Tuesday, April 28, 2020

પ્રાચીન ચીનમાં ભારત ત્રણ અલગ અલગ નામે ઓળખાતું


પુસ્તક સમીક્ષા – અલકેશ પટેલ

પ્રાચીન ચીનમાં ભારત ત્રણ અલગ અલગ નામે ઓળખાતું

ચીન હાલ ચર્ચામાં છે. અનેકને એવું લાગે છે કે ચીન સાથે વેપાર ન કરવો જોઇએ, તેનો આર્થિક બહિષ્કાર કરવો જોઇએ. પરંતુ આજે હું અહીં જે ઐતિહાસિક પુસ્તકની વાત કરવાનો છું તે અનુસાર તો ઇસવીસન પૂર્વેથી બંને દેશ વચ્ચે વેપારી સંબંધ છે. તો આ પુસ્તક એવી માહિતી પણ આપે છે કે હજારો વર્ષ પહેલાં ભારત અને ભારતીયોનો દુનિયામાં કેવો પ્રભાવ હતો! ચાલો આજે માણીએ ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ

n  અલકેશ પટેલ

હજુ હમણાં જ (23 એપ્રિલે) આપણે વિશ્વ પુસ્તક દિવસની ઊજવણી કરી. આમ તો એ દિવસે જ આ પુસ્તક પરિચયની કૉલમ શરૂ થવાની હતી, પરંતુ હું એ ચૂકી ગયો. ખેર, જાગ્યા ત્યાંથી સવાર...



ઇતિહાસ લખવાની – સાચવવાની અને યાદ રાખવાની બાબતમાં આપણે ખરેખર આળસુ છીએ. આપણે મોટેભાગે વિદેશીઓએ તેમની દૃષ્ટિએ લખેલો ઇતિહાસ જ જાણીએ છીએ. સ્વતંત્રતા પછી જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો તેમાં અર્બન નક્સલી જેવા ઇતિહાસકારોએ ચેડાં કરી દીધા અને વિદેશી ઇસ્લામિક આક્રમણખોરોને મહાન બતાવ્યા અને આપણા રાજા-મહારાજાઓને વામણા બતાવ્યા. આમછતાં, સાચો ઇતિહાસ અને સાચી ઐતિહાસિક હકીકતો કોઇકને કોઇક રીતે આપણને ઉપલબ્ધ થતી રહી છે. ગયા અઠવાડિયે આવું જ એક પુસ્તક મારા હાથમાં આવ્યું - ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ (India As Known To The Ancient World). આ પુસ્તકના લેખક છે ડૉ. ગૌરાંગનાથ બેનરજી. આ પુસ્તક આજથી 99 વર્ષ પહેલાં એટલે કે 1921માં પ્રકાશિત થયું હતું. માત્ર 90 પાનાના આ પુસ્તકમાં લેખક ડૉ. બેનરજીએ પોતાની ઐતિહાસિક જાણકારી ઉપરાંત કેટલાક પશ્ચિમી લેખકોનાં પુસ્તકો તેમજ લેખોનો આધાર લીધો છે. તેમાં ડૉ. એફ. હર્થનું 1885માં લખાયેલું પુસ્તક China and the Roman Orient મુખ્ય છે.

ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ પુસ્તકમાં લેખક ડૉ. ગૌરાંગનાથ બેનરજીએ ઇ.સ.પૂર્વે નવમી સદીના આધાર લઇને તે સમયના ભારતના આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધો, ભૌગોલિક સ્થિતિ, દુનિયાના દેશોમાં હિન્દુ ધર્મની અસર વગેરેની અછડતી માહિતી આપી છે. પણ આ અછડતી માહિતીની સાથે તેમણે જે રેફરન્સિસ (સંદર્ભો) આપ્યા છે તેના આધારે ઐતિહાસિક સંશોધનમાં રસ ધરાવનારને વધુ ઊંડાણપૂર્વક માહિતી મળી શકે.
પુસ્તકના પ્રારંભે  લેખકે ભારતના વેપારીઓના સંભવિત સૌપ્રથમ દરિયાઈ તેમજ રણ માર્ગે વેપાર માટેના પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. મજાની વાત એ છે કે આ વર્ણન દરમિયાન પ્રાગૈતિહાસિક કાળના યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ અને વૈદિકકાળના ભારતના સંદર્ભ પણ ટાંક્યા છે (પાના નં. પાંચ). સોલોમનના સમયમાં છેક ઈ.પૂર્વે 900માં બેબીલોન ભારતથી ચોખાની આયાત કરતું એવી નોંધ પુસ્તકમાં મળે છે. ગ્રીસ અને ઇજિપ્ત સાથે પણ એ અરસામાં ભારતના વેપારી સંબંધ હતા.
લેખક નોંધે છે કે, યુરોપની પ્રજાને ભારત અને ભારતીયો વિશેની જાણકારી Pliny’s survey – geography and history of trade between Bharat and Egypt દ્વારા મળી હતી. પ્રાચીનકાળથી લઈને છેક 1960ના દાયકા સુધી ઉત્તરમાં તિબેટ ભારતના સંરક્ષણ માટે સૌથી અગત્યનું કેન્દ્ર હતું. ચીને તે આંચકીને પોતાના કબજા હેઠળ લીધું ત્યારપછી ચીની લશ્કરને ભારત સુધી આવવાનું સરળ બની ગયું હતું એ હજુ ઘણો નજીકનો ભૂતકાળ છે અને એ માટે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુની વધુ એક ગંભીર ભૂલ હતી એ આપણે જાણીએ છીએ.
આ પુસ્તકમાં વિવિધ પ્રજાતિની આવનજાવન, વેપાર, વગેરેની વાત કરવામાં આવી છે. તેમાં વિચરતી જાતિઓનો ઉલ્લેખ છે જે વિવિધ દેશમાં હુમલા કરતા અથવા પોતે જે વિસ્તારમાં હોય ત્યાં અન્ય લોકોના પ્રવેશ ઉપર તેમનો પ્રભાવ રહેતો.... પણ આ બધામાં સૌથી નોંધપાત્ર મુદ્દો એ ઉપસી આવે છે કે ઇ.સ. પૂર્વેના એ સમયગાળામાં પણ કોઈ ભારતીય રાજા કે પ્રજાએ બીજા ઉપર હુમલા કર્યા હોય એવું દેખાતું જ નથી.
નગર સંસ્કૃતિના વિકાસ અંગે લેખકે એક જગ્યાએ સુંદર વાક્ય લખ્યું છે. તે કહે છે, વેપારીઓએ ઊંચા પહાડી વિસ્તારો તેમજ વિશાળ રણમાં પ્રવાસ કરવો પડતો ત્યાં કુદરતે જ તેમને વચ્ચે વચ્ચે આરામ કરવા માટેની સુવિધા આપી હતી. આ સુવિધા એટલે કાં તો થોડી વનરાજી હોય અને તેનાથી થોડે દૂર પાણીની સુવિધા હોય. આ ઉપરાંત ક્યાંક મંદિર હોય ત્યાં વેપારીઓ રોકાણ કરતા. અને તેમના આ રોકાણ દરમિયાન એ જ સ્થળે સ્થાનિક લોકોની અવરજવરને કારણે વેપાર થતો.
મધ્યપૂર્વના દેશો ઉપરાંત ચીનમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે પડ્યો? લેખક કહે છે કે, પૂર્વ તુર્કસ્તાન ક્ષેત્ર આ બાબતે બ્રિજ-પુલ સાબિત થયો જેના મારફત ભારતીય સભ્યતા, સંસ્કાર તેમજ ધર્મ ચીન તેમજ મધ્ય એશિયામાં ફેલાયા અને એ રીતે મધ્ય એશિયાની પ્રજાઓના ચારિત્ર્ય તેમજ વર્તનમાં મોટા ક્રાંતિકારી પરિવર્તન આવ્યા.
ચીન અને તેનો ઇતિહાસ પ્રાચીન સમયથી રહસ્યમય હોવાનું આ પુસ્તકમાં નોંધાયું છે. લેખક કહે છે કે, ભૌગોલિક સ્થિતિને કારણે પ્રાચીન સમયથી અન્ય દેશોના લોકો ભાગ્યે જ ચીન સુધી પહોંચી શક્યા છે અને તે કારણે ચીન તેના ઉદ્દભવથી જે સંસ્કૃતિ-પરંપરા હતી તે જાળવી શક્યું. એક સદી જૂના આ પુસ્તકમાં પણ એ વાત નોંધવામાં આવી છે કે, ચીની શાસકો અને પ્રજા અન્ય દેશોના શાસકો અને પ્રજાની જેમ પ્રવાસ અને વેપાર માટે નહીં પરંતુ અન્ય ભૂમિનો કબજો કરવા માટે જ આગળ વધતા હતા અને પ્રયત્નશીલ રહેતા હતા. પુસ્તક એ વાતની પણ નોંધ લે છે કે, હજારો વર્ષ પહેલાં ચીને અન્ય દેશો સાથે વેપાર પણ શરતી રાખ્યો હતો. ચીનની તે સમયની રાજાશાહી વ્યવસ્થામાં સ્થાપિત અદાલતોની શરતો અનુસાર જ બીજા દેશો સાથે વેપાર થતો. એ ગાળામાં મુખ્ય ત્રણ દેશો સાથે ચીને વેપારી સંબંધ રાખ્યા હતા – અરેબિયા, પર્સિયા અને ભારત.
ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ ભારતમાંથી ચીન પહોંચ્યો ત્યારે ચીનમાં ભારત ટીન-ડુ અથવા ટિન-શુ (T’ien-du OR T’ien-chu) તરીકે ઓળખાતો હતો. પરંતુ તેના કરતાં વધુ પ્રાચીન ચીનમાં ભારતની ઓળખ શિન-ડુ (Shin-du) તરીકે હતી. દેખીતી રીતે સંસ્કૃત શબ્દ સિંધુ (નદી) પરથી જ ભારતની ઓળખ સ્થાપિત હતી. આ નામ (શિન-ડુ) અને તે અંગેની નોંધ ઈ.સ. પૂર્વે 120માં ચીની નાગરિક જનરલ ચાંગ-કીને પશ્ચિમ એશિયાના પ્રવાસ બાદ લખી હતી, તેમ મધ્યયુગના સંશોધક ડૉ. બ્રેસેન્ડરે લખ્યું હતું. એ સમયગાળામાં અર્થાત ઈ.સ.પૂર્વે 120માં ભારત-ચીન વચ્ચે દરિયાઈ માર્ગે મોટા પાયે વેપાર થતો હશે એવું એક ચીની દસ્તાવેજ ઉપરથી સમજાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, - ટેટ્સ-ઇન (સિરીયા)ના નાગરિકોનો અઉ-શી (પાર્થિયા) તથા શિન-સુ (ભારત) સાથેના દરિયાઈ માર્ગે થતા વેપારમાંથી દસ ગણો નફો થતો.  (ડૉ. હર્થના પુસ્તક – ચાઇના એન્ડ ધ રોમ ઓરિએન્ટ) (એ પુસ્તકને ડિજિટલ કરવામાં આવ્યું છે અને તે ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ છે –
https://books.google.co.in/books/about/China_and_the_Roman_Orient.html?id=h9l8AAAAIAAJ&printsec=frontcover&source=kp_read_button&redir_esc=y#v=onepage&q&f=false ) એટલું જ નહીં પરંતુ આ બીજી લિંકમાં તો પુસ્તક ઑનલાઇન વાંચી શકાય, સાંભળી શકાય તેમજ ડાઉનલોડ (પીડીએફ, સાદી ટેક્સ્ટ, કિંડલ વગેરે ફોર્મેટમાં) પણ મેળવી શકાય છે –
આ પુસ્તકના 46મા પાના ઉપર એક ફકરો છે એ વાંચીને પ્રત્યેક ભારતીયને ગૌરવ થાય – તેમાં લેખક કહે છે કે, ભારતમાંથી બૌદ્ધવાદી વિચારધારા ચીનમાં દાખલ થઈ એ ચીનના નૈતિક વિકાસ માટે તેમજ હેન વેન માટે સૌથી અગત્યની ઘટના હતી, અને એથી આગળ વધીને ચીનના સમગ્ર ઇતિહાસ માટે એ નોંધપાત્ર ઘટના હતી. લેખક કહે છે કે, એક નોંધ એવી મળે છે કે, બૌદ્ધધર્મી ભારતીયો ઈ.સ.પૂર્વે 227 તથા ઈ.સ.પૂર્વે 122માં ચીનમાં પ્રવેશ્યા હતા અને તેઓ યારકંડથી પણ આગળ સુધી પહોંચ્યા હતા. એ સમયથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો નિયમિત રીતે સ્થપાયા હોવાના પુરાવા મળે છે. ત્યારપછી ઈ.સ. 61માં દેશમાં (ચીનમાં) વિદેશી જ્ઞાનનો પ્રવાહ વધ્યો અને તત્કાલીન રાજા મિંગ-શી એ બૌદ્ધ પુસ્તકો તેમજ સાધુઓને ચીન મોકલવા ભારતને વિનંતી કરી હતી.
એક નોંધ પ્રમાણે છઠ્ઠી સદીમાં દક્ષિણ ચીનના લેયોંગમાં 3000 ભારતીય નાગરિકો વસતા હતા. પરંતુ ઇ.સ. 714માં બૌદ્ધ સાધુઓની અવર જવર વધી ત્યારબાદ સ્થાનિક પ્રજામાં આક્રોશ વધતા ભારતીયો ઉપર હુમલા શરૂ થયા હતા. આવા હુમલાનું કારણ એ જ હોઈ શકે કે, સ્થાનિક વહીવટીતંત્રમાં ભારતીયોની ભરતી અને પ્રભાવ વધી રહ્યો હતો જેને કારણે સ્થાનિકોને જોખમ લાગ્યું હોય.
હિન્દુત્વનો પ્રભાવઃ હિંદ મહાસાગરની આસપાસના ચારે તરફના દેશોમાં – ઇન્ડોનેશિયામાં હિન્દુ મંદિરોનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. ભગવાન શિવ, ગણેશજી તથા વિષ્ણુના મંદિરો મોટી સંખ્યામાં હતા તેમ લેખક ડૉ. બેનરજી કહે છે. (આ વાતનું સમર્થન તો હું પોતે અને મારા જેવા લાખો ભારતીયો આપી શકે જેમણે થાઇલેન્ડની મુલાકાત લીધી હશે. થાઇલેન્ડમાં, ખાસ કરીને પતાયામાં આજની તારીખે તમામ વૈભવી હોટેલ, ઑફિસ બિલ્ડિંગ, બિઝનેસ હાઉસ, અન્ય મોટાં મકાનોની બહાર ભગવાન વિષ્ણુનું મંદિર અચૂક હોય જ) 


