Tuesday, May 4, 2021

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં

 

*      અલકેશ પટેલ

 

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ કરોડો રાષ્ટ્રવાદીઓ તથા ભાજપ સમર્થકોને નિરાશ કર્યા હતા, પરંતુ પરિણામ બાદ છેલ્લા બે દિવસથી બંગાળના હિંસાખોર આતંકીઓ જે કંઈ કરી રહ્યા છે તેને કારણે અગણિત તટસ્થ નાગરિકો પણ કેન્દ્ર સરકારની મોહનદાસ ગાંધી જેવી નપુંસક નીતિથી સ્તબ્ધ છે.

આમ તો પાંચ વિધાનસભાના પરિણામો વિશે કશું લખવું નહોતું, પરંતુ જેહાદી મમતાના જેહાદી સમર્થકો બે દિવસથી આખા બંગાળમાં જે કંઈ કરી રહ્યા છે એટલે લખવું જરૂરી બન્યું.

મારા જેવા અસંખ્ય લોકો છેલ્લા ઘણા દાયકાથી આ વાત કરી રહ્યા છે, તેમછતાં આ દેશના અમુક ટકા વર્ગને હજુ પણ કોંગ્રેસ, ડાબેરીઓ, જેહાદીઓ, મિશનરીઓ અને મીડિયામાં બેઠેલા હિંસાખોર ડાબેરીઓના ઇરાદા સમજાતા જ નથી. આ યાદીમાં અમુક સંઘીઓ પણ સંડોવાયેલા છે (જેના વિશે આગળ સ્પષ્ટતા કરું છું).

પાંચ વિધાનસભા ચૂંટણી પરિણામના આગલા દિવસે એટલે કે પહેલી મેએ મેં બ્લૉગ લખ્યો હતો, જેમાં બીજા અગણિત પત્રકાર, લેખક, સમીક્ષકોની જેમ મેં પણ આશા વ્યક્ત કરી હતી કે બીજી મે પછી પશ્ચિમ બંગાળ જેહાદી હિંસાથી મુક્ત થશે (https://keshav2907.blogspot.com/2021/05/blog-post.html ), પરંતુ પશ્ચિમ બંગાળનું પરિણામ ઊલટું આવ્યું અને ત્યાં 1946માં જેહાદી ઝીણાએ આપેલી ડાયરેક્ટ એક્શનની હાકલ જેવી જ સ્થિતિ પેદા થઈ ગઈ.

તો આજનો મુદ્દો શું છે?

આજનો મુદ્દો એ છે કે, કોંગ્રેસ અને તેના સમર્થકો (મીડિયા સહિત), હિંસાખોર ડાબેરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), જેહાદીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત), મિશનરીઓ અને તેમના સમર્થકો (મીડિયા સહિત) તથા મીડિયાનો એક મોટો વર્ગ – આ બધા જ વચ્ચે એક સૂત્રો કૉમન છે – મમતા, ઉદ્ધવ, કેજરી તુમસે બૈર નહીં, મોદી-શાહ તુમ્હારી ખૈર નહીં.

આ સૂત્રમાં જેટલા નામો છે એ બધા માત્ર પ્રતીક છે...કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં. મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન...ગમે તે હોઈ શકે. આ બધા જ પ્રતીક છે.

આ તત્વો પ્રતીક છે- જેહાદને સમર્થન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- મિશનરીને પ્રોત્સાહન આપનારી વિચારધારાના.

આ બધા પ્રતીક છે- હિન્દુ, હિન્દુત્વ, હિન્દી(સંસ્કૃત) ભાષા તેમજ સનાતન પરંપરાને ધિક્કારનારી વિચારધારાના.

અને આ બધાની વચ્ચે ભળેલા છે કેટલાક સંઘી... પણ આર.એસ.એસ. નહીં. એવા સંઘીઓ જે આર.એસ.એસ.ના ફોટા, તેનાં ચિહ્નોનો તદ્દન ખોટો ઉપયોગ કરીને અન્ય ના-સમજ હિન્દુઓને ગેરમાર્ગે દોરે છે એવા. આવા લોકો સોશિયલ મીડિયામાં પોતે સંઘ સાથે જોડાયેલા હોય એવા ઉપજાવી કાઢેલા ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરે છે, પણ હકીકતે આર.એસ.એસ. સાથે જોડાયેલા નથી જ.

હા, એટલું ખરું કે કાંતો રાષ્ટ્રવાદી સંગઠન સંઘને આ વાતની ખબર નથી, અથવા ખબર હોય તો પણ દરેક સામે પગલાં લઈ શકાતા નથી.

સંઘના નામે હિન્દુત્વ તેમજ રાષ્ટ્રવાદને બદનામ કરતાં તત્વો હકીકતે સંઘ-જેહાદ કરે છે. જેમ લવ-જેહાદમાં હિન્દુ નામ રાખીને છોકરીઓ, સ્ત્રીઓને છેતરે છે એવી જ રીતે સંઘના ફોટા અને ચિહ્નોનો ઉપયોગ કરીને સંઘને અને એ દ્વારા સમગ્ર રાષ્ટ્રને છેતરે છે. તમારી આસપાસ એવા કેટલાય કહેવાતા હિન્દુ-રાષ્ટ્રવાદીઓ પથરાયેલા છે જેમને ખબર પડે કે તમે મોદીના ટેકેદાર છો એટલે તરત જ તમને અંધભક્ત કહીને અપમાનિત કરશે. આવાં તત્વો પેલા જેહાદી-મિશનરીઓ કરતાં વધારે જોખમી છે કેમ કે આવા લોકો છદ્મ હિન્દુ છે, જે તમારી નજીક રહીને તમારી પીઠમાં છરો ભોંકે છે. સાવધાન!

આ બધા જ ભેગા મળીને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપને ધિક્કારે છે.

કેમ?

કેમ કે એ બધાને સૌથી પ્રાચીન અને હજુ પણ ટકી રહેલી સનાતન સંસ્કૃતિ સામે ધિક્કાર છે. આ સંસ્કૃતિ ટકી રહે તો ભવિષ્યમાં માઓવાદ અને સામ્યવાદ, જેહાદ અને મિશનરીઓ, તેમજ એજન્ડા-ધારી મીડિયાના હાથ હેઠા પડી શકે એમ છે. અને એટલે જ એ બધા ભેગા થઇને મોદી-શાહ-યોગી-સંઘ-વિહિંપ-ભાજપ ઉપર પ્રહારો કરે છે, જેથી એમની ઉપર આશા રાખીને બેઠેલો હિન્દુ સમાજ તેમના પરનો વિશ્વાસ ગુમાવી દે અને વેરવિખેર થઈ જાય.

હું જાણું છું કે આ બધી વાતો હું કંઈ પહેલીવાર નથી કહેતો. એ પણ જાણું છું કે આ જ વાતો અસંખ્ય સાચા રાષ્ટ્રવાદી સનાતનીઓ કરે છે. પણ મુદ્દો એ છે કે, આ વાતો વારંવાર યાદ કરાવવાનું કારણ સરેરાશ નાગરિકોની શ્રદ્ધા ટકાવી રાખવાનું છે.

ઇતિહાસ સાક્ષી છે કે, માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના કોઇપણ દેશમાં જે કોઈ નેતાએ રાષ્ટ્રવાદની વાત કરી છે, જે નેતાએ પોતાની પ્રજાને આત્મનિર્ભર બનાવીને ઉપર ઉઠાવવાની વાત કરી છે—એ બધા નેતાને કાંતો રાજકીય રીતે અથવા શારીરિક રીતે ખતમ કરી દેવા માટે ઉપર જે કહ્યા એવા પ્રતીકો - મમતા, ઉદ્ધવ, કેજરી, અખિલેશ, સ્ટાલિન, કમલ હાસન, રાહુલ, સોનિયા, જયા બચ્ચન, રવીશ, બરખા, મહેબુબા, ઓવૈસી, ડેરેક ઓબ્રાયન (આ નામો માત્ર સનાતન વિરોધી કાવતરાંને ઓળખવા માટેનાં પ્રતીકો છે, આ કોઈ વ્યક્તિઓ નથી) તરત જ સક્રિય થઈ જાય છે.

આગામી છથી 12 મહિનામાં ચાર દેશ – ભારત, શ્રીલંકા, ફ્રાન્સ અને રશિયામાં જે તે દેશની સ્થાનિક ટુકડેગેંગ સક્રિય થશે અને ભારે હિંસા કરાવશે જેથી એ દેશોના નેતૃત્વ ઉપર સંકટ આવે, કેમ કે આ દેશોએ જેહાદી વિચારધારા ઉપર લગામ લગાવવા અસરકારક પગલાં લીધા છે. પરંતુ હવે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓ અને મીડિયા ઉપરોક્ત ચારેય દેશમાં લાંબા સમય સુધી શાંતિ સ્થાપિત થવા નહીં દે. યાદ રહે, આ ટોળકી અમેરિકામાં આવાં જ કારણોસર સત્તા પરિવર્તન કરાવવામાં સફળ રહી છે.

મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકીઓનું લક્ષ્યાંક તો નક્કી જ છે, એ તો હિંસા અને એ દ્વારા (અમેરિકાની જેમ) સત્તા પરિવર્તન કરાવવા આગળ વધી જ રહી છે...નક્કી નાગરિકોએ કરવાનું છે કે, એ લોકોની વાતમાં સપડાઈ જવું કે કેમ!?

રાષ્ટ્રવાદી નાગરિકોને સપડાવવા માટે મિશનરી-ડાબેરી-જેહાદ સમર્થક ટોળકી પાસે "મીડિયા નામની રૂપલલના" છે...એનાથી ચેતજો.

Saturday, May 1, 2021

બસ, હવે તો નરેન્દ્ર મોદી ગયા...

 


બસ, હવે તો નરેન્દ્ર મોદી ગયા...

 

*      અલકેશ પટેલ

 

29 એપ્રિલને ગુરુવારે એક અંગ્રેજી સમાચાર ચૅનલ ઉપર પાંચ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા ચાલતી હતી. ચર્ચામાં જેએનયુના એક રાષ્ટ્રવાદી પ્રોફેસર ડૉ. આનંદ રંગનાથન પણ હતા. એમણે એક સરસ (આમ તો દુઃખદ) વાત કરી હતી કે, આગામી સમયમાં ત્રણ જગ્યાએ ડાબેરીઓ અથવા ડાબેરી વિચારધારા ધરાવતા લોકો બચ્યા હશે (1) કેરળ (2) જેએનયુ અને (3) મીડિયા. તાત્વિક દૃષ્ટિએ એમની વાત સાચી છે, પરંતુ સંપૂર્ણ સાચી નથી કેમ કે જેએનયુમાંથી નીકળતા હિંસાખોર માનસિકતાના ડાબેરીઓ પત્રકારત્વની કૉલેજો સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ભરાતા રહેશે અને વિદ્યાર્થીઓનું માનસ દુષિત કરતા રહેશે.

ખેર, આજે મુદ્દો એ નથી.

આજે મુદ્દો રસીકરણ છે.

મુદ્દો નરેન્દ્ર મોદી છે.

હિંસાખોર ડાબેરીઓ અને તેમની ટુકડેગેંગ તેમજ કોંગ્રેસ પક્ષ દ્વારા મીડિયા, સોશિયલ મીડિયા, આંતરરાષ્ટ્રીય મીડિયામાં જે જૂઠાણા અને અપપ્રચારનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેને કારણે હિંસાખોર ડાબેરીઓ તેમજ કોંગ્રેસની આખી રમતને સમજી નહીં શકતા અનેક રાષ્ટ્રવાદી નાગરિકો ચિંતામાં છે. જૂઠાણા અને અપપ્રચારને કારણે આ નાગરિકો એવું માનવા લાગ્યા છે કે, બસ હવે તો નરેન્દ્ર મોદી ગયા.

