Thursday, August 30, 2018

આ અર્બન નક્સલવાદીઓ તૈયાર કેવી રીતે થાય છે?


अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓ તૈયાર કેવી રીતે થાય છે?

--- ગઇકાલે આપણે અર્બન નક્સલીઓને ઓળખવાની પદ્ધતિ જોઈ. આપણે જોયું કે એ લોકો આપણી આસપાસ જ કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. હવે આજે જાણીએ કે આ તત્વો કઈ ફૅક્ટરીમાં તૈયાર થાય છે?


--- અલકેશ પટેલ

સામાન્ય લોકો માટે અર્બન નક્સલીઓને ઓળખવાનું થોડું મુશ્કેલ છે. એ લોકો આપણી આસપાસ જ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, કવિ, લેખક, પત્રકાર, તંત્રી, નાટ્ય કે ફિલ્મ કલાકાર એવા કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. (વાંચો ---https://keshav2907.blogspot.com/2018/08/blog-post_29.html ) હવે સવાલ એ ઉપસ્થિત થાય કે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા આ લોકો નક્સલી કેવી રીતે બનતા હશે? અને તેમને નક્સલી બનાવનાર ફૅક્ટરી કઈ હશે?
વાસ્તવમાં આ અર્બન નક્સલીઓ કૉન્વેન્ટ સ્કૂલોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ નાટક અને ફિલ્મ સંસ્થાઓમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ લેખક મંડળોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ કૉફી હાઉસ અને સોશિયલાઇટ ઇવેન્ટમાં તૈયાર થાય છે.
એ કેવી રીતે..?
કૉન્વેન્ટ સ્કૂલોમાં કથિત રીતે સેક્યુલર શિક્ષણ આપવામાં આવે છે. આ સેક્યુલર શિક્ષણ એટલે શું? સેક્યુલર શિક્ષણ એટલે વાસ્તવમાં હિન્દુત્વ વિરોધી શિક્ષણ. સેક્યુલર શિક્ષણ એટલે હિન્દુ સંસ્કૃતિ વિરોધી શિક્ષણ, સેક્યુલર શિક્ષણ એટલે ભારતીય પરંપરાઓ તેમજ ભારતીય તહેવારો અને ભારતીય ઉત્સવો વિરોધી શિક્ષણ.
કૉન્વેન્ટ સ્કૂલોના આ કથિત સેક્યુલર શિક્ષણમાં એક મૂળભૂત તફાવત એ હોય છે કે તેમાં છેતરપિંડીથી ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી સંસ્કારો બાળકોના માનસમાં નાખવામાં આવે છે. એ સાથે ઇસ્લામનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઇસ્લામ વિશે કદી ટીકા કરવામાં આવતી નથી, એનું કારણ ડર છે – એ આપણે જાણીએ છીએ. (હિન્દુત્વ દ્વારા કોઈના માટે આવો ડર પેદા કરવામાં નથી આવ્યો, તેનાં પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ.)
આ પ્રક્રિયામાં ધીમે ધીમે હિન્દુ બાળકો પોતાના ધર્મ, સંસ્કૃતિ, તહેવારો અને ઉત્સવો પ્રત્યે મનોમન ઘૃણા કરવા લાગે છે અને ખ્રિસ્તી-ઇસ્લામ ધર્મો પ્રત્યે કૂણું વલણ દાખવવા લાગે છે. બ્રેઇન વૉશિંગની આ એક એવી પ્રક્રિયા છે જેમાં ધીમે ધીમે હિન્દુ બાળકોને પોતાના ધર્મ-સમાજની દરેક બાબતો ખોટી અને ખરાબ લાગવા માંડે છે.
ધીમે ધીમે તેનું પરિણામ એ આવે છે કે આ રીતે બ્રેઇન વૉશ થયેલી છોકરીઓ લવ જિહાદનો ભોગ બને છે, અને છોકરા હિન્દુત્વ પ્રત્યે નાસ્તિક બનીને કથિત રીતે સેક્યુલર બની જાય છે. અર્થાત એ લોકોને એવું લાગવા માંડે છે કે બીજા કોઈ ધર્મમાં કશું ખોટું નથી, જે કંઈ ખોટું કે ખરાબ છે તે માત્ર હિન્દુત્વમાં જ છે. (અહીં એક ખાસ સ્પષ્ટતા – કૉન્વેન્ટમાં ભણેલા અથવા ભણતા બધા સાથે આવું થાય છે એવું કહેવાનો કોઈ આશય નથી, પણ આ આખી પ્રક્રિયાની શરૂઆત કૉન્વેન્ટથી થાય છે એ નિશ્ચિત છે.)
કૉન્વેન્ટમાં બ્રેઇન વૉશને કારણે હતાશ થયેલા થોડા લોકો વિદેશી સાહિત્ય વાંચવા લાગે છે, વિદેશી ફિલ્મ – વિદેશી નાટક જોવા લાગે છે. તેમાંથી કેટલાક આગળ જઈને શિક્ષક, પ્રાધ્યાપક કે આચાર્ય બને છે. કેટલાક ફિલ્મ કે નાટકના કલાકાર બને છે. કોઈને કવિ કે લેખનનો સ્વાદ લાગે છે. પણ મૂળભૂત રીતે આ બધામાં વિદેશી ડીએનએ” (DNA) ભળવા લાગે છે અને તેઓ મૂળ ભારતીયતાથી દૂર થાય છે.
ટૂંકમાં, અર્બન નક્સલવાદી વિચારધારા માટેની રાસાયણિક પ્રક્રિયા કૉન્વેન્ટ સ્કૂલમાં શરૂ થાય છે... એ પછી આગળ શું થાય છે? (ક્રમશઃ)...

