Sunday, April 30, 2023

પશ્ચિમ બંગાળ સળગે છે છતાં રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં?

 


જે રાજ્યમાં વારંવાર હિંસા થતી હોય, નિર્દોષ નાગરિકો જીવ ગુમાવતા હોય તો ત્યાં પગલાં લેવા બંધારણ પણ અધિકાર આપે છે, તો પછી કેન્દ્ર સરકાર એ અધિકારનો ઉપયોગ કેમ નથી કરતી?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 બંગાળ, કેરળ, તમિલનાડુ, તેલંગણા અને પંજાબ જેવાં રાજ્યોમાં હિંસા અટકતી નથી. હિંસામાં મોટેભાગે નિર્દોષ નાગરિકો ભોગ બને છે. આ રાજ્યોમાં બિન-ભાજપ, બિન-કોંગ્રેસ સરકારો છે. આ રાજ્ય સરકારો છડેચૉક હિન્દુઓનું દમન કરે છે. સરકાર રાજ્યની હોય કે કેન્દ્રની- તેના માટે દરેક નાગરિક, દરેક ધર્મ-સંપ્રદાય, દરેક સમુદાય એક સમાન હોવા જોઇએ. લોકશાહી દેશની સરકારોની એ જ બંધારણીય ફરજ છે. અને છતાં ભાજપ સિવાયના લગભગ તમામ રાષ્ટ્રીય સ્તરના અને રાજ્ય સ્તરના રાજકીય પક્ષો લઘુમતી તુષ્ટિકરણની તમામ હદ વટાવી દઇને હિન્દુઓ પ્રત્યે અન્યાય કરે છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે.

ઉપર કહ્યાં એ રાજ્યોમાં હિન્દુઓ માટે તેમના તહેવાર ઉજવવાનું હવે લગભગ અશક્ય બની રહ્યું છે. હિન્દુઓએ તેમના તહેવાર ઉજવવા હોય તો અનેક પ્રકારની પરવાનગી લેવી પડે છે અને એ પછી પણ અમુક મર્યાદિત વિસ્તારોમાં ઉજવણી કરી શકાય છે, અન્ય વિસ્તારોમાંથી પસાર પણ નથી થઈ શકાતું. આ સ્થિતિ માટે આમ તો સીધેસીધા જે તે રાજ્યના હિન્દુ મતદારો જ જવાબદાર છે જેઓ હિન્દુ-વિરોધી રાજકીય પક્ષોને સત્તા સોંપે છે અથવા કહો કે 100 ટકા મતદાન કરવા બહાર નીકળતા નથી જેને કારણે રાષ્ટ્ર-વિરોધી અને સનાતન-વિરોધી તત્વોના મતના સહારે આવા પક્ષોને સત્તા મળી જાય છે. અને પછી એવા શાસકો દ્વારા, એવા શાસકોની પોલીસ દ્વારા દમન થાય ત્યારે મતદાન વખતે બહાર નહીં નીકળેલા એ જ હિન્દુઓ મોદી અને ભાજપ અને સંઘ અને વિહિંપ સામે રોષ વ્યક્ત કરે છે કે અમને મદદ નથી કરતા?!

ખેર, આજે મુદ્દો પશ્ચિમ બંગાળનો છે. ગત રામનવમીના દિવસથી બંગાળ ફરી એક વખત સળગી રહ્યું છે. કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ મહિલાઓનું સ્વમાન લૂંટાઈ રહ્યું છે. હિન્દુઓએ તેમના વિસ્તારો ખાલી કરવા પડી રહ્યા છે. અનેક હિન્દુઓની હત્યા થઈ રહી છે અને તેમાં ભાજપ અને સંઘના કાર્યકરો મુખ્ય નિશાન ઉપર છે કેમ કે એ લોકો જ હિન્દુઓના હિતમાં બોલે છે. થોડા દિવસની શાંતિ પછી છેલ્લા એક અઠવાડિયામાં ફરી હિંસા ભડકી છે કેમ કે એક હિન્દુ કિશોરી ઉપર દુષ્કર્મ થયું અને તેની હત્યા કરી નાખવામાં આવી. તે ઉપરાંત ભાજપના એક નેતાની પણ હત્યા થઈ.

આ જ અઠવાડિયે બીજી એક ઘટના એ બની કે, પશ્ચિમ બંગાળ ભાજપની અરજીને ધ્યાનમાં લઇને રામનવમીના તહેવાર દરમિયાન હિન્દુઓ ઉપર થયેલા ઘાતકી હુમલાની તપાસ કલકત્તા હાઇકોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવાનો આદેશ આપી દીધો છે. મમતાબાનુના દબાણમાં કામ કરતી પશ્ચિમ બંગાળ પોલીસ રામનવમીએ કટ્ટરવાદી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓને ન્યાય નહીં આપી શકે એવું સ્પષ્ટ થયા બાદ એ તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવા આદેશ થયો છે.

હવે ખરો મુદ્દો અહીં આવે છે. જો પશ્ચિમ બંગાળમાં આટલી ગંભીર સ્થિતિ છે તો પછી કેન્દ્ર સરકાર ત્યાં રાષ્ટ્રપતિ શાસન કેમ લાદતી નથી? વિરોધી સરકારો ઉપર બંધારણીય જોગવાઈનો ઉપયોગ નહીં કરીને કેન્દ્ર સરકાર લોકશાહીનો ધ્વજ તો ફરકતો રાખી શકે, પરંતુ તેની સામે રોજેરોજ નિર્દોષ હિન્દુઓ, ખાસ કરીને ભાજપ-સંઘના કાર્યકરોનો ભોગ લેવાય છે એનું શું? સંઘર્ષમાં બલિદાન આવશ્યક છે એ વાત સાચી. એ રીતે જ એક દિવસ અનિષ્ટ ઉપર વિજય મેળવી શકાય એ પણ ખરું. પરંતુ બંગાળ તો છેક 1946થી (ખરેખર તો તેના ઘણા સમય પહેલાંથી) કટ્ટરવાદી હિંસા સહન કરતું આવ્યું છે. પ્રારંભમાં કોંગ્રેસના શાસન દરમિયાન, ત્યારબાદ ડાબેરીઓના 30 વર્ષના શાસન દરમિયાન અને હવે દસ વર્ષથી મમતાબાનુના શાસનમાં હિન્દુઓ પીડાતા, કચડાતા, વહેરાતા રહ્યા છે- તો પછી એવા રાજ્યને માત્ર રાજકીય રીતે, લોકશાહી ચૂંટણી પ્રક્રિયાથી જ જીતવું એવો દુરાગ્રહ કેટલે અંશે વાજબી છે એ વિચારવું રહ્યું. આવી રાહ જોવામાં વસ્તીનું સંતુલન સદંતર ખોરવાઈ જશે તો ભાજપ કદી સત્તા નહીં મેળવી શકે એટલું સામાન્ય સત્ય કેમ નહીં સમજાતું હોય?

મોદીના રાજકારણને ગહન રીતે જાણનાર લોકોનો દાવો છે કે, તેઓ માત્ર ચૂંટણી દ્વારા જ વિરોધીઓને હરાવવા માગે છે... એ શ્રેષ્ઠ રસ્તો છે તેમાં કોઈ શંકા નથી, પણ‌ ત્યાં સુધીમાં સેંકડો હિન્દુ કાર્યકરો જીવ ગુમાવી દેશે એનું શું?

એક દલીલ એવી પણ છે કે, કલમ‌ ૩૫૬નો ઉપયોગ કરવાથી વિરોધીઓ વિક્ટિમ કાર્ડ રમશે અને સત્તા પર પરત ફરશે... પણ તો સામે એવી પણ શક્યતા ખરી ને કે, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સુશાસન અને ન્યાયના શાસનથી પ્રભાવિત થઈને ચૂંટણીમાં મતદારો ભાજપને બહુમતી આપે! પ્રશ્ન એ છે કે, કયો રસ્તો ઓછો જોખમી છેવિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 23, 2023

કાશ્મીર ખીણમાં આતંકવાદ એક વિચારધારા છે

  


કલમ 370 નાબૂદ થઈ પરિણામે ભારતના અન્ય રાજ્યોમાંથી લાખો લોકો ઉત્સાહભેર કાશ્મીરની મુલાકાત લે છે, કાશ્મીરીઓ ચિક્કાર કમાણી કરી રહ્યા છે, પરંતુ આતંકી માનસિકતા દૂર થતી નથી. જાણો છો કેમ?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ફરી આતંકી હુમલો થયો, ફરી આપણા વીર જવાનો વીરગતિ પામ્યા. સૈન્ય જવાનોનું વાહન પસાર થઈ રહ્યું હતું અને આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો અને વાહનમાં આગ લાગી ગઈ. મા ભારતીએ પાંચ સપૂત ગુમાવી દીધા. દરેકે પોતપોતાની રીતે વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. હુમલાની તપાસ થશે. કદાચ તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં કાંતો આતંકીઓ પકડાઈ ગયા હશે અથવા એમને ઠાર કરી દેવામાં આવ્યા હશે. કદાચ એવું કશું ન પણ થયું હોય. હજુ એ આતંકીઓની શોધ ચાલુ હોય.

હકીકતે એ આતંકીઓ ત્યાં આસપાસ જ છે. સૌની નજર સામે છે. બધાની સાથે બેસીને એ આતંકીઓ પણ ખોટાંખોટાં આંસુ સારે છે. અને ભોળો દેશ આવા લોકોના ખોટા આંસુને સાચા માનીને એમની સાથે જ બેસે છે, એમનાં જ છાલિયાં ભરે છે.

પૂંચમાં લશ્કરી વાહન ઉપર હુમલાની ઘટના કેવી રીતે થઈ હશે એ હું અહીં ગુજરાતમાં બેઠા બરાબર સમજી શકું છું કેમ કે હજુ ફેબ્રુઆરી 2023માં જ મેં સરેરાશ કાશ્મીરીઓની માનસિકતાને બહુ નજીકથી જોઈ છે. સૈન્ય જવાનોની ટ્રક એકલી જતી હશે ત્યારે સામાન્ય કાશ્મીરીઓએ જ તે જોઈ હશે. તેમની જ વચ્ચે આતંકી માનસિકતા ધરાવતો કોઈ એક કાશ્મીરી બેઠો હશે. તેણે જ અન્ય સ્થળે બેઠેલા આતંકીઓને આ બાતમી આપી હશે. આ બધું કરતી વખતે તેણે જે હિલચાલ કરી હશે એ અન્ય કહેવાતા સામાન્ય-ભોળા કાશ્મીરીઓએ જોઈ જ હશે, પરંતુ એ લોકોએ સીઆરપીએફને અથવા સૈન્યને બાતમી આપવાની દરકાર નહીં કરી હોય. શા માટે દરકાર કરે? એમનો જ એક ભાઈ ભારતીય સૈન્ય જવાનોને મારવાની તૈયારી કરી રહ્યો છે તો પછી ભલે એ કરતો. મારે તો મારા ધર્મના ભાઈ વિરુદ્ધ કશું જ બોલાય નહીં, પછી ભલે ને એ આતંકી હુમલો કરે, મારે શું? – હા, આ જ માનસિકતા 100માંથી 99 કાશ્મીરીઓમાં છે એ હકીકત છે.

ભલા-ભોળા લાગતા કાશ્મીરી નાગરિકો, વેપારીઓ, ઘોડાવાળા, ટેક્સીવાળા, ટૂર આયોજકો બધા જ ઊંડેઊંડે ભારત પ્રત્યે, ભારતીય સૈન્ય પ્રત્યે ભારોભાર નફરત ધરાવે છે. આ ભલાભોળા લાગતા કાશ્મીરીઓ પ્રવાસીઓને કશું નુકસાન નથી કરતા કેમ કે એ જાણે છે કે પ્રવાસીઓ તો બે-પાંચ-પંદર દિવસ રહીને ચાલ્યા જશે અને આપણને લાખો રૂપિયા આપીને જશે.

પણ એ જ કહેવાતા ભલાભોળા કાશ્મીરીઓ ભારતીય સૈન્યના જવાનોને આતંકવાદી હુમલાથી બચાવવા માટે કશું જ કરતા નથી - આ હકીકત દરેકે સ્વીકારવી જ પડશે. એવું કહેવાનો જરાય આશય નથી કે, આપણા વીર જવાનો પોતાનું રક્ષણ કરવા સમર્થ નથી. એ તો સમર્થ છે જ અને એટલે જ પાકિસ્તાન અને ચીન જેવા ઘાતકી પાડોશીઓ પણ ભારતીય સૈન્યથી દૂર રહે છે. મુદ્દો એ છે કે, આતંકીઓ એકલ-દોકલ સૈન્ય જવાનોની હત્યા કરી નાખે છે, અથવા ભારતીય સૈન્યના એકલદોકલ વાહનોને નિશાન બનાવે છે. અને આવું કરનાર આતંકીઓ અન્ય સામાન્ય કાશ્મીરીઓની વચ્ચે જ બેઠેલા હોય છે. હુમલા કરનાર આતંકીઓ તો મુઠ્ઠીભર છે...પરંતુ તેમને આશ્રય આપનારા અથવા તેમની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરનારા એ જ સામાન્ય કાશ્મીરીઓ છે જે આપણી સાથે સારો વ્યવહાર રાખીને આપણને લૂંટે છે. હકીકતે સામાન્ય કાશ્મીરીઓ જો ખરેખર સાચા દિલના હોત અને ખરેખર આતંકને નફરત કરતો હોત તો આતંકવાદીઓ એક દિવસ પણ ટકી ન શકે. આતંકવાદીઓને પકડાવી દેવાનું અથવા તેમની બાતમી સીઆરપીએફ અથવા ભારતીય સૈન્યને આપવાનું જરાય મુશ્કેલ નથી, પણ સાચી વાત એ છે કે, કાશ્મીરીઓની એ દાનત જ નથી.

આતંકવાદ એક માનસિકતા છે. આતંકવાદ એક વિચારધારા છે. એ નેસ્તનાબૂદ થાય એ શક્ય નથી. એ ગળથૂથીમાં આવે છે. ભલાભોળા દેખાતા લોકો, સારું વર્તન કરતા લોકો પણ તેમનાં મનના ઊંડાણમાં આતંકી માનસિકતા ધરાવતા હોય એ શક્યતા નહીં પરંતુ હકીકત છે.

મેં હજુ ગત 26 માર્ચે આ જ સ્થળે લખ્યું હતું કે, ... કાશ્મીરનો સરેરાશ સ્થાનિક નાગરિક ભોળો લાગે છે. તેને પ્રવાસીઓ પાસેથી પૈસા લેવા સિવાય બીજી કોઈ લપ્પન-છપ્પન હોતી નથી. એ તમને માત્ર એવી જગ્યાએ જ લઈ જાય છે જ્યાં તેનું પોતાનું હિત સધાતું હોય. કલમ 370 અને 35A હટી તે પહેલાં જે ભય અને આશંકાનું વાતાવરણ હતું તે હવે નથી, પરંતુ તેમ છતાં તેમના માટે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓની કીમત ATM મશીનથી વિશેષ કશી જ નથી.

એ લેખમાં મેં આગળ એમ પણ લખ્યું હતું કે, ... એવું સ્પષ્ટ અનુભવી શકાય કે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જે સત્ય દર્શાવવામાં આવ્યું છે તેને ખોટું પાડવા માટે કાશ્મીરી ટૂર આયોજકો અને હોટેલવાળા અને ઘોડાવાળા અને ટેક્સીવાળા આપણી સાથે સારો વ્યવહાર કરે છે. તેમની નજર માત્ર આપણા ખિસ્સા ઉપર છે, આપણી ભાવનાઓ કે લાગણી ઉપર નહીં. આપણી મુર્ખામીભરી ભાવુકતા આપણા ખિસ્સા ખાલી કરાવે છે તથા અન્યના ખિસ્સા ભર્યા કરે છે, અને છેવટે કાશ્મીર ફાઇલ્સમાં બતાવવામાં આવ્યું છે તેમ- આપણી પાસે માત્ર આંસુ સિવાય કશું નહીં રહે... શું હજુ પણ આપણે થોડાં વૃક્ષો અને થોડો બરફ જોવાની લાલચમાં આતંકવાદીનું પાલન-પોષણ કરતા અથવા આતંકવાદીઓની પ્રવૃત્તિઓ સામે આંખઆડા કાન કરતા કહેવાતા સામાન્ય કાશ્મીરી ભાઈઓ માટે ચારો બનતા રહીશું? વિચારો. ...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 16, 2023

કટ્ટર ભ્રષ્ટાચારી છેવટે આવ્યા પહાડ નીચે

  


બેસુમાર ભ્રષ્ટાચાર કરીને પોતાની મેળે પ્રામાણિકતાનો બિલ્લો પહેરવાથી તમારી ઈકોસિસ્ટમના પત્રકારો અને સામાન્ય લોકો ભોળવાઈ જાય, પણ કાનૂન કે હાથ લંબે હૈ

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે દેશના બાલિશ મીડિયાવાળા કેજરીવાલની ઉપર, નીચે, ડાબે, જમણે- એમ બધી દિશામાં કૅમેરા ગોઠવીને કાંતો એની મહાનતાના ગુણગાન કરતા હશે અથવા એની ભ્રષ્ટ કરમકુંડળીનાં પાનાં ઉખેળતા હશે. ભારતના મીડિયાને કોઇપણ સમાચાર કે સ્ટોરીનું પ્રમાણભાન કોને કહેવાય એનું ભાન નથી એ આપણે અતીકને જેલથી કોર્ટ અને કોર્ટથી જેલમાં લઈ જવાના કિસ્સામાં જોયું છે. આવું જ આ મીડિયાવાળા આજે પણ કરશે, તો પછી હાલો આપણે ય એમાં થોડાં છબછબિયાં કરી લઈએ!

સીબીઆઈ અને ઈડીએ જે કેસ કર્યા છે અને જે આરોપનામું તૈયાર કર્યું છે તેના આધારે એટલું તો સ્પષ્ટ થાય છે કે એનાર્કિસ્ટ-અરાજકતાવાદી કેજરીવાલ દૂધે ધોયેલા નથી. કેન્દ્ર સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવતા કરવેરાના હિસ્સામાંથી દિલ્હીના વિકાસ માટે કોઈ કામો કરવાને બદલે આ નટવરલાલે માત્ર પોતાની જાહેરખબરો કરવામાં જ કરોડો રૂપિયા ઉડાડ્યા છે એ દેશના કોઈ સમજદાર નાગરિકથી અજાણ્યું નથી. મફતિયા યોજનાઓના નામે દિલ્હીના જળ નિગમ અને દિલ્હીના વીજ નિગમને આ કેજરીવાલ નાદારીના કિનારે લઈ આવ્યા છે એની જાણ જોકે હજુ સુધી દેશના ઘણાખરા નાગરિકોને નથી.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ દર છ-બાર મહિને એકાદ મંત્રી કે પક્ષના હોદ્દેદારો કાંતો કોમી તોફાનો બદલ અથવા ભ્રષ્ટાચાર બદલ અથવા હવાલાકાંડ બદલ અથવા હિંસક કાવતરાં બદલ જેલમાં જાય છે. આ સિલસિલો અટક્યો નથી. તાહિર હુસેન, સોમનાથ ભારતી, વિજય સિંગલા, અમાનુલ્લા ખાન, સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા, સંદીપ કુમાર, નરેશ યાદવ, મનોજ કુમાર, જિતેન્દ્રસિંહ તોમર, દિનેશ મોહનિયા, અખિલેશ ત્રિપાઠી, શરદ ચૌહાણ, પ્રકાશ જલવાર, સુરેન્દ્ર સિંહ, જગદીપ સિંહ, મહિલા કાર્યકર અને સિસોદિયાની ભૂતપૂર્વ સલાહકાર નિશા સિંહ – આ બધાં કાંતો જેલમાં છે અથવા ફોજદારી કેસોનો સામનો કરી રહ્યાં છે. આ સિવાય પણ કેટલાય આપીયા હજુ જેલમાં જવા ધક્કામુક્કી કરી રહ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે, અપરાધ આ લોકોએ કર્યા છે, તેના ઉપર કાર્યવાહી પોલીસ અને ન્યાયતંત્ર દ્વારા થઈ રહી છે અને છતાં લાજવાને બદલે ગાજે છે અને આંગળીઓ મોદી તરફ ચીંધે છે.

