સોશિયલ મીડિયાનો આવિષ્કાર કેવી રીતે અને શા માટે થયો હતો..? દુનિયાભરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, પરંતુ સૌથી જોખમી રીતે તેનો ઉપયોગ ભારતીયો કરે છે...કમનસીબે!
સવાર-સાંજ
પૂજા-પાઠ કરતો કાર્તિકેય આજે પોલિસ કસ્ટડીમાં છે. કારણ, તે શરાબ અને ડ્રગની
પાર્ટીમાં બેઠો હોય એવા તેના ફોટા વાયરલ થયા છે. કાર્તિકેયને ઓળખનાર એકપણ વ્યક્તિ
આ વાત માનવા તૈયાર જ નથી, છતાં વાયરલ ફોટાને આધારે પોલિસ હાલ તો તેને લઈ ગઈ છે.
બંને નિર્દોષ
હતાં એમાં કોઇને કશી શંકા નહોતી. પરંતુ આવું કેવી રીતે થયું એ કોઇને સમજાતું
નહોતું. છેવટે એક સોશિયલ મીડિયા નિષ્ણાત તથા એક સાયબર ક્રાઈમ નિષ્ણાત- એમ બે જણની
ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી. એકાદ અઠવાડિયા સુધી ઊંડી તપાસ, પરીક્ષણો,
સમીક્ષા અને રમ્યા તેમજ કાર્તિકેય સાથે કલાકો સુધી વાતચીત કર્યા બાદ આ ટીમે જે
તારણો કાઢ્યાં એ ચોંકાવનારા છે એટલું જ નહીં પરંતુ આખા સમાજ માટે ચેતવણીરૂપ છે.
નિષ્ણાતોની
ટીમનાં તારણોનો સાર કંઇક આ પ્રમાણે છેઃ સંસ્કારી પરિવારનાં આ બંને બાળકોની ભૂલ એ
હતી કે તેઓ પરિવાર અને મિત્રો સાથેના દરેક નાના-મોટા શુભ પ્રસંગોના ફોટા પોતાના
સોશિયલ મીડિયા “સ્ટેટસ”માં શૅર કરતાં હતાં. સોશિયલ મીડિયામાં માત્ર
પરિચિતોને આ બધું શૅર કરવું અને “સ્ટેટસ”માં શૅર કરવું તેમાં થોડો તફાવત છે. આમ તો પરિચિતોને
શૅર કરવામાં પણ “ફૉરવર્ડ” થવાનું જોખમ તો
રહેલું જ છે, છતાં એ વધારે ચિંતાજનક નથી હોતું, પરંતુ “સ્ટેટસ”માં શૅર કરવામાં પૂરેપૂરું જોખમ છે
કેમ કે તમારું “સ્ટેટસ” તમારા પરિચિત ન હોય, તમારા કૉન્ટેક્ટ લિસ્ટમાં ન હોય
એવા લોકો પણ જોઈ શકે, તેનો દૂરુપયોગ કરી શકે એવું જોખમ છે. કેવી રીતે? તો એ મુદ્દો જાતે વિચારો તો વધારે સભાન-સતર્ક થઈ શકશો.
વાસ્તવમાં આવું
બધું ન થાય, બદમાશ તત્વો આવો ગેરલાભ ન ઉઠાવે એ માટે સોશિયલ મીડિયાના તમામ
પ્લેટફોર્મ અને તમામ સાઇટ ઉપર ચોક્કસ પ્રકારના સલામતીનાં પગલાં અને ફિલ્ટર ઉપલબ્ધ
હોય છે, પરંતુ કમનસીબે સાવ જૂજ લોકોને જ તેની જાણકારી હોય છે, બાકીના બધા કોઈ જાણકારી
કે સમજ વિના સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા હોય છે અને પરિણામે રમ્યા અને
કાર્તિકેયની જેમ મુશ્કેલીમાં સપડાય છે.
મુદ્દો એ છે કે,
તમારી કોઈ આગવી કામગીરી, તમારી સિદ્ધિ વિશે માત્ર પરિચિતોને જાણ કરવા માટે સોશિયલ
મીડિયાનો ઉપયોગ કરવાનો હોય છે. એ બધું તો થતું જ હોય છે, પરંતુ હવે ખૂબ મોટી
સંખ્યામાં લોકોને – ખાસ કરીને મહિલાઓ-છોકરીઓને બર્થડે પાર્ટી, લગ્ન પ્રસંગ,
રેસ્ટોરાંમાં ભોજન, બગીચાની મુલાકાત કે થિયેટરમાં ફિલ્મ જોવા જવા જેવી સાવ સામાન્ય
અને અંગત બાબતોના ફોટા “સ્ટેટસ”માં શૅર કરવાની ઘેલછા લાગી ગઈ છે. તેનાં પરિણામો
માઠાં આવી રહ્યાં છે, હજુ માઠાં પરિણામ આવશે જો સમયસર આ બધું સોશિયલ મીડિયાના “જાહેર મંચ” ઉપર મૂકવાનું બંધ કરવામાં નહીં આવે તો.
દરેક નાના-મોટા
પ્રસંગે પાડેલા ફોટાને “સ્ટેટસ”માં શૅર કરીને “લાઇક” અને “લવ”ના ઈમોજીની સંખ્યા વધારવાની ઘેલછા ઉપર તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં નહીં
આવે તો આપણી આગામી પેઢીઓ સાવ મુર્ખ પેદા થશે. તેઓ સોશિયલ મીડિયા પરના “સ્ટેટસ” જ જીવનનું અંતિમ સત્ય માની લેશે અને અભ્યાસ, સંશોધન, વાચન-વિચારને ગૌણ માની
લેશે. વાલીઓ પોતે ઉપરાંત શિક્ષકો, પત્રકારો તથા અન્ય ચિંતકો આ વિશે પોતપોતાના
સ્તરે સ્થિતિ સુધારવા માટે કામ નહીં કરે તો વર્તમાન અને આગામી પેઢી માત્ર ‘રીલ’ બનાવવાને જ મહત્ત્વની કામગીરી ગણશે. તેમનાં એ ‘રીલ’ ફૉરવર્ડ થતાં રહેશે અને એ રીતે તેમની પોતાની “રીલ” ઉતરતી રહેશે. મને તો એવું લાગે છે કે સાવધાન થવાનો આ
જ સમય છે, તમે શું કહો છો? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક
કે બાદ!