Wednesday, August 29, 2018

આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

--- અર્બન નક્સલવાદીઓ તમારી આસપાસ જ છે.
હા, એ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે.
ફિલ્મ-નાટકનો કલાકાર કે કવિ હોઈ શકે છે,
વકીલ હોઈ શકે અથવા પત્રકાર કે તંત્રી પણ હોઈ શકે.
અને હા, ડૉક્ટર પણ હોઈ શકે. રાજકારણીઓના વેશમાં પણ અર્બન નક્સલીઓ હોઈ શકે.

--- અલકેશ પટેલ

ગઇકાલ સવારથી એટલે કે 28 ઑગસ્ટ, 2018ને મંગળવાર સવારથી ભારતના બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેનું કારણ એ છે કે અર્બન નક્સલ નામની પ્રજાતિના કેટલાક પ્રતિનિધિ ઝડપાઈ ગયા છે. આ લોકોને હું પ્રજાતિ અથવા તત્વો તરીકે જ સંબોધીશ કેમ કે આતંકવાદીઓની જેમ જ આ લોકો પણ માન આપવાને લાયક નથી.
અર્બન નક્સલ તત્વો વિશે ઘણાને ખબર હશે, પરંતુ તમારામાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો આ અર્બન નક્સલીઓ વિશે જાણતા નહીં હોવ. શક્ય છે હાલ તમે એ લોકોની ચુંગાલમાં આવી પણ ગયા હોવ અને તમને ખબર પણ ન હોય.
અર્બન નક્સલ પ્રજાતિના તત્વોને ઓળખવા કેવી રીતે..?
n  આ તત્વો મીઠાબોલા હોય છે. આ તત્વો પોતાની જાતને નાસ્તિક ગણાવતા હોય છે અને તમારા મનમાં પણ એવું ઘૂસાડવા પ્રયાસ કરતા હોય છે કે ધર્મ અને ધાર્મિક વિધિઓનો કોઈ અર્થ નથી. પરંતુ આ જ તત્વો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ નહીં બોલે. ઇસ્લામ અને ખ્રિસ્તીઓની દરેક ધાર્મિક માન્યતાઓને આ અર્બન નક્સલી તત્વો કાં તો ખુલ્લો અથવા મૌન ટેકો આપશે. પણ હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવશે, હિન્દુ ધર્મની દરેક વિધિને અંધશ્રદ્ધા ગણાવશે.
n  આ તત્વો ઇતિહાસની વાત કરતી વખતે મોગલોના વખાણ કરશે, પરંતુ શિવાજી કે મહારાણા પ્રતાપને ઊતારી પાડશે.
n  આ અર્બન નક્સલીઓ કોઈ દિવસ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની વાત નહીં કરે. અને જો તમે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમને ફાસીવાદી જાહેર કરી દેશે.
n  આ અર્બન નક્સલીઓને ઓળખાની સૌથી મોટી ચાવી એ છે કે આ તત્વો હંમેશાં - ગરીબ, દલિત, જાતિ, જ્ઞાતિ, મુસ્લિમ, લઘુમતી, માનવ અધિકાર, મહિલા અધિકાર – એવા એવા શબ્દો બોલીને સમાજને ભરમાવશે.