આ સ્થિતિમાં પ્રશ્ન એ છે કે પોતાના પક્ષમાં, પોતાના નેતૃત્વ નીચે, પોતાની નજર સામે જે કંઈ થઈ રહ્યું છે એ માટે કેજરીવાલ પોતે જવાબદાર ગણાય કે નહીં? ભાજપનો એકાદ સામાન્ય કાર્યકર અથવા ક્યારેક કોઈ નેતા કે મંત્રી કોઈ કાંડમાં ફસાય ત્યારે છાપરે ચડીને મોદીને જવાબદાર ઠેરવતા મીડિયા સહિતનાં તત્વો કેજરીવાલના ભ્રષ્ટાચારીઓ અને અપરાધીઓની ઉપર જણાવેલી આખી યાદી જાણે છે તેમ છતાં કેજરીવાલને બચાવવા હરીફાઈ કરે છે! કહાં સે લાતે હૈ ઐસા કમિનાપન?

આમ તો ગયા અઠવાડિયે આ સ્થળે મેં લખ્યું હતું કે, કેજરીવાલ એ હદે નીચલા સ્તરની વ્યક્તિ છે કે એના વિશે લખીને આ અખબારની મોંઘી જગ્યા બગાડવી જોઇએ નહીં, પરંતુ ત્યારે દિલ્હીના આ નટવરલાલને સીબીઆઈનું તેડું આવ્યું નહોતું. સીબીઆઈ છેલ્લા ઘણા મહિનાથી કેજરીવાલના નાક નીચે બનેલી નવી શરાબ નીતિના ભ્રષ્ટાચારનું પગેરું દાબી રહી છે. આ નીતિ બનાવનાર સિસોદિયા સહિત આખી ટોળકીએ એ દરમિયાન અગણિત ફોન બદલ્યા હતા અને અસંખ્ય ફોનનો નાશ કર્યો હતો જેથી પુરાવા મીટાવી શકાય. કેજરીવાલના નાક નીચે સિસોદિયા એન્ડ કંપનીએ શરાબ માફિયાનો લાભ કરાવવા એક્સાઇઝ નીતિમાં ફેરફાર કર્યા હતા એ વાત આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓએ કબુલી લીધેલી છે અને તેમછતાં બેશરમીની તમામ હદ વટાવીને કેજરીવાલ-મંડળી અને મીડિયામાં રહેલી તેની ઈકોસિસ્ટમ કાયદાકીય અને ન્યાયિક પ્રક્રિયા બદલ મોદીને જવાબદાર ઠેરવે છે એ પણ વિધિની વક્રતા જ ગણાય ને!

ખેર, ન્યાય તોળવાનું કામ આપણું નથી. બદમાશ મીડિયાકર્મીઓ અને ડાબેરી-જેહાદી ગેંગના લોકો ટીવીમાં બેસીને, અખબારોમાં લખીને, વિદેશી એજન્સીઓની મદદ લઇને રાષ્ટ્રવાદીઓ ઉપર કાદવ ઉછાળવાનું કામ કરી શકે, પરંતુ આપણા જેવા સમજદાર લોકોને એ ન શોભે. આપણે માત્ર ઉપલબ્ધ પુરાવાને આધારે બોલી શકીએ અને છેવટનો નિર્ણય ન્યાયતંત્ર ઉપર છોડી શકીએ. પણ એટલું નિશ્ચિત છે કે પોતાના જ ઘરના છાપખાનામાં, પોતાના જ માટે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર પ્રામાણિક અને કટ્ટર રાષ્ટ્રવાદી જેવાં પાટિયાં ચિતરાવીને ભોળા લોકોને છેતરવાનો પ્રયાસ કરનાર ઠગો હવે પહાડ નીચે આવી રહ્યા છે. સીબીઆઈની કાર્યવાહી અને ન્યાયતંત્રના ચુકાદાની રાહ જોઈએ...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 9, 2023

ભ્રષ્ટ વિપક્ષો ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ હારી ગયા

 

14 વિપક્ષોએ ભેગા મળીને તપાસ એજન્સીઓની કાર્યવાહી સામે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે દાખલ જ ન કરી. 2024 માટે ભારતની દશા અને દિશા નક્કી થઈ રહી છે!

-- અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભ્રષ્ટાચાર અને સગાવાદમાં ખૂંપેલા વિરોધ પક્ષોને સુપ્રીમ કોર્ટે આ અઠવાડિયે ચમચમતી લપડાક આપી. સીબીઆઈ, ઈડી સહિતની એજન્સીઓ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે પગલાં લઈ રહી છે તેમને અટકાવવા અથવા કહો કે એવાં પગલાં સામે રક્ષણ મેળવવા 14-14 ભ્રષ્ટ વિપક્ષોએ ભેગા મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ અદાલતે એ અરજી સાંભળવા લાયક પણ નથી એમ જણાવી ફગાવી દીધી. આ ભ્રષ્ટ વિપક્ષોએ ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધો સામે રાહત મેળવવા કેવા કેવા મુદ્દા તેમની અરજીમાં કર્યા હતા એ વિગતો તો હવે તમારા જેવા વિદ્વાન વાચકોએ જાણી જ લીધા હશે, તેથી એ મુદ્દાઓની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ તેના બદલે ચર્ચા ભ્રષ્ટાચારીઓના ઈરાદા અંગે થવી જોઇએ.

