Friday, June 15, 2018

મોગલ માનો વિવાદ અને #બ્રેકિંગ_ઈન્ડિયા

મોગલ માનો વિવાદ અને #બ્રેકિંગ_ઈન્ડિયા
--- અલકેશ પટેલ
-------------------------------------
છેલ્લા થોડા દિવસથી ગુજરાતના એક વર્ગમાં અજંપો છે. અજંપાની સાથે અતિશય આક્રોશ પણ છે. વિવાદ મોગલ માતા વિશે બેફામ નિવેદનો કરવાનો છે.

આ નિવેદન કરનારા કોઈ વિધર્મી નથી, પરંતુ જે લોકો છે એ વિધર્મીના ઇશારે કરી રહ્યા છે એ સ્પષ્ટ છે.
વાસ્તવમાં આ #બ્રેકિંગ_ઈન્ડિયા નું વધુ એક પ્રકરણ છે. બ્રેકિંગ ઈન્ડિયા વિશે આમ તો હું ઘણી વખત અહીં તેમજ અન્યત્ર લખી ચૂક્યો છું, છતાં આજે ફરી વખત મોગલ માતાના વિવાદના સંદર્ભમાં તેની સમજ આપીશ.

છેલ્લી કેટલીક સદીથી અખંડ ભારતને નબળો પાડીને, સનાતન ધર્મના વિવિધ વર્ગ અને સમુદાયમાં ફાટફૂટ પાડીને તેમને ધર્માંતર કરવવા માટેનું એક આંતરરાષ્ટ્રીય કાવતરું એટલે #બ્રેકિંગ_ઈન્ડિયા. વેટિકનની તમામ પ્રકારની સહાયથી ચાલી રહેલા આ કાવતરાં હેઠળ ભારતના મોટાભાગના સરહદી રાજ્યોમાં ખૂબ મોટા પાયે ધર્માંતરની પ્રવૃત્તિ ચાલે છે. આ મિશનરી તત્વોનું કામ ભારતીય સંસ્કાર, ભારતીય સંપ્રદાયો, ભારતીય સમાજ, ભારતીય સંતો, ભારતીય પરંપરાઓ વગેરે તમામ ખોટા છે એવો એક #ઘાતકી પ્રચાર ચાલે છે.

આ #ઘાતકી પ્રચારમાં મીડિયા, શિક્ષકો, અધ્યાપકો, ડૉક્ટરો, આઈએએસ અધિકારીઓ અને વકીલો પણ સામેલ છે. મિશનરીઓ મારફત ખૂબ સાલુકાઈથી આ તમામ લોકોને અલગ અલગ રીતે ખરીદવામાં આવે છે અને આ લોકોને તેનો ખ્યાલ જ નથી હોતો. એક વખત ખરીદાઈ ગયા પછી આ લોકો વેટિકનના પોપટની જેમ ભારતીય સંસ્કાર, ભારતીય પરંપરા, ભારતીય સંતો, ભારતીય તહેવારો વિરુદ્ધ બોલવા લાગે છે.
આ #ઘાતકી પ્રચારનો સૌથી મોટો ભાગ બોલિવૂડ બન્યું છે જ્યાં વેટિકનના સફેદ ડગલાની પાછળ સાઉદી અરેબિયા અને પાકિસ્તાની નાણાંને આધારે કટ્ટર વહાબીઓ ભારતની યુવા પેઢીને ભ્રષ્ટ કરી રહ્યા છે.
મૂળ વાત એ છે કે, આ બધું જ કરવા છતાં વેટિકન અને વહાબીઓને ધારી સફળતા નહીં મળતી હોવાથી તેઓ અલગ અલગ સમાજમાં ફૂટ પાડવાનો પ્રયાસ કરે છે અને ભારતના કમનસીબે એ મિશનરી અને વહાબી તત્વોને સફળતા પણ મળે છે. છેવટે વિવિધ ભારતીય સમાજ તૂટતો જાય છે, ધર્માંતર કરતો જાય છે.
આ સમગ્ર ઘટનાચક્રમાં કેટલાક ચોક્કસ રાજકીય પક્ષો પણ મિશનરીઓ તેમજ વહાબીઓને તક પૂરી પાડે છે. એ રાજકીય પક્ષો પાટીદારોમાં ફૂટ પડાવે છે, એ રાજકીય પક્ષો લિંગાયતોમાં ફૂટ પડાવે છે, એ રાજકીય પક્ષો પડદા પાછળ રહીને શંકરાચાર્યજીની ધરપકડ કરાવે છે, એ રાજકીય પક્ષો અન્ય હિન્દુ સંતો વિરુદ્ધ અતિશય અપપ્રચાર ચલાવીને તેમની ધરપકડ કરાવે છે. આ જ #બ્રેકિંગ_ઈન્ડિયા છે.

દેશમાં મૂળ હિન્દુ હવે સતત સંકોચાઈ રહ્યો છે, હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે અને એ માટે #બ્રેકિંગ_ઈન્ડિયા જવાબદાર છે. હિન્દુઓ સ્વાર્થી છે અને તેનો ગેરલાભ આ #બ્રેકિંગ_ઈન્ડિયા તત્વો ઉઠાવીને તેમની પાસે પોતાના જ અન્ય સમાજના દેવી-દેવતાઓ વિરુદ્ધ નિવેદન કરાવડાવે છે... અને એ રીતે હિન્દુ સમાજ પોતાના જ પગ ઉપર કુહાડા મારીને જાતે ખતમ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

એટલું યાદ રાખજો કે આવાં #બ્રેકિંગ_ઈન્ડિયા તેમજ #ગજવા_એ_હિન્દ તત્વો સામે શસ્ત્રોથી કે ધાકધમકીથી લડી નહીં શકાય કેમકે આપણી વચ્ચે સેંકડોની સંખ્યામાં જયચંદો અને અમીચંદો બેઠેલા છે. આ તત્વોનો મુકાબલો કરવો હશે તો પોતાના ધર્મ-સંસ્કૃતિ ઉપર વિશ્વાસ રાખવો પડશે, પોતાના ધર્મ-સંસ્કૃતિ ટકી રહે તે માટે એક-બીજા ઉપર પ્રહાર કરવાને બદલે એક-બીજાને સાથ આપવો પડશે. ---- અલકેશ પટેલ/14/06/2018/Thursday (દરેકને સ્પષ્ટ ચેતવણી આપું છું કે અહીં મારી વૉલ ઉપર કોઈના વિરુદ્ધ બેફામ લખશો નહીં... સાર્થક, સમજદારીપૂર્વક ચર્ચા કરી શકો તો કરજો, નહીં તો કોઈ અપશબ્દો લખશો નહીં... 🙏 આ પોસ્ટનો આશય #બ્રેકિંગ_ઈન્ડિયા અને #ગજવા_એ_હિન્દ તત્વો શું કરી રહ્યા છે તેની માહિતી સૌને આપવાનો છે. તેના વિશે વધારે જાણવા માગતા હશો તો ચર્ચા કરીશ.)

No comments:

Post a Comment