Saturday, March 17, 2018

लालगेंग को मोदी जी से परेशानी क्यों है?

#MODI_V/S_REST
लालगेंग को मोदी जी से परेशानी क्यों है?
 
--- अलकेश पटेल
 
--- हमें सोचना यह होगा कि नरेंद्र मोदी जी से परेशानी कौन से लोगों को है?
--- हमें सोचना यह होगा कि यह परेशानी का असली कारण क्या हो सकता है?
--- हमें सोचना यह होगा कि नरेंद्र मोदी जी और उनके साथ पूरी भारतीय जनता पार्टी क्या राष्ट्रविरोधी गतिविधी कर रही है?
--- अगर मोदी जी और बीजेपी राष्ट्रविरोधी गतिविधी नहीं करते हैं तो फिर ये विपक्षी हंगामा क्यों है?

दरअसल, लालगेंग के सारेऐ काले कारनामे उजागर हो रहे है। -पी चिदंबरम् का बेटा जेल में है, और अगर किसी भी वजह से उसके पास से काले कारनामों की जानकारी मिल जाती है तो पूरी कांग्रेस, खास करके गांधी मा-बेटा बडी मुश्किल में आ सकते हैं।

--- उधर दाउद का गुर्गा पकडा जा चूका है। अगर वो कुछ बक देता है तो भी कईं कांग्रेसी जेल में जा सकते हैं।

--- नीरव मोदी और चौक्सी किसी भी दिन पकडे जाएंगे... उस दिन कईं कांग्रेसीओं के कपडे उतर सकते है।

--- उधर कश्मीर के कईं अलगाववादीओं को पीछले तीन-चार महिने से मोदी सरकार ने गिरफ्तार कर रखा है और वो लोग बहार नहीं निकल पा रहे है, जिसके कारण पाकिस्तान भी परेशान है।

--- शायद आप लोगों में से ज्यादातर राष्ट्रवादीओं को यह बात का पता नहीं होगा कि पीछले 15 दिन से भारत और पाकिस्तान के बीच राजनइकों को लेकर तनाव चल रहा है। पाकिस्तान में भारतीय उच्चायुक्त के स्टाफ को परेशान किया जा रहा है, और अपनी ये काली करतूत छिपाने के लिए पाकिस्तान द्वारा फेक विडियो तैयार किए जा रहे हैं कि भारत में उसके राजनइकों को परेशान किया जा रहा है। साथियों, हम सब जानते हैं कि भारत कभी भी राजनइकों को परेशान नहीं कर सकता, नहीं करेगा, क्योंकि ऐसी छोटी हरकत कोई हिंदुस्तानी नहीं करेगा। लेकिन, इस मोरचे पर अभी तनाव है, और इसके पीछे भी भारत की ही लालगेंग का हाथ है।

--- अगर कोई आपको नरेंद्र मोदी और बीजेपी के खिलाफ कुछ भी कहता है तो उसके सिर्फ एक सवाल किजीए कि, भैया बताओ मोदी सरकारने ऐसा कौनसा राष्ट्र विरोधी काम कर दिया जो आप मोदी सरकार के खिलाफ इतना जहर उगल रहे हो? मैं आपको विश्वास दिलाता हूं कि वह शख्स एक भी ऐसा कदम नहीं बता पाएगा जो मोदी सरकार ने गलत किया हो...

--- ये 2019 का महाभारत शुरु हुआ है। बीजेपी पांडव है और सामने कौन है आप जानते हैं। हम सबको भगवान श्रीकृष्ण की भूमिका अदा करनी होगी। हमें मोदी जी और बीजेपी को मजबूत समर्थन देना होगा, हमे मोदी जी और बीजेपी का रथ चलाना होगा। मोदी जी और बीजेपी युद्ध जीतने में समर्थ है, लेकिन उसके लिए उनको हमारे समर्थन का भरोसा होना चाहिए। सिर्फ हमारे समर्थन के भरोसे मोदी जी पूरी कौरवसेना को ध्वस्त कर देंगे उसमें कोई दो राय नहीं है। अभी तो यह शुरूआत है, हमें लालगेंग के कारनामों को पहचानना होगा, उसे बाहर लाना होगा और साथ ही मोदी जी को चट्टान की तरह समर्थन देना होगा।#AP_17_03_18.
--- अलकेश पटेल (कर्णावती)

Friday, March 16, 2018

વિપક્ષોનો વધુ એક સંઘ કાશી તરફ રવાના...

#NDA_V/S_REST

વિપક્ષોનો વધુ એક સંઘ કાશી તરફ રવાના...

(આ સંઘની મંશા અને ક્ષમતા કાશીએ પહોંચવાની છે જ નહીં... એને તો બસ મોદીને રોકવા છે)
--- અલકેશ પટેલ
ગત આઠમી માર્ચે તે સમયના એનડીએના સાથી પક્ષ ચંદ્રબાબુ નાયડુના ટીડીપીએ સરકારમાંથી રાજીનામાં આપીને એનડીએ જોડાણને ઝટકો આપ્યો હતો. તે સમયે તેમણે હજુ એનડીએમાંથી છેડો ફાડી નહોતો દીધો. ત્યારપછી ઉત્તરપ્રદેશ તથા બિહારમાં લોકસભાની પેટાચૂંટણીનાં પરિણામ આવ્યાં અને સાથીપક્ષોનાં બધાં મગતરાંને એવું લાગવા માંડ્યું કે બસ હવે મોદી-શાહનો સમય પૂરો થઈ ગયો અને ભાજપ ખતમ થઈ ગયો...અઅને એટલલે આજે નાયડુભાઈએ છેડો જ ફાડી દીધો -કે, જેથી 2019ની ચૂંટણીમાં બધા બચી જાય..!

--- યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...

ચંદ્રબાબુ નાયડુ હોય કે માયાવતી, અખિલેશ હોય કે લાલુપ્રસાદ, મમતા બેનરજી હોય કે શરદ પવાર...દરેકને પોતાની ભાવિ રાજકીય કારકિર્દીની ચિંતા છે. યાદ રહે અહીં આપણે કોંગ્રેસને ગણતા નથી કેમકે કોંગ્રેસ પાસે હાલ કોઈ નેતૃત્વ નથી, અને જે છે એ પોતે જ કોંગ્રેસને ખતમ કરવા ચોવીસે કલાક મહેનત કરે છે. બાકી રહ્યા એ બધાને ભાજપની વધતી લોકપ્રિયતાનો ડર લાગે છે.

રાજકીય કારણોસર ડર લાગવો સ્વાભાવિક છે. બિઝનેસ હોય કે પત્રકારત્વ – જ્યારે હરીફની વગ વધતી હોય એટલે બીજાને ચિંતા થાય...એ વાસ્તવિક્તા છે. કોઈ એક ઉદ્યોગગૃહ મફતમાં કે સાવ સસ્તામાં કશું આપે તો એ જ ક્ષેત્રનાં બીજા ઉદ્યોગગૃહ ફફડી જવાનાં અને એ બધા એક થઈને પેલા વગદાર ઉદ્યોગગૃહની સામે પડવાના. એ જ રીતે કોઈ મીડિયા હાઉસ અતિશય લોકપ્રિય થવા માંડે એટલે બીજા નાના મીડિયા હાઉસ તેની સામે એક થઈ જાય અને તેને બદનામ કરવા લાગે... બસ એવું જ રાજકારણનું છે.

--- કોંગ્રેસે પણ આવા દિવસો જોયા છેઃ

આખા દેશમાં કોંગ્રેસની વગ હતી ત્યારે પણ અન્ય પક્ષો તેમજ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની વિરૂદ્ધ મોરચા બનાવતા હતા. માનવસ્વભાવની આ તાસીર છે. કોઈનાથી ન હારે એવા બળવાન વ્યક્તિને હરાવવા માટે નાના-નાના લોકો ભેગા થાય...સ્વાભાવિક છે.

--- પરંતુ અહીં મુદ્દો અલગ છેઃ

દેશમાં હાલ જે થઈ રહ્યું છે તેમાં એવા લોકો સંગઠિત થઈ રહ્યા છે જેમની નીતિમત્તા હંમેશાં શંકાસ્પદ રહી છે. હવે એવા પક્ષો એકત્રિત થવા પ્રયાસ કરી રહ્યા છે જે ગઈકાલ સુધી જાહેરમાં એકબીજાનાં કપડાં ઊતારતાં હતાં. અને એમ કરવામાં બધાં નગ્ન થઈ ગયા પછી હવે એકબીજાને ઢાંકવા ભેગા થઈ રહ્યા છે.

--- આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જે રાજકીય પક્ષો ભાજપને અહંકારી કહીને તેનાથી દૂર થઈ રહ્યા છે તેમાં તેમના પોતાના રાજકીય સ્વાર્થ છે... હોવા જ જોઈએ... પરંતુ એ સાથે તેઓ ભાજપના રાજકીય સ્વાર્થનો સ્વીકાર કરવા તૈયાર નથી..! જો ટીડીપીને, જો માયાવતીને, જો અખિલેશન, જો શરદ પવારને, જો મમતા બેનરજીને તેમનાં પોતાનાં રાજકીય સ્વાર્થ હોય તો ભાજપે શું કોઈ ગુનો કર્યો છે કે તે રાજકીય સ્વાર્થ ન રાખે..??

હવે આ મુદ્દા પર નિયમિત લખવાનું ચાલુ રાખવું પડશે... કેમકે આ વર્ષે કર્ણાટક સહિત કેટલીક રાજ્ય વિધાનસભા ચૂંટણી તેમજ 2019માં લોકસભા ચૂંટણી આવશે તે પહેલાં આવા અનેક પ્રકારના રાજકીય કાવાદાવા જોવા મળશે... અને તેના સાચા ખુલાસા પ્રજા સમક્ષ લાવવા જ પડશે.#AP_16_03_18.


(અહીં નીચે લિંક મૂકી છે તે 8 માર્ચ, 2018ની પોસ્ટની લિંક છે...)

Thursday, March 8, 2018

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો



#NDA_TDP_JDU

દેશનું જે થવું હોય તે થાય... મને મારો લાડવો આપી દો
-------------------------------------------------------
ભાજપ-નમોની વધતી લોકપ્રિયતાને વટાવવા રાજકીય બ્લેકમેલિંગ શરૂ
---------------------------------------------------------
 --- અલકેશ પટેલ
ભારતના રાજકારણની આ તાસીર અને તસવીર છે. અંગ્રેજોની ભાગલાવાદી માનસિક્તાના વીર્યમાંથી જન્મેલો કોંગ્રેસ પક્ષ અને ગાંધી-નહેરુ પરિવારનાં બાળોતિયાં ધોવા હંમેશા તત્પર રહેતા આ દેશના ડાબેરીઓએ છેક 1947માં સ્વતંત્રતા મળી તે પહેલાંથી કોઈ રાષ્ટ્રવાદી, બાહોશ નેતાઓને ઉપર આવવા દીધા નથી. અઆપણે બધા જ એ યાદીથી વાકેફ છીએ...સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલલ, ભીમરાવ બાબાસાહેબ આંબેડકેર, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી...આ યાદી ઘણી લાંબીશ છે – પરંતુ મુદ્દો એ જ છે કે દેશના ગદ્દારોને રાષ્ટ્રવાદ પચતો નથી, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકો પચતા નથી.

ત્રિપુરા સહિત ઈશાન ભારતમાં પણ હવે ભાજપના રાષ્ટ્રવાદને વધુને વધુ સ્વીકૃતિ મળી રહી છે તેથી પ્રાદેશિક પક્ષો ફફડી ગયા છે. ટીડીપી (ચંદ્રબાબુ નાયડુ), જેડીયુ (નિતીશકુમાર), અકાલીદળ અને શિવસેના...એ બધા હવે ભાજપની લોકપ્રિયતાનું વળતર માગવા લાગ્યા છે અને જો એ ન મળે તો ભાજપને એકલો પાડવાની ધમકીઓ શરૂ થઈ છે.

દેશના સંદર્ભમાં વિચાર કરીએ તો પ્રાદેશિક પક્ષોનું આ પગલું જોખમી છે, પરંતુ કમનસીબે તેમના માટે દેશહિત નહીં પરંતુ તેમનો પોતાનો ટૂંકો સ્વાર્થ વધારે અગત્યનો હોય એવું લાગે છે. રાષ્ટ્રવાદીઓને કોઈપણ રીતે આગળ નહીં આવવા દેવાની ગાંધી-નહેરુ-ડાબેરીઓની કુટીલ નીતિ આજે પણ સક્રિય છે એ આ દેશનું કમનસીબ છે.

કોંગ્રેસી-ડાબેરીઓના પીઠ્ઠુ ન હોય એવા તટસ્થ રાજકીય સમીક્ષકોને ખ્યાલ હશે કે ભાજપે એકાદ-બે અપવાદને બાદ કરતાં હંમેશાં સાથીપક્ષોને કાંતો સાથે રાખ્યા છે અથવા તેમને આગળ કર્યા છે, પરંતુ તેની સામે કોંગ્રેસે હંમેશા સાથીપક્ષોને દગો કર્યો છે, કોંગ્રેસે હંમેશાં સાથીપક્ષોની સરકારો પાડી દીધી છે, કોંગ્રેસે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સૌથી વધુ વખત બંધારણની કલમ 356નો ઉપયોગ કરીને વિરોધી રાજ્ય સરકારોને બરતરફ કરી દીધી છે.

તેની સામે 2014માં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની ત્યારે દેશના ઘણાં રાજ્યોમાં વિરોધી સરકારો હતી, પરંતુ કોઈને પણ અસ્થિર કર્યા વિના માત્ર લોકશાહી રીતે ભાજપે આપમેળે 18 રાજ્યમાં અને સાથીપક્ષોની સાથે મળી 22 રાજ્યમાં સત્તા મેળવી છે.

પણ હવે કોંગ્રેસી અને તેની લાલગેંગથી આ સહન થતું નથી. દેશહિતને બદલે એક પરિવારના હિતમાં કામ કરતાં તત્વો ડાબેરીઓ અને મુસ્લિમોને લાલચના ટુકડા નાખી રહ્યા છે.

આ તત્વોને ડર છે કે મોદી સરકાર રહેશે તો રાષ્ટ્રવાદ વિસ્તરતો જશે, અયોધ્યામાં રામ મંદિર પણ બનશે, મસ્જિદો ઉપરથી ભૂંગળા પણ ઉતારવા પડશે, લાલિયાઓની ગેંગ ગરીબીના નામે ગરીબોનું શોષણ નહીં કરે શકે...દેશની પ્રગતિ માટે આ બધું જરૂરી છે, પણ દેશવિરોધી તત્વો એ થવા દેવા તૈયાર નથી. અને એ માટે હવે ચંદ્રબાબુ નાયડુ, નિતીશકુમાર, ઉદ્ધવ ઠાકરે વગેરેને ટુકડા નાખવાનું શરૂ કર્યું છે. (આજે એટલે કે 8મી માર્ચ 2018ના રોજ મહારાષ્ટ્રમાં લાલિયાઓએ ખેડૂતોને ઉશ્કેરીને ભાજપની ફડનવીસ સરકાર વિરૂદ્ધ જંગી રેલી કાઢી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં આ સ્થિતિ ગંભીર વળાંક લઈ શકે છે.)

નાયડુ અને નિતીશકુમાર તેમના રાજ્યોને વિશેષ દરજ્જાની માગણીને લઈને બ્લેકમેલિંગ કરી રહ્યા છે. ભારતને એક દેશ તરીકે નહીં જોનાર લોકો જ આવી માગણી કરી શકે. શું આ કહેવાતા નેતાઓને ખબર નથી કે દેશમાં 30 રાજ્ય છે? આવાં એક-બે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવે તો બીજાં રાજ્યોનું શું?

આપણા લોકશાહી માળખામાં તમામ રાજ્યો સરખાં છે અને નરેન્દ્ર મોદી સરકાર તો એક-બીજા સાથે તંદુરસ્ત સ્પર્ધા કરીને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે વિશેષ દરજ્જાની શી જરૂર છે??!! વાસ્તવમાં આ મુદ્દો અનામત જેવો છે. એક વખત વિશેષ રાજ્યના દરજ્જાનું લાકડું ઘૂસી જાય તો એ કદી નીકળી શકશે નહીં અને પછી બધાં રાજ્યો કાયમ કેન્દ્ર પાસે આ રીતે માગણવૃત્તિ જ કર્યા કરશે. આ સંજોગોમાં નાગરિકોએ પણ કોંગ્રેસી-લાલગેંગ-અને તેમનાં પેઈડ મીડિયાના રબ્બીશ અપપ્રચારમાં ફસાયા વિના ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર ભરોસો રાખવાની જરૂર છે. આ દેશના સામાન્ય નાગરિકોને કમ સે કમ એટલો વિશ્વાસ તો હોવો જોઈએ કે ભાજપ અને મોદી દેશથી ઉપર કશું નથી... અને આ તાલીમ કે ઘડતરમાં સંઘ પરિવારના સંસ્કાર છે...સંઘ પરિવાર સનાતન ધર્મના પાયાને ટકાવી રાખવા કાર્યરત છે. સંઘની મહેનત અને ભાજપના નેતૃત્વથી બનેલી સરકાર વિરૂદ્ધ જો પપ્પુઓ-લલ્લુઓ કાવતરાં કરતા હોય તો દરેક હિન્દુએ સમજી જવું જોઈએ કે તેમણે હવે આગામી દિવસોમાં કઈ દિશામાં કામ કરવાનું છે.#AP_08_03_18.