Friday, June 29, 2018

રોજગારીઃ ભ્રમણાઓ અને વાસ્તવિકતા --- અલકેશ પટેલ


રોજગારીઃ ભ્રમણાઓ અને વાસ્તવિકતા   --- અલકેશ પટેલ
-----------------------------------------------------------
રોજગારી મેળવવાનું આજે જેટલું સહેલું અને સરળ છે એવું અગાઉ કદી નહોતું. ભારતના યુવાન પાસે આખી દુનિયા એક્સપ્લોર કરવાની તક છે, પણ કમનસીબે સોશિયલ મીડિયા અને સાવ પપ્પુ જેવા રાજકીય પક્ષોની વાતોમાં આવીને ભારતનો યુવાન સમય અને શક્તિ વેડફી રહ્યો છે
----------------------------------------------------------
રોજગારી અંગેનો મારો આ ચાર વર્ષ જૂનો લેખ જ્યારે જ્યારે જોઉં છું ત્યારે એટલું જ સમજાય છે કે ચાર વર્ષ પહેલાં મેં જે લખ્યું હતું તેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. જૉબ તો હજારોની સંખ્યામાં ઉપલબ્ધ છે, પણ કરવી છે કોને?” એ શીર્ષક હેઠળ નવગુજરાત સમય માં 29-6-2018ના રોજ પ્રકાશિત થયેલો આ લેખ ફરી ફરી રિપોસ્ટ કરીને ફરી ફરી સૌને એક જ સંદેશો આપવા માગું છું કે મુશ્કલી રોજગારીની તકોની નથી... મુશ્કેલી આપણી માનસિકતા, આપણી વ્યવસ્થા અને શિક્ષણપ્રથાની છે. – અને આ મુશ્કેલીઓ હોવા છતાં તેમાંથી બહાર આવી શકાય એમ છે.


મને આજે સવારે જ એક ઇમેલ મળ્યો છે જેમાં લિંક્ડઇન લખે છે કે અમદાવાદ વિસ્તારમાં જ 3000 કરતાં વધુ નોકરી ઉપલબ્ધ છે. જો આ એક વેબસાઇટ પાસે આટલી નોકરીની વિગતો હોય તો વિચારો બીજી પણ કેટલી બધી રોજગારી ઉપલબ્ધ હશે!
 

એ માટે ---

  • દરેકે કોઇપણ કામગીરી કરવાની તૈયારી રાખવી જોઈએ. પપ્પુ જેવા રાજકીય પક્ષો માટે ચા કે ભજિયાની લારી કે પછી એવાં કોઇપણ કામ નાના અને શરમજનક હોઈ શકે, કેમકે આવા પપ્પુઓએ કદી શ્રમ કર્યો નથી, માત્ર લોકોના પૈસે મહેલોમાં રહ્યા છે, પરંતુ ભારતીય યુવાને એવા લોકોની વાતમાં આવ્યા વિના દરેક કામને સર્વશ્રેષ્ઠ ગણીને તેમાં ઝૂકાવી દેવાની જરૂર છે.
  •  આપણા યુવાન-યુવતીઓ વિદેશમાં જઈને રેસ્ટોરામાં વેઇટર કે પછી પેટ્રોલ પંપ ઉપર એટેન્ડન્ટ કે પછી મોલમાં સેલ્સમેન/સેલ્સગર્લ બનવા તૈયાર હોય છે, તો પછી એવાં કામો ભારતમાં કરવા કેમ તૈયાર નથી?
  •  ભારત સરકાર દરેક રાજ્યના મોટાં શહેરોમાં સ્કિલ ડેવલપમેન્ટ (કુશળતા વિકાસ) માટેના વર્ગ ચલાવે છે. તેનો હેતુ જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની માંગ પુરી કરવાનો છે. માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઓછું કરવા આવાં સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો ચાલે છે ત્યાંથી થોડી જરૂરી કુશળતા મેળવીને પણ રોજગારી મેળવી શકાય છે.
  •  માતૃભાષા ગુજરાતીની જરાય ઉપેક્ષા કર્યા વિના, ગુજરાતી બરાબર શીખીને તે ઉપરાંત અંગ્રેજી અને હિન્દી સારી રીતે શીખવામાં આવશે તો પણ રોજગારીમાં મુશ્કેલી નહીં પડે.
  •  હાલ આપણા સૌના કમનસીબે ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદેશી તેમજ અન્ય રાજ્યોની કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓમાં લોકોની ખૂબ જરૂર છે અને એ માંગ અન્ય રાજ્યોના લોકોથી પૂરી થાય છે, તેનું કારણ એ છે કે ગુજરાતીઓ આળસ કે પછી એવા બીજા કોઈપણ કારણસર અંગ્રેજી શીખવા તૈયાર નથી.