પ્રાચીન ભારતના ઇતિહાસની વાત થતી હોય અને અંગરકોર થોમ તથા અંગરકોર વાટનો ઉલ્લેખ ન આવે એ શક્ય જ નથી. આ પુસ્તકમાં તેના વિશે લેખકે અંગ્રેજો તેમજ ચીની ઇતિહાસકારોના સંદર્ભ ટાંકીને અંગરકોટ વિશે વિસ્તારથી લખ્યું છે.
પુસ્તકમાં બાવનમા પાના ઉપર ઉલ્લેખ છે કે ભારતમાં નિષ્ફળ રહેલો બૌદ્ધ સંપ્રદાય એશિયાના અન્ય દેશોમાં પહોંચ્યો અને ત્યાં પ્રારંભના વર્ષોમાં બ્રહ્માજીના મંદિરો બૌદ્ધ સાધુઓના વિહારધામ બન્યા હતા. એ જ રીતે કંબોડિયામાં છઠ્ઠીથી 13મી સદી સુધી હિન્દુઓનો પ્રભાવ ત્યાંના મકાનોની બાંધણી તેમજ સંસ્કૃત શિલાલેખો પરથી જાણી શકાય છે. એક સદી જૂના આ પુસ્તકમાં લેખક લખે છે કે, હિંદ મહાસાગર મારફત ભારતીયો આખી દુનિયા સાથે વેપાર કરતા, છેક પશ્ચિમના દેશો સુધી જતા, એ બધું સાચું પરંતુ અગત્યની વાત એ છે કે ભારતીઓએ કદી બીજા દેશને કબજે કરવાનો પ્રયાસ કર્યો હોય એવું ઇતિહાસમાં જોવા-જાણવા મળતું નથી, અને તેની સામે બીજા ઘણા દેશોએ ભારત ઉપર કબજો જમાવવાના પ્રયાસ કર્યા હોવાના દાખલા છે. (ઈન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ 1921, લેખક- ગૌરાંગનાથ બેનરજી. પાના નં. 58) – અહીં લેખક હકીકતે Dr. Weule ને ટાંકે છે)
પુસ્તકમાં જાવા ટાપુનું પણ ઘણું વર્ણન છે. તેમાં લેખક બૌદ્ધવાદ અંગેના બે સંશોધક ડૉ. એચ. કર્ન તથા ડૉ. જે. ગ્રોનેમનને ટાંકીને જણાવે છે કે, જાવામાં હિન્દુ અને બૌદ્ધ સ્થાપત્યો એક સરખા સમયે જોવા મળતા નથી. ઇ.સ. ની પાંચમી સદીમાં સમગ્ર જાવામાં ભગવાન વિષ્ણુની પૂજા થતી હશે કેમ કે એ સમયગાળામાં માત્ર તેમના જ મંદિરો ત્યાં જોવા મળે છે. આ સંશોધકોએ નોંધ્યું છે કે, પાંચમી સદીમાં ચીનના એક બૌદ્ધધર્મી ફા હિઆને જાવાની મુલાકાત લીધી હતી અને તેમની નોંધોમાં માત્ર હિન્દુઓનો જ ઉલ્લેખ જોવા મળે છે, હિઆનને કોઈ બૌદ્ધધર્મી મળ્યું હોય એમ લાગતું નથી. આ પુસ્તકમાં જાવા અંગે અલગ પ્રકરણ છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે આદિત્ય ધર્મ નામનો સુમાત્રા પ્રદેશનો બૌદ્ધધર્મી રાજા હતો તેણે સિવારાગ નામે હિન્દુ રાજાને હરાવીને પશ્ચિમ જાવામાં સત્તા કબજે કરી હતી.
લેખક દુખ સાથે નોંધે છે કે, એ અરસામાં જાવાના હિન્દુ સમાજમાં ભ્રષ્ટાચારનાં લક્ષણ દેખાવાનું શરૂ થયું હતું. આ સ્થિતિનો લાભ લઈને ત્યાં વેપાર માટે આવેલા આરબો કાયમ માટે રોકાઈ ગયા એટલું જ નહીં પરંતુ એ વેપારીઓએ ધર્માંતર કરાવવાના શરૂ કર્યા હતા. લેખક આગળ લખે છે કે, વેપારમાં તગડી કમાણી કરવા ઉપરાંત રાજકીય પ્રભુત્વ જમાવવા માટે મુસ્લિમ વેપારીઓએ આવી ધર્માંતર પ્રવૃત્તિ શરૂ કરી હતી. સુમાત્રા અને જાવામાં ત્યારપછી હિન્દુઓનું પ્રભુત્વ ઘટતું ગયું અને ઇસ્લામ હાવી થયો. (પૃષ્ઠ 70 – મૂળ નોંધ ડૉ. શુર્ત્ઝ (schurtz) પુસ્તક – ધ વર્લ્ડ્સ હિસ્ટ્રી, વૉલ્યુમ – 3)
બાલી ટાપુ ઉપર પણ હિન્દુઓનું પ્રભુત્વ હતું. અહીં પણ ઇસ્લામીઓએ હાવી થવાનો પ્રયાસ કર્યો હતો અને થોડો સમય માટે સત્તા કબજે કરી લીધી હતી, પરંતુ ભારતીયોએ વળતી લડત આપી અને શાસન પાછું મેળવી લીધું હતું. આ ટાપુ ઉપર એ પ્રાચીન ઐતિહાસિક કાળથી લઇને હજુ હમણાં 100 પહેલાં સુધી ભારતીયો – હિન્દુ પ્રભુત્વમાં હતા. જ્યારે તેની નજીકના બોર્નેઓ (જેને આજે પણ કાલીમંથન તરીકે ઓળખવામાં આવે છે) ટાપુ ઉપર આમ ખાસ કોઈ વસ્તી નહોતી. પરંતુ આ ટાપુના દક્ષિણ પ્રદેશોમાં જાવાના હિન્દુ શાસકોનો પ્રભાવ હતો. બોર્નેઓના મકાનો તેમજ મંદિરો ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળતો હતો. જે ઈ.સ. 1600માં ઇસ્લામે કબજે કર્યો.
સરવાળે આ પુસ્તકમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, ઇતિહાસના દરેક તબક્કામાં ભારતીયોની હાજરી અને ભારતનો પ્રભાવ જોવા મળે છે. ગ્રીક ઇતિહાસમાં પણ ભારતીય વેપારીઓનો ઉલ્લેખ છે. રોમન શાસનના પ્રારંભિક કાળમાં ઇટાલી અને ઇજિપ્તથી વેપારીઓ ભારત આવતા.

Thursday, April 16, 2020

ભારત હિન્દુ રાષ્ટ્ર બને એમાં ખોટું શું છે?


ભારત હિન્દુ રાષ્ટ્ર બને એમાં ખોટું શું છે?

એપ્રિલ 15, 2020
મૂળ લેખકઃ ખાલિદ ઉમર
અનુવાદઃ અલકેશ પટેલ

-----------------------------------------------
હિન્દુ રાષ્ટ્રની રચનાની સંભાવના વિશે આ એક લેખમાં ઉમર ખાલિદ ધારદાર રજૂઆત કરે છે. ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો લઘુમતી સમુદાયોની મોટાપાયે કત્લેઆમ થઈ જશે એવી મનઘડંતી વાર્તાઓ બનાવીને લિબરલ બુદ્ધિજીવીઓ ભયનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. આથી વિરુદ્ધ ખાલિદ ઉમર કહે છે કે, હિન્દુ રાષ્ટ્રની રચનાથી તો દેશમાં હિન્દુ સંસ્કારોને કારણે શાંતિ અને પ્રગતિ થશે.


---------------------------------------------------


એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. જો એવું હોય તો મારો પ્રશ્ન એ છે કે, એમાં ખોટું શું છે?

5000 વર્ષ જૂની સભ્યતા ધરાવતા ભારતવર્ષને કોઈ ઓળખાણની જરૂર નથી. આ ધરતી સનાતન હિન્દુત્વનું જન્મસ્થાન છે અને વિશ્વના 95 ટકા હિન્દુ અહીં જ વસે છે. ભારતે પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવવામાં જરાય શરમાવું જોઇએ નહીં. વિશ્વમાં ખ્રિસ્તી તથા ઇસ્લામ પછી હિન્દુત્વ ત્રીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે. જોકે, ખ્રિસ્તી અને ઇસ્લામની જેમ હિન્દુ ધર્મ દુનિયાના દેશોમાં વ્યાપકપણે ફેલાયેલો નથી. 97 ટકા હિન્દુઓ ત્રણ દેશોમાં બહુમતીમાં છે – ભારત, મોરેસિયસ અને નેપાળ. તમામ મુખ્ય ધર્મની સરખામણીમાં હિન્દુઓ ભૌગોલિક રીતે સૌથી વધુ કેન્દ્રિત છે, અર્થાત 95 ટકા હિન્દુ વસ્તી ભારતમાં રહે છે, જ્યારે ઇસ્લામના જન્મસ્થાન અરેબિયામાં માત્ર 1.6 ટકા મુસ્લિમો રહે છે.

દુનિયાના 53 દેશોમાં મુસ્લિમોનું પ્રભુત્વ છે (જેમાં 27 દેશમાં તો સત્તાવાર ધર્મ જ ઇસ્લામ છે) તથા 100 કરતાં વધુ દેશોમાં ખ્રિસ્તીઓનું પ્રભુત્વ છે. ઈંગ્લેન્ડ, ગ્રીસ, આઇસલેન્ડ, નોર્વે, હંગેરી, ડેન્માર્ક સહિત 15 દેશોમાં ખ્રિસ્તી સત્તાવાર ધર્મ છે. તે ઉપરાંત બૌદ્ધ ધર્મીઓની બહુમતી ધરાવતા છ દેશ અને યહુદીઓનો દેશ ઈઝરાયેલ છે. છતાં ડાબેરી બુદ્ધિજીવીઓને તેમાં કોઈ સમસ્યા નથી. પરંતુ ભારતની વાત આવે ત્યારે ભારતનો સત્તાવાર ધર્મ હિન્દુત્વ ન હોવો જોઇએ તેવી આ લિબરલોની દલીલ મને સમજાતી નથી.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર જાહેર થાય તો દેશના બિનસાંપ્રદાયિક ચારિત્ર્ય ઉપર કોઇપણ પ્રકારનું જોખમ ઊભું થાય તેવી કોઈ શક્યતા નથી. હકીકતે હિન્દુઓ અન્ય ધર્મો પ્રત્યે અસહિષ્ણુ નથી એ કારણે જ ભારતમાં પારસી, જૈન, શિખ, મુસ્લિમ, જરથોસ્તી સહિતના ધર્મો વિકસ્યા છે.

તમે કોઇપણ ધર્મના ધાર્મિક સ્થળે જશો તો ત્યાં હિન્દુઓ મળી આવશે. હિન્દુત્વમાં ધર્માંતરનો સિદ્ધાંત જ નથી. દુનિયાના એવા ઘણા ખ્રિસ્તી અને મુસ્લિમ દેશો છે જે અન્ય દેશોમાં ખ્રિસ્તીઓ તેમજ મુસ્લિમોના માનવ અધિકારોના ઉલ્લંઘન અને ધાર્મિક ભેદભાવ અંગે ફરિયાદો કરે છે. દુનિયાને મ્યાનમાર, પેલેસ્ટિન, યમન વગેરેની ઘટનાઓ યાદ છે પરંતુ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તથા અન્ય ઇસ્લામિક દેશોમાં હિન્દુઓ અને શિખો સાથે થયેલા અત્યાચારો કોઈને યાદ નથી! 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની લશ્કરે બાંગ્લાદેશમાં હિન્દુઓની કત્લેઆમ કરી હતી એ કોઈને યાદ છે? કે પછી કાશ્મીરી પંડિતો અથવા જમ્મુ-કાશ્મીરના 1998 વંધમા હત્યાકાંડ કોઈને યાદ છે? પાકિસ્તાનમાંથી હિન્દુઓને પદ્ધતિસર નષ્ટ કરી દેવામાં આવ્યા કે પછી આરબ દેશોમાંથી ઐતિહાસિક મંદિરો તેમજ હિન્દુત્વનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે એ કોઈને યાદ નથી આવતું?

સાચી વાત એ છે કે, ભારતની સરકારી નીતિ બિનસાંપ્રદાયિકતા વિરોધી છે. દેશની મૂળ બહુમતી પ્રજા હિન્દુ છે અને તેની સાથે જ વ્યાપક ભેદભાવ થાય છે. તેના ઘણાં ઉદાહરણ છે. તમને હજ સબસિડી વિશે ખ્યાલ હશે જ. વર્ષ 2000થી અત્યાર સુધીમાં 15 લાખ કરતાં વધુ મુસ્લિમોએ આ સબસિડી લીધી છે. છેવટે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને આવી સબસિડી દસ વર્ષના ગાળામાં તબક્કાવાર બંધ કરવા આદેશ આપ્યો. દુનિયાનો કયો સેક્યુલર દેશ તેના કોઈ એક ધાર્મિક જૂથને ધાર્મિક યાત્રા માટે સબસિડી આપે છે? 2008માં પ્રત્યેક મુસ્લિમ હજયાત્રી માટે વિમાનભાડાં ઉપર સરેરાશ સબસિડી 1,000 ડૉલર ચૂકવવામાં આવી હતી.

એક તરફ ભારત સરકાર તેના નાગરિકોને ધાર્મિક યાત્રા માટે આર્થિક સહાય કરી રહી હતી એ જ સમયે બીજી તરફ જ્યાં મૂર્તિપૂજાને અપરાધ માનવામાં આવે છે તે સાઉદી અરેબિયા આખી દુનિયામાં વહાબી અંતિમવાદ ફેલાવી રહ્યું હતું. સાઉદીમાં હિન્દુઓને તેમનાં મંદિરો બાંધવાની તો પરવાનગી નથી જ, પરંતુ ભારતથી આવતા હજયાત્રીઓની સબસિડીનો તે ભરપૂર લાભ લે છે.

