Sunday, October 6, 2019

લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું! (હિન્દુત્વ ઓળખની કટોકટી (03)


લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું!
(હિન્દુત્વ ઓળખની કટોકટી (03)
--- ગત અઠવાડિયામાં બે આસિસ્ટન્ટ પ્રોફેસરે હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓકીને સનાતનને નબળો પાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં પોતાનો સહયોગ આપ્યો છે!




--- અલકેશ પટેલ
ગયા અઠવાડિયે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે સનાતન હિન્દુ ધર્મ વિશે એવાં નિવેદન કર્યાં છે જે હાસ્યાસ્પદ અને તદ્દન ખોટાં હોવા છતાં તેની ઉપેક્ષા કરીને એ તરફ આંખ આડા કાન ન કરી શકાય. જો ઉપેક્ષા કરીને આંખ આડા કાન કરીએ તો આજની જે #યો_યો_પેઢી છે તેને એમ જ લાગશે કે આ બંને મહિલા પ્રોફેસરની બેહુદી વાતોનો કોઈ જવાબ નથી આપતું એટલે દાલ મેં કુછ કાલા હોગા.
ના યુવા મિત્રો. આપણી દાળમાં કશું જ કાળું નથી. જે કંઈ કાળું છે એ ધર્માંતરના ધંધાદારીઓના પક્ષે છે.
જે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત છે તેમાંનાં એક છે દિવ્યા દ્વિવેદી. તેઓ આઈઆઈટીમાં ભણાવેછે. અને બીજાં છે ઓદ્રે ટ્રુશેક (Audrey Truschke), જે ન્યૂયોર્કમાં છે.
દિવ્યાબહેને ભારતમાં ટૂકડે ગેંગના પ્રવક્તા તરીકે જાણીતી એક સમાચાર ચૅનલની ચર્ચામાં એવું ભવ્ય નિવેદન કર્યું કે, હિન્દુત્વનો પ્રારંભ તો હજુ 20મી સદીના પ્રારંભે થયો. આ દિવ્યાબહેનની અટક દ્વિવેદી છે. બે વેદના જાણકાર પરંપરાના કૂળનાં! અને છતાં તેમણે સનાતન હિન્દુ ધર્મને 20મી સદીનો ગણાવ્યો. બીજી તરફ ઓદ્રે ટ્રુશેકે ન્યૂયોર્કમાં પાંચ-પંદર લોકોની જંગી રેલીમાં નિવેદન ઠપકારી દીધું કે હિન્દુઓ અને નાઝીઓની વિચારધારા એક છે!
હકીકતે આવાં જૂઠાણાં ફેલાવીને ભ્રમ ઊભો કરવાનું એક વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. આ કાવતરાંના સૂત્રધારો વેટિકનમાં અને સાઉદીમાં બેઠા છે. તેઓ નાણાંના જોરે કોઇને પણ ખરીદી શકે છે અને અનેક પ્રકારના દબાણ, લોભ, લાલચ હેઠળ ધર્માંતર કરાવીને પોતે ધારે એ બોલાવી શકે છે.
તો પછી આ સંજોગોમાં આપણે શું કરવું જોઇએ? આપણે વેદ વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણે ભગવદ્ ગીતા વાંચીને સજ્જ થવું જોઇએ. આપણે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, એની બેસંટ, શ્યામજી કૃષ્ણવર્મા, વીર સાવરકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરે સંતો અને મહાનુભાવો હિન્દુત્વ વિશે તેમજ હિન્દુત્વને બચાવવા અંગે શું કહ્યું છે તે વાંચવું જોઇએ, તેનો ફેલાવો કરવો જોઇએ. આ બધાની સાથે સાથે આપણે રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકાનંદન દ્વારા લખવામાં આવેલું બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક વાંચવું જોઇએ જે ભારત વિખન્ડન નામે આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને ખૂબ ટૂંક સમયમાં તે ગુજરાતીમાં પણ વાંચવા મળશે.
આપણી બે પ્રકારની સમસ્યા છે અને તેમાંથી જો બહાર આવી શકીએ તો ઉપરોક્ત બંને મહિલા પ્રોફેસર તેમજ તેમના જેવા બીજા ડાબેરી સમર્થિત લોકો તેમજ અર્બન નક્સલવાદીઓ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ તેમજ આપણી પરંપરાઓ વિશે જે જૂઠાણા ફેલાવે છે તે અટકાવી શકાય.
આપણી પહેલી સમસ્યા- વેદ, ઓમકાર, ભગવદ્ ગીતા વિશે જાણતા નથી એ છે. અને એ જ કારણે ઊભી થતી બીજી સમસ્યા એ છે કે આપણી વિરુદ્ધ ફેલાવાતા જૂઠાણાનો જવાબ આપી શકતા નથી. એક મોટો અનર્થ એ થયો છે કે ઘણા દાયકાથી ગુજરાત સહિત ભારતમાં ઠેરઠેર કથાકારો વધી ગયા છે. આ કથાકારો સનાતન ધર્મ મજબૂત બને એવું કશું કામ કરવાને બદલે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલાની વાતો કર્યા કરે છે. આવી કથાઓથી એ કથાકારો પોતે સેલિબ્રિટી થઈ ગયા, પુષ્કળ ધન કમાયા, મોટા આશ્રમો બનાવી દીધા...અને ભોળી પ્રજા દિવસોના દિવસો સુધી કલાકોના કલાકો એ કથાકારોની સામે બેસી રહી અને નબળી બનતી રહી.
ભોળી પ્રજાએ લાખો માનવ કલાકો આ રીતે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલા સાંભળવામાં વેડફી નાખ્યા. દેશ ગંદકી અને ગરીબીમાં સબડતો રહ્યો. સામે વિદેશીઓની ધર્માંતર પ્રવૃત્તિઓ અટકાવી શકાઈ નહીં. ઉલટાનું નરેન્દ્ર મોદી જેવા નેતાએ આવીને પરિશ્રમ અને સ્વચ્છતાની વાત કરીને દેશને પ્રગતિની દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો તો ધર્માંતરની ધંધાદારી કાવતરા ટોળકીએ નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવીને બદનામ કરવાનું શરૂ કર્યું. રાજકીય વિરોધીઓ આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર હોય એ સમજી શકાય, પરંતુ પ્રજા પણ તેમની વાતમાં આવી જશે તો ધર્માંતરના ધંધાદારીઓનાં કાવતરાં સફળ થશે એ નક્કી છે. સનાતન હિન્દુત્વ ઓળખની કટોકટીનું આ પણ એક ચિંતાજનક પાસું છે. તેની સામે ચેતી જવા માટે આ છેલ્લી તક છે.#અલકેશ.

1 comment:

  1. મેં એ નાનકડી ક્લીપીંગ જોઇ છે પછી ના વક્તા એ એનો જવાબ પણ આપ્યો હતો પણ એ ચર્ચા જે પ્લેટફોર્મ પર થતી હતી એ રંNDtV હતું.

    ReplyDelete