(આ વિષય ઉપર વધુ વાંચવા-સમજવા અહીં કેટલાક એટેચમૅન્ટ છે.)



Thursday, June 28, 2018

પુસ્તક બેચને કે લિએ એક વિવાદ જરૂરી હૈ


પુસ્તક બેચને કે લિએ એક વિવાદ જરૂરી હૈ



----- કોંગ્રેસના નેતા સૈફુદ્દીન સોઝે જમ્મુ-કાશ્મીર અંગે એક પુસ્તક લખ્યું છે, અને પુસ્તક વધુ વેચાય તે માટે વર્ષોથી સફળ નીવડેલી રેસિપી અનુસાર વિમોચનના થોડા દિવસ પહેલાં વિવાદી અંશો લીક કરી દીધા અને અપેક્ષા મુજબ વિવાદને તેડું મળ્યું...

--- અલકેશ પટેલ
       
કોંગ્રેસનો પાકિસ્તાન-પ્રેમ વધુ એક વખત શ્રીનગરના લાલચૉકમાંથી આઝાદી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યો છે. આ વખતે આ સૂત્રોચ્ચાર કરનાર છે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સૈફુદ્દીન સોઝ. મૂળે વરિષ્ઠ નેતા સૈફુદ્દીને એક પુસ્તક લખ્યું છે અને તેમાં તેમણે શ્રીનગર તથા દક્ષિણ કાશ્મીરના એવા બીજા પાંચ-સાત જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિને કાશ્મીરીઓની આઝાદીની માગણી સાથે જોડી દીધી છે. સોઝે તેમની વાત કહેવા માટે પોતાની દલીલો અને તર્ક આપ્યા ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અહીં પણ તેમનો પાકિસ્તાન-પ્રેમ પુસ્તકના પાનાંઓમાં તો છલકાયો, પણ તેથી આગળ વધીને છેક કવર ઉપર ચઢીને બોલ્યો..!
Kashmir: Glimpses of History and the Story of Struggle નામના આ પુસ્તકમાં સૈફુદ્દીન સોઝે સમગ્ર જમ્મુ-કાશ્મીર વિવાદ, તેમાં રાજકારણીઓની ભૂમિકા, સ્થાનિક અલગતાવાદીઓની ભૂમિકા, હિંસા, ત્રાસવાદ, પાકિસ્તાન – બધી બાબતો આવરી લીધી છે. સામાન્ય રીતે જોવા જઇએ તો આ તમામ બાબતો એવી છે જે અંગે કોંગ્રેસનું અને તેમાંય ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસી નેતાઓનું વલણ હંમેશાં પાકિસ્તાન તરફી રહ્યું છે. સાત દાયકા પછી પણ તેઓ માનસિક રીતે ભારતને અપનાવી શક્યા નથી.
આ પુસ્તકની સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત બે છેઃ એક તો સોઝે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદના બદલામાં જમ્મુ-કાશ્મીરનું સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી. અર્થાત સરદાર પટેલ જમ્મુ-કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા તૈયાર હતા. અને બીજું સોઝે કાશ્મીરીઓની કહેવાતી આઝાદીની લડાઈના સમર્થનમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ તેમજ પાકિસ્તાનના જ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહમુદ કસુરીને ટાંક્યા છે. તેમણે તો કસુરીના નિવેદનને પુસ્તકના કવર ઉપર પણ છાપી દીધું છે.
સૈફુદ્દીન સોઝનું આ વલણ આપણા સૌ માટે ચિંતાજનક હોવું જોઈએ. કોંગ્રેસ શા માટે હજુ આટલાં વર્ષે પણ ભારતની અખંડિતતાને સ્વીકારી નથી શકતો અને શા માટે હજુ આટલાં વર્ષે પણ તે પાકિસ્તાનને આટલું મહત્ત્વ આપવા માગે છે? દેખાડો કરવા પૂરતું કોંગ્રેસે એવું જાહેર કર્યું છે કે સૈફુદ્દીન સોઝે માત્ર પુસ્તક વેચાણ માટે આવું જીમિક કર્યું છે, પરંતુ પક્ષ તો કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. કોંગ્રેસ જો વાસ્તવમાં આ બાબતે ગંભીર હોય તો સવાલ એ થાય છે કે સોઝ સામે પગલાં શા માટે નથી લેવાતાં? શા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ અંગે કોઈ નિવેદન નથી કરતા?
હકીકતે આ વિવાદને હળવાશથી લેવા જેવો નથી. સૈફુદ્દીન સોઝનું પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે અને રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. હવે આજે નહીં તો ચાર-છ મહિનામાં ત્યાં ચૂંટણી તો થશે. અને એ સમય સુધીમાં સોઝે આ પુસ્તક દ્વારા જે આગ લગાડી છે તે દાવાનળ બની ચૂકી હશે.
હજુ થોડા સમય પહેલાં જ યુએનની દક્ષિણ એશિયા માટેની સમિતિએ એક અહેવાલ જાહેર કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દે ભારતને આરોપીના પિંજરામાં મૂકવાનો પ્રયાસ કર્યો છે. આખી દુનિયા જાણે છે કે આ અહેવાલ એક પ્રકારે પાકિસ્તાન-સ્પોન્સર્ડ છે, તેમ છતાં સત્તાવાર રીતે તો એક તરફી અહેવાલ તેના સ્થાને રહેવાનો છે અને તેનો દુરુપયોગ જમ્મુ-કાશ્મીના અલગતાવાદીઓ, પીડીપી-એનસીપી અને કોંગ્રેસ જેવા પક્ષો ઉપરાંત પાકિસ્તાન પણ કરશે. સામાન્ય પ્રજાને આવા અહેવાલ પાછળનાં રાજકીય કાવાદાવની ખબર નથી હોતી તેથી એ તો સાચું જ માની લેશે.
સૈફુદ્દીન સોઝે જે મુદ્દો છંછેડ્યો છે તેની વાસ્તવિકતા અંગે કાંતો દેશના મોટાભાગના રાજકારણીઓને ખબર નથી અથવા સાચું બોલવાની હિંમત કરતા નથી. સૌથી પહેલાં તો જમ્મ-કાશ્મીરને સ્વતંત્રતાની વાત જ ઉપસ્થિત નથી થતી કેમકે રાજા હરિસિંહે સ્પષ્ટપણે ભારત સાથે જોડાવાની સમજૂતી કરેલી છે. ત્યારપછી નવેમ્બર-ડિસેમ્બર 1947માં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીર આંચકી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય દળો તેમને પાછા હાંકી કાઢવામાં લગભગ સફળ થઈ ગયા હતા, પરંતુ નહેરુએ અચાનક યુદ્ધ વિરામની જાહેરાત કરીને મામલો યુએનમાં લઈ ગયા. હવે મૂળ વાત એ છે કે, તેના આધારે યુએનમાં જે ઠરાવ થયો છે તે તદ્દન સ્પષ્ટ છે. એક ક્ષણ માટે ધારી લેવામાં આવે કે જમ્મુ-કાશ્મીરને તેનો નિર્ણય જાતે લેવાની છૂટ આપવામાં આવે તો પણ એ માટેની જે શરતો છે તેનું સૌથી પહેલું પાલન પાકિસ્તાને કરવાનું છે. યુએનના ઠરાવ (ઠરાવ નં. 47) અનુસાર સૌથી પહેલાં તો પાકિસ્તાને પોતે કબજે કરેલા જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાંથી પાછા જવાનું છે. આ ઠરાવમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન તેણે કબજે કરેલો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરવો જરૂરી છે અને ત્યારબાદ ભારતીય વહીવટી તંત્ર તેમજ ભારતીય સલામતી દળોની દેખરેખ હેઠળ જો જમ્મુ-કાશ્મીરના લોકો ઇચ્છે તો લોકમત લેવાય. પરંતુ આ બધી હકીકત કોંગ્રેસે, નેશનલ કૉન્ફરન્સે, પીડીપીએ કે પછી કોઈ જવાબદાર-સંતુલિત મીડિયાએ જાહેર કરી નથી. જેને કારણે જમ્મુ-કાશ્મીર વિવાદીત સ્થળ છે એવું ખોટેખોટું બધા ચગાવ્યા કરે છે.
અગાઉ કહ્યું તેમ આ સમગ્ર ઘટનાક્રમમાં માત્ર સૈફુદ્દીન સોઝ જવાબદાર છે એવું નથી. કોંગ્રેસ પક્ષની આ માનસિકતા રહી છે. એ સંદર્ભમાં અહીં એ યાદ કરાવવું જરૂરી છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મે મહિનામાં ચાર વર્ષ પૂરા કર્યા તે નિમિત્તે કોંગ્રેસે એક આરોપનામું અથવા કહો કે મોદી સરકારની નિષ્ફળતાઓની એક યાદી જાહેર કરી હતી. એ યાદીમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો પણ હતો. અહીં વાત એ છે કે જમ્મુ-કાશ્મીર વિવાદ અંગેની કોંગ્રેસની જે પુસ્તિકા હતી તેમાં પક્ષે જમ્મુ-કાશ્મીરનો ખોટો નકશો પ્રકાશિત કર્યો હતો. તેમાં કોંગ્રેસે પ્રકાશિત કરેલા નકશામાં અડધા જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર એવું લખાયેલું હતું. અને ત્યારે બધી બાજુથી કોંગ્રેસની સખત ટીકા અને વિરોધ થતાં પક્ષે માફી માગવી પડી હતી. હવે વિચારવાનો મુદ્દો એ છે કે કોંગ્રેસ જો સમગ્ર જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનતો હોય તો પક્ષની પુસ્તિકામાં આવો નકશો છાપવાની ભૂલ થઈ જ કેવી રીતે શકે? શું પ્રકાશન પહેલાં કોઈ અનુભવી વરિષ્ઠ નેતાએ એ જોયું જ નહીં હોય? સ્વાભાવિક છે કે જોયું જ હોય અને ખબર પણ હોય, પરંતુ કાશ્મીર મામલાને ઇરાદાપૂર્વક સળગતો રાખવો એવી કોંગ્રેસની ઇચ્છા હશે એટલે જ પ્રકાશન પહેલાં એ નકશામાં સુધારો કરાયો નહોતો.
આ સિવાય પણ મણિશંકર ઐયર જેવા કોંગ્રેસી નેતાઓ વારંવાર પાકિસ્તાન પહોંચીને ભારત વિરોધી બફાટ કરવામાં કશું બાકી રાખતા નથી અને છતાં માત્ર દેખાવ પૂરતા સસ્પેન્ડ કરવા સિવાય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી એ આપણે ભૂલવું ન જોઈએ.

Monday, June 25, 2018

કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો


કોઈ પથ્થર સે ના મારે હમારે RSS કો

--- દુનિયાની કોઈ સંસ્થા કે સંગઠનને સામાન્ય રીતે પોતાની ટીકા ગમતી નથી... પરંતુ અમારા આર.એસ.એસ.ને એવી કોઈ ચિંતા નથી, કોઈપણ વ્યક્તિ તેને આતંકવાદી સંગઠન પણ કહી જાય..! ચિંતા આ દેશના હિન્દુએ કરવાની છે.

-- અલકેશ પટેલ

કોંગ્રેસી દિગ્વિજયસિંહે તાજેતરમાં ફરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને આતંકવાદી સંગઠન કહ્યો. એના થોડા દિવસ પછી (21 જૂને) બંગાળી મમતા બેનરજીએ ભાજપને હિંસક પાર્ટી ચીતરી દીધી. અમુક મીડિયા આવા નિવેદનોને રાજકીય ગણીને તેની ઉપેક્ષા કરી શકે. સંઘ આવા આક્ષેપ સહન કરે એ એના પોતાનાં કારણો છે. ભાજપ આવા આક્ષેપ સહન કરે એ માટે એના પોતાનાં કારણો છે... પણ 85 થી 90 કરોડ જેટલી વસ્તી ધરાવતો હિન્દુ સમાજ પોતાના પરના આવા ત્રાસવાદના ધબ્બાને સહન કરી લે એ ગંભીર ચિંતાનો વિષય છે.
આ દેશના મૂળભૂત નાગરિકોએ ચિંતા એ વાતની કરવાની છે કે તમને તમારા સંસ્કાર, તમારાં મૂલ્યો, તમારી પરંપરાઓ, તમારા તહેવાર, તમારા પહેરવેશ – એ બધાથી તમને અલગ પાડવામાં આવી રહ્યા છે, તમને વિખૂટા પાડવામાં આવી રહ્યા છે. આ બધું કરનારા લોકો મુખ્યત્વે રાજકારણીઓ છે, જેમનું કામ મત મેળવીને સત્તા કબજે કરવાનું છે. આ હેતુ પૂરો કરવા તેઓ તમારામાં વિભાજન કરી રહ્યા છે. તમારી સંસ્થાઓ, તમારાં સંગઠનો, તમારાં ધાર્મિક સ્થાનો, તમારા સંતોને અપમાનિત કરીને, તેમને બદનામ કરીને તમને સૌને એ બધાથી દૂર કરી રહ્યા છે. તમે દૂર થશો અને તમે વિભાજિત થશો એટલે સામે તો બધા સંગઠિત છે જ. એના આધારે આવા રાજકીય પક્ષોને સત્તા મેળવવા પૂરતા મત મળી જશે અને પછી તમારી ખેર નથી.
ખેર, મુદ્દો આતંકનો છે. મુદ્દો હિન્દુઓની હિંસક વૃત્તિનો છે. જે હિન્દુએ પોતાની ધરતી ઉપર હજારો વર્ષોથી આવતા સારા-નરસા બધા પ્રકારના લોકોને આશ્રય આપ્યો હોય, જે હિન્દુએ પોતાની ધરતી ઉપર અન્ય ધર્મીઓને તેમનાં ધાર્મિક સ્થાન બનાવવા દીધા હોય, જે હિન્દુ ગાયને માતા માને છે તેને અન્ય લોકો વારે-તહેવારે કાપીને ખાતાં હોય છતાં એવા થોડા લોકો 85 – 90 કરોડ હિન્દુઓની વચ્ચે સલામત રહી શકતા હોય એવા નાગરિકો પોતે અને તેમનું પ્રતિનિધિત્વ કરતાં સંઘ જેવાં સંગઠન કે ભાજપ જેવા રાજકીય પક્ષને પણ હિંસક કે આતંકી જેવું લેબલ કેવી રીતે લગાવી શકાય?
છતાં આવું થાય છે તો તેનાં કારણોની ચર્ચા થવી જોઈએ. એ ચર્ચા સૌએ ખુલ્લા મનથી અને ખુલ્લા દિલે સ્વીકારવી જોઈએ.
સૌથી પહેલું કારણ તો એ છે કે 99.99 ટકા લોકોને પોતાની ભવ્ય સંસ્કૃતિ, પોતાના ભવ્ય ઇતિહાસ વિશે કશી જ ખબર નથી. પોતાની ધાર્મિક પરંપરા શું છે, તેની પાછળનાં વૈજ્ઞાનિક કારણો શું છે એ મોટાભાગના લોકો જાણતા નથી. માતા સીતાનું અપહરણ રામે કર્યું હતું એવું ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં છપાઈ જાય અને છતાં એ લખનારને કશું ન થાય, તેનું પ્રૂફ રિડિંગ કરનારને કશું ન થાય, વર્ષો સુધી આવું ભણાવ્યા કરતા શિક્ષકોને પણ કોઈ પૂછનાર ન હોય, એ પાઠ્યપુસ્તકની સમિતિના કોઈ સભ્યનો વાળ પણ વાંકો ન થાય અને વર્ષો સુધી આવું ભણાવાતું રહે ત્યારે એ સમાજ બેહોશીની દશામાં જીવી રહ્યો છે એવું કહેવાય. અને આ સ્થિતિમાં સંઘની શાખાઓ ભરવાથી સુધારો ન આવી શકે. ભાજપની ચૂંટણી સભામાં જવાથી સુધારો ન આવી શકે. આ સ્થિતિમાં રામકથામાં બેસી રહેવાથી સુધારો ન આવી શકે. આવી સ્થિતિમાં સુધારો લાવવા માટે તો સજાગ બનવું પડે.
બીજું સૌથી મોટું કારણ એ છે કે, આપણને એકબીજા ઉપર વિશ્વાસ જ નથી. કોઈ કોંગ્રેસી કે ડાબેરીઓ આપણા વિશે ગમેતેમ બોલી જાય તો આપણો જ એક વર્ગ ખુશ ખુશ થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે કે આપણને બદનામ કે અપમાનિત કરતાં તત્વોને પડકારવા કોઈ તૈયાર થતું જ નથી. એકમાત્ર રાહુલ ગાંધી સામે કેસ થયો છે પણ એ સિવાય કોઈની સામે પોલીસ કેસ થતા નથી એટલે કોઈને સંઘ કે હિન્દુ સમાજનો ડર રહ્યો નથી. કોઈએ હિંસક બનવાની જરૂર નથી, પરંતુ પોલીસ કેસ દ્વારા હિન્દુ વિરોધી તત્વોના મોઢાં તો બંધ કરી શકાયને..! હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લિલ ચિત્રો દોરનાર મકબૂલ ફિદા હુસેન નામના સડકછાપ ચિત્રો દોરનાર વિરુદ્ધ દેશમાં અનેક ઠેકાણે પોલીસ કેસ થયા તો એણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું એવું સંઘ કે ભાજપ કે અન્ય હિન્દુઓને આતંકી કહેનારા બીજા લોકો સામે કેમ નથી થતું? શા માટે આવા પોલીસ કેસ કે પછી કોર્ટ કેસ કરવા માટે કાનૂની મદદ કોઈ હિન્દુને નથી મળતી?
સંઘની સૌથી મોટી તકલીફ એ છે કે એ ખરેખર શું કામ કરે છે એ કોઈ જાણતું જ નથી. સંઘના પદાધિકારીઓ કાયમ એક જ પીપૂડી વગાડ્યા કરે છે કે સંઘને જાણવો હોય તો શાખામાં આવવું પડે. વ્યાપક ભારતીય સમાજ માટે અવાજ ઉઠાવનાર કોઈ વ્યક્તિની પડખે સંઘ ઊભો રહ્યો હોય એવું આજ સુધી જોવા મળ્યું નથી. આવા સંગઠનનો નૈતિક અને કાનૂની ટેકો ન મળે તો કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય માટે ભારત વિરોધી તત્વો સામે લડવાનું શક્ય નથી હોતું. કદાચ થોડો સમય લડે પછી હારી-થાકી જાય અને છેવટે કંટાળીને કાંતો ભારત વિરોધી તત્વોની માફી માગી લે અથવા ધર્માંતર કરી લે. જે સંગઠન પોતાને આતંકવાદી કહેનાર સામે પણ જો કોઈ પગલાં ન લઈ શકતું હોય તો પછી સામાન્ય નાગરિકોએ કોની પાસે શી આશા રાખવાની. અનેક વખત એવું લાગે છે કે આ સંઘ કાશી પણ બચાવી નહીં શકે... એટલે જ કહું છું નબળાઓના સંઘને પથ્થર ન મારશો.