Showing posts with label Secularism. Show all posts
Showing posts with label Secularism. Show all posts

Friday, April 19, 2019

સાધ્વી પ્રજ્ઞાઃ ધર્મરક્ષણ માટેના યુદ્ધનું પ્રતીક, પાર્થ હવે સજ્જ છે



  સાધ્વી પ્રજ્ઞાઃ ધર્મરક્ષણ માટેના યુદ્ધનું પ્રતીક, પાર્થ હવે સજ્જ છે

--- સેક્યુલારિઝમના કૂવામાં ખળભળાટ મચી ગયો છે. અફઝલ અને બુહરાન વાણીને નિર્દોષ કહેનારા આજે છાપરે ચઢી ચઢી એક હિન્દુ સાધ્વીની સામે તીર-કામઠાં છોડી રહ્યા છે. દિવસમાં પાંચ વખત સેક્યુલારિઝમના બણગાં ફૂંકનારા એકાએક અસહિષ્ણુ થઈ ગયા છે...

-- અલકેશ પટેલ
એક તરફ ભ્રષ્ટાચાર, પત્નીની હત્યા, કરચોરી, જમીન કૌભાંડ વગેરે કેસોમાં અદાલતમાંથી જામીન મેળવીને ખુલ્લામાં ફરી રહેલા લોકો છે...તો બીજી તરફ આતંકવાદના ખોટા કેસમાં નવ (9) વર્ષની જેલ અને અમાનવીય યાતના ભોગવનાર, અને હજુ સુધી કેસ સાબિત નહીં થતાં જેલમાંથી મુક્ત થયેલાં સાધ્વી છે.

આમછતાં, આ દેશની કમનસીબી છે કે, પહેલા પ્રકારના લોકો સેક્યુલારિઝમના ઘાતકી મોહરા પાછળ તમામ વિશેષાધિકારો ભોગવી રહ્યા છે, અને બીજી તરફ એક નિર્દોષ સાધ્વીએ પોતાની સાથે થયેલા અત્યાચારનું જાહેરમાં વર્ણન કરીને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

800-1000 વર્ષ પહેલાં જેહાદીઓ ઘૂસી આવ્યા ત્યારથી છેક 2014 સુધી જેહાદી આક્રમણખોરો મહાન હતા એવો ઇતિહાસ ભણતા રહેલા હિન્દુઓ, વેટિકનના ડૉલર અને સાઉદીના દીનારથી અંજાઈ જઈને ધર્માંતર કરી લેનારા હિન્દુઓ અને તેની સામે અપમાનિત થતા રહેલા હિન્દુઓ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી અભૂતપૂર્વ સાંસ્કૃતિક સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ તો 2001માં નરેન્દ્ર મોદીના ઉદયથી જ આ સૂક્ષ્મ સંઘર્ષ ચાલતો હતો, પરંતુ 2014થી રાષ્ટ્રીય સ્તરે વ્યાપી ગયો અને 2019માં એ સંઘર્ષ એવા સ્તરે આવી પહોંચ્યો છે જ્યાં તેને ધર્મના રક્ષણ માટેના સંઘર્ષ તરીકે ઓળખાવવામાં કશું ખોટું નથી.

ઘાતકી હિંસાના સમર્થક સામ્યવાદીઓ અને તેમના ખભે બેસીને પોતાની જ સનાતન સંસ્કૃતિને કોઇપણ ભોગે ખતમ કરી દેવા માગતા કોંગ્રેસ પક્ષે રાજકીય રીતે ભાજપને ખતમ કરી દેવા હિન્દુ આતંકવાદની જે થીયરી વહેતી કરી હતી તેણે અસહ્ય નુકસાન કર્યું હતું. જોકે, 2014માં કોંગ્રેસની હાર થતાં આ નુકસાન થતું અટક્યું, અને હવે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે આવેલી રાજકીય જાગૃતિએ આ દેશને ફરી સજીવન કરી દીધો છે.

