Friday, January 8, 2021

આજે અમેરિકામાં જે થઈ રહ્યું છે એ કાલે ભારતમાં પણ થઈ શકે છે


 

#વિચારમંથન
------
અમેરિકી સંસદભવનમાં હિંસા જોઇને અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે.
સામાન્ય નાગરિકો ઉપરાંત અખબાર, ટીવી, સમાચાર પોર્ટલ સહિત તમામ મીડિયા... બધા એક સાથે શૅઇમ-શૅઇમ કરી રહ્યા છે. બરાબર છે. સૌથી જૂની લોકશાહીના નામે ચરી ખાતા અમેરિકામાં આવી ઘટના શૅઇમજનક અને શરમફૂલ જ છે...પણ પણ પણ ---
પણ... આ શૅઇમ-શૅઇમ કરી રહેલા હરખપદુડાઓને ખબર છે ખરી કે આવી સ્થિતિનું નિર્માણ કેમ થયું?
🎯 આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે, છેલ્લા ચાર વર્ષમાં હિંસાખોર ડાબેરીઓ, જેહાદીઓ અને એમના ઉપર નભતા ડેમોક્રેટ પક્ષે પ્રમુખ ટ્રમ્પને એક દિવસ માટે શાંતિથી જીવવા નથી દીધા.
🎯 આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે, હિંસાખોર ડાબેરીઓ, જેહાદીઓ તેમજ એ માનસિકતાને રોજેરોજ ખાતર-પાણી આપતા દુનિયાભરના મીડિયાએ પ્રમુખ ટ્રમ્પના તમામ રાષ્ટ્રવાદી પગલાંનો હિંસક વિરોધ કર્યો છે. પણ કમનસીબે દુનિયાને એ હિંસા કદી દેખાઈ નહીં, આજે બધા જ છાપરે ચઢીને છાજિયાં લે છે.
🎯 ટ્રમ્પના પૂતળાને જાહેર રસ્તા ઉપર ફેરવીને તેની પૂંઠ ઉપર લાતો મારાતા અમેરિકી નાગરિકો શું લોકશાહીના સર્વોચ્ચ રક્ષકો હતા? નકલી અમેરિકી ડૉલરની નોટ વટાવવાનો પ્રયાસ કરનાર એક અશ્વેત પકડાયો અને પોલીસ અધિકારીની ભૂલથી મૃત્યુ પામ્યો એમાં અનેક મહિના સુધી #બ્લેક_લાઇવ્સ_મૅટરના નામે ભયંકર હિંસા અને લૂંટફાટ કરનારા અમેરિકી નાગરિકો શું લોકશાહીના સર્વોચ્ચ રક્ષકો હતા?
🎯 આ લાલબત્તી 🛑 એટલા માટે ધરું છું કે, ભારત દેશ 2014 પછી દર વર્ષે એક વખત આ સ્થિતિ જોઈ રહ્યો છે. ગુજરાતનું પાટીદાર અનામત આંદોલન હોય કે અખલાકના નામે કરવામાં આવેલું લઘુમતી રાજકારણ હોય, રોહિત વેમુલાના નામે કરવામાં આવેલું દલિત રાજકારણ હોય કે પછી ગૌરક્ષકોના નામે સમગ્ર હિન્દુ સમાજને અસહિષ્ણુ ચીતરી દેવાનું કાવતરું હોય, કમલેશ તિવારી, દિલ્હીના ડૉક્ટર નારંગ, ત્રિરંગાયાત્રાએ નીકળેલો ચંદન હોય કે પછી પાલઘરના સાધુઓ હોય, શાહીનબાગ ઘેરાવ હોય કે ખેડૂત આંદોલનના નામે જે કંઈ થઈ રહ્યું છે તે હોય... હિંસાખોર ડાબેરીઓની દિગ્દર્શન હેઠળ થઈ રહેલી આ બધી હિંસાને બદમાશ અને એજન્ડાધારી મીડિયા કે કથિત બુદ્ધિજીવીઓ અથવા વગદાર હિન્દુવાદીઓ નાની ઘટનાઓ ગણીને હાલ ઉપેક્ષા કરે છે...પણ હવે અમેરિકી સંસદ અને અમેરિકી શેરીઓમાં જે દૃશ્યો જોવા મળે છે તેને જોઇને સાવધાન થવાની જરૂર છે. સાયલન્ટ બહુમતી ગમેત્યારે હિંસક બની શકે છે, એ વાત બુદ્ધિવિનાના પત્રકારો અને કાવતરાંખોર તંત્રીઓને કદી સમજાતી નથી હોતી.
🎯 હિંસાખોર ડાબેરીઓના માર્ગદર્શન હેઠળ ભારત વિરોધી તત્વોએ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ સહિત તમામ લોકપ્રિય અને સક્ષમ નેતાઓનું ભયંકર અંગત અપમાન લગભગ રોજેરોજ કરવામાં આવે છે.
🎯  છેલ્લા થોડા દિવસથી તામિલનાડુમાં મંદિરો અને ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી રહી છે, અને એ હિંસા હિંસાખોર ડાબેરીઓ, જેહાદી મીડિયાને કેમ દેખાતી નથી?અલકેશ

No comments:

Post a Comment