--- ક્યારેક દબાતે સ્વરે અને ક્યારેક ઊંચા અવાજે અનેક વખત એવું સાંભળવા મળ્યું છે કે રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી નહેરુના બદલે સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન બન્યા હોત તો દેશનો ઇતિહાસ આજે અલગ હોતઃ આ વાતમાં કેટલું તથ્ય છે? ચાલો ચકાસીએ.
----------------
--- નહેરુએ
મૂળ ભારતીય સંસ્કાર અને પરંપરાઓને ખોખલા કરી નાખ્યા તેનો ઇનકાર થઈ શકે તેમ નથી જ.
નહેરુની એ ખોખલી નીતિઓ છેક મનમોહનસિંહના સમય સુધી શાસન, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર,
શિક્ષણક્ષેત્ર- એમ બધે જ હાવી રહી, પરિણામે દેશ નબળો પડ્યો.
----------------
--- લઘુમતી
ખુશામત ઉપરાંત ભ્રષ્ટાચાર એ હદે કોંગ્રેસના રાજકારણનો ભાગ બની ગયા કે દેશની
મોટાભાગની પ્રજા કોંગ્રેસથી કંટાળવા લાગી અને ધીમેધીમે મતદારો અન્ય રાજકીય પક્ષો
તરફ વળ્યા જે પક્ષો પણ હકીકતે કોંગ્રેસનું જ ડીએનએ ધરાવે છે.
==========
“હિન્દુ સમાજે મક્કમ નિર્ધાર કરી લેવો જોઇએ કે તે આવા
શરમજનક અને અપમાનજનક રાજકારણને સહન નહીં કરે જે એક તરફ હિન્દુ સમાજને વિભાજિત કરવા
મથે છે અને બીજી તરફ મુસ્લિમોને સંગઠિત કરવા માગે છે. હિન્દુ ભાવના દ્વારા પ્રેરિત
હોય અને હિન્દુ વિચારધારા હેઠળ જેનું માર્ગદર્શન થતું હોય એવી જ રાજકીય વિચારધારા
મજબૂત થવી જોઇએ અને તો જ ઇસ્લામિક સામ્રાજ્યવાદી માનસિકતાના પડકારને ઝીલી શકાશે.
“હિન્દુ સમાજે સંગઠિત બનીને મક્કમ રીતે કેન્દ્રીય સત્તા
હાંસલ કરવી જોઇએ અને એ રીતે લોકશાહીને જીવંત રાખવી જોઇએ. જો મુસ્લિમ, માર્ક્સવાદી
અને પારિવારિક રાજકારણ ચાલુ રહેશે તો આ દેશમાં લોકશાહી ટકવાનું અશક્ય છે. હિન્દુ
સમાજે એ સુનિશ્ચિત કરવું જ પડશે કે કેન્દ્ર સરકાર હિન્દુ ચરિત્ર ધારણ કરે અને
વહીવટમાં હિન્દુ ભાવના લાવવામાં આવે અને કેન્દ્ર સરકાર એક હિન્દુ રાષ્ટ્રમાં
હિન્દુ સરકાર તરીકે કામગીરી કરે.” (સંદર્ભઃ પુસ્તક- Heroic Hindu Resistance to Muslim
Invaders. લેખકઃ સિતારામ ગોયલ. પાના નં.52 (બાવન))
1947થી 2014 સુધીમાં એકમાત્ર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારને બાદ
કરતાં મોટેભાગે કાંતો કોંગ્રેસ અથવા કોંગ્રેસ સમર્થિત સરકારોએ આ દેશની અને ખાસ
કરીને ભારતીયતાની શું હાલત કરી હતી તેનો અંદાજ ઉપરના બે ફકરા પરથી આવી શકે છે.
લેખક સિતારામ ગોયલના આ પુસ્તકનો વિષય આમ તો તેના શીર્ષક પ્રમાણે ઇ.સ. 636થી ઇ.સ.
1206 ના ગાળામાં મુસ્લિમ આક્રમણો દરમિયાન ભારતીય રાજાઓએ જે વીરતા દર્શાવી હતી
તેનું ઐતિહાસિક દસ્તાવેજીકરણ છે. પરંતુ પુસ્તકના અંતિમ પ્રકરણમાં લેખક
આક્રમણકારીઓના સમગ્ર ઇતિહાસનો સાર આપીને કહે છે કે, ઇસ્લામિક તેમજ અંગ્રેજોના
આક્રમણને કારણે કોંગ્રેસ પક્ષનો ગુલામીની માનસિકતામાં જન્મ થયો અને 1947 પછી શાસન
દરમિયાન એ ગુલામ માનસિકતાએ સેક્યુલારિઝમનું જે વરવું સ્વરૂપ ધારણ કર્યું તેનાં
માઠાં પરિણામો શિક્ષણ અને શાસન વ્યવસ્થામાં જોવાં મળ્યાં. સિતારામ ગોયલનું આ
પુસ્તક 1990ના દાયકાનું છે અને ત્યારે ભારતીય જનતા પક્ષ આટલા મોટા પાયે કેન્દ્રમાં
અને રાજ્યોમાં સત્તા પર આવશે એવી કોઇને કલ્પના નહોતી.
ખેર, તો આ લેખના શીર્ષકના સંદર્ભમાં આટલી પૂર્વભૂમિકાને કોંગ્રેસના શાસનકાળની
ટીપ ઑફ આઇસબર્ગ ગણાવી શકાય. તો વિચારો આખેઆખો આઇસબર્ગ કેટલો જોખમી હશે! કોંગ્રેસે ભારતીયતાને નષ્ટ કરવાની કામગીરી 1947 પછી કરી છે એ કહેવું સદંતર
ખોટું છે. વાસ્તવમાં મોહનદાસ કરમચંદ ગાંધી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા
અને તેમણે કોંગ્રેસની બાબતોમાં હાથ-પગ-માથું મારવાનું શરૂ કર્યું ત્યારથી જ કોંગ્રેસની
ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી અને પક્ષ આડે રસ્તે ફંટાઈ ગયો હતો.
મોહનદાસ કરમચંદ ગાંધીએ 1920ના અરસામાં કોંગ્રેસને ભ્રષ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જે ખિલાફત ચળવળને ભારત સાથે કોઈ લેવાદેવા નહોતી તેને મોહનદાસ ગાંધીએ ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે જોડવા કોંગ્રેસને ફરજ પાડી->
(1)-https://encyclopedia.1914-1918-online.net/article/khilafat_movement),
(2)-https://www.britannica.com/event/Khilafat-movement ) અને એ સાથે કોંગ્રેસને એક ચોક્કસ વર્ગની ખુશામત
કરવાનો અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો જે 100 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં
આજ સુધી મટ્યો નથી.
n પંચવર્ષીય યોજનાનું પાપઃ- અટકાના-લટકાના-ભટકાનાઃ
નહેરુને રાષ્ટ્રીય સમસ્યાઓને બદલે સોવિયેત સંઘ, ચીન અને પાકિસ્તાન પ્રત્યે વધારે લગાવ હતો. ટૂંકી દૃષ્ટિવાળા નહેરુએ તે સમયના કટ્ટર સામ્યવાદી સોવિયેત સંઘનું પંચવર્ષીય યોજનાનું મોડેલ ઉઠાવી લઇને ભારતમાં ઠોકી બેસાડ્યું. ભારતની સ્થિતિ માટે એ સામ્યવાદી મોડેલ અનુકૂળ છે કે નહીં તેના વિશે જોયા-વિચાર્યા વિના અહીં તેનો અમલ શરૂ કરી દીધો. તેનું દુષ્પરિણામ એ આવ્યું કે, વહીવટી તંત્રને દરેક કામો જરૂરિયાત અનુસાર કરવાને બદલે એમની અનુકૂળતા અનુસાર કરવાની ટેવ પડી ગઈ. અર્થાત સરકાર દ્વારા કોઈ વિકાસલક્ષી યોજના બનાવવામાં આવે તો પ્રજાના હિતમાં તેનો તત્કાળ અમલ શરૂ કરવાને બદલે એ કામ પાંચ વર્ષના ગાળામાં કરવાનું છે એવું તે સમયના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા માની લેવામાં આવ્યું. પંચવર્ષીય યોજનાના પાંચ વર્ષના ગાળામાં નિર્ધારિત કામો પૂરાં કરવાને બદલે જે તે યોજનાના પ્રથમ ચાર વર્ષ સુધી માત્ર આયોજન અને બજેટ બનાવવામાં પસાર થતાં અને છેલ્લા વર્ષે કામગીરી શરૂ થાય. સ્વાભાવિક રીતે જ એક વર્ષમાં કામગીરી પૂર્ણ ન થાય એટલે તેને ત્યારપછીની પંચવર્ષીય યોજનામાં સમાવવામાં આવે. હવે એ નવી પંચવર્ષીય યોજના માટે બીજા નવાં આયોજન થયાં હોવાથી જૂનાં કામો કાંતો સદંતર ખોરંભે પડી જાય અથવા સાવ ગોકળગાયની ગતિએ ચાલે. નરેન્દ્ર મોદી જેને કોંગ્રેસની “અટકાના-લટકાના-ભટકાના” નીતિ કહે છે તે આ જ તો છે. આ બાબતના અગણિત ઉદાહરણો છે, પરંતુ માત્ર એક ઉદાહરણથી તેની ગંભીરતાનો ખ્યાલ આવશે. વર્તમાન સમયના ભારતના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ પૈકી એક એવા શ્રી એસ. ગુરુમૂર્તિએ તાજેતરમાં રિપબ્લિક સમાચાર ચૅનલ પર આર્થિક બાબતોના એક કાર્યક્રમ- “રિપબ્લિક ડાયલોગ્સ” માં ભાગ લેતાં કહ્યું હતું કે, ચીને 11 વર્ષમાં ચાર જંગી ડેમ બાંધ્યા હતા જ્યારે ભારતમાં નર્મદા ડેમ 60 વર્ષે પૂરો થયો. શ્રી ગુરુમૂર્તિ 12 વર્ષમાં ગુજરાતમાં (2002થી 2014) અને 2014થી દેશમાં વિકાસની ગતિ કેવી રહી તે વિશે વાત કરતાં આ ચર્ચામાં…
(https://www.youtube.com/watch?v=DyLeLeGuMzs&list=PL9iCfxJ0ri30HGjquuwXz4lhwEbotioUm&index=2&ab_channel=RepublicWorld ) કહ્યું હતું કે, ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ
સરકારે અગાઉના સાત દાયકાની ધીમી ગતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ પ્રોએક્ટિવ
ગવર્નન્સનો માર્ગ અપનાવ્યો.
n કાશ્મીર સમસ્યા અને ચીની આક્રમણઃ
(https://theprint.in/pageturner/excerpt/nehru-going-to-un-on-kashmir-was-an-error/490062/)
પણ હવે મૂળ વાત- સ્વતંત્રતાના ત્રણ જ મહિનામાં પાકિસ્તાની હુમલાની સ્થિતિ જ પેદા ન થઈ હોત જો નહેરુએ રાજા હરિસિંહની ભારતમાં જોડાવાની વિનંતી પહેલાં જ સ્વીકારી લીધી હોત. રાજા હરિસિંહે જુલાઈ 1947માં અને ત્યારબાદ ઑક્ટોબર 1947માં ભારતમાં ભળવા માટે તૈયારી બતાવી હતી પરંતુ નહેરુએ બંને વખત કાશ્મીરના રાજાની વિનંતીની ઉપેક્ષા કરી. આ વાત નહેરુએ પોતે લોકસભામાં (24 જુલાઈ, 1952ને ગુરુવારના રોજ) પોતાના પ્રવચનમાં કરી છે, એટલું જ નહીં પરંતુ તેમણે તત્કાલીન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને લખેલા પત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે રાજા હરિસિંહ ભારતમાં ભળવા આતુર છે પરંતુ એ વિશે પોતે (અર્થાત નહેરુ) વિચારણા કરવા તૈયાર નથી. આ સમગ્ર સિલસિલાબંધ હકીકત જાહેર કરતો લેખ વર્તમાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજીજુએ એક પ્રતિષ્ઠિત સમાચાર વેબસાઇટમાં લખ્યો હતો >>>
(2) https://twitter.com/KirenRijiju/status/1592021379431673856?s=20&t=-Qc_LSX_XIQW4fBAgns84g ).
એ જ રીતે ચીની આક્રમણ પણ નહેરુની દેન છે એ વાતમાં કોઈ આશંકા નથી. વિચારોમાં સામ્યવાદી અને આચરણમાં સામંતવાદી વિચારધારા ધરાવતા નહેરુ સામ્યવાદી ચીનના વિસ્તારવાદી ઈરાદા ઓળખવામાં કાચા સાબિત થયા. સરદાર પટેલ સહિત એ સમયના અન્ય દીર્ઘદૃષ્ટા નેતાઓ ઉપરાંત એ સમયના ટોચના સૈન્ય અધિકારીઓ દ્વારા ચીનના ઈરાદાઓ વિશે ચેતવણી આપવા છતાં નહેરુ સાવધાન ન થયા અને ચીને 1962માં ભારત ઉપર આક્રમણ કરી દીધું. >>>
(1) https://www.indiandefensenews.in/2020/10/sardar-patels-letter-to-nehru-nov-7.html)
હકીકત એ છે કે, કોંગ્રેસ પક્ષ અને તેમાંય ખાસ કરીને નહેરુ-ગાંધી ખાન-દાનના
સમયગાળામાં અને ત્યારબાદ મૌની બાબા તરીકે ઓળખાતા એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર
મનમોહન સિંહનો 10 વર્ષનો સમયગાળો પણ રાજકીય અને આર્થિક કૌભાંડોથી એ હદે ખીચોખીચ
રહ્યો કે ભારતને પ્રગતિના માર્ગ ઉપર લઈ જવા, ભારતનો વિકાસ કરવાની દિશામાં કોઇએ
ધ્યાન આપ્યું જ નહીં. કોંગ્રેસી શાસનના કુલ 53 વર્ષમાંથી 38 વર્ષ નહેરુ-ગાંધી
ખાન-દાને સીધું શાસન કર્યું, બાકીનાં વર્ષો કાંતો તેમના રિમોટથી ચાલતા નેતાઓ સત્તા
પર રહ્યા અને એ આખો સમયગાળો માત્ર કૌભાંડથી ગાજતો રહ્યો. (https://myvoice.opindia.com/2021/05/congress-and-scams-the-jeep-scandal-1948-and-nehrus-ignorance/ ) 2014 પહેલાંનો ભારતનો રાજકીય ઇતિહાસ જીપ કૌભાંડ, બોફર્સ
કૌભાંડ, ટુ-જી કૌભાંડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર કૌભાંડ, સ્કોર્પિયો સબમરીન
કૌભાંડ, કૉમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, અબ્દુલ રહેમાન અંતુલે કૌભાંડ, શૅરબજાર કૌભાંડ
વગેરેથી ખરડાયેલો છે. આટલું ઓછું હોય તેમ કોંગ્રેસે જે રાજકીય પક્ષો સાથે ચૂંટણી
જોડાણ કર્યાં અથવા કોંગ્રેસમાંથી નીકળીને જે નેતાઓએ અલગ પ્રાદેશિક પક્ષો બનાવ્યા એ
પણ એવા જ કૌભાંડી હતા. તેમાં લાલુ યાદવનું ચારા કૌભાંડ હોય કે શરદ પવારનું કૃષિ
સિંચાઈ કૌભાંડ હોય- બધા એક જ (કોંગ્રેસી) માળાના મણકા રહ્યા છે.
નિયમિત સમયાંતરે તૂટી રહેલા કોંગ્રેસ પક્ષમાં જૂથબંધી પણ શરૂ થઈ ગઈ.
(ગુજરાતમાં કોંગ્રેસ પક્ષમાં આ જૂથબંધી કેટલી હદે તેની સચોટ વિગતો કોંગ્રેસના જ
ભૂતપૂર્વ નેતા અને ધારાસભ્ય સ્વર્ગસ્થ અરવિંદ પટેલના પુસ્તક “ગુજરાતનું રાજકારણઃ મારી નજરે”, સંકલનઃ બિનીત મોદી- દ્વારા જાણી
શકાય છે.) અમુક નેતાઓ ગાંધી ખાન-દાન પ્રત્યે વફાદારી દર્શાવવાના ચક્કરમાં એ હદે
નીચા ઉતરી ગયા કે તેમણે પ્રજાની ઉપેક્ષા કરવાનું શરૂ કરી દીધું. આ સ્થિતિમાં
આત્મસન્માન ધરાવતા કેટલાક નેતાઓ કોંગ્રેસથી અલગ થવા લાગ્યા. કેટલાકે પ્રાદેશિક
પક્ષ બનાવ્યા, તો અન્ય કેટલાક અન્ય રાષ્ટ્રીય પક્ષમાં અથવા
પ્રાદેશિક પક્ષમાં જોડાઈ ગયા. કેટલાક સમજદાર નેતાઓએ રાજનીતિમાંથી સન્યાસ પણ લઈ
લીધો.
(2)- https://hillpost.in/2013/11/top-7-riots-that-took-place-when-congress-was-in-power/96811/ )
કોંગ્રેસ-કાળમાં આટલી મોટી સંખ્યામાં કોમી તોફાનો થવા માટે કોંગ્રેસની લઘુમતી
ખુશામતની નીતિ જવાબદાર હતી અને છે. હિન્દુ-મુસ્લિમ કોમી તોફાનોના આ ઇતિહાસ ઉપરાંત કોંગ્રેસના
કપાળે 1984ના સિખ વિરોધી તોફાનોનું કલંક પણ લાગેલું જ છે. એ તોફાનોનું કારણ તથા
તેનાં પરિણામ વિશે લગભગ દરેક ભારતવાસી જાણે છે. પોતાના શાસનકાળ દરમિયાન આટઆટલાં કોમી
તોફાનો થવાં છતાં અને એ તોફાનો શરૂ કરવામાં હિન્દુઓની ભાગ્યે જ સંડોવણી હોવા છતાં
કોંગ્રેસે 2012માં જે પાપ કર્યું હતું તેને કોઈપણ ભારતવાસીએ કદી ભૂલવું ન જોઇએ. દેશના
સંસાધનો ઉપર પહેલો હક મુસ્લિમોનો છે એવું લાલ કિલ્લા ઉપરથી બોલનાર ડૉ. મનમોહન
સિંહના વડાપ્રધાનપદ હેઠળ કોંગ્રેસે “કોમવાદ વિરોધી કાયદો” ઘડવાનો પ્રયાસ કર્યો હતો. મૂળભૂત રીતે 2005માં આ માટે તૈયાર કરવામાં આવેલો
ખરડો- (2002માં ગોધરાકાંડને કારણે થયેલાં તોફાનોના સંદર્ભમાં) ભાજપ તેમજ હિન્દુઓને
કાયમ માટે દોષિત ઠેરવવા માટેનો કુત્સિત પ્રયાસ હતો. 2005થી 2014 સુધી આ ખરડા ઉપર
ચર્ચા-વિચારણા-વિવાદ થતા રહ્યા. ભાજપ સહિત રાષ્ટ્રવાદી પક્ષો તેમજ સંગઠનોએ આકરો
વિરોધ કર્યો કેમ કે કોંગ્રેસે એ ખરડા દ્વારા દેશમાં કોઇપણ કોમી તોફાનો માટે બહુમતી
સમાજને (અર્થાત હિન્દુઓને) જવાબદાર ઠેરવવાની અને સૌપ્રથમ હિન્દુઓની જ ધરપકડ કરવાની
જોગવાઈ કરી હતી. તે ઉપરાંત સોનિયા ગાંધી-મનમોહન સિંહની સરકાર કોઇપણ રાજ્યમાં કોમી
તોફાન થાય તો તે અંગે પગલાં લેવાની રાજ્યોની સત્તા ઉપર કાપ મૂકીને માત્ર કેન્દ્રીય
એજન્સીઓને તપાસ અને પગલાંની સત્તા આપવાની પણ જોગવાઈ કરી હતી. પરિણામે હિન્દુઓ તો
નારાજ હતા જ, સાથે વિવિધ રાજ્યોના પ્રાદેશિક પક્ષો પણ સોનિયા ગાંધી-મનમોહન સિંહની
યુપીએ સરકારથી નારાજ હતા. છેવટે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ સરકારે એ
ખરડો પરત ખેંચી લીધો હતો. આ વિષય ઉપર ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્મા તથા
ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ બી.એન. કૃષ્ણા, મુસ્લિમ લેખક અસગર અલી એન્જિનિયર, કથિત
સેક્યુલર કરણ થાપર સહિત અનેક લોકોએ કોંગ્રેસના એ હિચકારા પ્રયાસ સામે નારાજગી
વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પરંતુ ધ પાયોનીયર તેમજ ઈન્ડિયન એક્સપ્રેસ જેવા
મીડિયાએ તંત્રીલેખો લખીને કોંગ્રેસના ખરડાની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો હતો. આ તમામ
અભિપ્રાયનું 39 પાનાનું સંકલન ઑનલાઇન ઉપલબ્ધ છે
(chrome-extension://efaidnbmnnnibpcajpcglclefindmkaj/https://www.bjp.org/files/books-monographs/communal-violance-bill-booklet-e-part-2.pdf) જે વાંચવાથી કોંગ્રેસની ભારતીયતા વિરોધી માનસિકતાનો સમગ્ર ચિતાર મળી શકશે.
https://www.myind.net/Home/viewArticle/it-is-time-nehruvian-model-is-buried-and-india-moves-ahead
આવાં તમામ કારણોથી નારાજ થઈ રહેલા દેશના
નાગરિકોએ કોંગ્રેસ-મુક્ત ભારતની નરેન્દ્ર મોદીની હાકલના અનેક દાયકા પહેલાંથી જ કોંગ્રેસી
વિચારધારાથી મુક્તિનો પ્રારંભ કરી દીધો હતો. પૂર્વમાં ત્રિપુરાથીમાંડીને ઇશાનનાં
રાજ્યો, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, દક્ષિણમાં તમિલનાડુ, પશ્ચિમમાં ગુજરાત,
ગોવા જેવાં રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ બે-બે, ત્રણ-ત્રણ, પાંચ-પાંચ દાયકાથી સત્તા મેળવી શક્યો નથી. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
લોકસભામાં કરેલું નિવેદન સૂચક છે. (People of Nagaland have not voted for Congress
since 1998, that is 24 years. People of Odisha have not voted for Congress
since 1995, that is 27 years; people of Goa has not voted for Congress since
1994, that is 28 years; Tripura since 1988, 34 years; Uttar Pradesh since 1985,
37 years; West Bengal since 1972, almost 50 years; Tamil Nadu last voted for
Congress in 1962, almost 60 years before. "You take the credit for the
formation for Telangana, but after that people there have not voted for you.
Same in case of Jharkhand," Congress bent on staying out of
power for 100 years: PM Modi in Lok Sabha -- February 7, 2022).
2014 પછી તો સતત હારી રહેલો આ પક્ષ હજુ તેની લઘુમતી ખુશામત તેમજ ભાગલાવાદી વિચારધારામાંથી બહાર આવતો નથી જેનું પ્રમાણ હજુ હમણાં જ સમાપ્ત થયેલી રાહુલ ગાંધીની કથિત ભારત-જોડો યાત્રા દ્વારા મળે છે. રાહુલ ગાંધીએ સમગ્ર યાત્રા દરમિયાન જે તે રાજ્યમાં, જે તે પ્રદેશમાં સ્થાનિક લોકોની ભારતીયતા વિરૂદ્ધ ઉશ્કેરણી કરી છે. દક્ષિણમાં રાહુલ ગાંધીએ હિન્દી ભાષા વિરોધી ઉચ્ચારણો કર્યાં હતાં, તો યાત્રાના છેલ્લા તબક્કામાં જમ્મુ-કાશ્મીર પહોંચેલા રાહુલ ગાંધીએ કાશ્મીરમાં રોજગારી રળી રહેલા બિહાર સહિતના અન્ય રાજ્યોના શ્રમિકો વિરુદ્ધ ઉચ્ચારણ કરીને પોતાની ભાગલાવાદી માનસિકતા છતી કરી હતી
(1) https://www.opindia.com/2023/01/rahul-gandhi-bharat-jodo-yatra-ouitsiders-jammu-kashmir/ ).
એલન ઓક્ટેવિયન હ્યુમ (Allan Octavian Hume) નામે એક અંગ્રેજ દ્વારા સ્થાપિત કોંગ્રેસની
વિચારધારા વિશે હવે ખાસ કંઈ કહેવાનું રહેતું નથી. ભારતીયતાને બદલે
જ્ઞાતિ-જાતિ-ધર્મનાં સમીકરણો ભારતીય રાજકારણનાં મૂળમાં ઘૂસાડવાનું પાપ કોંગ્રેસનું
જ છે. પરિણામે એ જ કારણોસર કોંગ્રેસ પક્ષ તો વિખેરાયો પણ તેનાં માઠાં પરિણામ હજુ
આજે પણ ભોગવવાં પડી રહ્યાં છે. પરિવારવાદી રાજકારણને કારણે કદી સરદાર પટેલ,
સુભાષચંદ્ર બોઝ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી જેવા રાષ્ટ્રવાદી અને પ્રજા સાથે ગાઢ
રીતે સંકળાયેલા નેતાઓને આગળ આવવા દેવામાં ન આવ્યા. કોંગ્રેસની બિનકાર્યક્ષમતા,
ટૂંકી દૃષ્ટિનું ઉદાહરણ એ પણ છે કે, 1947ના અરસામાં દુનિયાના અન્ય કેટલાક દેશ
સ્વતંત્ર થયા હતા અને એમાંના ઘણા દેશ અમુક દાયકામાં જ વિકસિત દેશોની હરોળમાં આવી
ગયા. જે ઇન્ફ્રાસ્ટક્ચર, જે આવાસો, જે પાણી-ટોઇલેટની સુવિધાઓ સ્વતંત્રતાના બે
દાયકામાં દરેક જગ્યાએ પહોંચી જવી જોઇતી હતી એ બધા ઉપર નક્કર કામગીરી 2014 પછી શરૂ
થઈ. વીજળી-પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરનાર કોંગ્રેસે
દેશહિતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે એ હવે ધીમેધીમે લોકોને સમજાઈ રહ્યું છે.
2014 પછી સતત હારી રહેલા કોંગ્રેસ પક્ષે એક તરફ મોદી સરકારની દરેક યોજનાઓ, દરેક
કાયદાને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ હિન્દુ મત મેળવવા રાહુલ-પ્રિયંકાએ
મંદિરોમાં જવાનું શરૂ કર્યું. દરેક યોજના અને દરેક કાયદાના વિરોધથી પક્ષની
નકારાત્મક છબિ ઊભી થઈ. ભાજપને એ સાબિત કરવાની તક મળી ગઈ કે કોંગ્રેસ રાષ્ટ્રહિતના
મુદ્દે પણ સરકારને સાથ આપવા તૈયાર નથી. તેના બે સૌથી મોટાં ઉદાહરણ કલમ 370 અને CAA – છે. તો મંદિરોની મુલાકાતમાં કોંગ્રેસની તકવાદી
વિચારધારા છતી થઈ ગઈ. પ્રજાને ખ્યાલ આવી ગયો કે જે પક્ષ 2014 સુધી હિન્દુઓની
ઉપેક્ષા કરતો હતો, જે પક્ષના નેતા રાહુલ ગાંધી એમ કહેતા હતા કે મંદિરોમાં જનાર
લોકો મહિલાઓની છેડતી કરે છે- એ જ રાહુલ ગાંધી હવે મંદિરોમાં જાય છે!
આમ છતાં, એટલું તો અવશ્ય કહી શકાય કે આ દેશના સામાન્ય નાગરિકોના સંસ્કારો એટલા
ઊંચા છે કે તેઓ કોઈ વ્યક્તિને, કોઈ નેતાને તેના જાતિ-જ્ઞાતિ કે ધર્મના આધારે
મૂલવતા નથી. વર્ણ વ્યવસ્થામાં (જાતિવાદ નહીં) માનતા ભારતીય સમાજ આજે પણ તમામ
વર્ણના સંતો-મહંતો અને ઋષિઓને હૃદયમાં સ્થાન આપ્યું છે. ભારતીય સમાજે તમામ વર્ણના
શિક્ષકો અને ગુરુઓને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. પરંતુ એ જ ભારતીય સમાજ ઉચ્ચ વર્ણ
ધરાવતા પરંતુ કનિષ્ઠ કૃત્યો અને વિચારો ધરાવતા કોઇને માન આપ્યું નથી એ પણ સત્ય છે.
આ સંજોગોમાં સ્થિતિ એવી આવીને ઊભી રહી કે રાહુલ ગાંધી
અને કોંગ્રેસ એક તરફ હિન્દુઓનો વિશ્વાસ તો નથી જ જીતી શકતા પરંતુ બીજી તરફ અત્યાર
સુધી તેઓ જે મુસ્લિમોની ખુશામત કરતા રહ્યા તે મુસ્લિમોમાં પણ કોંગ્રેસ પ્રત્યે
આશંકા ઊભી થઈ રહી છે. અને તેનું પરિણામ હવેની ચૂંટણીઓમાં જોવા મળી રહ્યું છે જ્યાં
મુસ્લિમો ઓવૈસી જેવા કટ્ટરવાદીઓ અને કેજરીવાલ જેવા એનાર્કિસ્ટ (અરાજકતાવાદી) તરફ
વળી રહ્યા છે. આ રીતે કોંગ્રેસ પક્ષ ભારત અને ભારતીયતાને દરેક બાજુથી નુકસાન જ
પહોંચાડી રહ્યો છે. XXXXX (