Friday, October 2, 2020

દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી




 

    દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક સમીક્ષા

------------------------

પુસ્તકઃ દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી

લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા

પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.

કિમતઃ રૂપિયા 299/-

----------------------------------------------

 

n  અલકેશ પટેલ

 

શાહીન બાગ.

15 ડિસેમ્બર, 2019થી શરૂ કરીને 26 માર્ચ, 2020ના રોજ કોરોના લૉકડાઉન થયું ત્યાં સુધી...અને ત્યારપછી પણ ઘણા દિવસ સુધી સવાર-બપોર-સાંજ ચોવીસે કલાક દેશના દરેક નાગરિકના આંખ-કાન ઉપર અથડાતું રહેલું નામ એટલે શાહીન બાગ!

દિલ્હીનો એ વિસ્તાર જ્યાં અર્બન નક્સલવાદીઓની મદદથી મુસ્લિમોએ, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ તથા બાળકોએ ત્રણ મહિના સુધી કબજો જમાવી દીધો હતો અને તેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લાખો લોકોનું જીવન નર્ક સમાન બનાવી દીધું હતું. એ વિસ્તારના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. એ વિસ્તારની હૉસ્પિટલો સુધી દર્દી પહોંચી નહોતા શકતા. દિવસના 12-12, 14-14 કલાક સુધી એ સ્થળેથી માઇક ઉપર ભારત વિરોધી, સરકાર વિરોધી, હિન્દુઓ વિરોધી સૂત્રોચ્ચાર થયા કરતા હતા.

આ વિરોધ પ્રદર્શનનું કારણ શું હતું?

કારણ નાગરિકતા સંશોધન કાયદો (CAA) હતો.

આ કાયદો શું છે?

આ કાયદો ભારતના ત્રણ ઇસ્લામિક પાડોશી દેશ- અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં ત્યાંની લઘુમતી અર્થાત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી તથા ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાયથી બચવા તેઓ ભારત આવી ગયા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ આપવું. આવું નાગરિકત્વ આપવાનો કાયદો તો અસ્તિત્વમાં હતો જ, માત્ર તેમાં સુધારો એટલો કરવામાં આવ્યો કે, આ નાગરિકોને (જે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવી ગયા હોય) તેમને તત્કાળ નાગરિકત્વ આપવું. અગાઉ એ લોકો 14 વર્ષ ભારતમાં રહ્યા હોય પછી નાગરિકત્વ મળતું, જેમાં સુધારો કરી રોકાણનો ગાળો પાંચ વર્ષ કરવામાં આવ્યો.

બસ, આટલો જ મુદ્દો હતો.

સમગ્ર કાયદામાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી.

આ કાયદા દ્વારા ભારતના એકપણ (રિપિટ – એકપણ) મુસ્લિમને કોઈ લેવા-દેવા એ દિવસે પણ નહોતી, આજે પણ નથી.

અને છતાં, ડિસેમ્બર 2019માં લોકસભા-રાજ્યસભામાં આ કાયદો પસાર થયો તે સાથે જ મુસ્લિમ તૃષ્ટિકરણના ઑક્સિજન ઉપર જીવતા રાજકીય પક્ષો તેમજ મુસ્લિમ તૃષ્ટિકરણને જ સેક્યુલારિઝમ માનતા અને પ્રેસ્ટિટ્યૂટના નામે વગોવાયેલા કેટલાક ચોક્કસ મીડિયા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કલા સંસ્થાઓ ઉપર કબજો જમાવી બેઠેલા અને અર્બન નક્સલીઓ તરીકે વગોવાયેલા હિંસાખોર ડાબેરી વિચારધારા ધરાવતા તત્વોએ આ સંશોધિત કાયદા સામે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.

આ તમામ તત્વોએ સામાન્ય મુસ્લિમોની વચ્ચે જઇને એવો અપ-પ્રચાર કર્યો કે, CAAને કારણે હવે ભારતના મુસ્લિમોનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને મુસ્લિમોએ તેમનું નાગરિકત્વ સાબિત કરવા દસ્તાવેજો બતાવવા પડશે અને જે મુસ્લિમો દસ્તાવેજ નહીં બતાવી શકે તેમને કાંતો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા કોન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દેવામાં આવશે. આ અસત્ય વારંવાર કહેવામાં આવ્યું, મોટે મોટેથી કહેવામાં આવ્યું, દરેક મંચ ઉપરથી કહેવામાં આવ્યું, અને આ લોકો ઇચ્છતા હતા એમ- મુસ્લિમો ગેરમાર્ગે દોરાઈ ગયા.

એવું નથી કે, રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ મીડિયામાં બેઠેલા બદમાશો સાચી વાત નહોતા જાણતા. તેઓ જાણતા જ હતા કે CAA માં કશું જ મુસ્લિમ વિરોધી નથી તથા સી.એ.એ.થી ભારતના એકપણ મુસ્લિમને કશું જ થવાનું નથી. તેમ છતાં, એ બધાએ મુસ્લિમોને ભડકાવવાનું ચાલુ રાખ્યું.

 

પણ...આ લોકો શું માત્ર CAAને કારણે મુસ્લિમોને ભડકાવતા હતા?

ના, સી.એ.એ. તો માત્ર બહાનું હતું. પણ તે પહેલાં ત્રણ એવા મોટાં કારણ બની ગયાં હતાં જે દરમિયાન દેશમાં અશાંતિ ફેલાઈ નહોતી, જેની બેચેની રાષ્ટ્ર વિરોધીઓને અકળાવતી હતી. રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ એજન્ડા ધરાવતા મીડિયા- એ ત્રણ પક્ષકારોની બેચેની એ હતી કે 2019ની પાંચ ઑગસ્ટે કલમ-370 નાબૂદ થઈ ગઈ અને છતાં મુસ્લિમો ભડક્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયો અને છતાં મુસ્લિમો રસ્તા ઉપર આવ્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, દેશની સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને છતાં મુસ્લિમોએ નારાજગી વ્યક્ત કરી નહોતી. અને એટલે હવે આ ત્રણે પક્ષકારોને સીએએનો મુદ્દો મળી ગયો. (પુસ્તક સમીક્ષા – ક્રમશઃ ભાગ-2માં...)

2 comments: