Sunday, July 17, 2022

ગુજરાત અને ભારતના સાધુ-સંતોને જાહેર અપીલ



 

દેશનો માહોલ જોખમી રીતે બગડી રહ્યો છે. વસ્તીનું સંતુલન ઘાતકી રીતે ખોરવાઈ રહ્યું છે. આવા સંજોગોમાં હિન્દુ સમુદાયને સંગઠિત રાખવા, હિન્દુઓને ધર્માંતરથી બચાવવા સાધુ-સંતોએ આગળ આવવું જ પડશે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 ગુજરાતના તેમજ દેશના સાધુ-સંતોએ હવે રામાયણ-ભાગવતની કથાઓની સાથે સાથે હિન્દુ નવજાગ્રતિની કામગીરી કરવાનો સમય આવી ગયો છે. વિદેશોમાં મિશનરી તેમજ જેહાદી તાકાતો સંગઠિત થઇને હિન્દુત્વ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે એ વાતની જાણ સાવ જૂજ સાધુ-સંતોને હશે, પરંતુ ભારતમાં જ હિન્દુ પીસાઈ રહ્યો છે, હિન્દુ ઘટી રહ્યો છે એના તરફ સાધુ-સંતોએ-કથાકારોએ તાકીદે ધ્યાન આપવાની જરૂર છે.

હિન્દુ પ્રજા પોતાના દેશમાં જ સલામત નથી. પોતાના ધર્મના બચાવમાં પણ હિન્દુ હવે કશું બોલી શકવાની સ્થિતિમાં રહ્યો નથી અને કદાચ બચાવમાં બોલે તો પણ તેની હત્યાનું જોખમ ઊભું થઈ જાય છે. હિન્દુઓ સાથે જે પ્રજા આવા ઘાતકી કૃત્યો કરે છે તેમને તો ગળથૂથીમાં જ હિંસાના ડોઝ પીવડાવવામાં આવે છે. હિન્દુઓ હિંસા કરી શકવાના નથી કેમ કે એ તેમના સંસ્કારમાં જ નથી.

હિન્દુઓ બધી બાજુથી ઘેરાઈ રહ્યા છે. દેશના આઠ રાજ્યમાં તો હિન્દુઓ લઘુમતીમાં આવી જ ગયા છે. અને આ સ્થિતિ 2011ની વસ્તી ગણતરીની છે, એ પછીના દસ વર્ષમાં શું થયું હશે એ કોઈ જાણતું નથી. 1000 વર્ષની ગુલામીના કાળખંડમાં રાજાઓ, રાજપૂતો તેમજ બ્રાહ્મણોએ આપેલી લડત અને તેમનાં બલિદાનોને કારણે હિન્દુત્વ ટકી ગયો, પરંતુ હવેની સ્થિતિ અલગ છે. હવે માત્ર હિંસાથી જ ધર્માંતરો થાય છે એવું નથી. આધુનિક સમયમાં ટેકનોલોજીને કારણે ધર્માંતરનાં સ્વરૂપ બદલાયાં છે. ખ્રિસ્તી મિશનરીઓ તો હવે જેમનું ધર્માંતર કરાવે તેમનાં નામ પણ બદલતાં નથી. હિન્દુ નામો રાખીને જ લોકોને ધર્માંતરની પ્રવૃત્તિમાં જોડી દીધા છે.

ધર્મસ્થળોને લગતા ભેદભાવો પણ હજુ યથાવત્ છે. કોંગ્રેસી સરકારોના સમયમાં બની ગયેલા ધર્મસ્થળોના ભેદભાવને લગતા કાયદા હજુ સુધી બદલાયા નથી અથવા નાબૂદ થયા નથી એ કારણે પણ હિન્દુઓ પીડાઈ રહ્યા છે. દરેક કામ માત્ર સરકાર ન કરી શકે. ભલે પછી તે રાષ્ટ્રવાદી અને સનાતન તરફી સરકાર હોય તો પણ લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં સરકાર ઈચ્છે તો પણ અમુક કામો ન કરી શકે. તેથી જ સાધુ-સંતોએ હિન્દુ સમાજમાં જાગ્રતિ લાવીને તેમને સંગઠિત કરવા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે જેથી સરકાર અને રાજકીય પક્ષો ઉપર હિન્દુહિત માટે પૂરતું દબાણ લાવી શકાય.

આ માટે હવે સાધુ-સંતોએ તેમના અંગત ગણા – અણગમા, આશ્રમો અને ગુરુકુળોના વાડામાંથી બહાર આવવું જ પડશે. હું એમ નથી કહેતો કે તેમણે આશ્રમો છોડી દેવા અથવા ગુરુકુળો બંધ કરી દેવા કે પછી કથા-વાર્તા બંધ કરી દેવી. ના, એ બધું જ ચાલુ રાખી શકાય. બલ્કે મારી અપીલ એ છે કે, તમારા રોજિંદા ધાર્મિક કાર્યોમાં હવે હિન્દુઓમાં સનાતન ધર્મ-સંસ્કાર પ્રત્યેની જાગ્રતિ માટેના વિશેષ પ્રયાસ શરૂ કરી દેવા જોઇએ. જે જે અંતરિયાળ વિસ્તારોમાં, જ્યાં જ્યાં મિશનરીઓ તથા જેહાદી સંસ્થાઓ ફૂલીફાલી છે ત્યાંના હિન્દુઓમાં આત્મવિશ્વાસની સાથે સાથે સનાતન સંસ્કારો ટકી રહે તે માટે સાધુ-સંતોએ તેમજ કથાકારોએ વિશેષ પ્રયાસ કરવા અનિવાર્ય છે.

સાધુ-સંતો-કથાકારોને આવી અપીલ એટલા માટે કરું છું કે, હિન્દુ વિરોધી હુમલા અત્યંત વ્યાપક છે. અમુક અંશે રાજકીય પક્ષોમાં, અમુક અંશે સરકારી વહીવટીતંત્રમાં, અમુક અંશે પોલીસ અને ન્યાયતંત્ર તેમજ મીડિયા અને શિક્ષણક્ષેત્રમાં પણ મિશનરી અને જેહાદી માનસિકતા ધરાવતા લોકો સામાન્ય હિન્દુઓને ડરાવી-ધમકાવી રહ્યા છે. આ હિન્દુઓને સાચો સધિયારો આપનાર લગભગ કોઈ નથી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં સંગઠન હિન્દુઓને સધિયારો આપવા પ્રયાસ કરે છે તો મીડિયાથી માંડીને ન્યાયતંત્ર સુધી બધા તેમને અપમાનિત કરીને બદનામ કરે છે. ત્યારે એકમાત્ર આશાનું કિરણ સાધુ-સંતો અને કથાકારો છે. વિહિંપ તથા બજરંગ દળને નૈતિક ટેકો આપવા માટે પણ સાધુ-સંતોનું સક્રિય થવું આવશ્યક છે.  તેઓ કોઇપણ રીતે આક્રમક થયા વિના – પૂરી મક્કમતાથી સનાતન સંસ્કારો વિશે પુનઃ આત્મવિશ્વાસ જગાવશે તો જ આપણે હવે જેટલી સંખ્યામાં છીએ એટલા બચી શકીશું, અન્યથા આપ સૌ જાણો છો કે એક સમયનું અખંડ ભારત હાલ માત્ર ત્રીસેક રાજ્યોમાં સંકોચાઈ ગયું છે અને એ સંકોચન પણ ચાલુ છે.

રામાયણ અને ભાગવત કથાઓ હંમેશ માટે ચાલુ રાખવી હશે તો સાધુ-સંતોએ, કથાકારોએ સનાતન નવજાગ્રતિ દ્વારા હિન્દુત્વને ટકાવી રાખવાનું કામ યુદ્ધના ધોરણે ઉપાડી લેવું પડશે... બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ વિકલ્પ નથી—જો બચવું હોય તો. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, July 10, 2022

મા કાલીનું અપમાન અર્બન નક્સલીઓની છેલ્લી ભૂલ બની રહેવી જોઇએ

 

ફિલ્મ ક્ષેત્રમાં, ટીવી ઈન્ડસ્ટ્રીમાં, શિક્ષણ જગતમાં, ન્યાયતંત્રમાં અને રાજકારણમાં ઘૂસી ગયેલા અર્બન નક્સલી તત્વોને હવે સંપૂર્ણ કાનૂની રીતે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કેનેડામાં વસતી લીના મનીમેકલાઈ નામની એક કહેવાતી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શિકાએ મા કાલી નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી અને તેની રિલીઝ પહેલાં એક પોસ્ટર જારી કર્યું, જેમાં માતાને સિગારેટ પીતાં અને એક હાથમાં એલજીબીટી પ્રજાતિનો બહુરંગી ધ્વજ પકડતાં બતાવાયાં છે. લીનાનું આ કૃત્ય એક પ્રકારે ગંભીર અપરાધથી જરાય ઓછું નથી. કરોડો ભારતીયો જે દેવીમાતામાં આસ્થા ધરાવે છે તેમને આવા સ્વરૂપમાં રજૂ કરીને લીનાએ જે અપરાધ કર્યો છે એ બદલ એ જેલમાં જ હોવી જોઇએ.

લીના કેનેડામાં રહે છે એટલે કદાચ એને ક્યારેય તેના આ ગંભીર અપરાધની સજા મળશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ જો ભારતમાં રહેતી હોત તો અત્યાર સુધીમાં તે ચોક્કસ જેલમાં હોત.

લીના જેવા સમાજવિરોધી તત્વોને હવે ખરેખર સંપૂર્ણ કાનૂની રીતે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ભારતીય સમાજમાં જો હવે જરા જેટલી પણ ખુમારી બચી હોય તો લીના, આમીર, નસીરુદ્દીન, મહુઆ મિત્રા, પ્રકાશ રાજ જેવાં તત્વો સામે રોજેરોજ કેસ દાખલ કરીને, તેમને કાનૂની રીતે ઘૂંટણીએ પાડવા જ જોઇએ. જો આવું શરૂ કરીશું તો જ ભારતીય સમાજ પોતાનું આત્મસન્માન બચાવી શકશે, અન્યથા ઉપર કહ્યા એવા અપરાધીઓ ઉપરાંત મીડિયામાં બેઠેલા એમના જોડીદારો, ન્યાયતંત્રમાં બેઠેલા એમના સમર્થકો ભારતીય સનાતન સંસ્કૃતિને ખતમ કરી નાખશે.

હું જાણું છું કે આ લેખ વાંચતી વખતે કેટલાક લબાડ તત્વો એવું પણ વિચારતા હશે કે હિન્દુત્વ નબળો નથી કે ઉપર કહ્યા એવા લોકોથી તેના ઉપર કોઈ જોખમ આવે, પરંતુ એવા મુર્ખ હિન્દુઓ ત્યારે જ સમજશે જ્યારે તેમના પોતાના ઘરમાં રેલો આવશે. પણ બાકીના હિન્દુઓએ, હિન્દુ સંગઠનોએ અર્બન નક્સલીઓને કાનૂની રીતે સીધા દોર કરી દેવાનું મિશન ઉપાડી લેવાનો સમય આવી ગયો છે.

લીના જેવાં તત્વોની હિન્દુત્વનું અપમાન કરવાની આ છેલ્લી ભૂલ બની રહેવી જોઇએ એ હદે આપણે સૌએ સક્રિય થવું જ પડશે. જો એમ નહીં કરીએ તો ભાગલાવાદી તત્વોની હિંમત વધતી જશે અને જે રીતે જેએનયુમાં આઝાદીના સૂત્રોચ્ચાર થયા હતા એવું એક દિવસ વાસ્તવમાં બનીને ઊભું રહેશે.

ભાગલાવાદી, હિન્દુ-વિરોધી તથા હિન્દુત્વ-વિરોધી વિચારધારાને પરાસ્ત કરવાના રસ્તા મેં આ અગાઉ અનેક વખત આ જ કૉલમમાં સૂચવ્યા છે. આજે વધુ એક વખત એ વિશે વાત કરવાનો સમય આવ્યો છે. એ ઉપાય છે- આર્થિક, સામાજિક બહિષ્કાર ઉપરાંત કાયદાનો દંડો.

ગાંધી-નહેરુની તુષ્ટિકરણની નીતિએ સાત દાયકા સુધી આ દેશનું નખ્ખોદ વાળી નાખ્યું છે. આ સાત દાયકા સુધી સત્તા પર રહેલા કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ લઘુમતીઓના તળિયા ચાટવામાં અને હિન્દુઓની ઘોર ઉપેક્ષા કરવામાં કશું બાકી રાખ્યું નથી. આનું પરિણામ એ આવ્યું કે, સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં અર્બન નક્સલીઓ કેન્સરના કીડાની જેમ ઘૂસી ગયા અને હિન્દુ સમાજ વ્યવસ્થાને ખોખલી કરી નાખી. એ સ્થિતિ સુધારવા માટે કાનૂની ધોરણે આકરાં પગલાં સિવાય કોઈ જ વિકલ્પ હિન્દુઓ પાસે બચ્યો નથી.

કેન્સરના કીડા સમાન આ અર્બન નક્સલીઓની હિંમત એ દિવસે વધી ગઈ હતી જ્યારે આમીર ખાન નામના એક બદમાશે પીકે ફિલ્મ બનાવી અને તેને મુર્ખ હિન્દુઓ બાયલાની જેમ તાળીઓના તાબોટા પાડીને વધાવતા હતા. એ ફિલ્મ હજુ પણ ઘણી વખત ટીવી ઉપર રજૂ થાય છે અને તે જોનારો વર્ગ એ તાબોટા-છાપ હિન્દુ જ છે.

અલબત્ત, સાચા-સામર્થ્યવાન હિન્દુઓની સંખ્યા જરાય ઓછી નથી. પણ તેમાં ખાટલે મોટી ખોડ એ છે કે, આવા હિન્દુઓ સંગઠિત નથી. પણ હવે ઘણું મોડું થઈ ચૂક્યું છે. મારે શું અને આપણે શું ની માનસિકતામાં રાચ્યા કરતા હિન્દુઓએ અર્બન નક્સલીઓનાં કાવતરાંને ઓળખવા પડશે, તેમની પીઠ પાછળ સંતાઈને આવી રહેલા વિનાશકારી તત્વોને ઓળખવા પડશે, આ બધાને સંપૂર્ણ કાનૂની રાહે તેમની અસલિયતનું ભાન કરાવવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ વિકલ્પ નથી—જો બચવું હોય તો. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!