Showing posts with label terror naxal terror. Show all posts
Showing posts with label terror naxal terror. Show all posts

Tuesday, November 27, 2018

ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...


ગુજરાતમાં નક્સલીઓ સફળ નથી થતા, છતાં...

--- છતાં સાવધ રહેવું આવશ્યક નહીં, અનિવાર્ય છે. છેલ્લાં 30 વર્ષમાં નવસારી અને સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા રાજ્યના અન્ય ભાગોમાંથી 50 જેટલા માઓવાદી પકડાયા છે, તેનો અર્થ જ એ છે કે આ હિંસાખોરો ગુજરાતમાં પગપેસારો કરવા સતત સક્રિય છે


-- કેશવ



પશ્ચિમ ભારતના આ ભાગમાં ભારતનું સૌથી વધુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ થયું છે. તેમાં દેશના ટોચનાં ચાર શહેર મુંબઈ, અમદાવાદ, પૂણે અને સુરતનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં વડોદરા અને નાશિક શહેરો પણ આ ક્ષેત્રમાં છે. અહીં એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, ઑટોમોબાઇલ, ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ સહિત લગભગ તમામ ક્ષેત્રનાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. દેશમાં સૌથી વધુ મૂડી રોકાણ આ શહેરો તેમજ આસપાસના જિલ્લાઓમાં થાય છે. અહીંનો કામદાર વર્ગ સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ છે કેમ કે દેશના લગભગ તમામ ભાગમાંથી અહીં કામદારો રોજગારી માટે આવે છે...  - આ વાંચીને એવું માનવાની ભૂલ ન કરતા કે આવું તારણ કોઈ ઔદ્યોગિક ગૃહ કે પછી કોઈ સરકાર કે પછી કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સીએ કાઢ્યું હશે. આ તારણ ખૂંખાર ત્રાસવાદી સંગઠન સીપીઆઈ-એમ (સીપીઆઈ-માઓવાદી) નું છે.

પિંડમાં જ હિંસક માનસિકતા ધરાવતા ડાબેરીઓ માઓવાદી અથવા નક્સલી તરીકે ઓળખાય છે અને આ હિંસાખોરો સમાનતા જેવા રૂપકડા નામે લોકશાહી સરકારોને ઊથલાવીને પોતાનું દમનકારી શાસન સ્થાપવા માગતા હોય છે. અને એ માટે તેઓ કારખાનાં-ઉદ્યોગગૃહોના કામદારો, સરકારી કચેરીઓના સૌથી નીચલા વર્ગના કર્મચારીઓ, ખેતમજૂરો, શહેરી તેમજ ગ્રામીણ ગરીબોનું બ્રેઇનવૉશ કરીને તેમને હિંસાના માર્ગે લઈ જતા હોય છે જેથી લોકશાહી દેશો અસ્થિર બને. આ માઓવાદીઓ – નક્સલવાદીઓ તેમના આરાધ્ય દેવ તરીકે કાર્લ માર્ક્સ, લેનિન, સ્ટાલિન તેમજ માઓને પૂજતા હોય છે.

આજે અહીં આ વાત કરવાનું કારણ એ જ છે કે, ગયા અઠવાડિયે બિહારનો મોસ્ટ વૉન્ટેડ માઓવાદી રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી દક્ષિણ ગુજરાતમાં વાપીથી ઝડપાયો તેને પગલે ફરી એક વખત ગુજરાતમાં માઓવાદીઓની ગુપ્ત પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી છે. આ પ્રકરણમાં વધારે ચોંકાવનારી બાબત એ છે કે દોઢ વર્ષ પહેલાં એટલે કે એપ્રિલ 2017માં બિહારમાં થયેલી એક ખૂંખાર અથડામણમાં જે માઓવાદીઓ માર્યા ગયા હતા તેમાં રાજેશ પણ માર્યો ગયો હોવાનું બિહાર પોલીસે ધારી લીધું હતું. પરંતુ એ રાજેશ ત્યાંથી ભાગીને ગુજરાતમાં છૂપાયો હતો અને હવે તેને ગુજરાતની ત્રાસવાદ વિરોધી ટીમે તેને ઝડપી લીધો છે.

આ સમાચાર આપણા સૌ માટે ચિંતાજનક હોવા જોઇએ કેમ કે દેશમાં અન્યત્ર હિંસામાં નિર્દોષ લોકોની હત્યા કરીને, પોલીસ, સીઆરપીએફ સહિત સલામતી દળોને શહીદ કરીને ગુજરાત ભાગી આવતા આવતા અને આપણી આસપાસ જ વેશ બદલીને રહેતા લોકો ભવિષ્યમાં ઘણું મોટું જોખમ ઊભું કરી શકે.

રાજ્ય ઉપર 1990ના દાયકાથી નક્સલી ડોળો

ગુજરાતમાં આમ કોઈ નક્સલવાદી હુમલા થયા નથી અને સલામતી દળો સાથેની અથડામણો પણ થઈ નથી, પરંતુ રાજ્યમાં 1990ના દાયકાથી માઓવાદીઓ-નક્સલવાદીઓ આવીને છૂપાતા રહ્યા છે અને 1998થી ગુજરાત પોલીસના ધ્યાનમાં આ વાત આવી જતાં તેમની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. એ ઘટનાક્રમમાં 1998થી 2008ની વચ્ચે રાજ્યની પોલીસે નવસારી, સુરત તેમજ ડાંગ ઉપરાંત અમદાવાદ, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, વડોદરામાંથી 26 માઓવાદીઓને ઝડપી લીધા હતા જે અન્ય રાજ્યોમાંથી અહીં આવીને ગુજરાતમાં અસ્થિરતા સર્જવાના કાવતરાં કરી રહ્યા હતા. છેલ્લે ઓગસ્ટ 2008માં ગુજરાત પોલીસે તુષાર કાંતિ ભટ્ટાચાર્ય નામના માઓવાદીને દક્ષિણ ગુજરાતમાંથી પકડી પાડ્યો હતો. 2010માં પણ ગુજરાત પોલીસે બીજા 17 નક્સલી-માઓવાદીઓને રાજ્યના જુદા જુદા ભાગમાંથી પકડી પાડ્યા હતા.

હવે જ્યારે રાજેશ રવિદાસ ઉર્ફે ગોપાલજી પ્રસાદ ઉર્ફે ઉત્તમજી નામનો માઓવાદી નક્સલી વાપીથી ઝડપાયો છે ત્યારે ફરી એક વખત ગુજરાતની ગુપ્તચર અને સલામતી એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજેશ પકડાયો ત્યારે હજુ પણ તે બિહારસ્થિત સીપીઆઈ-મ ના હિંસક માઓવાદીઓના સતત સંપર્કમાં હોવાનું સાબિત થયું છે. આ ધરપકડ બાદ એટલું નિશ્ચિત છે કે માઓવાદીનો ડોળો હજુ પણ ગુજરાત ઉપર છે અને કોઈ પ્રકારની રાજકીય અસ્થિરતા અથવા અન્ય કોઈ કારણસર આ માનવતા વિરોધી તત્વો રાજ્યમાં પગ જમાવશે તો દાયકાઓથી શાંત ગુજરાતમાં ગમેત્યારે હિંસા થઈ શકે.

માઓવાદ-નક્સલવાદ એ મૂળભૂત રીતે હિંસાખોર માનસિકતા છે, પરંતુ આ દેશની કમનસીબી એ છે કે કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પણ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની આક્રમકતામાં નક્સલીઓનો બચાવ કરતા જોવા મળે છે. તેનું ઉદાહરણ આપણે ગયા મહિને જ જોયું હતું. કોંગ્રેસના રાજ બબ્બરે શહેરી માઓવાદીઓની ધરપકડના સંદર્ભમાં નિવેદન કર્યું હતું કે આ લોકો તો વાસ્તવમાં ક્રાંતિકારીઓ છે!” પણ બબ્બર જેવા લોકો એ ભૂલી જતા હોય છે કે આ શહેરી નક્સલીઓ, માઓવાદીઓ સામે અગાઉની કોંગ્રેસી સરકારોએ પણ પગલાં લીધા હતાં અને કોંગ્રેસની સરકારોએ પણ આવા હિંસક માનસિકતા ધરાવતા લોકોની ધરપકડ કરી હતી.

Wednesday, August 29, 2018

આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

अथ श्री अध्याय 19
આ અર્બન નક્સલવાદીઓને ઓળખશો કેવી રીતે?

--- અર્બન નક્સલવાદીઓ તમારી આસપાસ જ છે.
હા, એ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે.
ફિલ્મ-નાટકનો કલાકાર કે કવિ હોઈ શકે છે,
વકીલ હોઈ શકે અથવા પત્રકાર કે તંત્રી પણ હોઈ શકે.
અને હા, ડૉક્ટર પણ હોઈ શકે. રાજકારણીઓના વેશમાં પણ અર્બન નક્સલીઓ હોઈ શકે.