સાચા સેક્યુલર દેશની ઓળખ તો એ છે કે તેના તમામ નાગરિકોને કોઇપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના એક જ કાયદા હેઠળ આવરી લેવામાં આવે. પણ ભારતમાં અલગ અલગ કાયદા હેઠળ ધાર્મિક સ્વતંત્રતા મળેલી છે. મંદિરો સરકારી નિયંત્રણ હેઠળ છે, પરંતુ મસ્જિદો અને દેવળો સ્વાયત્ત છે. હજ માટે સબસિડી છે, પરંતુ અમરનાથ યાત્રા કે કુંભમેળા માટે કોઈ સહાય નથી. સાચી વાત તો એ છે કે, સાચો સેક્યુલર દેશ એકપણ ધર્મને આર્થિક સહાય કરે જ નહીં.

હિન્દુઓએ હંમેશાં લઘુમતીઓને આવકારી છે અને તેમનું રક્ષણ કર્યું છે. સહિષ્ણુતાના આ ઇતિહાસ ઉપર પણ થોડી નજર કરી લઇએ. આખી દુનિયામાં નકારી કઢાયેલા પારસીઓને ભારતમાં હિન્દુઓએ આવકાર આપ્યો હતો. 2000 વર્ષ પહેલાં યહુદીઓને તથા 1800 વર્ષ પહેલાં સિરીયન ખ્રિસ્તીઓને ભારતમાં આશ્રય મળ્યો હતો. હિન્દુત્વથી અલગ થયેલા જૈન અને બૌધ જેવા ધર્મો 2500 વર્ષથી અને શિખો 400 વર્ષથી એકબીજાની સાથે રહે છે.

કેટલીક હકીકતો ઉપર નજર નાખીએ તો હિન્દુ તરીકે શરમ અનુભવવાનો નહીં પરંતુ ગૌરવ કરવાનો સમય છે.

ભારત આજે કંઈ 1976ના બંધારણીય સુધારાને કારણે અથવા વકીલો કે પછી સાંસદોને કારણે નહીં પરંતુ બહુમતી પ્રજા હિન્દુ છે એ કારણે જ સેક્યુલર – બિનસાપ્રદાયિક – ધર્મનિરપેક્ષ છે. હજારો વર્ષની સહનશીલતા પછી અમલમાં આવેલા કોઈ દસ્તાવેજને કારણે નહીં પરંતુ આ ધર્મના મૂળ પાયામાં જ બિનસાંપ્રદાયિકતા છે. ભારતે પોતાને હિન્દુ (હિન્દુ/શિખ/જૈન) રાષ્ટ્ર જાહેર કરવું જ જોઇએ. આ તમામ ધર્મના લોકોના રક્ષણ માટે ભારતે આગળ આવવું જ જોઇએ, કેમ કે બીજા કોઈ દેશ એ ધર્મોને રક્ષણ આપતા નથી.

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાથી બળજબરીપૂર્વક થતા ધર્માંતર તેમજ લઘુમતી ખુશામત ઉપર નિયંત્રણ આવશે. ભારત સેક્યુલર રહેશે ત્યાં સુધી જ તે પ્રગતિશીલ દેશ રહેશે. અને દેશ સેક્યુલર ત્યારે જ રહેશે જો હિન્દુઓ બહુમતીમાં હશે. બિનસાંપ્રદાયિકતા અને હિન્દુત્વ એક સિક્કાની બે બાજુ છે. સિક્કો ઉછાળો, જે છાપ આવશે તેમાં તમારી જીત છે.

ભારત જો હિન્દુ રાષ્ટ્ર બને તો તેનાથી ઉત્તમ કશું નથી. એવો યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક કાયદો) બનશે જે (હિન્દુઓ સહિત) કોઇને છૂટછાટ નહીં આપે. કોઇપણ દેશની પ્રગતિ માટે કાયદાનું શાસન જ મુખ્ય કારણ હોય છે – જર્મની, જાપાન, અમેરિકા એમ બધા દેશોમાં આવો કાયદો છે. ધર્માંતર ઉપર પ્રતિબંધ આવશે, વટાળ પ્રવૃત્તિ અટકી જશે તો કોઈ તબલિગીઓ નહીં હોય. ધર્માંતર અટકી ગયા પછી પ્રત્યેક વ્યક્તિ પોતે જે ઇચ્છે તે ધર્મનું પાલન કરી શકે અથવા તેને કોઈપણ ધર્મ નહીં પાળવાની-નાસ્તિક રહેવાની પણ સ્વતંત્રતા રહેશે. (હિન્દુત્વમાં તો નિરિશ્વરવાદ પંથનો પણ સ્વીકાર થયેલો છે.) બીજો એવો એકપણ ધર્મ બતાવો જ્યાં નાસ્તિકો પ્રત્યે આટલું માન રાખવામાં આવતું હોય.

મુસ્લિમ આક્રમણકારોએ આ ધરતી ઉપર ઘૂસણખોરી કરી તેના ઘણા સમય પહેલાં અહીં ધર્મનિરપેક્ષતા અને ધાર્મિક સહિષ્ણુતા અસ્તિત્વમાં હતાં. ભારતમાં મુસ્લિમોની ઘૂસણખોરી વર્ષ 1000ની આસપાસ શરૂ થઈ અને 1739 સુધી ચાલુ રહી. 10 કરોડ કરતાં વધુ હિન્દુઓની કત્લેઆમ થઈ, જે દુનિયાના ઇતિહાસનો સૌથી મોટો હત્યાકાંડ ગણાય. આ આક્રમણખોરોના વારસદારો સાથે હિન્દુઓએ બદલો લીધો નથી. બહુમતી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે જે તોફાનો થાય છે તેનું કારણ હિન્દુઓ નથી, પણ એ માટે દંભી સેક્યુલારિઝમ જવાબદાર છે. જો હિન્દુ રાષ્ટ્ર બનશે તો બિન-હિન્દુઓની ધાર્મિક સ્વતંત્રતા ઉપર કોઈ કાપ નહીં આવે.

હિન્દુઓએ તેમની ધરતીના ઇતિહાસ ઉપર ગૌરવ લેવું જ જોઇએ. તેમણે તોફાનો અને વિવાદનો ઉકેલ લાવવા માટે વાસ્તવિકતા તરફ પાછા વળવું જ જોઇએ. જો હિન્દુઓ હકીકતથી મોં ફેરવશે તો સાંસ્કૃતિક રીતે કેળવાયેલી આ ધરતીની સહિષ્ણુતાની છબીને જ નુકસાન થશે. ભારત અગાઉ અલગ મુસ્લિમ રાષ્ટ્રોની માગણી સ્વીકારીને ભૂલ કરી ચૂક્યો છે. ભારતે સેક્યુલારિઝમના નામે પૂરતી ખુશામત કરી લીધી છે. હવે હિન્દુઓએ સંગઠિત થઈને તેમનામાં વારસાગત રહેલા શાંતિના સિદ્ધાંતને અપનાવવાની જરૂર છે. એક એવું હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જરૂર છે જ્યાં ધર્મનિરપેક્ષતા કોઈ આમુખના આધારે નહીં પરંતુ વ્યવહારમાં હોય, જે દુનિયા માટે ઉદાહરણરૂપ બની રહે. એ સમય આવી ગયો છે.


(ખાલિદ ઉમર યુકેના પોર્ટ્સમાઉથ ખાતે રહે છે અને પોતાને સેક્યુલર માનવતાવાદી ગણાવે છે. તેઓ વાણી સ્વતંત્રતાને વૈશ્વિક અધિકાર તરીકે ટેકો આપે છે)

Wednesday, April 1, 2020

વિવિધ દેશના કોરોના વાયરસની કૉન્ફરન્સ


Corona_ચૈત્ર સુદ આઠમ-01-04-2020_Wednesday


વિવિધ દેશના કોરોના વાયરસની કૉન્ફરન્સ


(તંત્રીની વિશેષ નોંધઃ – તાજેતરમાં એક તરફ કોરોના વાયરસને કારણે દુનિયામાં હાહાકાર મચેલો છે એવા સમયે વિવિધ દેશોના કોરોના વાયરસની પોતાની એક ગુપ્ત કૉન્ફરન્સ યોજાઈ ગઈ. અમારી વેબસાઈટ મજાકમસ્તી ડોટકૉમના ચતુર અને ચકોર સંવાદદાતા (સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવાદદાતાનું નામ અલકેશ પટેલ છે જાહેર નથી કરતા) ને આ ગુપ્ત કૉન્ફરન્સની માહિતી મળી હતી. કૉન્ફરન્સનું આયોજન સિસોદિયા ગલી, કેજરુદ્દીનનગર ખાતે થયું હતું. આ ગુપ્ત કૉન્ફરન્સમાં ગુપ્ત રીતે પહોંચેલા અમારા સંવાદદાતાએ સાંભળેલી વાતો અહીં નીચે શબ્દશઃ રજૂ કરીએ છીએ. ખબરદાર કોઇએ હસવાનું નથી)


સંવાદદાતા, મજાકમસ્તી ડૉટકૉમ

કોરોના વાયરસે એક તરફ આખા વિશ્વમાં હાહાકાર મચાવેલો છે એવા સમયે હજુ હમણાં થોડા કલાક પહેલાં જ દુનિયાના અલગ અલગ દેશના કોરોના વાયરસના પોતાના પ્રતિનિધિઓની એક ગુપ્ત કૉન્ફરન્સ યોજાઈ ગઈ. વાયરસ મુદ્દે વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેની પ્રાથમિક માહિતી મેળવવા અને ભવિષ્ય અંગે ચર્ચા કરવા કોરોનાના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વાયરસ પ્રતિનિધિઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનું પાલન કરીને એકબીજાની વચ્ચે ત્રણ-ત્રણ મીટર (નવથી દસ ફૂટ)નું અંતર રાખ્યું હતું, એટલું જ નહીં પરંતુ આ વાયરસ પ્રતિનિધિઓએ પોતે માસ્ક પહેરી રાખ્યા હતા અને હાથમાં ગ્લોવ્સ પણ ધારણ કર્યા હતા. વાતચીતની શરૂઆત તેના જન્મદાતા એવા ચીની કોરોનાએ કરી હતી. વાયરસ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ગુપ્ત વાતચીત નીચે પ્રમાણે છેઃ

ચીની કોરોનાઃ હાય ગાય્ઝ, કેમ છો બધા? મેં આપેલી સૂચના પ્રમાણે કામ ચાલી રહ્યું છે ને? જૂઓ આજે આપણે માત્ર કયા દેશમાં શી સ્થિતિ છે એની જ વાત કરીને છૂટા પડીશું. તો ચાલો દરેક કોરોના વાયરસ પ્રતિનિધિ પોતપોતાના દેશનો અહેવાલ રજૂ કરે.

ઇરાની કોરોનાઃ જી જી, જેસા બોલા એસે હી ચલ રેલા હૈ. મૈં તો બહોત ફૈલ ગેલા હું. હમારે દેશ મેં તો સિર્ફ મેરી ઔર મેરી હી જ ચર્ચા હૈ. છોટે સે લેકર બુઢે તક સબ મેરા હી નામ લેતે રહેલે હૈ – કોરોના કોરોના કોરના...

ઇટલી કોરોનાઃ ગાય્ઝ, ડોન્ટ આસ્ક મી, આય એમ તો સો હેપ્પી. યુ નો!? અમારા તો એક મુર્ખા મેયરે જ મને ફેલાવવામાં મદદ કરી. (ખી ખી ખી ખી). અમારે ત્યાંથી કેટલાક મુર્ખ અમે એક્સપોર્ટ પણ કર્યા છે (એવું નિવેદન કરીને આ ઇટલી કોરોનાએ ભારત કોરોના તરફ જોઇને આંખ મીંચકારી હતી.)

આ જોઇને મુખ્ય કોરોના, આઇ મીન ચીની કોરોનાએ – અત્યારે બીજી કોઈ આડવાત નથી કરવાની – એમ કડક શબ્દોમાં જણાવીને જર્મન કોરોના તરફ ઇશારો કરી તેને પોતાની વાત રજૂ કરવા જણાવ્યું હતું.

જર્મન કોરોનાઃ હમમ, બાય એન્ડ લાર્જ મારા દેશમાં પણ મને ઘણી સફળતા મળી છે. પણ મને તો આની (એમ કહી સ્પેનિશ કોરોના તરફ આંગળી કરીને કહ્યું) બહુ ઇર્ષા આવે છે. એ બહુ ફેલાયો છે. મને એટલો ચાન્સ ન મળ્યો.

સ્પેન કોરોનાઃ ભઈ જર્મન તારી વાત તો સાચી. મને તો બાકી શું મજ્જા આવી ગઈ છે. મારો દેશ આમ તો ટચૂકડો અને વેલ્ફેર સ્ટેટ (એમ કહી તેણે ચીની કોરોના તરફ આંખ મીંચકારતા કહ્યું, તમે લાદી દીધેલી સામ્યવાદી વિચારધારાને કારણેસ્તો!) એટલે મોટાભાગના એય ને ઉંમરલાયક નિવૃત્ત લોકો સરકારી સહાય ઉપર જીવે. એમાં વળી પાછા દૂરના મિડલઇસ્ટમાંથી લોકો અમારે ત્યાં ધાડેધાડાં આવે અને યુ નો, અમારી તો સિક-યુલર સરકાર એટલે ત્યાંથી આવનારને તો રાખવા પડે. એટલે મને તો મજા આવી ગઈ, એક તરફ સિનિયર સિટિઝન્સ અને બીજી તરફ મિડલઇસ્ટ વાળા, બેયમાં મેં તો હાહાકાર જ મચાવી દીધો... ખી ખી ખી ખી.

ચીની કોરોનાઃ ઠીક છે, ઠીક છે. બીજા બધા પછી લેખિતમાં રિપોર્ટ સબમિટ કરી દેજો, પણ હાલ અમેરિકા અને ભારત પોતાની વાત કરે.

અમેરિકા કોરોનાઃ ફ્રેન્ડ્સ, આમ તો હું જ્યાં પહોંચ્યો તે અમેરિકા સૌથી શક્તિશાળી અને સૌથી વિકસિત દેશ. એટલે મને તો એમ જ હતું કે મારો ગજ નહીં વાગે. વળી, પ્રમુખ પણ જોરાવર એટલે હું સફળ નહીં થઉં એવો મને સખત ડર હતો. પણ આ મૂળ પ્રજા મુર્ખ એટલે હું ફાવી ગ્યો...ખી ખી ખી ખી. પ્રમુખને એમ કે વિકસિત દેશની સમજદાર પ્રજા જાતે સાચવી લેશે, પણ એ ખોટા પડ્યા. પ્રજા તો સમજી જ નહીં. અમેરિકન પ્રજા ભારતીયોની જેમ બચત-ફચત કરે નહીં એટલે ઘરે રહી ન શકે ને! અને તમને બધાને ખાનગીમાં કહી દઉં, આ ચીની કોરોનાના કઝિનો અમારા ન્યૂયોર્કમાં બહુ બધા છે, એટલે અમેરિકનો બચી કેવી રીતે શકે? ખી ખી ખી ખી ખી.

છેલ્લે ભારત કોરોનાનો વારો હતા. બધાની નજર તેના ઉપર હતી. ભારત કોરોનાના ચહેરા ઉપર ખુશી અને દુખ બંને લાગણી મિશ્ર દેખાતી હતી.

ભારત કોરોનાઃ હું શું કહું સાથીઓ !? મને જે દેશમાં મોકલવામાં આવ્યો એ દેશ ભારતમાં તો ત્યાંનો ચૉકીદાર એટલો બધો જાગૃત અને સતર્ક હતો કે મારા પહોંચતા પહેલાં જ મને ખતમ કરવાના પગલાં લઈ લીધા હતા. પણ આ તો સારું થયું કે અમારા લોકશાહી દેશમાં એનજીઓ વાળા અને સિક-યુલર મીડિયાવાળા છે તો મારું થોડું ઘણું ઉપજ્યું. કેટલાકે મજૂરોને ભડકાવ્યા અને ભીડભીડ કરી નાખી. આ મુદ્દાને લઇને કેટલાકે મારા સમર્થનમાં કોર્ટમાં કેસ ઠોકી દીધા અને પેલા ચૉકીદારને નોટિસ ફટકારાવી. અને મજા તો ત્યારે આવી જ્યારે અહીં આપણે જ્યાં ગુપ્ત રીતે ભેગા થયા છીએ ત્યાં કેજરુદ્દીનનગરમાં હજાર કરતાં વધારે લોકો ચૂપચાપ ભેગા થઈ ગયા અને પછી એમને બહાર કાઢ્યા તો એ બધાએ રસ્તા ઉપર થૂંકીને, છીંકો ખાઈને મને મસ્ત રીતે ફેલાવવામાં મદદ કરી..ખી ખી ખી ખી.

ગુપ્ત કૉન્ફરન્સનું સમાપન કરતાં ચીની કોરોનાએ કહ્યું – ઠીક છે. તમે બધા તમારું કામ કરતા રહેજો...અને હા ભાઈ ભારત કોરોના, સાંભળઃ તારે ત્યાં ચૉકીદાર બહુ સતર્ક છે પણ તું પેલા એનજીઓ વાળા, સિક-યુલર મીડિયાવાળાની મદદ લઇને કેજરુદ્દીનનગરમાં ફેલાતો રહેજે. (વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને એક કાલ્પનિક પ્રહસન. અલકેશ પટેલ. ચૈત્ર સુદ આઠમ)