પાને-પાને કોંગ્રેસની જૂથબંધી અને ખેંચતાણના કિસ્સા વાંચવા મળે છે. ચૂંટણી નજીક છે ત્યારે પારકી કૂખ કેટલી ઉપયોગી થશે એ કોંગ્રેસ અને મતદારોએ વિચારવું રહ્યું...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!