અને હવે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીએ આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદમાં એક પ્રકારે વાઇબ્રન્સી ઉમેરી દીધી છે. તેમની ઉમેદવારીથી એક તરફ કરોડો-કરોડો હિન્દુઓ રોમાંચિત છે...તો બીજી તરફ 200-500 દંભી-નકલી સેક્યુલરવાદીઓના પેટમાં તેલ રેડાઈ ગયું છે. છેલ્લા બે દિવસથી આ દંભી-નકલી સેક્યુલરો જે રીતે ચીસો પાડી રહ્યા છે, જે રીતે રોદણાં રડી રહ્યા છે, જે રીતે દરેક મંચ ઉપર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે...તેણે સાબિત કરી દીધું છે કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સંઘર્ષનું નેતૃત્વ લેનાર નરેન્દ્ર મોદીએ યોગ્ય નિર્ણય લીધો છે.

આ દંભી-નકલી સેક્યુલરોનો કકળાટ એ વાતની સાબિતી છે કે સનાતન સંસ્કૃતિને તોડી-ફોડીને ખતમ કરી દેવાનાં તેમનાં સપનાં અને તેમનાં કાવતરાં હાલ પૂરતા ધૂળમાં મળી ગયા છે. છતાં ધ્યાન રહે, ઘાતકી અને હિંસક માનસિકતા ધરાવતા સામ્યવાદીઓ અને તેમના ખભે બેસીના નગ્ન નાચ કરતા દંભી-નકલી સેક્યુલર માનસિકતા ધરાવતા લોકો અતિશય ઝેરી છે, તેમની ઇકો-સિસ્ટમ છેક મૂળ સુધી ફેલાઈ ચૂકેલી છે અને તેથી આ તત્વો ગમેત્યારે માથું ઊંચકી શકે છે- આપણે સૌએ આ બધાને કાયમ માટે નિષ્ફળ બનાવી દેવા ખૂબ સાવધાની રાખવી જ પડશે.

ઘાતકી અને હિંસક માનસિકતા ધરાવતા સામ્યવાદીઓ અને તેમના જોરે કૂદતા કોંગ્રેસી માનસિકતા ધરાવતા મુઠ્ઠીભર લોકો ભારતીય સંસ્કૃતિને, સનાતન ધર્મને, હિન્દુ પરંપરાઓને ધિક્કારે છે એ દરેક ભારતીય નાગરિકે જાણી અને સમજી લેવું પડશે જ. આ તત્વોને પાકિસ્તાન માટે પ્રેમ છે અને ભારતમાં વસતા પાકિસ્તાન-વાદીઓ માટે તેમને પ્રેમ છે. આ તત્વોને આતંકવાદ, ધર્માંતર, જેહાદ સામે કોઈ વાંધો નથી, પરંતુ સૃષ્ટિના કણ કણમાં ઐશ્વર્ય અનુભવતા વૈદિક સનાતન પ્રત્યે ધિક્કાર છે.

આ તત્વોને કરોડો માઈકો મારફત દિવસમાં પાંચ વખત થતા અવાજ સામે કોઈ વાંધો નથી, પણ તમારી આરતી, તમારા ગરબા, તમારી રામધૂન સામે વાંધો છે.

આ તત્વો બુરખાના બચાવમાં ચીસાચીસ કરી મૂકશે અને તમને કોમવાદી અસહિષ્ણુ જાહેર કરી દેશે, પરંતુ કોઈ હિન્દુ વહૂ-દીકરી માથે ઓઢશે તો ટોણા મારીને, ટીકા કરીને તેમને અપમાનિત કરશે.

આ તત્વોને ગાયની કતલ કરનારા અને ગાય ખાનારા વહાલા લાગે છે, પણ ગાયની પૂજા કરનારનું અપમાન કરવામાં જરાય ખચકાતા નથી.

આ તત્વોને બાંગ્લાદેશીઓ – રોહિંગ્યા માટે અપાર પ્રેમ છે, તેમના માટે આંસુ પણ સારી શકે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા પંડિતો તેમને પસંદ નથી.

--- આ બધું આજે એટલા માટે યાદ કરવું પડે છે કે, આ બધા વિઘાતક પરિબળો અચાનક એક થઈ ગયા છે અને સનાતની સેનાના આગેવાનોને અપમાનિત કરીને, સમગ્ર હિન્દુઓને વિભાજીત અને વેર-વિખેર કરીને વર્તમાન શાસનને હરાવવા માગે છે. અને જો એ હારી જાય તો સનાતનને બચાવનાર હવે બીજું કોઈ આવવાનું નથી.

અને આ સંઘર્ષમાં સનાતન સંસ્કૃતિ તેમજ હિન્દુ પરંપરાઓને બચાવી લેવા માટે સંગઠિત થવાનો એક સંકેત આપવામાં આવ્યો છે. સમજદારો માટે ઇશારો પૂરતો હોય છે...બાકી નહીં સમજો તો – અથવા તમારામાં પણ જો સેક્યુલારિઝમના કીડા સળવળતા હોય તો... થોડા દાયકા પછી અફઝલ ગુરુ અને બુરહાન વાણી તેમજ ઝાકીર નાયક મહાન હતા એવા પાઠ ભણવા તમારી આગામી પેઢીને માનસિક રીતે તૈયાર કરી દેજો.

Wednesday, April 17, 2019

ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ


ભોળા મુસ્લિમ મતદારો અને બદમાશ રાજકારણ

--- ચોખ્ખી હાર ભાળી ગયેલા રાજકીય પક્ષો અને તેમને કહેવાતા સ્ટાર પ્રચારકો છેલ્લા અઠવાડિયાથી મુસ્લિમ નામની માળા જપવા લાગ્યા છે. માત્ર 15 ટકા મુસ્લિમ વસ્તી માટે કોંગ્રેસ તથા કોંગ્રેસી કૂળના રાજકીય પક્ષો જો આ હદે નીચે ઊતરે...તો ચિંતા કોને થવી જોઇએ?

