Wednesday, February 9, 2022

90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

 

 


90 ટકા મુસ્લિમ છોકરીઓ/મહિલાઓની માગણી છે કે...

મહા સુદ આઠમ, સંવત 2078

09-02-2022, બુધવાર.

---------------------------

n  અલકેશ પટેલ

90 ટકા મુસ્લિમ છોકરીઓ – મહિલાઓની માગણી છે કે, આરફા ખાનમ, સાનિયા મિર્ઝા, સબા નકવી, ઉર્ફી જાવેદ, રાના અયુબ જેવી સેલિબ્રિટી મુસ્લિમ મહિલાઓએ હંમેશાં હિજાબમાં-બુરખામાં જ રહેવું જોઇએ જેથી ભારતની તમામ મુસ્લિમ મહિલાઓને ગૌરવ થાય કે આવી વગદાર મુસ્લિમ મહિલાઓ પણ હિજાબ પહેરે જ છે. પણ કમનસીબે આવું થતું નથી. કટ્ટરવાદને પ્રોત્સાહન આપનારી આ તમામ સેલિબ્રિટી મહિલાઓએ કદી બુરખો-હિજાબ પહેર્યા હોય એવું જોવા મળ્યું નથી.

હકીકતે આ સંપ્રદાય અનેક-રંગી ફિલોસોફી લઇને ચાલે છે. તેનું ધ્યેય અને લક્ષ્યાંક નિશ્ચિત છે, પરંતુ એ હાંસલ કરવા માટેના જે માર્ગો છે, જે દલીલો છે, જે તર્ક છે, જે સાધનો છે – એ જુદાં જુદાં છે. ઓછી સંખ્યા હોય ત્યારનાં ધોરણો જુદાં, સંખ્યા વધે ત્યારનાં ધોરણો જુદાં, ફિલ્મ – મનોરંજન બાબતે ધોરણો જુદાં, પત્રકારત્વ બાબતે, સાહિત્ય બાબતે, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે, ટીવી-રેડિયો જેવાં સાધનોના ઉપયોગ બાબતે – એમ દરેકે દરેક બાબતે જુદાં ધોરણો અને અલગ અલગ તર્ક-દલીલ સાથે આ સંપ્રદાય ચાલ્યા કરે છે.

પણ એમાં એમનો વાંક ક્યાં છે? એ વર્ગ તો જે શીખવવામાં આવ્યું છે, જે ગાંઠ બાંધી આપવામાં આવી છે, જે લક્ષ્યાંક નિર્ધારિત કરી આપવામાં આવ્યાં છે તેને જ અનુસરે છે.

વાંક તો તમારો છે કે તમે એમને તમારા જેવા માની લીધા. વાંક તો તમારો છે કે એમને પીઠબળ આપતા, એમને પોરસ ચડાવતા મીડિયાના બદમાશોને તમે સાચા માની લો છો. વાંક તો તમારો છે કે આ લોકોના સમર્થનમાં છેક નીચે ઉતરીને હિન્દુત્વ-સનાતન-ભારત ઉપર કાદવ ઉછાળતા અર્બન નક્સલીઓને તમે સાચા માની લો છો.

કર્ણાટકનો હાલનો વિવાદ શું છે? એ જ કે શૈક્ષણિક સંસ્થાઓ ગણવેશ દાખલ કરવા માગે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ પહેરવો એ સમાનતાના સર્વોચ્ચ સિદ્ધાંતની જ વાત છે. અને છતાં મુઠ્ઠીભર છોકરીઓએ એ ગણવેશની ઉપર હિજાબ પહેરવાની માગણી કરીને સમગ્ર વાતાવરણ કલુષિત કરી નાખ્યું. સ્થિતિ એ આવી કે આખા દેશમાં એક પ્રકારે તંગદિલી ફેલાઈ ગઈ.

એજન્ડાધારી મીડિયાવાળા ઈતિહાસ-ભૂગોળની કશી ગતાગમ વિના, કશી જાણકારી વિના ડિબેટ કરાવવા લાગ્યા! ગાંધી ખાન-દાનના ગુલામો વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા અને ગૌભક્ષકો ધર્મના નામે હિજાબ અને બુરખાની તરફેણ કરવા લાગ્યા. આવી તરફેણ કરવામાં આ બધા કાંતો ઇરાદાપૂર્વક અથવા મંદબુદ્ધિને કારણે એ વાત ભૂલી ગયા કે –

  • કર્ણાટકમાં માત્ર શૈક્ષણિક સંસ્થાઓમાં, શિક્ષણના સમય પૂરતો જ ગણવેશનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, બાકીના સમયે જેને જે પહેરવું હોય એ પહેરવાની છૂટ છે જ.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ સ્કૂલ – કૉલેજના સમય સિવાય પણ બુરખો અને હિજાબ ન પહેરવા એવો આદેશ તો કર્યો નથી.
  • કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ અને બુરખા પહેરવાનો કોઇને અધિકાર જ નથી- એવું તો કહ્યું નથી.

અને એમ છતાં શા માટે આ મુદ્દાને આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે છે? દેખીતી રીતે, લક્ષ્યાંક સ્પષ્ટ છે કે, હિન્દુઓને ઉશ્કેરવા અને એ દ્વારા ધ્રુવીકરણ કરવું જેનો પ્રભાવ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડની ચૂંટણી પર પડે. મુદ્દાની વાત એ છે કે, દુનિયાની કમ સે કમ એક પ્રજાતિ તો એવી છે જ જેને અન્ય પ્રજાતિઓ સાથે સહ-અસ્તિત્વ પસંદ નથી. એ કોઇપણ રીતે પોતાનો જ અધિકાર પ્રસ્થાપિત કરવા માગે છે. મુદ્દાની વાત એ પણ છે કે, હિજાબ અને બુરખો પહેરવા માટે જે પુસ્તકનો હવાલો આપવામાં આવે છે એ જ પુસ્તકમાં કોઇપણ પ્રકારના મનોરંજન ઉપર, ખાસ કરીને ફિલ્મમાં અભિનય અને નાચવા-ગાવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે...છતાં 50 ટકા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમનાથી ભરેલી છે. કોઈ મીડિયા કે અર્બન નક્સલીઓએ કદી પ્રશ્ન કર્યો કે આવું શા માટે?

સામાન્ય નાગરિકોએ બસ આટલું જ સમજવાનું છે. તમારી આસપાસના અર્બન નક્સલીઓ – જેવા કે તટસ્થ આરજે, તટસ્થ પત્રકાર-તંત્રી, તટસ્થ સાહિત્યકાર, સર્વધર્મ સમભાવની વાતો કરતા બબુચકો – આ બધાથી સંભાળવાનું છે. આ બધા તમને એ દિશામાં ઢસડી રહ્યા છે જ્યાં તમારે પણ એક દિવસ..!

...અને હા, છેલ્લો એક મુદ્દો હંમેશાં યાદ રાખજો કે, આવા પ્રકારના તમામ વિવાદ ત્યાં સુધી ઉઠાવવાનું ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી કેન્દ્રમાં અને રાજ્યોમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારો હશે. જે દિવસે ખુશામતની ટોપી પહેરનારી સરકારો સત્તામાં આવશે તે સાથે આવા વિવાદ બંધ થઈ જશે.

1 comment: