Friday, September 15, 2023

અમારા પત્રકાર, તમારા પત્રકાર, એમના પત્રકાર! કોના પત્રકાર?

 


--------------------------------------

છેવટે ભારત વિરોધી ઠગબંધને પત્રકારોની વહેંચણી કરી લીધી. મીડિયાની સ્વતંત્રતાની બાંગ પોકારતા ઠગબંધનને મંજૂર નથી કે પત્રકારો તેમને કોઈ પ્રશ્ન કરે!

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

1989નો એ સમય હતો. લાલકૃષ્ણ અડવાણી રામજન્મભૂમિ આંદોલન સાથે દેશભરમાં ફરી રહ્યા હતા. લગભગ તમામ રાજ્યમાં તમામ મોટાં અખબારો આ આંદોલનને કોમવાદી ઠરાવીને ભાજપ-સંઘના નેતાઓને વિલન ચીતરી રહ્યા હતા. – અડવાણી અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2002નો એ સમય હતો. ગોધરા રેલવે સ્ટેશને જેહાદીઓએ 59 નિર્દોષ રામભક્તોને જીવતા સળગાવી દીધા હતા. તેનો આક્રોશ ગુજરાતમાં અન્યત્ર ફેલાયો ત્યારે અખબારો અને જૂજ માત્રામાં શરૂ થયેલા ટીવી મીડિયાએ નરેન્દ્ર મોદી અને ભાજપ અને સંઘને વિલન ચીતરી દીધા. – મોદી અને ભાજપ અને સંઘે મીડિયાનો બહિષ્કાર કર્યો નહોતો.

2023. દેશ પ્રગતિ કરી રહ્યો છે. દુનિયાના દિગ્ગજ નેતાઓ ભારતના નેતૃત્વની ક્ષમતાને સન્માન આપે છે. આ બધું સહન નહીં કરતા શકતા વિભાજનકારી રાજકીય પક્ષો સનાતનને ખતમ કરી દેવાની હાકલો કરવા લાગે છે. મીડિયા આવા સનાતન વિરોધીઓની ટીકા કરે છે. એવાં તત્ત્વોને સમર્થન આપનારાને પ્રશ્ન પૂછે છે. – વિભાજનકારી વિપક્ષોએ કેટલાક દિગ્ગજ પત્રકારોને પ્રતિબંધિત કરી દીધા. તેમના ટીવી શોમાં નહીં જવાનો નિર્ણય લીધો.

તમારું સાચું ચરિત્ર મુશ્કેલ સ્થિતિમાં ઓળખાય છે. પોતાના વિરુદ્ધ અદાલતનો ચુકાદો આવવાથી ઈન્દિરા ગાંધી આખા દેશને કટોકટીના ખપ્પરમાં હોમી દે છે. મીડિયા ઉપર સેન્સરશિપ લદાય છે. દેશ અનેક દાયકા પાછળ ધકેલાઈ જાય છે. અને છતાં ઈન્દિરા ગાંધીના વંશજો ઇચ્છે છે કે, મીડિયા કોંગ્રેસની ટીકા ન કરે. મીડિયા કોંગ્રેસને પ્રશ્ન ન પૂછે. રાજકીય રીતે અસ્તિત્વ ગુમાવવાથી ઘાંઘો થઈ ગયેલો કોંગ્રેસ પક્ષ અને તેમના મળતિયા રાજકીય પક્ષો બેવડાં ધોરણો રાખીને એક તરફ મંદિરોની મુલાકાત લે છે અને બીજી તરફ સનાતનને ખતમ કરવાની ટૂલકિટ તૈયાર કરે છે. પરંતુ વિપક્ષોની આવી ભાગલાવાદી માનસિકતા સામે જાગી ચૂકેલા મીડિયાકર્મીઓ પ્રશ્નો પૂછે છે તો ભાગલાવાદીઓને માઠું લાગી જાય છે, એટલું નહીં પરંતુ એવા મીડિયાકર્મીઓના ટીવી શોમાં નહીં જવાની જાહેરાત કરે છે.

રમૂજની વાત એ છે કે, આ ભાગલાવાદી વિપક્ષો સતત એવો અપપ્રચાર કર્યા કરે છે કે, મીડિયાના અમુક પત્રકારો વેચાઈ ગયા છે અને ભાજપને તથા મોદીના વખાણ કરે છે અને એટલે એ બધા ગોદી મીડિયા છે. ભાગલાવાદી વિપક્ષો એવું જ માને છે કે, મીડિયાએ અમને પંપાળવા જોઇએ અને દરરોજ સવાર-સાંજ મોદીની ટીકા કરવી જોઇએ. જે મીડિયા આવું ન કરે એ ગોદી મીડિયા અને એટલે એવા પત્રકારોનું ચાલુ ટીવી શો દરમિયાન અપમાન કરવાનું, સોશિયલ મીડિયા ઉપર એવા પત્રકારો વિશે અભદ્ર ટિપ્પણી કરવાની અને એ રીતે રાષ્ટ્રવાદી મીડિયાનું ગળું દબાવી દેવાનું.

કમનસીબે ભાગલાવાદી વિપક્ષો એ વાત સ્વીકારવા તૈયાર જ નથી કે, પત્રકારોમાં પણ રાષ્ટ્રવાદની ભાવના હોય છે, પત્રકારોમાં પણ ધર્મ અને સનાતનની સમજ હોય છે. આ જ ભાગલાવાદી માનસિકતા ધરાવતા વિપક્ષોએ એક જમાનામાં પ્રખર રાષ્ટ્રવાદી તંત્રીઓ ગિરિલાલ જૈન અને અરુણ શૌરીને પણ અપમાનિત કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.

ભાગલાવાદી વિપક્ષો દેશના ભોળા લોકોના મનમાં એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે, મીડિયાનો ઘણોખરો વર્ગ મોદીના મોહમાં ફસાયો છે અથવા મોદીથી ડરે છે. આ વિપક્ષો એવો પણ અપપ્રચાર કર્યા કરે છે કે, જે પત્રકારો રાષ્ટ્રવાદ અને ધર્મની તરફેણમાં છે એ બધા ભાજપના એજન્ટ છે. પરંતુ વિપક્ષોની આ વાત સદંતર ખોટી છે. ભાજપે ક્યારેય રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારોની ખુશામત કરવાનો પ્રયાસ કર્યો નથી. ઊલટાનું એથી ઊંધું ચોક્કસ થયું છે. રાષ્ટ્રવાદ અને ધર્મની બાબતમાં પ્રમુખતાથી પોતાનો અવાજ રજૂ કરતા પત્રકારો – તંત્રીઓને બદલે ભાજપે અને સંઘે લઘુમતી તરફી સેક્યુલર ઝેર ફેલાવતા પત્રકારો – તંત્રીઓને માથે બેસાડ્યા છે. 30 કિલોમીટર દૂર આવેલા વિમાનમથકે ટોઇલેટ જવા જનાર સડકછાપ માનસિકતા ધરાવતા લેખકોને ય ભાજપ તો પોતાના મંચ ઉપર બોલાવે છે અને સન્માન કરે છે. ભાજપની આવી પ્રવૃત્તિઓને કારણે લગભગ મોટાભાગના રાષ્ટ્રવાદી પત્રકારો – લેખકો ભાજપથી નારાજ રહે છે. માત્ર જૂજ રાષ્ટ્રવાદી અને સનાતની પત્રકારો આવાં કારણોસર ભાજપથી નારાજ નથી થતા કેમ કે તેમના માટે રાષ્ટ્રવાદ અને ધર્મ મહત્ત્વનો છે, પક્ષ તરફથી કશું મળે એવી આ જૂજ રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો અપેક્ષા નથી રાખતા. પરંતુ મોટી સંખ્યામાં આવા રાષ્ટ્રવાદી પત્રકાર-લેખકો ભાજપથી નારાજ રહે છે એ પણ વાસ્તવિકતા છે.

તો હવે ફરી મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે, ભાગલાવાદી વિપક્ષોએ અમુક પત્રકારોનો બહિષ્કાર કરવાનો શા માટે નિર્ણય લીધો?

