કાર્લ માર્ક્સ નામના એક બદમાશે તેનાં લખાણો દ્વારા
19મી સદીમાં દુનિયાને હિંસાની આગમાં ઝોંકી દીધી હતી, એ રીતે 21મી સદીમાં જ્યોર્જ સોરોસ નામનો બદમાશ તેના નાણાના જોરે રાષ્ટ્રવાદી
સરકારોને ઊથલાવવા પ્રયત્નશીલ છે
------------------------------------------
n અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત
“મોદીજી ઔર બીજેપીને દેશ કી સભી સંસ્થાઓં
પર કબજા કર લિયા હૈ. સબકુછ અદાની-અંબાની કો બેચ દિયા હૈ.”
“મોદી અને
ઉદ્યોગપતિ અદાણી ગાઢ સાથીદારો છે. અદાણી ઉપર શૅરોમાં ગરબડ કરવાનો આક્ષેપ છે. મોદી
એ વિશે ચૂપ છે. તેમણે વિદેશી રોકાણકારો તથા સંસદમાં જવાબ આપવો પડશે. આને કારણે ભારતના
સંઘીય ઢાંચા ઉપર તેમની (મોદીની) પકડ નબળી પડશે અને પરિણામે અતિ આવશ્યક એવા
સંસ્થાકીય સુધારા માટે દ્વારા ખૂલશે. હું આશા રાખું છું કે ભારતમાં લોકશાહી
પુનઃજાગ્રત થશે.”
ઉપરનાં બંને
વિધાન બે અલગ વ્યક્તિના છે. એક ભારતીય છે અને બીજો ન્યૂયોર્કમાં રહેતો એક યહૂદી છે.
પરંતુ સમાનતા એ છે કે બંનેને ભારતના સબળ નેતૃત્વ તેમજ દુનિયામાં વધી રહેલી ભારતની
વગ પસંદ નથી. આત્મનિર્ભર અને સક્ષમ ભારત બંનેને પસંદ નથી કેમ કે તેને કારણે તેમની
જેહાદ-પરસ્તીને નુકસાન થઈ રહ્યું છે. ઉપરનાં બે વિધાનમાંથી પહેલું વિધાન કોનું છે
એ સમજવું મારી કૉલમના વિદ્વાન વાચકો માટે અઘરું નથી, પરંતુ આજે આપણે વાત બીજું
વિધાન કરનાર દુનિયાના ધનકુબેર બદમાશની કરવી છે. એનું નામ છે જ્યોર્જ સોરોસ. જે
રીતે આતંકવાદીઓ, જે રીતે દાણચોરો અને ગુંડાઓ માનવજાત માટે જોખમી હોય છે એવો જ
જોખમી છે આ 92 વર્ષનો ધનિક સોરોસ.
આ કૉલમમાં અગાઉ
પણ માનવજાતના દુશ્મન જ્યોર્જ સોરોસ વિશે વાત કરેલી જ છે, પરંતુ આજે ફરી એના વિશે
વાત કરવાનું ખાસ કારણ છે. બે અઠવાડિયા પહેલાં આ જ સ્થળે બીબીસીની ગુજરાત
વિશેની ડોક્યુમેન્ટ્રી અને ત્યારબાદ દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણી જૂથ વિરોધી હિંડનબર્ગ અહેવાલ વિશે વાત કરી હતી. એ બંને ઘટના પહેલાં અને એ પછી રાહુલ ગાંધી
તથા કોંગ્રેસ અને અન્ય પક્ષો જે રીતે હો-હા કરી રહ્યા છે તેને તેમના
મેન્ટર-માર્ગદર્શક જ્યોર્જ સોરોસનું ખુલ્લું સમર્થન આ અઠવાડિયે મળ્યું. જે સોરોસ
અત્યાર સુધી પડદા પાછળ રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓને માત્ર નાણાકીય સહાય કરતો
હતો એ હવે સીધો નરેન્દ્ર મોદીના નામ સાથે ભારતની રાષ્ટ્રવાદી સરકાર ઉપર હુમલો કરવા
બહાર પડ્યો છે. તેણે મ્યુનિક સિક્યોરિટી કૉન્ફરન્સમાં વક્તવ્ય આપ્યું જેમાં અન્ય
બાબતોની સાથે તેનો ભારતના રાષ્ટ્રવાદીઓ વિરોધી એજન્ડા પણ સ્પષ્ટ રીતે જાહેર થયો. લેખના
પ્રારંભે જે બીજું વિધાન છે તે સોરોસનું છે.
