કેટલા લોકો જાણે છે કે ચીનને ચીન બનાવવામાં કોઈ ચીનાની ભૂમિકા નથી? શું તમને ખબર છે કે મહાભારતમાં એવા પ્રદેશોનો ઉલ્લેખ છે જે હાલ ચીનમાં છે?
------------------------------------------
n અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત
હિંસાખોર
ડાબેરીઓ અને લૂંટારા અંગ્રેજોએ જે રીતે ભારતવર્ષના ઇતિહાસની ઘોર ખોદી નાખીને ભારતની
અનેક પેઢીઓને સેક્યુલારિઝમનાં ટીપાં પીવડાવી નપુંસક બનાવી દીધી છે એવી જ રીતે એ
લોકોએ મગતરાં જેવા ચીનની આગળ બિલોરી કાચ ધરીને તેને ડ્રેગન બનાવી દીધું છે. દુનિયા
આજે ચીનને જે રીતે ઓળખે છે એ ચીન હકીકતે કોઈ મૂળ ચીની નાગરિકની દેન નથી પરંતુ લૂંટારુ
અંગ્રેજ પ્રજાએ તેના બિભત્સ, છીછરા સ્વાર્થ માટે સર્જેલો એક ભૂમિ-પ્રદેશ છે અને
ત્યાં તેમણે હિંસાખોર ડાબેરીઓને માનવજાતનું નિકંદન કાઢવાનું લાઇસન્સ આપી દીધું છે.
આ એવી જ સ્થિતિ છે જેમાં બિચારી-બાપડી બની જતી અમુક પ્રજાતિ વિવિધ દેશોમાં શરણાગતિ
લે અને પછી એ દેશ ઉપર કબજો જમાવવાનું ચાલુ કરી દે.
ચીનનું પણ આવું
જ છે. ચીન નામ ભારતે આપેલું છે. મૂળ સ્થાનિક પ્રજા તો તેમના પ્રદેશને “ઝુઆંગહુઆ” કહે છે, જે સાવ ટચૂકડો પ્રદેશ હતો. મહાભારતકાળમાં ચીન એ હકીકતે ભારતના સેંકડો
જિલ્લા પૈકી એક જિલ્લો હતો. ચીનનું જે વર્તમાન સ્વરૂપ છે તે લેખના પ્રારંભમાં
કહ્યું તેમ તે સમયના સોવિયેત સંઘ અને પશ્ચિમી દેશોએ ઘડેલું સ્વરૂપ છે.
આ બધું વાંચીને
હસવું આવે છે અથવા આશ્ચર્ય થાય છે?
ખેર, જે કંઈ
થતું હોય તે. તમારે ખરેખર જો સમાધાન મેળવવું હોય તો કુસુમલતા કેડિયા લિખીત “કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ” પુસ્તક વાંચવું જોઇએ. આ પુસ્તક કોઈ નવલકથા નથી કે પછી લેખિકાની કોઈ
કલ્પનાશીલતાનું પુસ્તક નથી, પરંતુ નક્કર હકીકતો, ઐતિહાસિક તથ્યો ઉપર આધારિત
પ્રમાણભૂત પુસ્તક છે. લેખિકાએ પાને-પાને ઐતિહાસિક પ્રમાણો રજૂ કરીને પુરવાર કર્યું
છે કે, પ્રાચીન સમયમાં આવો કોઈ દેશ હતો જ નહીં. છેક ઉત્તર છેડે એક સાવ નાનો પ્રદેશ
હતો જ્યાં ભારતીય મૂળના બૌદ્ધ સમુદાયના લોકો જઇને વસ્યા હતા. પરંતુ 17મી-18મી
સદીમાં કુસ્તિત અંગ્રેજો અને હિંસાખોર ડાબેરીઓએ છેક ત્યાં સુધી ઘુસણખોરી કરીને શાંતિપ્રિય
પ્રજામાં ભાગલા પાડ્યા, પ્રજામાં તેમનામાં સ્થાનિક આગેવાનો પ્રત્યે ઝેર ઘોળ્યું
અને એ રીતે વિશ્વયુદ્ધમાં ત્યાંના અમુક સમુદાયોનો સાથ મેળવી લીધો. વિશ્વયુદ્ધ પછી
ચીની પ્રદેશના લાલચુ-સ્વાર્થી આગેવાનોને પોતે ઇચ્છે એ રીતે વિસ્તારવાદનો એજન્ડા
ચલાવવાની છૂટ આપવામાં આવી. અંગ્રેજો અને ડાબેરીઓના આ બધાં પગલાં પાછળ દેખીતી રીતે ભારત
અને હિન્દુત્વ વિરોધી માનસિકતા હતી.
પુસ્તકમાં એવું
ચોંકાવનારું સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે કે, છેક 1954 સુધી ચીન પાસે તેના પોતાના
પ્રાચીન ઇતિહાસના કોઈ પ્રમાણ જ ઉપલબ્ધ નહોતા. આવા પ્રમાણભૂત પુસ્તક પછી હવે
ભારતીયોને તથા દુનિયાને ખ્યાલ આવવો જોઇએ કે, હા વાત તો સાચી છે કે ચીન તેનો
પ્રાચીન ઇતિહાસ કે પ્રાચીન વારસો બતાવી શકે એવું કશું જ તેની પાસે નથી. પ્રાચીનતાના
નામે જે કંઈ દર્શાવવામાં આવે છે તેમાં હિન્દુત્વ અને બૌદ્ધવાદની છાંટ દેખાયા વિના
રહેતી નથી.
તો પછી આટલો
વિશાળ પ્રદેશ ચીન કેવી રીતે બન્યો? દુનિયાના કયા દેશના લોકો એ પ્રદેશમાં ક્યારે પહોંચ્યા? ખ્રિસ્તી મિશનરીઓએ ક્યારે અને
કેવી રીતે ત્યાં પગપેસારો કર્યો અને કેવી રીતે ત્યાંની પ્રાચીન ભારતીય સંસ્કૃતિને
નષ્ટ કરવામાં ભૂમિકા ભજવી? અંગ્રેજો અને હિંસાખોર માર્ક્સવાદીઓએ કેવી રીતે સ્થાનિક
સમુદાયોની પરંપરાઓને નષ્ટ કરી અને કેવી રીતે હિંસક ડાબેરી માનસિકતાનો ફેલાવો કર્યો? હિંસક માનસિકતા ધરાવતો માઓ કેવી
રીતે સત્તા પર આવ્યો અને તેમાં કોણે કોણે કેવી રીતે મદદ કરી? માઓએ સત્તા કબજે કર્યા પછી કેટલા
લાખ લોકોની હત્યા કરી હતી?
આ પ્રશ્નોના
સાચા, પ્રમાણભૂત જવાબો જાણવા હોય તો હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલું પુસ્તક “કમ્યુનિસ્ટ ચીનઃ અવૈધ અસ્તિત્વ” સૌએ વાંચવું જ રહ્યું. આ પુસ્તક
વાંચ્યા પછી છેલ્લા સાત દાયકામાં ભારતીય મીડિયા, ભારતીય રાજકારણીઓ, શહેરી અસૂરો
(અર્બન નક્સલો) વગેરેએ ચીન વિશે જે ચિત્ર ઊભું કર્યું છે તેની વાસ્તવિકતા તરત જ
સમજાઈ જશે એ નક્કી છે. તમે સૌ વાંચો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક
કે બાદ!
No comments:
Post a Comment