-- અલકેશ પટેલ
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, આ દેશ 90 કરોડ હિન્દુઓ સહિત 125 કરોડ ભારતીયોનો છે...કે પછી 20-25 કરોડ મુસ્લિમોનો?
એ સમજવાનું મુશ્કેલ થઈ રહ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી હિન્દુઓ સહિત તમામ નાગરિકો માટે થઈ રહી છે કે પછી માત્ર મુસ્લિમો માટે?
કદાચ ખૂબ મોટી સંખ્યામાં ભોળા મુસ્લિમો પણ મુંઝવણમાં હશે કે, એકાએક તેમની બોલબાલા કેમ વધી ગઈ? પરંતુ મુઠ્ઠીભર બદમાશો સારી રીતે જાણે છે કે ભોળા મુસ્લિમો સાથે કોણ અને કેવી રીતે રમત કરી રહ્યા છે?
છેલ્લા એકાદ અઠવાડિયાથી માયાવતી, અસઉદ્દીન ઓવૈસી, અકબરુદ્દીન ઓવૈસી, મમતા બેનરજી, ચંદ્રબાબુ નાયડુ, આઝમ ખાન, નવજોતસિંહ સિદ્ધુ – આ બધા http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ જે રીતે મુસ્લિમ-મુસ્લિમની માળા જપવા લાગ્યા છે તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બધાએ દીવાલ ઉપરનું લખાણ વાંચી લીધું છે...તેમની હાર થવાની છે એ વાતનો તેમને ખ્યાલ આવી ગયો છે. (હવે મને અહીં કોઈ મેનકા ગાંધી, યોગી આદિત્યનાથ વગેરે નામો યાદ ન કરાવતા, કેમ કે ભાજપના આ નેતાઓએ તો માત્ર કથિત સેક્યુલરવાદીઓના લઘુમતી રાજકારણના જવાબમાં નિવેદનો કર્યાં છે. એ તફાવત સમજવો અને ધ્યાનમાં રાખવો જ પડશે.)
હકીકતે, ભોળા મુસ્લિમો પહેલી ચૂંટણીથી જ, અથવા કહો કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ ડાબેરીઓ અને કોંગ્રેસ માટે ઉપયોગ કરવાના સાધન રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે, હિન્દુઓ હાંસિયામાં ધકેલાતા ગયા. 1985 પછી ભાજપે http://mediaanalysis.in/minority-appeasement-politics-in-bharat/ રામ અને રાષ્ટ્રવાદને વાચા આપી ત્યારે હિન્દુઓના જીવમાં જીવ આવ્યો હતો એ ઐતિહાસિક હકીકત છે. જોકે એ પછી પણ કોંગ્રેસ અને તેનાથી અલગ થયેલા તેના કૂળના અન્ય પક્ષો – સપા, બસપા, તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, જેવા તમામ નાના-મોટા પક્ષો ભોળા મુસ્લિમોનો દૂરુપયોગ કરતા જ રહ્યા.