n  અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હંમેશાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોને મહાન ગણાવશે. આ તત્વો હંમેશાં ઇઝરાઇલને ધિક્કારશે.
n  તમારી આસપાસની જે વ્યક્તિ સ્ટાલિન કે લેનિન કે પછી માઓ ત્સે તુંગના વખાણ કરે પરંતુ હિટલરને ગાળો દે તો સમજી લેવું એ વ્યક્તિ અર્બન નક્સલી છે. સાચા વિદ્વાનો અને સાચા બુદ્ધિજીવીઓ માટે સ્ટાલિન, લેનિન કે હિટલર વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ નકલી વિદ્વાનો અને નકલી બુદ્ધિજીવીઓ – અર્થાત અર્બન નક્સલીઓ કોઈ દિવસ સ્ટાલિન, લેનિન અથવા માઓ ત્સે તુંગને માનવજાતના નિકંદન માટે કસુરવાર નહીં માને. માનવ ઇતિહાસના સૌથી મોટા સંહાર કરવા બદલ આ ચારેય સરખા જવાબદાર છે, તેમ છતાં અર્બન નક્સલીઓ માત્ર અને માત્ર હિટલર તરફ આંગળી ચીંધ્યા કરે છે, બાકીનાને પોતાના ઝભ્ભા નીચે સંતાડી દે છે..!
n  આ અર્બન નક્સલી તત્વોની સૌથી મોટી ઓળખ એ છે કે એ તત્વો આદિવાસી વિસ્તારોમાં સંતાઈને પોલીસ, સલામતી દળો તેમજ સરકારી અધિકારીઓ ઉપર હિંસક હુમલા કરતા અને મોટા પાયે જાનહાની કરતા નક્સલવાદીઓ-માઓવાદીઓનો બચાવ કરે છે... પરંતુ લાકડી લઈને શાખામાં જતા સંઘના કાર્યકરો કે પછી નાની-મોટી વાતે માત્ર નિવેદન કરી નાખતા બજરંગ દળ કે વીએચપીના કાર્યકરોને હિંસક ચીતરી નાખતા જરાય ખચકાતા નથી.
n  આ અર્બન નક્સલીઓને જંગલોમાં સંતાઈને દેશ વિરોધી હિંસક માનસિકતા ધરાવતા નક્સલવાદીઓ અને એ સાથે જ જમ્મુ-કાશ્મીર કે પછી દેશમાં અન્યત્ર સંતાઈ રહેલા કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓ પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ હોય છે. અર્થાત અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હિંસક નક્સલવાદીઓ તેમજ આતંકવાદીઓને ગુનેગાર માનતા નથી, પરંતુ એક સામાન્ય નાગરિક જો પોતાના વાહન ઉપર હનુમાનજીનું ચિત્ર દોરાવે અથવા હનુમાનજીના ચિત્ર વાળી ટીશર્ટ પહેરે તો તેમને હિંસક ગણાવી દેતા ખચકાતા નથી.

--- અર્બન નક્સલીઓની પ્રારંભિક ઓળખ માટે આજે આટલું જ બસ છે. આ શ્રેણી ચાલુ રાખીશું. હવે પછી જાણીશું કે આ તત્વો અર્બન નક્સલી બને છે કેવી રીતે..?

આ સાથે મેં છેક જાન્યુઆરી-2018માં લખેલી આ વિષય ઉપરની શ્રેણીની લિંક પણ મૂકું છું.
                        (ક્રમશઃ) 

Tuesday, August 21, 2018

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ
---------------------------------
સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે
---------------------------------------------
આજના જ (21-08-18 – મંગળવાર) દાખલાથી શરૂઆત કરું કે સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે કેટલો તફાવત છે –
... આજના એક સેક્યુલર કોમવાદી અખબારે બકરી ઇદ વિશે અહેવાલ આપ્યો છે (https://indianexpress.com/article/cities/chandigarh/goats-for-eid-baahubali-competes-with-karan-arjun-salmaan-for-buyers-attention-5316555/) જેમાં નિર્દોષ-ભોળા મુસ્લિમ વેપારીઓ બકરાઓના નામ બાહુબલી, કરણ, અર્જુન એવા હિન્દુ નામ રાખ્યા છે. આ અખબારે તેના આ અહેવાલમાં ખૂબ પ્રેમથી મુસ્લિમ વેપારીઓની વાત મૂકી છે, અને તેમના વેપારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
----- પણ સંઘ આવો જરાય નથી. સંઘ તદ્દન નિર્દોષ છે. આવા અહેવાલ પ્રત્યે સંઘે જરાય ધ્યાન જ નથી આપ્યું એ જ તો તેની મહાનતા છે.
---------------------------------------------
... થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના ઓરૈયામાં શાંતિદૂતોએ ત્રણ સાધુઓને મંદિરની અંદર જ રહેંસી નાખ્યા છતાં સેક્યુલર કોમવાદીઓએ એ વિશે જરાય હોબાળો કે ચિંતા ન કરી. તેમને મન આ સામાન્ય ઘટના હતી, કોઈ મોબ લિન્ચિંગ નહોતું.
---- પણ સંઘ એવો જરાય નથી. ઓરૈયાની ઘટના વિશે સંઘે જરાય ચિંતા વ્યક્ત કરી નથી. સંઘ પૂરી રીતે સમાનતામાં માને છે. આવી ઘટનાઓથી સંઘ વિચલિત ન થઈ શકે, સંઘની મહાનતા જ એ છે.
---------------------------------------------
... ગયા મહિને (જુલાઈમાં) કેરળ તેમજ ઝારખંડમાં કેટલાક પવિત્ર પાદરીઓ દ્વારા નન (ખ્રિસ્તી સાધ્વીઓ) ઉપર દુષ્કર્મ કરવાના આરોપ મૂકાયા અને કેસ પણ થયા. છતાં સેક્યુલર કોમવાદીઓની સ્થિતપ્રજ્ઞતા ઊડીને આંખે વળગે એવી હતી. આ સેક્યુલરવાદીઓએ એ પવિત્ર પાદરીઓને સાવ માફ કરી દીધા. એમના વિશે ખાસ લખવા જેવું કે બોલવા જેવું સેક્યુલર કોમવાદીઓને ન લાગ્યું.
---- પણ સંઘ એવો જરાય નથી. સંઘે તો એ દિશમાં મોં પણ ન ફેરવ્યું. એવાં પાપકર્મો તરફ જોવાય જ કેવી રીતે? સંઘની મહાનતા જ એ છે.
------------------------------------------------
... આ દેશના સેક્યુલર કોમવાદીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથજી, ગીરીરાજ સિંહ તથા અન્ય હિન્દુ સાધુ-સાધ્વીઓના છોતરા કાઢી નાખે છે. આ લોકો જો હિન્દુવાદની તરફેણમાં એક વાક્ય પણ બોલે તો સેક્યુલર કોમવાદીઓ વડાપ્રધાન મોદી સહિત બધાની ધૂળ કાઢી નાખે છે.
---- પણ સંઘને એવું કંઈ નહીં. સંઘ તદ્દન સ્થિતપ્રજ્ઞ છે. તેને કોઈ હિન્દુવાદીઓની ટીકાથી જરાય ચિંતા નથી થતી. એ જ તો એની મહાનતા છે. અરે સાહેબ, આ બાબતમાં સંઘની સૌથી મોટી મહાનતા તો એ છે કે તેને મન “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ...” સંઘનું સર્વોચ્ચ વૈચારિક ભાથું તો એ છે કે તે એમ માને છે કે વ્યક્તિ વિના દલ એટલે કે પક્ષ ચાલી શકે અને દલ અને વ્યક્તિ બંને વિના દેશ પણ ચાલી શકે. એ જ તો સંઘની મહાનતા છે.
--- આ દુનિયાએ તો સંઘનું સન્માન કરવું જોઈએ કેમકે, હું કશું ખોટું જોતો નથી 🙈, હું કશું ખોટું બોલતો નથી 🙊 અને હું કશું ખોટું સાંભળતો નથી 🙉 એ સિદ્ધાંતનું પાલન દુનિયાનું બીજું કોઈ સંગઠન કે સંસ્થા કરી શકી નથી. આ જ તો સંઘની મહાનતા છે.

Monday, August 20, 2018

ઇમરાનની ચોટલી પણ પાકિસ્તાની લશ્કરના હાથમાં જ રહેશે


 --- પાકિસ્તાન આખી દુનિયાની આંખમાં ધૂળ નાખવા જ ચૂંટણી અને લોકશાહીનું નાટક કરે છે, બાકી ત્યાં આઇએસઆઇ - લશ્કર અને ત્રાસવાદીઓ જ શાસન કરે છે. ઇમરાનને 22મા વિઝિટિંગ વડાપ્રધાન કહી શકાય


-- અલકેશ પટેલ

ઇમરાન ખાને શનિવારે ભાંગ્યા-તૂટ્યા ઉર્દુ સાથે પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ સાથે આપણા પાડોશી ઇસ્લામિક દેશમાં વધુ એક વખત કહેવાતી લોકશાહી સરકાર અસ્તિત્વમાં આવી. એ જ કારણ છે કે 70 વર્ષમાં એ દેશમાં 22મા વડાપ્રધાને શપથ લીધા અને ભારતમાં એટલાં જ વર્ષોમાં 14મા વડાપ્રધાન શાસન કરી રહ્યા છે. અર્થાત 70 વર્ષમાં ના-પાકિસ્તાનીઓએ ભારતની સરખામણીમાં બીજા સાત બેસાડ્યા અને ઉઠાડી મૂક્યા. હવે ઇમરાન ખાન કેટલા મહિના કે કેટલાં વર્ષ વડાપ્રધાન રહેશે એ જોવાનું રહ્યું, કેમ કે વિઝિટિંગ પ્રોફેસર, વિઝિટિંગ ફૅકલ્ટીની જેમ પાકિસ્તાનમાં વડાપ્રધાનો પણ વિઝિટિંગ વડાપ્રધાન હોય છે, જે બે-ચાર મહિનાથી માંડીને બે-ત્રણ વર્ષ સુધી હોદ્દા ઉપર રહે અને કાંતો લશ્કર અથવા આઈએસઆઈ અથવા કટ્ટરવાદીઓ-ત્રાસવાદીઓ અને નહીં તો છેવટે અદાલત દ્વારા ઘરે રવાના કરી દેવામાં આવે.
પ્રારંભમાં પાકિસ્તાન માટે ઇસ્લામિક દેશ શબ્દ પ્રયોગ કર્યો છે, તે ખાસ ઇરાદાપૂર્વક અને મુખ્ય ત્રણ કારણસર કર્યો છે. પ્રથમ કારણ, શનિવારે જે લોકોએ ઇમરાનને વડાપ્રધાનપદના શપથ લેતા સાંભળ્યા હશે તેમણે એક વાક્ય અચૂક સાંભળ્યું હશે... કે “…મૈં મુસલમાન હું... – આ શબ્દો અતિશય સૂચક છે. પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તમે મુસલમાન છો અને કુરાનનું પાલન કરીશ એવું શપથ લેતી વખતે બોલવું પડે છે, એ શપથ ઉપર સહી કરવી પડે છે. ભારતમાં કમનસીબે કહેવાતા સેક્યુલારિઝમના નામે હિન્દુ અને ભગવદ્ ગીતાના નામનો ઉલ્લેખ પણ કોઈ રાજકારણી કરી નથી શકતા, નહીં તો સેક્યુલર-કોમવાદીઓ એવા રાજકારણી-નેતાની ચામડી ઉતરડી નાખે. બીજું કારણ, સમારંભની શરૂઆત મૌલવી દ્વારા ધાર્મિક પાઠ દ્વારા થયો હતો. અને ત્રીજું કારણ, એ સમારંભમાં ઇમરાનનાં ત્રીજાં પત્ની હાજર હતાં, પરંતુ તેમની આંખો પણ જોઈ ન શકાય  હદે શરીર અને મોં ઢાંકેલું હતું. આ બાબત સૂચક પણ છે અને જોખમી પણ છે, કેમકે જે ઇમરાન ખાન એક ક્રિકેટર તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા, તેમને આજ સુધી દુનિયા એક પ્રગતિશીલ વ્યક્તિ માનતી રહી એ જ ઇમરાનનાં પત્ની તાલિબાન શાસનમાં સ્ત્રીઓએ જે રીતે બુરખા પહેરવા પડે એ રીતે પહેરીને શપથગ્રહણમાં આવે એ દેશનો વડાપ્રધાન કયા મોઢે ઉદારતા અને લોકશાહીની વાત કરશે..!?