આ ભ્રષ્ટાચારીઓ છેક 2014થી ત્રસ્ત છે. નરેન્દ્ર મોદી સરકારે ભૂતિયાં રાશનકાર્ડ બંધ કર્યાં, પરિણામે રાહત દરની દુકાનોમાંથી ખોટી રીતે જતું અનાજ બંધ થયું; પેનકાર્ડ અને આધાર લિંક કર્યા, પરિણામે નાણાનું લીકેજ બંધ થયું. વડાપ્રધાને પોતે ગયા અઠવાડિયે એક સભાને સંબોધતા કહ્યું હતું કે આ બે પગલાંથી દરવર્ષે દેશના રૂપિયા 68,000 કરોડની બચત થાય છે. આ સિવાય પણ એવા અનેક લીકેજ બંધ થયા જેનો પ્રવાહ સીધો આ 14 વિપક્ષી નેતાઓના ઘરમાં જતો હતો. આ 14 પક્ષોના આ ભ્રષ્ટાચારી રાજકારણીઓને લીકેજ બંધ થયું એની સામે ખાસ વાંધો નહોતો કેમ કે એમણે તેમની સાત પેઢીને ચાલે એટલું ભેગું કરી લીધું હતું. પરંતુ એમને તકલીફ ત્યારે પડી જ્યારે સીબીઆઈ, ઈડીએ કેસ નોંધીને તપાસ શરૂ કરી અને કોર્ટ અને જેલના ચક્કર શરૂ થયા. કોર્ટ અને જેલના ચક્કર અટકાવવા એ લોકોએ કોર્ટમાં અરજી કરી, પણ તેનું પરિણામ આપણે જાણીએ છીએ.

સત્તાથી વંચિત વિપક્ષોને હવે લાગે છે કે કોઇપણ ભોગે સત્તા પર આવ્યા વિના તેમના જૂના ભ્રષ્ટાચારી અને સામંતિ દિવસો પરત નહીં આવી શકે. અને એટલે જ દેશમાં છેલ્લા થોડા મહિનાથી જે કંઈ ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે. દેશ કોઇક ભયાનક ત્રિભેટે આવીને ઊભો હોય એવું લાગે છે. તમામ નાગરિકો લોકશાહીનો અમર્યાદ લાભ અથવા ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને છતાં કોંગ્રેસીઓ અને ડાબેરીઓ ગળાં ફાડીફાડીને એ વાતનું રટણ કર્યા કરે છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. 1975માં કટોકટી લાદનાર ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી તો વળી એનાથી પણ આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને લોકશાહીના નામે છાજિયાં લે છે.

તો બીજી તરફ લગભગ દરેકે દરેક હિન્દુ તહેવારો સમયે હિન્દુઓ પર હુમલા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ સમયે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રામનવમી સમયે, હનુમાન જન્મોત્સવ સમયે પથ્થરમારો જાણે હવે કાયમી બની ગયો છે. દરેક તહેવાર પહેલાં અમુક વિસ્તારોમાં રહેતા હિન્દુઓને તથા અમુક વિસ્તારમાંથી પસાર થવા માગતા હિન્દુઓને હંમેશાં પથ્થરમારાનો અથવા સ્ટેબિંગ થઈ જવાનો ડર રહેતો હોય છે. અને આઘાતજનક વાત એ છે કે આ રીતે સૌને ડરાવનારા લોકો ટીવી પર આવીને પોતાને જ ડરેલી પ્રજા ગણાવે છે? વળી આ પ્રજાને પશ્ચિમ બંગાળમાં મમતાબાનુનો, તમિલનાડુમાં સ્ટાલિનનો, તેલંગણામાં કેસીઆરનો, કેરળમાં ડાબેરી ગેંગનો ટેકો પણ મળી રહે છે! આ દરેકના પ્રવક્તા રોજેરોજ લઘુમતી ખુશામતનો દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર લેવાનો હોય એ રીતે એમના બચાવમાં ઊતરી પડે છે. જેહાદી માનસિકતાનો કોણ વધારે બચાવ કરી શકે છે એની એક પ્રકારે સ્પર્ધા જામી છે. આ શ્રેણીમાં સ્થાન મેળવવા મીડિયાના બદમાશ પત્રકારો, તંત્રીઓ, લેખકો અને રાજકીય વિશ્લેષકો પણ પાછળ રહેવા નથી માગતા.