--- અલકેશ પટેલ

ગઇકાલ સવારથી એટલે કે 28 ઑગસ્ટ, 2018ને મંગળવાર સવારથી ભારતના બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેનું કારણ એ છે કે અર્બન નક્સલ નામની પ્રજાતિના કેટલાક પ્રતિનિધિ ઝડપાઈ ગયા છે. આ લોકોને હું પ્રજાતિ અથવા તત્વો તરીકે જ સંબોધીશ કેમ કે આતંકવાદીઓની જેમ જ આ લોકો પણ માન આપવાને લાયક નથી.
અર્બન નક્સલ તત્વો વિશે ઘણાને ખબર હશે, પરંતુ તમારામાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો આ અર્બન નક્સલીઓ વિશે જાણતા નહીં હોવ. શક્ય છે હાલ તમે એ લોકોની ચુંગાલમાં આવી પણ ગયા હોવ અને તમને ખબર પણ ન હોય.
અર્બન નક્સલ પ્રજાતિના તત્વોને ઓળખવા કેવી રીતે..?
n  આ તત્વો મીઠાબોલા હોય છે. આ તત્વો પોતાની જાતને નાસ્તિક ગણાવતા હોય છે અને તમારા મનમાં પણ એવું ઘૂસાડવા પ્રયાસ કરતા હોય છે કે ધર્મ અને ધાર્મિક વિધિઓનો કોઈ અર્થ નથી. પરંતુ આ જ તત્વો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ નહીં બોલે. ઇસ્લામ અને ખ્રિસ્તીઓની દરેક ધાર્મિક માન્યતાઓને આ અર્બન નક્સલી તત્વો કાં તો ખુલ્લો અથવા મૌન ટેકો આપશે. પણ હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવશે, હિન્દુ ધર્મની દરેક વિધિને અંધશ્રદ્ધા ગણાવશે.
n  આ તત્વો ઇતિહાસની વાત કરતી વખતે મોગલોના વખાણ કરશે, પરંતુ શિવાજી કે મહારાણા પ્રતાપને ઊતારી પાડશે.
n  આ અર્બન નક્સલીઓ કોઈ દિવસ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની વાત નહીં કરે. અને જો તમે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમને ફાસીવાદી જાહેર કરી દેશે.
n  આ અર્બન નક્સલીઓને ઓળખાની સૌથી મોટી ચાવી એ છે કે આ તત્વો હંમેશાં - ગરીબ, દલિત, જાતિ, જ્ઞાતિ, મુસ્લિમ, લઘુમતી, માનવ અધિકાર, મહિલા અધિકાર – એવા એવા શબ્દો બોલીને સમાજને ભરમાવશે.
n  અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હંમેશાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોને મહાન ગણાવશે. આ તત્વો હંમેશાં ઇઝરાઇલને ધિક્કારશે.
n  તમારી આસપાસની જે વ્યક્તિ સ્ટાલિન કે લેનિન કે પછી માઓ ત્સે તુંગના વખાણ કરે પરંતુ હિટલરને ગાળો દે તો સમજી લેવું એ વ્યક્તિ અર્બન નક્સલી છે. સાચા વિદ્વાનો અને સાચા બુદ્ધિજીવીઓ માટે સ્ટાલિન, લેનિન કે હિટલર વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ નકલી વિદ્વાનો અને નકલી બુદ્ધિજીવીઓ – અર્થાત અર્બન નક્સલીઓ કોઈ દિવસ સ્ટાલિન, લેનિન અથવા માઓ ત્સે તુંગને માનવજાતના નિકંદન માટે કસુરવાર નહીં માને. માનવ ઇતિહાસના સૌથી મોટા સંહાર કરવા બદલ આ ચારેય સરખા જવાબદાર છે, તેમ છતાં અર્બન નક્સલીઓ માત્ર અને માત્ર હિટલર તરફ આંગળી ચીંધ્યા કરે છે, બાકીનાને પોતાના ઝભ્ભા નીચે સંતાડી દે છે..!
n  આ અર્બન નક્સલી તત્વોની સૌથી મોટી ઓળખ એ છે કે એ તત્વો આદિવાસી વિસ્તારોમાં સંતાઈને પોલીસ, સલામતી દળો તેમજ સરકારી અધિકારીઓ ઉપર હિંસક હુમલા કરતા અને મોટા પાયે જાનહાની કરતા નક્સલવાદીઓ-માઓવાદીઓનો બચાવ કરે છે... પરંતુ લાકડી લઈને શાખામાં જતા સંઘના કાર્યકરો કે પછી નાની-મોટી વાતે માત્ર નિવેદન કરી નાખતા બજરંગ દળ કે વીએચપીના કાર્યકરોને હિંસક ચીતરી નાખતા જરાય ખચકાતા નથી.
n  આ અર્બન નક્સલીઓને જંગલોમાં સંતાઈને દેશ વિરોધી હિંસક માનસિકતા ધરાવતા નક્સલવાદીઓ અને એ સાથે જ જમ્મુ-કાશ્મીર કે પછી દેશમાં અન્યત્ર સંતાઈ રહેલા કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓ પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ હોય છે. અર્થાત અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હિંસક નક્સલવાદીઓ તેમજ આતંકવાદીઓને ગુનેગાર માનતા નથી, પરંતુ એક સામાન્ય નાગરિક જો પોતાના વાહન ઉપર હનુમાનજીનું ચિત્ર દોરાવે અથવા હનુમાનજીના ચિત્ર વાળી ટીશર્ટ પહેરે તો તેમને હિંસક ગણાવી દેતા ખચકાતા નથી.

--- અર્બન નક્સલીઓની પ્રારંભિક ઓળખ માટે આજે આટલું જ બસ છે. આ શ્રેણી ચાલુ રાખીશું. હવે પછી જાણીશું કે આ તત્વો અર્બન નક્સલી બને છે કેવી રીતે..?

આ સાથે મેં છેક જાન્યુઆરી-2018માં લખેલી આ વિષય ઉપરની શ્રેણીની લિંક પણ મૂકું છું.
                        (ક્રમશઃ)