25 જુલાઈની ચૂંટણીમાં ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પક્ષને વધારે બેઠકો મળી, બહુમતી નહીં પરંતુ વધારે બેઠકો મળી ત્યારે પોતે 18 ઑગસ્ટે વડાપ્રધાન બનશે એવા પૂરા વિશ્વાસ સાથે ખાને એક વિડીયો જારી કર્યો હતો. તેમાં તેણે પાકિસ્તાનની પ્રગતિના મોટાં મોટાં બણગાં ફૂંકવા સાથે ભારત સંદર્ભે જે વાતો કરી હતી તેના ઉપર આજે ફરી ધ્યાન આપવા જેવું છે. તે સમયે ઇમરાને કહ્યું હતું કે પોતે પાડોશી દેશો સાથે, અને ખાસ કરીને ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે... પરંતુ એ માટે કાશ્મીરનો ઉકેલ જરૂરી છે. આનો સીધો અર્થ જ એ કે પાકિસ્તાનના રાજકારણીઓ, પાકિસ્તાનનું લશ્કર, પાકિસ્તાની આઇએસઆઇ અને પાકિસ્તાની ત્રાસવાદીઓ રોજે રોજ, સવાર-સાંજ-બપોર પાકિસ્તાની પ્રજાને માત્ર એક જ બાળાગોળી પીવડાવ્યા કરે છે, અને એ ગોળીનું નામ છે – કાશ્મીર. આ બાળાગોળી વિના પાકિસ્તાનીઓ નથી શ્વાસ લઈ શકતા, નથી પાણી પી શકતા અને નથી ખાધેલું હજમ કરી શકતા.
અને એટલે જ એ દેશ કે એ દેશના કોઈપણ રાજકારણી ઉપર હજુ સુધી ભરોસો રાખી શકાય એવી સ્થિતિ જ નથી. પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા તેનાથી ભારતમાં કેટલીક ચોક્કસ પ્રકારની પ્રજા ખુશ છે. આ પ્રજાને ભારતના વડાપ્રધાન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પાકિસ્તાન બાબતે એવું લાગે છે કે ઇમરાન જાદુઈ લાકડીથી ઉદ્ધાર કરી દેશે.
ખેર, જે લોકો ના-પાકિસ્તાનનો ઇતિહાસ જાણે છે, જે લોકોને પાકિસ્તાની લશ્કરના ઇરાદા વિશે ખબર છે, જે લોકોને પાકિસ્તાની આઇએસઆઇના કાવતરાંની જાણ છે અને જે લોકોને પાકિસ્તાનના તાલિબાની કટ્ટરવાદીઓ વિશે ખબર છે એ તો બધાને ખબર જ છે કે જ્યાં સુધી ના-પાકિસ્તાનીઓ કાશ્મીરનો રાગ આલાપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાની કોઈ આશા રાખી શકાય એમ નથી. પરંતુ એ સિવાયની મણિશંકર ઐયર જેવી પાકિસ્તાન-પરસ્ત જે વસ્તી છે તે વસ્તીને પોતાને ખાધાની અને પચાવવાની ખબર પડતી ન હોવા છતાં ભારતના વડાપ્રધાનને તથા ભારત સરકારને સલાહ આપવાનું બંધ નહીં કરે કે ભારતે પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવી જોઈએ અથવા તો ભારતે પાકિસ્તાનને સબક શીખવાડી દેવો જોઈએ...બ્લા બ્લા બ્લા.