Saturday, June 11, 2022

શું આ દિશામાં વિચારી શકાય? ❓❗️



પ્રશ્ન છે - શું સમાચાર ચૅનલો પરની ડિબેટ બંધ થવી જોઇએ?

------------------------------
#નૂપુર_શર્મા વિવાદમાં એ આરોપી આબાદ છટકી ગયા અને એક નિર્દોષ વિદ્વાન મહિલાને વિવાદનું કેન્દ્ર બનાવી દેવામાં આવ્યા.

કયા બે આરોપી છૂટી ગયા?
1. મીડિયા (આ કિસ્સામાં નાવિકા કુમાર)
અને
2. તસલીમ રહેમાની ("કહેવાતો" સ્કૉલર)

હવે મૂળ વાત.
ત્રણેક દાયકા પહેલાં ઉત્તર ગુજરાતના એક અંતરિયાળ વિસ્તારમાં એક સામાજિક કાર્યકર સાથેની વાતચીત દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, એ વિસ્તારમાં પરમ શાંતિ હતી, બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા (હા, એ સમયે એ અંતરિયાળ વિસ્તારમાં માત્ર હિન્દુઓ જ હતા હોં) પરંતુ જે દિવસથી ગામમાં છાપું આવવાનું શરૂ થયું એ દિવસથી ગામમાં અશાંતિ છે. બધાનાં મન ઉચાટમાં રહે છે. અલગ વિચારસરણી ધરાવતા લોકો વારંવાર ઝઘડી પડે છે.

આ વાત મેં મારા પુસ્તક #પત્રકારત્વ_વિશ્વસનીયતાનો_પડકાર માં પણ ટાંકી છે.

પત્રકારત્વ અશાંતિનું મૂળ છે. તેનું કારણ મીડિયાની #પત્રકારત્વ કરવાને બદલે અભિપ્રાય આપવાની બદમાશી છે. હેડિંગ સાથે ગંદી રમત કરીને, લખાણમાં ચોક્કસ વિચારધારાની ભેળસેળ કરીને મીડિયાએ માત્ર એ ગામડાંનું નહીં, માત્ર ભારતનું નહીં પણ સમગ્ર દુનિયાનું વાતાવરણ ડહોળી નાખ્યું છે.
પત્રકારત્વનું કામ માત્ર સમાચાર જેમ છે તેમ આપવાનું હતું, પણ ગુમાનમાં આવી ગયેલા પત્રકારોએ, તંત્રીઓએ પોતાની વિચારધારાની ભેળસેળ કરીને સ્થિતિ બગાડી છે.
આજની સ્થિતિમાં આ કામ સમાચાર ચૅનલો ઉપર થતા ડિબેટના કાર્યક્રમો કરી રહ્યા છે. ડિબેટ એ ચૅનલો માટે #ટીઆરપી ઉઘરાવવાથી વિશેષ કશું નથી. ટીઆરપી વધે એટલે જાહેરખબર મળે. આમ ધંધાદારી ચક્કર ચાલ્યા કરે.
વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ - પ્રવક્તાઓ અને વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય સમીક્ષકો ઑનસ્ક્રિન ઝઘડા કરે અને એને કારણે તમાશો ઊભો થાય... અને તમાશાને તેડું મળે, લોકો જૂએ, ટીઆરપી વધે, જાહેરખબર વધે અને જોનારા દર્શકોમાં પણ વૈચારિક ભાગલા પડી જાય - સોશિયલ મીડિયાની સીડી ઉપર કૂદકા મારીને એકબીજા સામે જીભડા કાઢે, સમાજમાં તંગદિલી ફેલાય.
તો આ તંગદિલીનું મૂળ કયું?
દેખીતી રીતે સમાચાર ચૅનલો પરની ડિબેટ.
સમાચાર ચૅનલો તટસ્થતાના વાઘાં પહેરીને ક્રુર હિંસાવાદી માનસિકતા ધરાવતા (તસલીમ રહેમાની જેવા) લોકોને પણ બોલાવે. એ તત્વો ઉશ્કેરણી કરે અને બહેન નૂપુર જેવા લોકો સપડાઈ જાય.
ડિબેટમાં એન્કર તરીકે બેસતા બે પૈસાની કિમતના પાર્ટટાઇમ લોકો પણ હોય છે અને ક્યારેક તંત્રીઓ પોતે બેસતા હોય છે. પણ એ બધાની દાનત ધંધાદારી અર્થાત ટીઆરપી વધારવાની જ હોય છે. સત્ય રજૂ કરવાની એમાંથી એકેયની આવડત કે દાનત હોતી નથી. તેનું કારણ એ છે કે, આપણા દેશના એન્કરો અને તંત્રીઓ હજુ પુખ્ત થયા નથી. પશ્ચિમના દેશોના એન્કર-પત્રકારો-તંત્રીઓને તેમના દેશનું ગૌરવ હોય છે, તેમના ધર્મનું ગૌરવ હોય છે અને એ રીતે ડિબેટમાં પણ એ વલણ પકડી રાખે છે, પરંતુ આપણા દેશના એન્કર-પત્રકારો-તંત્રીઓને રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિનું ગૌરવ નથી. વ્યક્તિગત રીતે એ બધા ધાર્મિક હોઈ શકે, તથા વ્યક્તિગત રીતે એ બધા રાષ્ટ્રપ્રેમી હોઈ શકે...પરંતુ ડિબેટમાં બેસે ત્યારે એમને તટસ્થતા નામનો અસાધ્ય રોગ લાગુ પડી જાય છે. અને એમાં ય વળી #ફેકરીવાલ જેવા જાહેરાતો આપવા માંડે એટલે એનો મફતિયો એજન્ડા પણ ધરાર ચલાવવા લાગે છે. ખેર...
હું દાવા સાથે કહું છું કે સમાજને સુરક્ષિત અને તંદુરસ્ત બનાવવો હોય તો ચૅનલો પર ડિબેટ બંધ થવી જોઇએ.
....... શું કહો છો તમે બધા?
..... હા ? કે,
..... ના ? 🤔

No comments:

Post a Comment