મૂળભૂત રીતે ભાગલાવાદી વિપક્ષો લઘુમતી જેવી માનસિકતા ધરાવતા થઈ ગયા છે. નરેન્દ્ર મોદી અને ભાજપનો રાજકીય રીતે મુકાબલો નહીં કરી શકતા, રાષ્ટ્રીય સ્વયં સંઘના વિરુદ્ધમાં લોકોને ભડકાવી નહીં શકતા આ વિપક્ષો લઘુમતીઓની જેમ વિક્ટિમ કાર્ડ રમવા લાગ્યા છે. ભાગલાવાદી વિપક્ષોની મીડિયા પ્રત્યેની માનસિકતા વિશે મેં મારા પુસ્તક પત્રકારત્વઃ વિશ્વસનીયતાનો પડકાર માં ચાર વર્ષ પહેલાં જ એ વાત સ્પષ્ટપણે લખી હતી કે છેક 1947થી મીડિયાને સનાતન ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અને લઘુમતીઓની તરફેણમાં કરવાનું પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે કાવતરું ઘડાયું હતું અને તેનો અમલ થયો હતો. ગિરિલાલ જૈન અને અરુણ શૌરી તથા તેમના જેવા સાવ જૂજ અપવાદોને બાદ કરતાં લગભગ તમામ મીડિયા હાઉસ (અખબારો અને સામયિકો) તેમજ પત્રકારો – તંત્રીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેક્યુલારિઝમના નામે લઘુમતી તરફી કોમવાદી નીતિનો અમલ કરતા હતા, આજે પણ કરે છે. પરંતુ મે, 2014ની લોકસભા ચૂંટણીએ રાષ્ટ્રીય સ્તરે આખું ચિત્ર બદલી નાખ્યું. જે પત્રકારો, તંત્રીઓ અથવા મીડિયા હાઉસમાં રાષ્ટ્રવાદ અને સનાતનનો આત્મા દબાવીને રાખવામાં આવ્યો હતો તે બહાર આવ્યો. તેમણે પોતાના અંતરઆત્માની વાત રજૂ કરવાનું શરૂ કર્યું. અને આ સ્થિતિ ભાગલાવાદી વિપક્ષોને પચી નહીં. તેમણે તેમના પીઠ્ઠુ પત્રકારો તેમજ મીડિયા હાઉસની મદદથી રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારોને બદનામ કરવાનું, તેમને હેરાન કરવાનું, તેમના ઉપર કેસ કરવાનું શરૂ કર્યું. આમછતાં આવા પત્રકારો ડરી જવાને બદલે અથવા દબાઈ જવાને બદલે પોતાનું કામ કરતા રહ્યા.

આ સ્થિતિમાં ભાગલાવાદી વિપક્ષોને ખાતરી થઈ ગઈ છે કે, રાષ્ટ્રવાદી – સનાતની પત્રકારો, તંત્રીઓ, મીડિયા હાઉસ હવે તેમનાથી દબાય એમ નથી. આ વિપક્ષોને સમજાઈ ગયું છે કે આત્માથી જાગૃત થઈ ગયેલા પત્રકારો હવે તેમને પ્રશ્નો પૂછવાના જ છે અને તેના જવાબો આપવાનું ભારે પડવાનું છે. તેથી લઘુમતી વિક્ટિમકાર્ડની જેમ વિપક્ષોએ પણ પત્રકારોનો બહિષ્કાર કરીને તેમના ઉપર દબાણ લાવવાનો તદ્દન છેલ્લી કક્ષાનો પ્રયાસ કરી જોયો છે. હવે જોઇએ આ લડાઈ કેવો રંગ લાવે છે. અસ્તુ!

Sunday, September 10, 2023

સનાતનઃ બાહ્ય હુમલા અને આંતરિક સંઘર્ષની ગાથા સનાતન છે

 


એક તરફ દ્રવિડિયન અંતિમવાદીઓએ સનાતન ઉપર હુમલા શરૂ કર્યા છે, તો બીજી તરફ સનાતનની અંદર જ સાંપ્રદાયિક ખેંચતાણ ચાલુ છે. હે ધર્માચાર્યો! મેદાનમાં આવો...

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

જેના આરંભના સમયગાળા વિશે કોઈ જાણતું નથી અને જેનો કદી અંત થવાનો નથી એવો સનાતન ધર્મ હાલ બે પ્રકારના હુમલાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તમિલનાડુના દ્રવિડિયન અંતિમવાદીઓ સનાતનને જીવ-જંતુઓ અને રોગચાળા સાથે સરખાવીને તેનો અંત લાવવાના હાકલા કરે છે, તો બીજી તરફ ખાસ કરીને હાલ ગુજરાતમાં સનાતનના જ એક પેટા-પંથના અમુક મુઠ્ઠીભર લોકોની ભૂલને કારણે સનાતનીઓ સામસામી છાવણીમાં વહેંચાઈ ગયા છે.

તમિલનાડુની ડીએમકે સરકારના પ્રધાન અને મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના કુ-પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન અંગે કરેલા નિવેદનથી આખો દેશ પરિચિત છે અને તમામ સનાતની હિન્દુઓ ખિન્ન છે. ડીએમકે મૂળભૂત રીતે વટલાયેલા ખ્રિસ્તીઓનો પક્ષ છે. હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ સદીઓ પહેલાં દક્ષિણનાં રાજ્યોમાં ઘૂસણખોરી કરીને ત્યાંની પ્રજાને સનાતનની વિરુદ્ધ સદંતર ખોટી રીતે ઉશ્કેરીને ધર્માંતર કરાવ્યા હતા. ઇસ્લામિક આક્રમણકારીઓની જેમ જ હિંસાખોર ખ્રિસ્તી મિશનરીઓએ પણ અનેક હિન્દુ મંદિરોનો વિધ્વંસ કરીને ગ્રામ્ય ભોળી પ્રજામાં વટાળ પ્રવૃત્તિ કરી હતી. આજે પણ એ પ્રવૃત્તિ ચાલુ જ છે. આ મિશનરીઓએ ખાસ કરીને પુરાણોની વાતોના અમુક કિસ્સા ઉપાડીને બ્રાહ્મણો વિરુદ્ધ તેમજ સંસ્કૃત ભાષા વિરુદ્ધ સતત અભિયાન ચલાવ્યું જેને પરિણામે ખાસ કરીને તમિલનાડુના દ્રવિડિયનો પોતાને સનાતનથી અલગ સમજવા લાગ્યા અને મિશનરીઓના ધર્માંતરનાં કાવતરાંમાં સપડાઈ ગયા.

સામે પક્ષે સનાતની હિન્દુ સાધુ-સંતો તરફથી આવા મિશનરીઓના અપ-પ્રચાર તેમજ ધર્માંતર રોકવા કોઈ આક્રમક પ્રયાસ થયા નહીં. હિન્દુ સાધુ-સંતોમાં ધર્મને બચાવવાની આક્રમકતાના અભાવે હિંસાખોર મિશનરીઓને મોકળું મેદાન મળી ગયું અને દ્રવિડિયનોમાં એ માન્યતા વધારેને વધારે ઘર કરતી ગઈ કે સનાતન એ બ્રાહ્મણવાદી ધર્મ છે અને તેમાં દ્રવિડિયનોનું સ્થાન નથી.

આ દ્રવિડવાદ હવે અંતિમવાદનું સ્વરૂપ લઈ રહ્યો છે અને રાજકીય કારણોસર સનાતનને વધારે ખંડિત કરવા મરણિયો બન્યો છે. ડીએમકેના પરિવારવાદી દ્રવિડિયનો ભાજપ કે નરેન્દ્ર મોદીને રાજકીય રીતે હરાવી શકવા સમર્થ નથી અને તેથી ભાજપની મુખ્ય મતબેંક એવા હિન્દુઓમાં વિભાજન કરાવવા મથામણ કરે છે. દ્રવિડિયન ખ્રિસ્તી ઉદયનિધિ સ્ટાલિનને મૂળ ખ્રિસ્તી વિચારધારામાંથી ઉતરી આવેલા કોંગ્રેસીઓનું છૂપું સમર્થન છે. ગાંધી નામધારી ચૂંટણીલક્ષી હિન્દુઓને સનાતન પ્રત્યે ખરેખર કોઈ લગાવ નથી. દ્રવિડિયનો અને કોંગ્રેસ અને તેમની ટૂલકિટ ટોળકીને હવે એટલો ખ્યાલ આવી ગયો છે કે, સનાતન ઉપર હુમલા કરવાથી, હિન્દુઓમાં વિભાજન કરવાથી તેમની મુસ્લિમ મતબેંક સંગઠિત થઈ શકે છે અને તેઓ આ સ્થિતિનો ગેરલાભ ચૂંટણી જીતવા માટે ઉઠાવી શકે છે. બંગાળ અને કર્ણાટકના ચૂંટણી પરિણામોએ તેમને આવું માનવા પ્રેર્યા છે.

ભારત વિરોધી ટૂલકિટ ટોળકી તેમની આ કુત્સિત ચાલ હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ અપનાવી રહી છે. પાટીદાર આંદોલનની પેટર્ન ઉપર મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તો ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નામે હિન્દુઓની ખાઈ પહોળી કરવામાં આવી રહી છે. ગુજરાતના કિસ્સામાં એવી આશંકા અસ્થાને નથી કે, સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ ચગાવવા પાછળ ખાલિસ્તાનવાદી આપિયાઓનો હાથ હોઈ શકે. અલબત્ત, સાળંગપુરમાં હનુમાનદાદાની મૂર્તિનો જે કિસ્સો છે અથવા સ્વામિનારાયણ સંપ્રદાયના જૂજ સાધુઓની કથાઓમાં જે વાણીવિલાસ થાય છે અથવા અમુક પુસ્તકોમાં ક્યાંક ખૂણેખાંચરે કશુંક લખાયું છે – એ બધાનો બચાવ કરવાનો કોઈ આશય નથી. સંપ્રદાય દ્વારા આ ભૂલ થઈ છે તો પછી તેને સુધારી લેવી જોઇએ અને એ કામ માટે સમગ્ર સનાતનના ધર્માચાર્યો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો સક્ષમ છે અને તેઓ શાંતિપૂર્વક આ બધાનો ઉકેલ લાવી શકે તેમ છે. સનાતનની એકતા માટે આ જ રસ્તો યોગ્ય છે, સોશિયલ મીડિયા ઉપર એકબીજા સામે દાંતિયા કાઢવાથી સનાતનનું ભલું નહીં થાય. રહી વાત મીડિયાની...તો મીડિયા તો વંડી ઉપર બેઠેલા લોકો જેવા હોય છે, એ ગમે તે બાજુ કૂદ્યા કરે. એમની પાસે વિશુદ્ધ પત્રકારત્વના કોઈ ધારાધોરણો રહ્યાં નથી. એથી આગળ વધીને હકીકત એ છે કે, મોટાભાગના મીડિયામાં મિશનરી તેમજ જેહાદી માનસિકતાના લોકો ટોચના સ્થાને બેઠેલા છે અને સનાતનને નુકસાન કરવું એ તેમનું મિશન હોય છે.

આ બંને સ્થિતિનો ઉપાય શો?

ઓછામાં ઓછા આઠેક વર્ષથી મારી કૉલમ દ્વારા હું એક વાત કહ્યા કરું છું કે, સનાતનને સંગઠિત રાખવો હોય અને દ્રવિડિયન કે મિશનરી કે જેહાદી કાવતરાંથી હિન્દુ ધર્મને બચાવવો હોય તો ધર્માચાર્યોએ મેદાનમાં આવ્યા વિના છૂટકો નથી. સંતો-મહંતો-ધર્માચાર્યો-બાપુઓએ તેમનાં મંદિરો અને આશ્રમો અને કથાઓની સાથે સાથે હિન્દુ પ્રજાની વચ્ચે નિયમિત મુલાકાત લઇને આભડછેટ અને સામાજિક દુષણોની સામે ધૂણી ધખાવવી જ પડશે.

સનાતન હિન્દુત્વ ઉપર થઈ રહેલા હુમલા અને સનાતનની અંદર સતત ચાલતા રહેતા સંઘર્ષને ખાળવા માટે જો કોઈ એક સમુદાય સક્ષમ અને ઑથોરિટી હોય તો તે સાધુ-સંતો, મહંતો, ધર્માચાર્યો જ છે. એ વિના કોઈ ઉપાય નથી. આનંદમઠની જેમ તેમણે જ નેતૃત્વ લેવું પડશે. ધાર્મિક નેતૃત્વ વિનાની પ્રજા વેરવિખેર થતી જશે અને છેવટે ક્યારે નેસ્તનાબૂદ થઈ જશે એ આપણને ખબર પણ નહીં પડે. મોટાભાગની પ્રજા આ રીતે ધર્માંતરીઓના સકંજામાં આવી જશે તો મંદિરો અને આશ્રમો અને કથા-વાર્તાઓનો પણ કોઈ અર્થ નહીં રહે. ધર્માચાર્યો આ અંગે વિચારે ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!