Sunday, June 18, 2023

કોંગ્રેસ ચરિત્રઃ મધ્યપ્રદેશ, છત્તીસગઢ મેં રામ, કર્ણાટક મેં છૂરી

 


કોંગ્રેસનું ચરિત્ર કઈ હદે છેતરપિંડીવાળું છે એ સમજવું હોય તો પાંચ રાજ્યની વર્તમાન ઘટનાઓ ઉપર નજર નાખવાની જરૂર છે. શું હિન્દુ મતદાતા વધુ એક વખત ભોટ સાબિત થઈ રહ્યો છે?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

દેશના પાંચ રાજ્યમાં હાલ ચાલી રહેલા ઘટનાક્રમ ઉપર તમારી નજર છે? લગભગ તો નહીં હોય કેમ કે મોટાભાગના લોકો બિપરજૉય વાવાઝોડામાં અને બાબા બાગેશ્વરમાં અને આંદોલને ચડેલા કુસ્તીબાજોમાં અને આદિપુરુષ ફિલ્મ વિશે દલીલો કરવામાં વ્યસ્ત હશે. પણ આ પાંચ રાજ્ય- કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગણા અને રાજસ્થાન ઉપર ધ્યાન આપવા જેવું છે. આ પાંચમાંથી ત્રણ રાજ્ય કોંગ્રેસ-શાસિત છે એક ભાજપ-શાસિત અને એક બીઆરએસ-શાસિત. (બીઆરએસ એટલે ભારત રાષ્ટ્ર સમિતિ, જેનું જૂનું નામ તેલંગણા રાષ્ટ્ર સમિતિ હતું)

અલબત્ત, આજે તેલંગણાની વાત માત્ર ઉલ્લેખ પૂરતી કરવાની છે અને તે એ કે, તેલંગણામાં હાલ શાસન કરતી એક સમયની ઘોર હિન્દુત્વ વિરોધી પાર્ટી બીઆરએસે હવે નકલી ધર્માંતર કરી લીધું છે અને ચૂંટણી આવે ત્યાં સુધી એણે પોતાને સવાયો હિન્દુવાદી પક્ષ સાબિત કરવા તમામ પ્રકારનાં ગતકડાં શરૂ કરી દીધા છે.

ખેર, મુદ્દો તેલંગણા નથી. મુદ્દો કોંગ્રેસ પક્ષ છે. મુદ્દો કોંગ્રેસ પક્ષની બેવડી અને બેધારી નીતિનો છે જેમાં ભોટ હિન્દુઓ ફસાતા રહે છે અને પોતાના જ પતન માટેની વ્યવસ્થા કરતા રહે છે. તમને બધાને યાદ છે કે, કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસે તેના ઢંઢેરામાં બજરંગ દળ ઉપર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું હતું. જેહાદી મતબેંક અંકે કરવાનો આ મોટો દાવ હતો. સફળ પણ થયો. તેની સાથે સાથે એ જ કોંગ્રેસ પક્ષે સંઘ વિરોધી, સાવરકર વિરોધી વલણ લઇને જેહાદીઓને ખુશ કર્યા હતા. ઉપરાંત એવું પણ વચન આપ્યું હતું કે, સત્તા પર આવશે તો ધર્માંતર વિરોધી કાયદો રદ કરી દેશે. હવે કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ દરેક વચનનો અમલ કરવાનું તત્કાળ શરૂ કરી દીધું છે.

પણ એ જ કોંગ્રેસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જૂદો ખેલ કરે છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ સવાયા નહીં પણ એથી વધીને દોઢા હિન્દુ હોય એમ મધ્યપ્રદેશના તમામ કોંગ્રેસ કાર્યાલયોમાં સુંદરકાંડ કરાવી રહ્યા છે, હનુમાનજી યાત્રા કાઢી રહ્યા છે અને એટલું ઓછું હોય તેમ બજરંગ દળની સામે બજરંગ સેના બનાવી છે! વળી આ કાર્યક્રમોમાં પ્રિયંકા વાડરા પણ હાજરી આપે છે. આવું જ કંઇક છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ કરી રહ્યા છે. ઘોર હિન્દુ વિરોધી બઘેલને છત્તીસગઢમાં રામાયણકાળનાં સ્થાનકો યાદ આવી રહ્યાં છે. હિન્દુ મતદારોને વધુ એક વખત ભોટ બનાવવા વિવિધ યોજનાઓ શરૂ કરી દીધી છે.

આ બંને રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. એમ તો રાજસ્થાનમાં પણ ચૂંટણી નજીક જ છે. પરંતુ ત્યાંના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ટિપિકલ શાતિર છે. એ ભોટ હિન્દુઓ સાથે તો બનાવટ કરે જ છે પણ સાથે મુસ્લિમ મતદારોને પણ ખીસામાં રાખવાની ચાલ ચાલે છે. જેનું ઉદાહરણ ગત બે મહિનામાં બે વખત મળ્યું, જ્યારે પાકિસ્તાનથી આવેલા પીડિત હિન્દુઓ જ્યાં કાચાં ઝૂંપડાં બાંધીને રહેતા હતા એ બંને વસાહતો કોંગ્રેસના ગેહલોતે બુલડોઝરથી તોડી પડાવી. એકાદ વર્ષ પહેલાં આ જ અશોક ગેહલોતે અલવર જિલ્લામાં એક પ્રાચીન મંદિર તોડાવીને મુસ્લિમ મતબેંકને ખુશ કરી દીધી હતી. આ ઉપરાંત ગેહલોત શાતિર રમત રમે એનું કારણ એ પણ છે કે, રાજસ્થાનમાં ઘણા મોટાપાયે ધર્માંતર થયું હોવાને કારણે મુસ્લિમોની સંખ્યા વધારે છે. અશોક ગેહલોત એમની એ પ્રિય મતબેંકને બધી રીતે સાચવે છે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એવી સ્થિતિ નથી એટલે એ બંને રાજ્યમાં કોંગ્રેસ હિન્દુઓને સાણસામાં લેવા ખુલ્લેઆમ રમત કરી શકે છે.

સમગ્ર વાતનો સાર એ છે કે, 2014 પછી કોંગ્રેસે અલગ અલગ રાજ્યમાં સમય પ્રમાણે પોતાના પક્ષનું ધર્માંતર કરવાની નીતિ અપનાવી છે. જે રાજ્યમાં મુસ્લિમ મતથી વધારે બેઠક મળે તેમ હોય ત્યાં હિન્દુઓને હડધૂત કરીને, જેહાદી માનસિકતાને ખુશ કરીને સત્તા મેળવવા મથામણ કરે છે. અને જ્યાં હિન્દુ મતદારો વધારે હોય ત્યાં હિન્દુઓને ભોટ બનાવવાના તમામ અખતરા કરે છે. અને મજાની (આમ તો પીડાની) વાત એ છે કે, ભોટ હિન્દુઓ મહિને 1000 રૂપિયા રોકડા, 500 રૂપિયામાં ગેસનો બાટલો જેવી કોંગ્રેસની સાવ સસ્તી જાહેરાતોમાં સપડાઈને સાવ સસ્તા બનીને કોંગ્રેસને મત આપી આવે છે. આવી રીતે સસ્તામાં વેચાઈ જતા લાલચુ હિન્દુઓએ એક દિવસ શું-શું ભોગવવું પડશે એનો એમને અંદાજ જ નથી. ખેર, જૈસી જિસકી સોચ...મિલતે હૈ બ્રેક કે બાદ!

2 comments: