Monday, November 29, 2021

શું નકલી ફેમિનિસ્ટો હવે નરેન્દ્ર મોદીની પીઠ થાબડશે?

 

--- આ અઠવાડિયે રાષ્ટ્રીય સરવેના આંકડા જાહેર થયા, તે અનુસાર દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હોવાનું તારણ નીકળ્યું. બેટી બચાવો, બેટી પઢાઓ– એ માત્ર સૂત્ર નથી એ સાબિત થયું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની સામાજિક – આર્થિક સ્થિતિ દર્શાવતો પાંચમો રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવે (NFHS) આ અઠવાડિયે જાહેર થયો. આ સરવેના અન્ય કેટલાંક તારણોની સાથે સૌથી મોટું એક તારણ એ નીકળ્યું કે, ભારતમાં હવે પુરુષો અને મહિલાઓની સંખ્યાનો રેશિયો બદલાઈ ગયો છે. અર્થાત દેશમાં પુરુષોની સંખ્યા કરતાં મહિલાઓની સંખ્યા વધી છે. હવે ભારતમાં પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 છે.

આ સ્થિતિ કંઈ એમ જ નથી આવી ગઈ. આ માટે 20 વર્ષ પહેલાં ગુજરાતે જ પહેલ કરી હતી. આવો પ્રથમ સરવે 1992-93માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજો સરવે 1998-99માં કરવામાં આવ્યો હતો. બીજા સરવેનાં પરિણામો સમયે ગુજરાતમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે સરકાર બનાવ્યાને માંડ બે-ત્રણ વર્ષ થયાં હતાં. તે સમયે ગુજરાતમાં 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યાનું પ્રમાણ (અંદાજે) 930 આસપાસ હતું. 1990ના દાયકાના અંતિમ વર્ષોના એ ગાળામાં કેરળ જેવાં એકાદ-બે અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં પુરુષો અને મહિલાઓની સંખ્યામાં આવું જ અસંતુલન હતું. પરંતુ કમનસીબે ગુજરાત, ભારત અને દુનિયાભરના નકલી ફેમિનિસ્ટો અને નકલી માનવ અધિકારવાદીઓએ માત્ર ગુજરાતને નિશાન બનાવીને કાગારોળ મચાવી મૂકી હતી. તેનું કારણ દેખીતું હતું – આ નકલી ફેમિનિસ્ટ-માનવ અધિકારવાદી પ્રજાતિને ભાજપનું શાસન પસંદ નહોતું.

1990ના દાયકાની આ વાતને વર્તમાન સાથે જોડવાનું તાત્પર્ય શું છે?

તાત્પર્ય એ જ છે કે, ત્યારપછી ગુજરાતમાં ભાજપની સરકારે અને ખાસ કરીને 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારપછી મહિલા સશક્તિકરણની દિશામાં સાચા અર્થમાં પ્રયાસો શરૂ થયા હતા, અને છતાં પેલા નકલી ફેમિનિસ્ટો તેમજ નકલી માનવ અધિકારવાદીઓએ તેમની એકતરફી કાગારોળ ચાલુ રાખીને બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ થઈ રહેલા મહિલા સશક્તિકરણના પ્રયાસોને વખોડવાનું અને એથી આગળ વધીને ક્યારેક તો એ પ્રયાસોને ખોરવી નાખવાનાં કાવતરાં પણ કર્યા હતાં.

ટુકડેગેંગના આ કાવતરાખોરો હિન્દુત્વ વિરોધી હતા અને છે, એ તત્વોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાજપ સામે વાંધો હતો અને છે અને એ કારણે જ દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ સિવાયના પક્ષોની સરકારો હતી છતાં એ રાજ્યોમાં પુરુષ - મહિલા વસ્તી અસંતુલ વિશે કશું બોલતા નહોતા, પરંતુ ભાજપની સરકાર હોય તો એને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવામાં કશું બાકી રાખતા નહોતા.

નરેન્દ્ર મોદી ટુકડેગેંગના આ મલીન ઈરાદાને સારી રીતે સમજતા હતા અને તેથી જ ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી તેમણે મહિલા સશક્તિકરણની દિશામાં ધરમૂળથી નીતિગત ફેરફારો કર્યા. આ ફેરફારોને તેઓ 2014માં વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય સ્તરે પણ લઈ ગયા. એનું જ પરિણામ છે કે સાત વર્ષના ગાળામાં પુરુષ – મહિલા વસ્તીનો રેશિયો બદલાઈ ગયો છે. શરૂઆતમાં કહ્યું તેમ ભારતમાં હવે પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવેના છેલ્લા અહેવાલ અનુસાર લગભગ તમામ પેરામીટરમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. ખુલ્લામાં ટોઇલેટ જવાની વાત હોય કે ઈંધણ માટે લાકડાને બદલે ગૅસના ઉપયોગની વાત હોય; મહિલાઓને મળતા વીમા કવચની વાત હોય કે પછી બેંક ખાતાંનો જાતે ઉપયોગ કરવાની બાબત હોય – દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે.

આ સંજોગોમાં સૌથી મહત્ત્વના પ્રશ્નો એ ઉપસ્થિત થાય છે કે, નકલી ફેમિનિઝમના ઝંડાધારીઓ અને નકલી માનવ અધિકારવાદીઓ શું હવે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સ્વીકારી તેને આવકારશે? હિન્દુત્વને, રાષ્ટ્રવાદને, ભાજપને મનુવાદી કહીને ઊતારી પાડવાના નીચ પ્રયાસો કરનારા રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય સ્તરના અને આંતરરાષ્ટ્રીય સ્તરના હિંસાખોર અર્બન નક્સલીઓ શું હવે મહિલા સશક્તિકરણની બદલાયેલી આ સ્થિતિ બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનશે? આમ તો આવી આશા રાખવી નિરર્થક છે કેમ કે અર્બન નક્સલીઓનું લક્ષ્યાંક માત્ર ભાજપને સત્તાથી દૂર કરવાનું છે...એ તત્વોને મહિલા સશક્તિકરણ કે ખેડૂત સશક્તિકરણમાં કોઈ રસ નથી. તેથી જ આ સરવેનાં પરિણામોની સર્વગ્રાહી સારપને જોવાને બદલે ટુકડેગેંગના તત્વો તેમાંથી છીંડા શોધીને ચગાવશે એ નિશ્ચિત છે. આગામી એક અઠવાડિયા દરમિયાન ટુકડેગેંગના આવા પ્રયાસોને સમજદાર નાગરિકો ઓળખી લે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 21, 2021

કૃષિ કાયદાઃ આ પીછેહઠ નથી, માસ્ટર સ્ટ્રોક પણ નથી!

 


--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી. સમર્થકો અને વિરોધીઓ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. બંનેમાંથી કોઇને આખા કેસની સંપૂર્ણ જાણકારી નથી...એટલું નિશ્ચિત છે કે નકલી ખેડૂત આંદોલન પાછળના આંતરરાષ્ટ્રીય કાવતરાની ચેઇન એક વખત તો તોડવી પડે એમ હતી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી ત્યારપછીના થોડા કલાક બાદ આ લેખ લખી રહ્યો છું. લેખ રવિવારે પ્રકાશિત થવાનો છે એટલે શુક્રવાર બપોરથી શનિવાર રાત સુધી આ મુદ્દે તમે ઘણું બધું વાંચ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હશે. દરેક લખનાર અને દરેક બોલનાર પોતે નિષ્ણાત છે એ રીતે રજૂઆત કરતા હશે, તેથી ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થકો મુંઝવણમાં છે કે- કોણ સાચું અને કોણ ખોટું?

મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણય પાછળની બધી વિગતો ખબર છે એવું નથી. પરંતુ હું એટલું ચોક્કસ જાણું છું કે, સરકારે કોઈ અસાધારણ મજબૂરી વિના આ નિર્ણય નહીં જ લીધો હોય. ખેર, મુદ્દો એ પણ નથી. ચાલો આ બાબતે અહીં એક સર્વગ્રાહી ચર્ચા કરી લઈએ.

વાત એમ છે કે, ખેડૂત આંદોલનના નામે વિપક્ષો તેમજ ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય લૉબી જે રીતે સક્રિય થઈ હતી એને ક્યાંક અટકાવવી પડે તેમ હતી. નકલી આંદોલન શરૂ થયાના એક વર્ષ પછી પણ જો એ ટોળકી સક્રિય હતી તો તેનો અર્થ એ હતો કે એ લોકોને ભંડોળ મળવા સહિત બીજી તમામ સુવિધાઓ ઘણા લાંબા સમય સુધી મળવાની ખાતરી હતી (અને ટિકૈત એવું વારંવાર બોલતો પણ હતો) અને એ સંજોગોમાં દેશ-વિરોધી તત્વોને ભાંગફોડ કરવાની વધારે તક મળત.

જો આ કથિત ખેડૂત આંદોલન સાચા અર્થમાં હોત તો આખા દેશના ખેડૂતો તેમાં જોડાત, પરંતુ બધા જ જાણીએ છીએ કે માત્ર સ્થાપિત હિતો ધરાવતા રાજકીય પક્ષોના સમર્થક એવા ખેડૂતોને બાદ કરતાં કોઈ સાચા ખેડૂતો જોડાયેલા નહોતા. બાકી જે કોઈ બચ્યા હતા એ ખાલિસ્તાની સમર્થકો હતા એ વાત આંદોલનના સ્થળે લાગેલાં પોસ્ટરો તેમજ બેનરોના આધારે સ્પષ્ટ સમજી શકાતું હતું.

મોદી સરકારે એક વર્ષ સુધી આ નકલી ખેડૂતો તેમજ આંતરરાષ્ટ્રીય માઓવાદી ટોળકીઓને મચક ન આપી એના પરથી સરકારનો ઇરાદો સ્પષ્ટ થાય છે, અને છતાં હવે આ નિર્ણય લેવો પડ્યો એના પરથી વિચારો કે સરકાર કેવાં પરિબળો સામે લડી રહી હતી! એ પરિબળોને સફળ નહીં થવા દેવા માટે પણ અણગમતો નિર્ણય કરવો પડે તેમ હતું. સામાન્ય નાગરિકોએ એ વાત પણ સમજવી જરૂરી છે કે આ નકલી ખેડૂત આંદોલન પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યાં હશે તેના વિશે મોદી સરકારને ગુપ્તચર અહેવાલ મળ્યા હશે, પરિણામે દેશહિત ખાતર પણ આવો નિર્ણય લેવાની ફરજ પડી હોઈ શકે!

કેટલાક તત્વો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની સરકારને ફરજ પડી છે તેથી CAA તથા કલમ 370-A જેવા કાયદા અંગેના નિર્ણયોનો જે લોકો વિરોધ કરે છે તેઓ હવે રસ્તા પર આવશે અને સરકારને તેના નિર્ણય પરત ખેંચવા ફરજ પાડશે. આવું તારણ કાઢવું એ હકીકતે અધકચરી સમજનું પરિણામ છે. અગાઉ કહ્યું તેમ, રાષ્ટ્રહિતમાં માનતા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ વિપક્ષો કૃષિ કાયદાના વિરોધમાં હતા. તેમની સાથે ખેત પેદાશોની દલાલી કરતા માફિયા ઉપરાંત ખાલિસ્તાનીઓ, માઓવાદીઓ અને એજન્ડાધારી મીડિયા એ બધા જ જોડાઈ ગયા હતા. આ તમામ રાષ્ટ્ર-વિરોધી તત્વો ભેગા મળીને દેશને નુકસાન કરી જ રહ્યા હતા, પરંતુ તેના કરતાં વધારે જોખમ આવી રહેલી પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઊભું થઈ શકે તેમ હતું.

નકલી ખેડૂત આંદોલનકારીઓ વારંવાર હિંસા કરતા હતા. આ વર્ષની 26 જાન્યુઆરીએ શરૂ કરેલી હિંસા ગયા મહિને છેક લખીમપુર સુધી ભાજપના કાર્યકરોના લિંચિંગ સુધી પહોંચી હતી. તેથી હવે એવી પૂરી શક્યતા હતી કે, પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ હિંસાખોર તત્વો વધારે ઉગ્ર બનીને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા પણ ખોરવી નાખી શકે. કોરોનામાંથી માંડ ઉભરી રહેલો દેશ આ તબક્કે ખાલિસ્તાની-માઓવાદી હિંસાની સંભાવનાનું જોખમ ઉઠાવી શકે નહીં. હકીકતે કૃષિ કાયદાના બહાને આ હિંસાખોર તત્વો એક રાષ્ટ્રવાદી સરકારને ઉખાડી ફેંકવા શસ્ત્રો સજાવી રહ્યા હતા અને તેથી જ તેમના શસ્ત્રોને બુઠા કરી દેવા જરૂરી હતા. જે વડાપ્રધાન ચીન જેવા દેશને ઝુકાવી શકતા હોય એ ટુણિયાટ જેવા નકલી ખેડૂતોને તો ઝુકાવી જ શકે...છતાં એ જ વડાપ્રધાને પોતે પોતાનો નર્ણય પાછો ખેંચ્યો છે ત્યારે એના ઘણા સૂચિતાર્થ હશે જ. થોભો અને રાહ જૂઓ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 14, 2021

સંવત 2078માં આટલું તો કરજો જ...કરશો ને?

 


 --- ગુજરાતમાં શુક્રવારથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. હિન્દુ સભ્યતા-સંસ્કૃતિ ઉપર બેસુમાર આક્રમણ થઈ રહ્યાં છે. સૌથી આધુનિક વિચારો ધરાવતા સૌથી પ્રાચીન સનાતન ધર્મને ખતમ કરવા કારસા ઘડાઈ ગયા છે, ત્યારે તેના રક્ષણની અને આગળ વધારવાની જવાબદારી આપણે જ પૂરી કરવાની છે

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

સૌપ્રથમ તો નવા વર્ષના સૌને રામ રામ.

વિક્રમ સંવત 2078માં મારે, તમારે, આપણા સૌએ કેટલાક સંકલ્પ લેવા જ પડશે. મારી આ કૉલમમાં વારંવાર ચેતવણી આપું છું કે, બધું ઠીક નથી ચાલી રહ્યું. સ્હેજ આંખ ઉઘાડો, સ્હેજ ઊંઘમાંથી બહાર આવો તો ખબર પડશે કે સનાતન હિન્દુ ધર્મને કોતરી-કોતરીને, તોડીફોડીને, વેરવિખેર કરી નાખીને સંપૂર્ણ ખતમ કરી દેવાના કારસા એક સાથે અનેક તરફથી ઘડાયા છે. વળી પીડાદાયક કમનસીબી એ છે કે, આપણામાંથી જ અનેક લોકો જાણે-અજાણ્યે એ કારસામાં સામેલ થઈ ગયા છે. આપણા જ ઘરના પાયાને તોડી રહેલી ટોળકીમાં આપણમાંના ઘણા જાણે-અજાણ્યે સામેલ છે.

એટલે જ આજે વધુ એક વખત ચેતવું છું. સમાજને તેની આસપાસનાં જોખમોથી, આવી રહેલા મોટાં જોખમોથી ચેતવવો એ લેખકોની માત્ર ફરજ જ નહીં જવાબદારી પણ છે.

તેથી આ નવા વર્ષે સંકલ્પ કરો કે, કોઇપણ ભોગે આપણી પોતાની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીશું.

સંકલ્પ કરો કે, આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરા વિશે આપણને જ્ઞાન આપવા નીકળી પડતા વિધર્મીઓની વાતોમાં સપડાઈશું નહીં.

સંકલ્પ કરો કે, રોજેરોજ લાખો-કરોડો જીવોની હત્યા કરીને ખાઈ જતા માંસાહારીઓ જ્યારે આપણા તહેવારોમાં જીવદયા બતાવવા આવશે ત્યારે એમને જડબાતોડ જવાબ આપીશું.

સંકલ્પ કરો કે, પોતાના એક દિવસના તહેવારમાં લાખો-કરોડો જીવની હત્યા કરી દેતા લોકો આપણા તહેવારમાં જીવદયા વિશે ડહાપણ ડહોળવા આવશે તો એમને એમની અસલિયતનો અરીસો બતાવીને પરત જવા ફરજ પાડીશું.

સૌથી મોટો સંકલ્પ તો એ કરો કે, હિન્દુ તહેવારો ઉપર સુફિયાણી સલાહ આપવા હાલી નીકળતા બોલિવૂડની ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કથિત સ્ટાર, જુગારના અડ્ડા સમાન ક્રિકેટની રમતના કથિત ખેલાડીઓ કે પછી સનાતન પરંપરાઓને તોડવામાં સૌથી અગ્રેસર ટીવી શ્રેણીઓના કથિત સ્ટાર બાબલા-બેબલીઓની વાતો માનીશું નહીં...એટલું જ નહીં પરંતુ એવી સલાહ આપવા નીકળી પડતા લોકોની ફિલ્મ, રમત તેમજ શ્રેણીનો અને એ જે પ્રોડક્ટની જાહેરાત કરે તેનો બહિષ્કાર કરીશું.

બીજો સૌથી મોટો સંકલ્પ એ પણ કરવો જોઇએ કે, હિન્દુ પરંપરાઓને તોડવા માગતા તત્વોને મહત્ત્વ આપતી સમાચાર ચેનલો, મીડિયાનો બહિષ્કાર કરો. યાદ રાખો, આર્થિક ફટકો માર્યા વિના કદી કોઈ સુધરતું નથી. તમે જોયું હશે કે, ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો હજુ 2014 સુધી હિન્દુઓને ગણતરીમાં નહોતા લેતા, હિન્દુ તહેવારોમાં કદી શુભેચ્છા પણ નહોતા પાઠવતા- એ બધા 2014 પછીની હિન્દુ એકતા જોઇને હવે મંદિરોના આંટા મારતા થઈ ગયા છે. આ વટલાયેલા નકલી હિન્દુ રાજકારણીઓ છે. એમણે એમની લઘુમતી મતબેંકને દગો કર્યો છે અને હવે હિન્દુઓને છેતરવા આવી પહોંચ્યા છે. એમનાથી ભોળવાઈ નહીં જવાનો પણ સંકલ્પ લેવાની ખાસ જરૂર છે.

જરા વિચાર તો કરો કે તમે પોતે એ પરંપરાના વંશજ છો જે પ્રત્યેક કણમાં જીવ અને પ્રત્યેક જીવમાં શિવના અસ્તિત્વને માને છે. માત્ર માને છે એટલું નહીં, પરંતુ એ પ્રત્યેક જીવને જીવનના વિવિધ પાસાં સાથે એવી રીતે વણી લીધા છે જેથી તમારા પોતાના વિકાસની સાથે સાથે એ જીવોનો પણ વિકાસ થાય. સનાતન હિન્દુ પરંપરા ઉપભોગ અને ઉપભોકતાવાદી નથી. છેક વેદકાળથી સનાતન પરંપરા રહી છે કે સૃષ્ટિમાંથી જે કંઈ લેવામાં આવે એ તેને પરત કરવું.

આ સનાતન પરંપરા હજુ સુધી જળવાઈ છે એમાં કોઈ બેમત નથી. બસ ફેર એટલો પડ્યો છે કે, આવી પરંપરા જાળવનારા સાચા સનાતનીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાચા સનાતની હિન્દુઓ ઘટી ગયા છે, ઘટી રહ્યા છે. જો આ જ પ્રવાહ ચાલુ રહશે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, બર્મામાંથી જેમ આપણે લૂપ્ત થઈ ગયા અથવા લૂપ્ત થઈ રહ્યા છીએ...એમ જ એક દિવસ આપણી પોતાની ભૂમિ ભારતવર્ષમાંથી લૂપ્ત થઈ જઇશું.

આપણા તહેવારો, આપણી ધાર્મિક પરંપરા અને માન્યતાઓ, આપણા ઉત્સવો, આપણી બોલચાલ અને ખાણીપીણી આ બધા ઉપર ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ટીવી શ્રેણીઓ, મીડિયા ઉપરાંત દંભી વટલાયેલા રાજકારણીઓ અવળો પ્રભાવ પાડી રહ્યા છે. એટલે સુધી કે આપણા પોતાના તહેવારમાં, આપણા પોતાના ધર્મમાં શુભેચ્છા પાઠવવાની પરંપરામાં મુબારક જેવો શબ્દ ઘૂસાડી દેવામાં આવ્યો છે. આવી ગુલામીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ લેવો જ પડશે. કોઈ વિકલ્પ નથી. જેમ વંશવેલો આગળ વધારવા માટે ગોત્રનું મહત્ત્વ છે એમ જ ધર્મનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા સાધર્મીઓનો મજબૂત કિલ્લો જોઇએ. આટલું સમજાશે તો તમને – આપણને વિખેરી નાખવા માગતાં પરિબળોને ઓળખવાનું વધારે અઘરું નહીં રહે. આ લેખના એક-એક વાક્ય ઉપર વિચાર કરો, ફેલાવો ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Thursday, November 11, 2021

Abhimanyu – The Warrior Prince




Abhimanyu – The Warrior Prince

 

Author: Deepak M.R.

 

Review by – Alkesh Patel (અલકેશ પટેલ)

 

Abhimanyu and Chakravyuha are the words that hardly any Dharmik Bhartiya may not know! For thousands of years the maharathi Abhimanyu is inspiring us to fight and break the Chakravyuhas of any kind. But here, we are talking about one of the greatest heroes of Mahabharata. The author of the novel Abhimanyu- The Warrior Prince Mr. Deepak M.R. is absolutely right when he says that there are several great characters in Mahabharata about whom we know little or nothing. I would like to add that stories of such characters needs to be told in such literary forms that would attract younger generation towards our Shastras.

We know that as a maharathi, Abhimanyu was able to defeat any warrior on the earth like his father Arjuna. But still he was killed because he could not break the Chakravyuha, a war formation that was specially created to trap and kill Abhimanyu. Call it a Shree Krishna neeti or whatever, that even though knowing in advance the outcome of the Chakravyuha He neither stop him to enter the Chakravyuha, nor allowed Arjuna to rush and save his son!

Yes! Lord Krishna wanted to defeat Adharma and that He knew that virtuousness of Pandvas won’t serve the purpose.

And here the art of storytelling comes into action! The author has very meticulously crafted the character of Abhimanyu out of the entire Mahabharata and its scores of legendary characters. The author Deepak M.R. is successful in creating curiosity while crafting the story of Abhimanyu along with other rousing emotions surrounding the family, war, stress, valour, cunningness, cheating, truth etc.

I would suggest, especially to young readers to read this book to understand the difference between Dharma and Adharma.

https://www.goodreads.com/review/show/4332535412?error_code=4201&error_message=User%20canceled%20the%20Dialog%20flow#_=_

 

 


Rise of Dharma


"Rise of Dharma (Samrat Yudhishthira Trilogy Book 1)" a book by Semanti Chakraborty

Review by Alkesh Patel (અલકેશ પટેલ)

We all know about our Shashtras including the most revered and widely read Mahabharata and Ramayana. Most of us also know about the characteristics of the main characters through their words and actions. Thousands of writers and speakers have been interpreting these epics and the characters, but if you have a sensible writer like Semanti Chakraborty, you can have the glimpse of a particular character, his/her inner joys and stresses, struggles and wins.<br /><br />Rise of Dharma, a novel by Semanti Chakraborty provides a new and fresh dimension about Dharmaraj Yudhishthira. As the author herself says, “...To most of them he is nothing more than a gambler who caused misery in this family members’ lives, an unworthy husband who did not protest against humiliation of his wife, and a selfish brother who just used his brothers to get everything done... Many others see him as a weak, boring person who only preaches the rulebook Dharma and sometimes even justifies his own wrong decisions in the name of the same...” And she has done full justice to the character of Dharmaraj by bringing out his real worth.<br /><br />Interestingly, the author is going to write Samrat Yudhishthira trilogy, and I believe that it would be a real treat for not only the book lovers, but the Mahabharata and Yudhishthira lovers as well! Why I say so? The reason is that, the author has nicely woven each and every character around the central character of Dharmaraj Yudhishthira. Rise of Dharma is such a lucidly written that the reader would not be able to put it back in the shelf without reading the last word of the last chapter, that’s promise! As you go through each chapter, the question will hunt you too, that banished from his homeland, in danger of being murdered, moving in disguise through a land of cannibals – can Yudhishthira cause Dharma to rise again in a broken Bharatvarsha?