તો ત્રીજી તરફ કેજરીવાલ નામનું તળિયા વિનાનું પ્રાણી એના પોતાનાં અને તેની ટોળકીનાં પાપ સંતાડવા નિતનવાં ગતકડાં કરે છે. ભૂતકાળમાં રાજકારણીઓ ઉપર જાહેરમાં આક્ષેપો કરીને બદનક્ષીના દાવામાં ફસાઈ ચૂકેલા દિલ્હીના આ નટવરલાલ હવે નવું શીખ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ બોલવા માટે કેજરી-લાલ દિલ્હી વિધાનસભા ગૃહનો ઉપયોગ કરે છે. એ જાણે છે કે વિધાનસભા ગૃહ અથવા સંસદની અંદર જે કંઈ બોલવામાં આવે તેની સામે બદનક્ષી સહિત કોઈ કેસ થઈ શકતા નથી. આમછતાં આ તળિયા વિનાના નટવરલાલને કમતિ સૂઝી અને તેણે નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે 31-3-23 ના રોજ ફેકરીવાલની અરજી ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને આવી બેહૂદી અરજી દાખલ કરવા બદલ રૂપિયા 25,000 નો દંડ પણ કર્યો. ફેકરીવાલના હવે વળતા પાણી છે. એકાએક હવામાં ઉડેલો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાનો છે એમાં શંકા રાખવાની જરૂર નથી.

વિપક્ષોના આ તમામ પ્રકારના હવાતિયાંથી એટલું સ્પષ્ટ છે કે લોકસભાની 2024ની ચૂંટણી સુધીમાં દેશનું વાતાવરણ અસાધારણ રીતે કલુષિત થશે. સામાન્ય નાગરિકોને પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શંકા થવા લાગે એ હદે આક્ષેપબાજી અને આંદોલનો થઈ રહ્યાં છે. ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને હરાવી શકવા સમર્થ નથી એવા તમામ લોકો દેશની બંધારણીય સંસ્થાઓ ઉપર બેફામ આક્ષેપબાજી કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે.

દેશની જે પ્રજા ક્રિટિકલ એનાલિસીસ કરવા સમર્થ નથી તેઓ આ તમામ સ્થિતિથી ગુંચવાડો અનુભવે એ સ્વાભાવિક છે. અને એટલે જ દેશ હાલ અનિશ્ચિતતાના ત્રિભેટે હોય એવું લાગે છે. ક્યારે કઈ દિશા પકડાશે એ નિશ્ચિત નથી. શું તમને કોઈ સ્પષ્ટ દિશા કે માર્ગ દેખાય છે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, April 2, 2023

ભારત કયા ત્રિભેટે ઊભો છે એ સમજાતું નથી

 


જેને જે બોલવું હોય તેની છૂટ છે છતાં બેફામ બોલનારા કહે છે ભારતમાં લોકશાહી  નથી. તહેવારોની શોભાયાત્રા પર પથ્થરમારો અને છૂરાબાજી કરનારા ટીવી પર આવીને કહે છેઃ અમને ડર લાગે છે!

 અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશ કોઇક ભયાનક ત્રિભેટે આવીને ઊભો હોય એવું લાગે છે. તમામ નાગરિકો લોકશાહીનો અમર્યાદ લાભ અથવા ગેરલાભ ઉઠાવી રહ્યા છે અને છતાં કોંગ્રેસીઓ અને ડાબેરીઓ ગળાં ફાડીફાડીને એ વાતનું રટણ કર્યા કરે છે કે દેશમાં લોકશાહી જોખમમાં છે. 1975માં કટોકટી લાદનાર ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધી તો વળી એનાથી પણ આગળ વધીને વિદેશની ધરતી ઉપર જઇને લોકશાહીના નામે છાજિયાં લે છે. કોંગ્રેસ અદાલતની લડાઈ કાનૂની રીતે નહીં પરંતુ રાજકીય રીતે લડીને સ્પષ્ટપણે ન્યાયતંત્ર, પોલીસતંત્ર, વહીવટીતંત્ર તેમજ મીડિયાને પોતાની તરફેણમાં કરવા મથે છે. સંસદભવન જેવા પવિત્ર સ્થળે બૅનર લગાવીને કોંગ્રેસ કઈ લોકશાહીની વાત કરે છે એ સમજાતું નથી.

તો બીજી તરફ લગભગ દરેકે દરેક હિન્દુ તહેવારો સમયે હિન્દુઓ પર હુમલા થાય છે. ગુજરાતમાં નવરાત્રિ સમયે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રામનવમી સમયે, હનુમાન જયંતી સમયે પથ્થરમારો જાણે હવે કાયમી બની ગયો છે. દરેક તહેવાર પહેલાં અમુક વિસ્તારોમાં રહેતા હિન્દુઓને અને અમુક વિસ્તારમાંથી પસાર થવા માગતા હિન્દુઓને હંમેશાં પથ્થરમારાનો અથવા સ્ટેબિંગ થઈ જવાનો ડર રહેતો હોય છે. અને આઘાતજનક વાત એ છે કે આ રીતે સૌને ડરાવનારા લોકો ટીવી પર આવીને પોતાને જ ડરેલી પ્રજા ગણાવે છે? વળી આ પ્રજાને પશ્ચિમ બંગાળમાં મમતાબાનુનો, તમિલનાડુમાં સ્ટાલિનનો, તેલંગણામાં કેસીઆરનો, કેરળમાં ડાબેરી ગેંગનો ટેકો પણ મળી રહે છે! આ દરેકના પ્રવક્તા રોજેરોજ લઘુમતી ખુશામતનો જાણે દુનિયાનો સર્વોચ્ચ પુરસ્કાર લેવાનો હોય એ રીતે એમના બચાવમાં ઊતરી પડે છે. જેહાદી માનસિકતાનો કોણ વધારે બચાવ કરી શકે છે એની જાણે એક પ્રકારે સ્પર્ધા જામી છે. આ શ્રેણીમાં સ્થાન મેળવવા મીડિયાના બદમાશ પત્રકારો, તંત્રીઓ, લેખકો અને રાજકીય વિશ્લેષકો પણ પાછળ રહેવા નથી માગતા.

તો ત્રીજી તરફ કેજરીવાલ નામનું તળિયા વિનાનું પ્રાણી એના પોતાનાં અને તેની ટોળકીનાં પાપ સંતાડવા નિતનવાં ગતકડાં કરે છે. ભૂતકાળમાં રાજકારણીઓ ઉપર જાહેરમાં આક્ષેપો કરીને બદનક્ષીના દાવામાં ફસાઈ ચૂકેલા દિલ્હીના આ નટવરલાલ હવે નવું શીખ્યા છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેફામ બોલવા માટે કેજરી-લાલ દિલ્હી વિધાનસભા ગૃહનો ઉપયોગ કરે છે. એ જાણે છે કે વિધાનસભા ગૃહ અથવા સંસદની અંદર જે કંઈ બોલવામાં આવે તેની સામે બદનક્ષી સહિત કોઈ કેસ થઈ શકતા નથી. આમછતાં આ તળિયા વિનાના નટવરલાલને કમતિ સૂઝી અને તેણે નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે જ (31-3-23) ફેકરીવાલની અરજી ફગાવી દીધી એટલું જ નહીં પરંતુ તેને આવી બેહૂદી અરજી દાખલ કરવા બદલ રૂપિયા 25,000 નો દંડ પણ કર્યો. ફેકરીવાલના હવે વળતા પાણી છે. એકાએક હવામાં ઉડેલો ફુગ્ગો ગમેત્યારે ફૂટી જવાનો છે એમાં શંકા રાખવાની જરૂર નથી. હકીકતે એના વિશે વાત કરીને અહીં અખબારની આટલી મોંઘી જગ્યા બગાડવી એ પણ યોગ્ય નથી.

આ તરફ ભાજપમાં પણ કંઈ બધાં સારાંવાનાં નથી. કર્ણાટકમાં ભાજપના એક ધારાસભ્યના પુત્રને ત્યાંથી કરોડોની બેનામી રકમ પકડાઈ છે. કર્ણાટકની બસવરાજ બોમ્મઈની સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપની બીજા કોઈ રાજ્યની સરકાર ઉપર ભ્રષ્ટાચારના આવા આક્ષેપ નથી. પણ કર્ણાટકમાંથી આ બાબતે આવતા વાવડ સારા નથી જ. તો હમણાં ત્રણેક દિવસ પહેલાં ત્રિપુરા વિધાનસભામાંથી અત્યંત શરમજનક સમાચાર આવ્યા. ભાજપના એક ધારાસભ્ય વિધાનસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન પોતાના મોબાઇલમાં પોર્ન વીડિયો જોતા હોવાનો એક વીડિયો વાયરલ થયો. ત્રિપુરામાં હજુ ગયા મહિને (અર્થાત માર્ચમાં) જ નવી સરકારની રચના થઈ છે અને ભાજપના એક ધારાસભ્યે પક્ષને કાળી ટીલી લગાવી દીધી છે. અલબત્ત, ભાજપ જેવા સૌથી વિશાળ રાજકીય પક્ષના સંદર્ભમાં આવા એકલ-દોકલ કિસ્સા નગણ્ય ગણી શકાય, તેમછતાં ટુણિયાટ વિપક્ષી રાજકારણીઓ અને વેંતિયા મીડિયાને મુદ્દો મળી ગયો છે તેનો ઇનકાર થઈ શકે નહીં.

વિપક્ષોના આ તમામ પ્રકારના હવાતિયાંથી એટલું સ્પષ્ટ છે કે લોકસભાની 2024ની ચૂંટણી સુધીમાં દેશનું વાતાવરણ અસાધારણ રીતે કલુષિત થશે. સામાન્ય નાગરિકોને પણ ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર શંકા થવા લાગે એ હદે આક્ષેપબાજી અને આંદોલનો થઈ રહ્યાં છે. ચૂંટણીના મેદાનમાં નરેન્દ્ર મોદીને હરાવી શકવા સમર્થ નથી એવા તમામ લોકો દેશની બંધારણીય સંસ્થાઓ ઉપર બેફામ આક્ષેપબાજી કરીને વાતાવરણ ડહોળી રહ્યા છે.

દેશની જે પ્રજા ક્રિટિકલ એનાલિસીસ કરવા સમર્થ નથી તેઓ આ તમામ સ્થિતિથી ગુંચવાડો અનુભવે એ સ્વાભાવિક છે. અને એટલે જ દેશ હાલ અનિશ્ચિતતાના ત્રિભેટે હોય એવું લાગે છે. ક્યારે કઈ દિશા પકડાશે એ નિશ્ચિત નથી. શું તમને કોઈ સ્પષ્ટ દિશા કે માર્ગ દેખાય છે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!