Tuesday, August 21, 2018

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ
---------------------------------
સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે
---------------------------------------------
આજના જ (21-08-18 – મંગળવાર) દાખલાથી શરૂઆત કરું કે સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે કેટલો તફાવત છે –
... આજના એક સેક્યુલર કોમવાદી અખબારે બકરી ઇદ વિશે અહેવાલ આપ્યો છે (https://indianexpress.com/article/cities/chandigarh/goats-for-eid-baahubali-competes-with-karan-arjun-salmaan-for-buyers-attention-5316555/) જેમાં નિર્દોષ-ભોળા મુસ્લિમ વેપારીઓ બકરાઓના નામ બાહુબલી, કરણ, અર્જુન એવા હિન્દુ નામ રાખ્યા છે. આ અખબારે તેના આ અહેવાલમાં ખૂબ પ્રેમથી મુસ્લિમ વેપારીઓની વાત મૂકી છે, અને તેમના વેપારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
----- પણ સંઘ આવો જરાય નથી. સંઘ તદ્દન નિર્દોષ છે. આવા અહેવાલ પ્રત્યે સંઘે જરાય ધ્યાન જ નથી આપ્યું એ જ તો તેની મહાનતા છે.
---------------------------------------------
... થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના ઓરૈયામાં શાંતિદૂતોએ ત્રણ સાધુઓને મંદિરની અંદર જ રહેંસી નાખ્યા છતાં સેક્યુલર કોમવાદીઓએ એ વિશે જરાય હોબાળો કે ચિંતા ન કરી. તેમને મન આ સામાન્ય ઘટના હતી, કોઈ મોબ લિન્ચિંગ નહોતું.
---- પણ સંઘ એવો જરાય નથી. ઓરૈયાની ઘટના વિશે સંઘે જરાય ચિંતા વ્યક્ત કરી નથી. સંઘ પૂરી રીતે સમાનતામાં માને છે. આવી ઘટનાઓથી સંઘ વિચલિત ન થઈ શકે, સંઘની મહાનતા જ એ છે.
---------------------------------------------
... ગયા મહિને (જુલાઈમાં) કેરળ તેમજ ઝારખંડમાં કેટલાક પવિત્ર પાદરીઓ દ્વારા નન (ખ્રિસ્તી સાધ્વીઓ) ઉપર દુષ્કર્મ કરવાના આરોપ મૂકાયા અને કેસ પણ થયા. છતાં સેક્યુલર કોમવાદીઓની સ્થિતપ્રજ્ઞતા ઊડીને આંખે વળગે એવી હતી. આ સેક્યુલરવાદીઓએ એ પવિત્ર પાદરીઓને સાવ માફ કરી દીધા. એમના વિશે ખાસ લખવા જેવું કે બોલવા જેવું સેક્યુલર કોમવાદીઓને ન લાગ્યું.
---- પણ સંઘ એવો જરાય નથી. સંઘે તો એ દિશમાં મોં પણ ન ફેરવ્યું. એવાં પાપકર્મો તરફ જોવાય જ કેવી રીતે? સંઘની મહાનતા જ એ છે.
------------------------------------------------
... આ દેશના સેક્યુલર કોમવાદીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથજી, ગીરીરાજ સિંહ તથા અન્ય હિન્દુ સાધુ-સાધ્વીઓના છોતરા કાઢી નાખે છે. આ લોકો જો હિન્દુવાદની તરફેણમાં એક વાક્ય પણ બોલે તો સેક્યુલર કોમવાદીઓ વડાપ્રધાન મોદી સહિત બધાની ધૂળ કાઢી નાખે છે.
---- પણ સંઘને એવું કંઈ નહીં. સંઘ તદ્દન સ્થિતપ્રજ્ઞ છે. તેને કોઈ હિન્દુવાદીઓની ટીકાથી જરાય ચિંતા નથી થતી. એ જ તો એની મહાનતા છે. અરે સાહેબ, આ બાબતમાં સંઘની સૌથી મોટી મહાનતા તો એ છે કે તેને મન “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ...” સંઘનું સર્વોચ્ચ વૈચારિક ભાથું તો એ છે કે તે એમ માને છે કે વ્યક્તિ વિના દલ એટલે કે પક્ષ ચાલી શકે અને દલ અને વ્યક્તિ બંને વિના દેશ પણ ચાલી શકે. એ જ તો સંઘની મહાનતા છે.
--- આ દુનિયાએ તો સંઘનું સન્માન કરવું જોઈએ કેમકે, હું કશું ખોટું જોતો નથી 🙈, હું કશું ખોટું બોલતો નથી 🙊 અને હું કશું ખોટું સાંભળતો નથી 🙉 એ સિદ્ધાંતનું પાલન દુનિયાનું બીજું કોઈ સંગઠન કે સંસ્થા કરી શકી નથી. આ જ તો સંઘની મહાનતા છે.

No comments:

Post a Comment