અને એટલે જ આ લેખ હું એવા રાષ્ટ્રવાદી નાગરિકો માટે લખી રહ્યો છું જે ચિંતત છે કે, કોરોનાની આ ગંભીર સ્થિતિને કારણે, તથા ઑક્સિજનના વિવાદને કારણે તથા રસીકરણના વિવાદને કારણે શું નરેન્દ્ર મોદી સરકારને કંઈ વાંધો આવશે?

રાષ્ટ્રવાદી નાગરિકોને આવી ચિંતા થાય એ સ્વાભાવિક છે, કેમ કે તેઓ દાદરી ઘટનાથી શરૂ કરીને રોહિત વેમુલા, નોટબંધી, જીએસટી, સીએએ, કલમ-370, ડોકલામ (2017) અને લદાખ (2020), શાહીનબાગ, ખેડૂત આંદોલન- જેવા અગણિત બનાવો અને ઘટનાઓમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને બારીકાઈથી જોઈ નથી.

સાથે સમાચાર ચૅનલો, અખબારો, વેબપોર્ટલ સહિત અનેક મીડિયા હાઉસના દેખીતા દેશ-વિરોધી વલણથી પણ અનેક-અનેક ભારતીય નાગરિકો ચિંતિત છે. આ નાગરિકો બહુ સારી રીતે જાણે છે કે આ બધા મીડિયા હાઉસનું વલણ દેશ-વિરોધી શા માટે છે. છતાં, ગોબેલ્સના ડીએનએમાંથી વર્ણસંકર પ્રજાતિ તરીકે પેદા થયેલા વંશજો એવા મીડિયાવાળા રાત-દિવસ જૂઠાણા ચલાવ્યા કરે છે એને કારણે રાષ્ટ્રવાદી ભારતીયો દબાણમાં આવી રહ્યા છે.

ચિંતાનું કારણ તો છે જ.

પણ પ્રિય રાષ્ટ્રવાદી નાગરિકો! તમને એક જ ઉદાહરણ આપું જેના આધારે તમારી તમામ ચિંતા પળવારમાં અદૃશ્ય થઈ જશે.

નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસ-મુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. તેમનું વિઝન સ્પષ્ટ હતું કે, કોંગ્રેસી માનસિકતાથી મુક્ત હોય એવું ભારત. તેનો અર્થ શો? એનો અર્થ એ જ કે, ભ્રષ્ટાચાર, સગાવાદ, લઘુમતી તુષ્ટિકરણ, લાલચ, લેતી-દેતી, દાદાગીરી, ધાકધમકી, સમાજમાં ભાગલા, ડાબેરી ત્રાસવાદ, જેહાદી આતંકવાદ – આ બધામાંથી મુક્તિ.

પ્રિય રાષ્ટ્રવાદી નાગરિકો! યાદ રાખો કે, કોંગ્રેસ પક્ષ એ મૂળભૂત રીતે અંગ્રેજોએ તે સમયના સ્વતંત્રતા ઇચ્છતા રાષ્ટ્રવાદી ભારતીયોને મુર્ખ બનાવવા અને છેતરવા માટે ઊભો કરેલો પક્ષ હતો. તેમાં ડાબેરીઓ પણ હતા, મુસ્લિમો પણ હતા. મિશનરી ખ્રિસ્તીઓ તો હોય જ, કેમ કે કોંગ્રેસનો સ્થાપક એક અંગ્રેજ હતો.

નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-મુક્ત ભારતનું સૂત્ર આપીને આ તમામ રાષ્ટ્ર-વિરોધી પરિબળોને પડકાર આપ્યો. પ્રજાને તેમની વાત સમજાઈ એટલે ઘણા બધા રાજ્યોમાં અને કેન્દ્રમાં બે-બે વખત પૂર્ણ બહુમતી સાથે મોદીને સત્તા સોંપી. આનું પરિણામ એ આવ્યું કે, કોંગ્રેસ અને તેની તમામ ઇકો-સિસ્ટમ અર્થાત ડાબેરીઓ, જેહાદીઓ, મિશનરીઓ અને હા મીડિયાના ખરાબ દિવસો આવ્યા. ભ્રષ્ટાચાર ઘટી ગયો, સગાવાદ કામ નથી આવતો, બોંબ ધડાકા કરી નથી શકાતા, ખુલ્લેઆમ ધર્માંતર થઈ નથી શકતા અને મીડિયાના બિલ્લાના જોરે ભલામણો કરી નથી શકાતી, જમીન-મકાન મેળવી નથી શકાતા. આ બધું બહું કઠે છે- સમગ્ર કોંગ્રેસી ઇકો-સિસ્ટમને.

પરિણામે પહેલા રાહુલ ગાંધીએ, ત્યારબાદ કેજરીવાલે અને છેવટે મમતા બેનરજીએ પણ મંદિરોમાં ચક્કરો લગાવવાનું શરૂ કર્યું. જે રાહુલ ગાંધીએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, મંદિરોમાં જનારા લોકો બળાત્કાર કરે છે એ પોતે છેલ્લા થોડાં વર્ષથી ધોતિયાં પહેરી મંદિરોમાં આંટા મારે છે, જે કેજરીના પક્ષમાં પચાસ ટકા કરતાં વધુ જેહાદીઓ ભરેલા છે એ પોતે હવે હનુમાન ચાલીસા ગાય છે, અને જે મમતા બેનરજીના શાસન દરમિયાન દુર્ગાપૂજા બાદ વિસર્જન કરવા માટે પરવાનગી લેવી પડતી હતી, કલકત્તા હાઇકોર્ટમાં દુર્ગાપૂજા માટે પરવાનગી મેળવવા અરજી દાખલ કરવી પડતી હતી એ મમતાબેન પોતે છેલ્લી ચૂંટણીમાં મંદિર-મંદિર ફરતા થઈ ગયા.

રાષ્ટ્રવાદી નાગરિકો, આ બધું તમારાથી અજાણ્યું નથી. તમે જાણો જ છો. પણ મુખ્ય વાત હવે કહેવા માગું છું.

તમને જે બરખાઓ અને રવિશો અને એનડીટીવીઓ ભરમાવી રહ્યા છે, જેની અસરમાં આવીને તમે માનવા લાગ્યા છો કે...બસ હવે નરેન્દ્ર મોદી ગયા...તો સાથીઓ આ બધા એજન્ડા-ધારી મીડિયાને એમની હેસિયત બતાવવાનું તમારા જ હાથમાં છે. જે રીતે તમે કોંગ્રેસ-આણી સમગ્ર ઇકો-સિસ્ટમને ઘૂંટણીએ પાડી દીધી એ જ રીતે એજન્ડા-ધારી મીડિયાને પણ અરીસો બતાવી શકાય...એ માટેના રસ્તા તમને ખબર છે, ખરુંને?!

પણ હા, એટલું નિશ્ચિત માનીને શાંતિ જાળવો કે, આ ઉપર કહી એ બધી તાકતો નરેન્દ્ર મોદીને ત્યાં સુધી હરાવી કે હટાવી નહીં શકે જ્યાં સુધી તમે મજબૂત અને મક્કમ બનીને મોદીની સાથે રહેશો. મીડિયા અને સોશિયલ મીડિયાના અપ-પ્રચારથી પ્રભાવિત થશો નહીં, પણ એ બધાને ઘૂંટણીએ પાડવાના રસ્તા અપનાવો...એ રસ્તા અપનાવશો ત્યારે સોનાના સૂરજ આડે ઊડેલી ધૂળ આપોઆપ દૂર થઈ જશે. જય હો.