હવે કરીએ વાત છેલ્લા અઠવાડિયાની. આખો દેશ જાણે છે કે, ભોળા મુસ્લિમોને સીધા તેમના નામ સાથે સંબોધન કરવાની શરૂઆત બસપાનાં માયાવતીએ કરી હતી. માયાવતીના એવા હિચકારા પ્રયાસથી નારાજ થયેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તો માત્ર એટલું જ કહ્યું હતું કે, વિપક્ષો જો અલીની વાત કરતા હોય તો અમે અલી અને બજરંગબલી બંનેની વાત કરીએ છીએ-અમારે અલી અને બજરંગબલી બંનેની જરૂર છે. માયાવતીએ સ્પષ્ટ શબ્દોમાં મુસ્લિમોનો ઉલ્લેખ કરીને તેમને ભાજપ-કોંગ્રેસ બંનેને હરાવવા અને ગઠબંધનના ઉમેદવારને મત આપવા કહ્યું હતું. પરંતુ યોગીએ અમારે તો બંનેની જરૂર છે એમ કહ્યું હતું. તેમ છતાં યોગીની વધારે સજા થઈ, અને મૂળ અપરાધની શરૂઆત કરનાર માયાવતીને ઓછી!
ક્રિકેટની રમત દ્વારા દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો નવજોતસિંહ સિદ્ધુ તો આ બધા કરતા આગળ નીકળી ગયો. તેણે તો કટિહારની જાહેરસભામાં એટલે સુધી નિવેદન કરી દીધું કે તમે મુસ્લિમો આ મતક્ષેત્રમાં 64 ટકા છો એટલે બહુમતીમાં છો, તેથી બધા એક થઈને કોંગ્રેસને મત આપજો. ખરેખર તો આવું નિવદન ગંભીર અપરાધ કહેવાય અને એ બદલ સિદ્ધુની ધરપકડ થવી જોઇએ... પરંતુ ઈન્દિરા ગાંધીએ દેશને અંધારામાં રાખીને 1976માં બંધારણમાં ઘૂસાડી દીધેલા સેક્યુલારિઝમ શબ્દને કારણે સિદ્ધુ-માયાવતી જેવાઓને આકરી સજા થતી નથી.
મમતા બેનરજીનો હિન્દુઓ પ્રત્યેનો આક્રોશ અને ભોળા મુસ્લિમો પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. આ વખતે તો એ પ્રેમ ઊછળીને છેક બાંગ્લાદેશ સુધી પહોંચી ગયો અને મમતા બેનરજીએ પોતાના ચૂંટણી પ્રચાર માટે છેક બાંગ્લાદેશી ફિલ્મ અભિનેતા ફિરદોસ અહેમદ ખાનને બોલાવી લીધો. આ બાંગ્લાદેશી ફિરદોસ મૂળ બિઝનેસ વિઝા ઉપર ભારત આવ્યો હતો અને લાગી ગયો મમતાના ચૂંટણી પ્રચારમાં. જોકે ભારતના ગૃહ મંત્રાલયે સમયસર એ વાતની ગંભીર નોંધ લઈને તેના વિઝા રદ્દ કરી દીધા અને તેને તગેડી મૂકવાના આદેશ આપી દીધા, એટલું જ નહીં પરંતુ તેને બ્લેકલિસ્ટ પણ કરી દીધો. પરંતુ મુદ્દો મમતા બેનરજીનો છે. આ મહિલા ભોળા મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા કઈ હદે જઈ શકે છે એ હિન્દુઓએ વિચારવાનો અને ચિંતા કરવાનો મુદ્દો છે.

ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે એક જમાનામાં દિલ્હીની જામા મસ્જિદના ઇમામ દ્વારા ખુલ્લેઆમ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની તરફેણમાં ફતવા જારી થતા હતા. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, દેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે તપાસ કરવા સચ્ચર કમિશનની રચના થઈ હતી. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં ત્યાંના પીઢ કોંગ્રેસી અને હાલના મુખ્યપ્રધાન કમલનાથે બંધ બારણે મુસ્લિમો સાથે વાત કરીને કોંગ્રેસને જીતાડવા અને પછી સંઘ પરિવારને જોઈ લેવાની વાત કરી હતી. અને હા, એ જ ચૂંટણી વખતે તેલંગાણામાં કોંગ્રેસે જારી કરેલા ચૂંટણી ઢંઢેરાને દેશના નાગરિકોએ કદી ભૂલવો ન જોઇએ.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, દેશમાં ગમે ત્યાં એકાદ મુસ્લિમ સાથે કશું થાય (જે ન જ થવું જોઇએ) ત્યારે તમામ કહેવાતી સેક્યુલર પ્રજાતિના તમામ લોકો એકત્રિત થઈ હો-હા કરી મૂકે છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભાજપ, સંઘના નેતાઓ-કાર્યકરો રહેંસાઈ રહ્યા છે ત્યારે બોલનાર કોઈ નથી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે, હજાર વર્ષ જૂના સબરીમાલા મંદિરની પરંપરાને તોડી પાડવા કેરળના મુસ્લિમો વકીલોના એક જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી અને કોર્ટે પણ એ પરંપરા તોડવા માગતી અપીલ મંજૂર રાખી.
ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ છે કે, રામ મંદિરનો વિવાદ આજે પણ ઉકેલવા નથી દેવાતો. ભોળા મુસ્લિમોના તૃષ્ટિકરણનો જ એ ખેલ હતો કે 1985ના અરસામાં તે સમયની માંડ 10 ટકા મુસ્લિમ પ્રજાને ખુશ કરવા - જવાહરલાલ નહેરુના પૌત્ર અને ઈન્દિરા ગાંધીના પુત્ર અને સોનિયા ગાંધીના પતિ અને રાહુલ ગાંધીના પિતા – તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને રગદોળી નાખ્યો હતો.
છેલ્લે 2012-13માં તો એવી સ્થિતિ આવી ગઈ હતી કે, કોંગ્રેસે ભોળા મુસ્લિમોનું સંપૂર્ણ તૃષ્ટિકરણ કરવાના ઇરાદાથી કોમી તોફાનો વિરોધી કાયદો લાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો. હિચકારો પ્રયાસ એટલા માટે કે, એ કાયદામાં કોઇપણ પ્રકારના કોમી તોફાન અથવા કહેવાતા લઘુમતી અત્યાચારના કિસ્સામાં હિન્દુઓને સીધા જેલમાં જ પૂરી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાં જામીન પણ ન મળે એવા સજ્જડ તૃષ્ટિકરણનો કારસો રચાઈ ગયો હતો. હિન્દુઓના સદનસીબે જોકે કોંગ્રેસ-યુપીએ એ કાયદો ત્યારે રાજ્યસભામાં પસાર ન કરાવી શકી અને 2014માં તેની સત્તા ચાલી ગઈ. હવે આ અંગે ચેતી જવાનું કોણે છે એ કહેવાની કોઈ જરૂર ખરી?
અને છેલ્લે, આઝમ ખાનના ખાખી અંડરવેર અંગેના નિવેદનના સૂચિતાર્થો ધાર્યા કરતાં ઘણા વિકરાળ અને દૂરોગામી અસર કરનારા છે. ખાખી અંડરવેર શબ્દ બોલીને આઝમ ખરેખર તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિશાન બનાવતો હતો. એ દ્વારા તેનું નિશાન ભારતનો રાષ્ટ્રવાદ હતો, એ વાત હિન્દુઓએ સૂક્ષ્મ રીતે સમજવી પડશે... નહીં તો આપણે અફઘાનિસ્તાન પણ જોયું છે, ઇરાન પણ જોયું છે, પાકિસ્તાન પણ જોયું છે, બાંગ્લાદેશ પણ જોયું છે, જમ્મુ-કાશ્મીર, કેરળનું વાયનાડ અને પશ્ચિમ બંગાળ જોઈ રહ્યા છીએ...
તૃષ્ટિકરણની માનસિકતા ધરાવતા પક્ષોને કચડી નાખવાની દેશના નાગરિકો પાસે કદાચ આ છેલ્લી તક છે.

Saturday, September 1, 2018

શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત


अथ श्री अध्याय 19
શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત

--- 30 ઑગસ્ટે આપણે અર્બન અર્થાત શહેરી નક્સલીઓ તૈયાર કરતી ફૅક્ટરી વિશે જાણ્યું. તેના પહેલાં અર્બન નક્સલીઓ કોણ એ ઓળખ્યા. હવે આજે ત્રીજા ભાગમાં – જંગલમાં રહી હિંસા કરતા અને શહેરમાં રહેતા નક્સલીઓ વચ્ચેનો તફાવત સમજીએ


--- અલકેશ પટેલ

મને ખ્યાલ છે કે છેલ્લા થોડા દિવસથી તમારામાંથી અનેક લોકો એ વાતે મુંઝવણમાં હશે, કન્ફ્યુઝ હશે કે નક્સલીઓ તો જંગલી હોય છે – અર્થાત જંગલમાં રહેતા હોય છે અને એ તો હિંસા કરે છે. તો પછી આ અલગ અલગ શહેરોમાંથી પ્રતિષ્ઠિત લોકોની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?
 વાસ્તવમાં આ તત્વો પ્રતિષ્ઠિત છે એવું તમારા મનમાં ઠસાવવામાં આવ્યું હોય છે. પણ મૂળભૂત રીતે આ તત્વો જંગલી નક્સલીઓ કરતાં વધારે ખતરનાક, વધારે જોખમી હોય છે.
એ કેવી રીતે?
શહેરોમાં આપણી આસપાસ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, વકીલ, પત્રકાર, તંત્રી, લેખક, કવિ, માનવ અધિકારવાદી – એવાં એવાં સ્વરૂપમાં રહેતા નક્સલી તત્વો જ વાસ્તવમાં ખરા વિલન છે. જંગલમાં વસતા હિંસક નક્સલી તત્વોને તૈયાર કરનારા આ શહેરી નક્સલી તત્વો જ હોય છે. આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોને અન્યાય, અત્યાચાર, અસમાનતા, ભેદભાવ, કોમવાદ, ફાસીવાદ, હિટલર, ગોડસે, સામંતવાદ, મૂડીવાદ... – એવા એવા અનેક શબ્દોથી ભ્રમિત કરી દે છે.
આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોનું બ્રેઇનવૉશ કરી દે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ત્યાંની ભોળી પ્રજાને ઉશ્કેરે છે. ત્યાંના ખેડૂતોને ઉશ્કેરે છે. ત્યાંના ખેતમજૂરોને ઉશ્કેરે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા શહેરી વિસ્તારોમાં ફૅક્ટરી-કારખાનામાં કામ કરતા મજૂરોને ઉશ્કેરે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં આવીને ચાલીઓમાં રહેતા ગરીબ મજૂરોને ઉશ્કેરે છે. સફાઈ કામ જેવા ઉમદા કામમાં રોકાયેલા લોકોને ઉશ્કેરે છે.
અને આ રીતે ઉશ્કેરાતા લોકો ધીમે ધીમે હિંસક મનોવૃત્તિ કેળવવા લાગે છે. જે લોકો હિંસક થાય તેમને પછી આ શહેરી નક્સલીઓ જંગલ વિસ્તારોમાં રવાના કરીને દેશની વિરુદ્ધમાં, પોલીસની વિરુદ્ધમાં, સલામતી દળોની વિરુદ્ધમાં, ત્યાંની સ્થાનિક સરકારની વિરુદ્ધમાં હિંસા કરવા જણાવે છે.
હવે અહીં નોંધવાની વાત એ છે કે જંગલ વિસ્તારોમાં હિંસક નક્સલી પ્રવૃત્તિ કરતા 95 થી 98 ટકા લોકો કાંતો નિરક્ષર (અભણ) અથવા સાવ બે-ચાર ધોરણ ભણેલા હોય છે. બાકીના બે થી પાંચ ટકા નક્સલીઓ જ ભણેલા હોય છે જે બાકીના 95-98 ટકા ઉપર પ્રભુત્વ રાખતા હોય છે. આ ગરીબ-અભણ લોકોને ખરેખર તો બીજી કશી ખબર નથી હોતી. એ તો આ શહેરી નક્સલોની વાતોમાં ભરમાઈને શસ્ત્રો ઉઠાવી લે છે અને હિંસા કરે છે. એ લડાઈમાં સલામતી દળો પગલાં લે ત્યારે એ ગરીબ – અભણો જ મરાય છે. એમને ઉશ્કેરનારા બે-પાંચ ટકા નેતાઓ તો ક્યાંક સંતાઈને બેઠા હોય છે અને તેમના પણ ગુરુઓ શહેરોમાં એરકંડિશન બંગલાઓમાં રહેતા હોય છે.
તેથી... શહેરોમાં, નગરોમાં તમારી આસપાસ રહેતા આવા અર્બન નક્સલી તત્વોને ઓળખાવાનું શરૂ કરી દો. આપણે એમને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી, પરંતુ તેમને એકલા પાડી દેવાના છે જેથી એ તત્વો દેશને નુકસાન ન પહોંચાડે...જેથી એ તત્વો આપણા સનાતન ધર્મને નુકસાન ન પહોંચાડે.
એ લોકો આ રાષ્ટ્ર અને આ ધર્મને ખતમ કરવા નીકળ્યા છે, આપણે એમને ઓળખીને એ બધું બચાવી લેવાનું છે બસ...  (ક્રમશઃ)...

Tuesday, August 21, 2018

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ
---------------------------------
સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે
---------------------------------------------
આજના જ (21-08-18 – મંગળવાર) દાખલાથી શરૂઆત કરું કે સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે કેટલો તફાવત છે –
... આજના એક સેક્યુલર કોમવાદી અખબારે બકરી ઇદ વિશે અહેવાલ આપ્યો છે (https://indianexpress.com/article/cities/chandigarh/goats-for-eid-baahubali-competes-with-karan-arjun-salmaan-for-buyers-attention-5316555/) જેમાં નિર્દોષ-ભોળા મુસ્લિમ વેપારીઓ બકરાઓના નામ બાહુબલી, કરણ, અર્જુન એવા હિન્દુ નામ રાખ્યા છે. આ અખબારે તેના આ અહેવાલમાં ખૂબ પ્રેમથી મુસ્લિમ વેપારીઓની વાત મૂકી છે, અને તેમના વેપારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
----- પણ સંઘ આવો જરાય નથી. સંઘ તદ્દન નિર્દોષ છે. આવા અહેવાલ પ્રત્યે સંઘે જરાય ધ્યાન જ નથી આપ્યું એ જ તો તેની મહાનતા છે.
---------------------------------------------
... થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના ઓરૈયામાં શાંતિદૂતોએ ત્રણ સાધુઓને મંદિરની અંદર જ રહેંસી નાખ્યા છતાં સેક્યુલર કોમવાદીઓએ એ વિશે જરાય હોબાળો કે ચિંતા ન કરી. તેમને મન આ સામાન્ય ઘટના હતી, કોઈ મોબ લિન્ચિંગ નહોતું.
---- પણ સંઘ એવો જરાય નથી. ઓરૈયાની ઘટના વિશે સંઘે જરાય ચિંતા વ્યક્ત કરી નથી. સંઘ પૂરી રીતે સમાનતામાં માને છે. આવી ઘટનાઓથી સંઘ વિચલિત ન થઈ શકે, સંઘની મહાનતા જ એ છે.
---------------------------------------------
... ગયા મહિને (જુલાઈમાં) કેરળ તેમજ ઝારખંડમાં કેટલાક પવિત્ર પાદરીઓ દ્વારા નન (ખ્રિસ્તી સાધ્વીઓ) ઉપર દુષ્કર્મ કરવાના આરોપ મૂકાયા અને કેસ પણ થયા. છતાં સેક્યુલર કોમવાદીઓની સ્થિતપ્રજ્ઞતા ઊડીને આંખે વળગે એવી હતી. આ સેક્યુલરવાદીઓએ એ પવિત્ર પાદરીઓને સાવ માફ કરી દીધા. એમના વિશે ખાસ લખવા જેવું કે બોલવા જેવું સેક્યુલર કોમવાદીઓને ન લાગ્યું.
---- પણ સંઘ એવો જરાય નથી. સંઘે તો એ દિશમાં મોં પણ ન ફેરવ્યું. એવાં પાપકર્મો તરફ જોવાય જ કેવી રીતે? સંઘની મહાનતા જ એ છે.
------------------------------------------------
... આ દેશના સેક્યુલર કોમવાદીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથજી, ગીરીરાજ સિંહ તથા અન્ય હિન્દુ સાધુ-સાધ્વીઓના છોતરા કાઢી નાખે છે. આ લોકો જો હિન્દુવાદની તરફેણમાં એક વાક્ય પણ બોલે તો સેક્યુલર કોમવાદીઓ વડાપ્રધાન મોદી સહિત બધાની ધૂળ કાઢી નાખે છે.
---- પણ સંઘને એવું કંઈ નહીં. સંઘ તદ્દન સ્થિતપ્રજ્ઞ છે. તેને કોઈ હિન્દુવાદીઓની ટીકાથી જરાય ચિંતા નથી થતી. એ જ તો એની મહાનતા છે. અરે સાહેબ, આ બાબતમાં સંઘની સૌથી મોટી મહાનતા તો એ છે કે તેને મન “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ...” સંઘનું સર્વોચ્ચ વૈચારિક ભાથું તો એ છે કે તે એમ માને છે કે વ્યક્તિ વિના દલ એટલે કે પક્ષ ચાલી શકે અને દલ અને વ્યક્તિ બંને વિના દેશ પણ ચાલી શકે. એ જ તો સંઘની મહાનતા છે.
--- આ દુનિયાએ તો સંઘનું સન્માન કરવું જોઈએ કેમકે, હું કશું ખોટું જોતો નથી 🙈, હું કશું ખોટું બોલતો નથી 🙊 અને હું કશું ખોટું સાંભળતો નથી 🙉 એ સિદ્ધાંતનું પાલન દુનિયાનું બીજું કોઈ સંગઠન કે સંસ્થા કરી શકી નથી. આ જ તો સંઘની મહાનતા છે.