Monday, May 6, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત સાબિત કરી દીધું કે...




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ
એક વખત સાબિત કરી દીધું કે...
--- ... કે હે રાહુલબાબા, રાજકારણ અને રાજ-નીતિ વચ્ચે ઘણો મોટો તફાવત છે. કોંગ્રેસ અને કોંગ્રેસી કૂળના અન્ય રાજકીય પક્ષો ઉપરાંત વરિષ્ઠ પત્રકારો જે રીતે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીના બચાવમાં ઉતરી પડ્યા છે એ જ સાબિત કરે છે કે મોદીએ છોડેલું તીર યોગ્ય નિશાને જ વાગ્યું છે

-- અલકેશ પટેલ
ફરી એક વખત વિપક્ષી છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. ફરી એક વખત મોદી વિરોધી બ્રિગેડ બીજા બધા કામ છોડીને રાજીવ ગાંધીને બચાવવા દોડાદોડ કરી રહી છે. ફરી એક વખત કોંગ્રેસના લાભાન્વિતો લાલચોળ થઈ ગયા છે. ફરી એક વખત નરેન્દ્ર મોદીનું નિશાન બરાબર ધાર્યા પૉઇન્ટ ઉપર જ વાગ્યું છે – એક સાથે અનેક ઘાયલ થઈ ગયા છે. http://mediaanalysis.in/pm-modi-attacks-rajiv-gandhi-on-corruption/
ગઈકાલે એટલે કે 4-મે ને શનિવારે જે લોકોએ ઇન્ડિયા ટીવી ચૅનલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનથી સાંભળ્યા હશે તેમને મોદીનું એ નિવેદન યાદ હશે જેમાં તેમણે કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ મારા વિશે એટલે કે મોદી વિશે બરાબર અભ્યાસ નથી કરતા. તેમનો કહેવાનો આશય એ હતો કે, જો વિપક્ષી નેતાઓ મોદી વિશે અભ્યાસ કરે તો તેમને ખ્યાલ આવે કે મોદી કેવા પગલાં લઈ શકે છે.
ખેર, તો વાત એમ છે કે વડાપ્રધાન મોદીએ ચૂંટણી સભામાં ભ્રષ્ટાચારની વાત કરતાં કરતાં એકાએક રાહુલ ગાંધીના પિતા સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લઇને તેમને ભ્રષ્ટાચારી નંબર-1 ગણાવી દીધા.
વડાપ્રધાનની આવી ગૂગલી પાછળ ચોક્કસ ગણતરી હોય, ચોક્કસ લક્ષ્યાંક હોય એ વાત સાવ જૂજ લોકો સમજી શકતા હોય છે.
વડાપ્રધાન મોદીએ ધાર્યા મુજબ જ કોંગ્રેસ અને તેના ટેકેદારો-સમર્થકો એકાએક ઊકળી ઊઠ્યા છે. મોદી વિશે તમામ પ્રકારના નિવેદનો કરવા લાગ્યા. સૌથી પહેલા તો રાજીવ-પુત્ર રાહુલે ગર્ભિત ધમકી જેવી ભાષામાં ટ્વિટ કર્યું કે, નરેન્દ્ર મોદી તમારો સમય પૂરો થઈ ગયો છે. તમારા કર્મોની તમને સજા મળશે.
તો સલમાન ખુરશીદે કહ્યું, તેમને દેશના આવા વડાપ્રધાનની શરમ આવે છે. સામ પિત્રોડાએ કહ્યું, વડાપ્રધાનપદે બેઠેલી વ્યક્તિ આવું બોલે એ શોભાસ્પદ નથી. બીજા કેટલાક કોંગ્રેસી નેતાઓએ રાજીવની શહીદીને યાદ કરાવીને મામલો ઇમોશનલ બનાવવાનો પ્રયાસ કર્યો. મમતા બેનરજી પણ કૂદી પડ્યાં રાજીવના બચાવમાં.
ગાંધી પરિવારના દરબારી પત્રકાર શેખર ગુપ્તાએ પણ તાબડતોબ રાજીવ ગાંધીના બચાવમાં લેખ લખીને તેમને રાષ્ટ્રભક્ત ગણાવી દીધા.
વાચકમિત્રો, હકીકત એ છે કે, વડાપ્રધાન મોદી ઇચ્છતા જ હતા કે, એવા તમામ લોકો સપાટી ઉપર આવે (1) જેઓ રાજીવ ગાંધીના સમયમાં થયેલા ભ્રષ્ટાચારનું સમર્થન કરતા હોય, (2) જેઓ રાજીવ ગાંધીના સમયમાં થયેલા સિખ નરસંહાર સામે આંખ મિચામણાં કરતા હોય, (3) જેઓ રાજીવ ગાંધીના સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે કરેલી ભૂલો સામે આંખ આડા કાન કરતા હોય.
અને આવા બધા એક વખત સપાટી ઉપર આવે એટલે દેશમાં લાખોની સંખ્યામાં રાષ્ટ્રવાદીઓ છે જે રાજીવના કાળાં કરતૂતોની ફાઇલો ખોલવા લાગશે અને નહેરુ-ગાંધી પરિવાર ફરતે જે પીળી દીવાલ ચણવામાં આવી છે તે સોનું નહીં પરંતુ પિત્તળ છે એ સૌને ખબર પડે. બે દિવસ પહેલાં જ આવા એક રાષ્ટ્રવાદીએ રાજીવ ગાંધી દ્વારા વડાપ્રધાનપદનો દૂરુપયોગ કરીને નૌકાદળના ખર્ચે અને જોખમે જે રજાઓ ગાળી હતી તેનો અહેવાલ શોધી કાઢ્યો છે... https://www.indiatoday.in/magazine/indiascope/story/19880131-idyllic-vacation-for-the-gandhis-in-the-lakshadweep-archipelago-769007-2013-11-21                                     
( https://www.indiatoday.in/magazine/indiascope/story/19880131-idyllic-vacation-for-the-gandhis-in-the-lakshadweep-archipelago-769007-2013-11-21 ) ઇન્ડિયા ટુડેમાં આ અહેવાલ 2013ની 21 નવેમ્બરે પ્રકાશિત થયો હતો. આ અહેવાલ અનુસાર 1987માં રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત તેમના કેટલાક સગા-સંબંધી તેમજ બે અજાણ્યા વિદેશી નાગરિકોએ લક્ષ્યદ્વિપમાં એક નિર્જન ટાપુ ઉપર રજાઓ માણવા સંપૂર્ણપણે નૌકાદળનો દૂરુપયોગ કર્યો હતો.
ખેર, તો શ્રીલંકા અને એલટીટીઈની સમસ્યામાં ભારતીય લશ્કરને મોકલીને હજારો ભારતીય સૈનિકોની શહીદીનું કારણ બનેલા રાજીવ ગાંધીનું એ નિષ્ફળ પગલું તેમની હત્યાનું કારણ બન્યું હતું છતાં કોંગ્રેસ અને તેમના દરબારીઓ આજ સુધી તેને શહીદી ગણાવીને દેશ ઉપર ઇમોશનલ અત્યાચાર કરી રહ્યા છે.
માતા ઈન્દિરા ગાંધીની હત્યાના આગલા દિવસ સુધી જે વ્યક્તિ પાઇલટ તરીકે ફરજ બજાવતા હતા તેમને રાતોરાત વડાપ્રધાનપદે બેસાડી દેનારા તે સમયના ભ્રષ્ટ કોંગ્રેસી નેતાઓના વંશજોને આજે અરીસો બતાવવામાં આવે તો એમાં ખોટું શું છે?
2002થી શરૂ કરીને આજ સુધી એટલે કે પૂરા 17 વર્ષથી કોંગ્રેસ અને તેના દરબારીઓ નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે, મોદી માટે તમામ પ્રકારના અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે...ત્યારે કોઈને કશો વાંધો નહોતો આવતો, પણ આજે એ જ મોદી નહેરુ-ગાંધી પરિવારના કોઈ સભ્યનું નામ લઈ લે તો જાણે આકાશ તૂટી પડે છે અને જમીન ફાટી પડે છે!!!
એકદમ સ્પષ્ટ છે કે, પોતાના ઉપર થઈ રહેલા અંગત હુમલા અને ગઠબંધન, મહાગઠબંધન તેમજ દરબારી પત્રકારો દ્વારા મોદીને હટાવવાના એકમાત્ર એજન્ડા સામે મોદીએ બાંયો ચઢાવી દીધેલી છે અને રાજીવનું નામ ઊછાળીને તેમનો સ્પષ્ટ ઇરાદો બોફર્સ કટકીકાંડ, સિખ હત્યાકાંડ, શ્રીલંકામાં પીસ કિપિંગ ફોર્સ મોકલવાના નામે થયેલી ભારતીય સૈનિકોની શહીદી – એવી અનેક બાબતો સપાટી ઉપર લાવીને કોંગ્રેસને પીછેહઠ કરાવવાનો છે. આ મુદ્દા ઉપસ્થિત થશે એટલે સ્વાભાવિક છે કે હાલ કોંગ્રેસની તરફેણમાં બોલી રહેલા થોડાઘણા પ્રાદેશિક પક્ષો પણ છેવટે કોંગ્રેસથી દૂર થઈ જશે. મોદી હટાવવાના રાજકારણની સામે આ મોદીની રાજ-નીતિ છે...એ સૌએ સમજવું પડશે. તમે જો મોદીને હટાવવાના શપથ લીધા છે...તો મોદીને પોતાનો બચાવ કરવાનો અધિકાર નથી? બાત નીકલી હી હૈ તો બહુત દૂર તક જાએગી. મોદી એજન્ડા સેટ કરે છે અને વિપક્ષો એમાં ફસાય છે. http://mediaanalysis.in/pm-modi-attacks-rajiv-gandhi-on-corruption/

No comments:

Post a Comment