હકીકત એ છે કે,
ભારત વિરોધી મીડિયાની પ્રવૃત્તિઓને ફંડિંગ કરનાર પણ સોરોસ જ છે અને હિંડનબર્ગ જેવી
સંસ્થાઓને નાણા ધિરનાર પણ સોરોસ જ છે. અને આ બધાને પોતાના માથે બેસાડીને ફરે છે-
ભારતના એવા રાજકીય પક્ષો જેમને રાષ્ટ્રવાદ પસંદ નથી, જેમને હિન્દુત્વ અને મંદિરો
પસંદ નથી, જેમને આત્મનિર્ભર ભારત પસંદ નથી. એ પક્ષો કયા છે એ વાત વાચકો સારી રીતે
જાણે છે-સમજે છે.
મૂળ વાત એ છે
કે, જ્યોર્જ સોરોસ એ જ ભારત વિરોધી બૌદ્ધિક અને નાણાકીય કડીનો એક હિસ્સો છે જેની
શરૂઆત કાર્લ માર્ક્સે કરી હતી. માર્ક્સ કદી ભારત આવ્યો નહોતો પરંતુ દુનિયાભરના
ડાબેરી-જેહાદી તેમજ મિશનરી ઇતિહાસકારોનાં લખાણો વાંચીને તેણે ભારતીય ધર્મ-સંસ્કૃતિ
વિરુદ્ધ લખ્યું હતું. કમનસીબે 19મી સદીનાં એ લખાણોને આજે 21મી સદીમાં તેના
માનસપુત્રો એવા ડાબેરીઓ અને જેહાદીઓ ટાંકતા રહે છે અને ભારતીયતાને બદનામ કરવાની
અવિરત પરંપરામાં જોડાયેલા રહે છે.
અગાઉ કહ્યું તેમ
જ્યોર્જ સોરોસ અત્યાર સુધી, ખાસ કરીને 2014 પછી પડદા પાછળ રહીને જંગી નાણા ખર્ચીને
ભારત વિરોધી આંદોલનો અને હિંસા કરાવતો રહ્યો છે, પરંતુ આ અઠવાડિયે તે સીધો જ
મેદાનમાં ઉતર્યો છે અને તેથી નિશ્ચિત થઈ ચૂક્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણી
પહેલાં આ ધનિક-બદમાશ ભારતનાં વિવિધ રાજ્યોમાં, ભારતના વિવિધ સમુદાયો વચ્ચે ભારતમાં
રહેલા તેના રાજકીય એજન્ટો મારફત વિખવાદ કરાવશે. સોરોસ નામનો બદમાશ મુસ્લિમોને અચૂક
ઉશ્કેરશે એ વાતમાં કોઈ શંકા નથી કેમ કે તેના દ્વારા સ્થાપિત “ઓપન સોસાયટી” નો એ જ ઉદ્દેશ છે. આ જ કામ
માર્ક્સવાદીઓ પણ કરે છે અને એટલે જ આ તત્વોને મેં રાષ્ટ્રવાદ અને સેક્યુલારિઝમના
સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે.
નક્કી પ્રજાએ
કરવાનું છે કે, જ્યોર્જ સોરોસ, બીબીસી, હિંડનબર્ગ જેવા ભારત-વિરોધી એજન્ટો દ્વારા
ફેલાવવામાં આવતા જૂઠાણાં માની લઇને તેમને પ્રોત્સાહન આપવાનું છે કે પછી દેશને
આત્મનિર્ભર અને વિશ્વગુરુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ મોદી સરકારની વાતમાં વિશ્વાસ
રાખવાનો છે! વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!
No comments:
Post a Comment