Friday, February 16, 2018

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો



#PNBfraud

મજબૂત સેનાપતિના નબળા સાથીદારો

--- અલકેશ પટેલ

1.    મોદી ચાર વર્ષથી સત્તામાં છે તો કૌભાંડીઓને હજુ સુધી જેલમાં કેમ નથી પૂર્યા..?
2.   મોદી પાસે બહુમતી છે તો કૌભાંડીઓ સામે પગલાં કેમ નથી લેવાતાં..?
3.   મોદી વિરોધીઓને શા માટે મુક્ત રીતે ફરવા દે છે..?
4.   આવી રીતે ઉદાર રહેવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
5.   વિકાસની વાતો કરવાથી 2019ની ચૂંટણી નહીં જીતાય...
6.   તમારા મંત્રીમંડળના સાથીદારો જ તમને ડૂબાડશે, તમને કંઈ ખબર પડે છે કે નહીં..?
---- બ્લા બ્લા બ્લા બ્લા બ્લા............................................


ફરી એક વખત નરેન્દ્ર મોદી ઉપર હુમલા શરૂ થઈ ગયા છે. ફરી એક વખત નરેન્દ્ર મોદીના નજીકના સાથીદારો ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના શાસન વખતે થયેલા કૌભાંડ માટે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે આંગળીઓ ચીંધવામાં આવી રહી છે અને એવા સમયે નરેન્દ્ર મોદીના ચાહકોએ તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમને મજબૂત સમર્થન આપવાને બદલે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે... આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે...

આપણા દેશ માટે એક એવી છાપ છે કે અહીં દરેક ત્રીજી વ્યક્તિ ફિલોસોફર છે, જ્ઞાની છે. આવા ફિલોસોફર-જ્ઞાની લોકોને બધી જ ખબર હોય છે. તેનું કારણ એ છે કે આ બધા જ અનેક વર્ષ સુધી વડાપ્રધાન, નાણાંપ્રધાન, સંરક્ષણપ્રધાન, ગૃહપ્રધાન, વિદેશપ્રધાન... વગેરે હોદ્દા ઉપર રહી ચૂક્યા હોય છે. અને ત્યાંથી ફ્રી થયા એટલે અહીં એફબી ઉપર આવ્યા હોય છે અને પછી મોદી-જેટલી-રાજનાથસિંહ... તમામને સલાહ આપે, તમામને કોડીના કરી નાખીને અપમાનિત કરે – એફબી કે વૉટ્સએપ ઉપર હોં...

ખેર, સોશિલય મીડિયાના આ ફિલોસોફર-જ્ઞાનીઓને તો કંઈ કહી શકાય તેમ નથી, પરંતુ બાકીના જે ડાહ્યા-સમજદાર લોકો છે તેમનું ધ્યાન વડાપ્રધાન મોદીના આજના (16-02-18, શુક્રવાર) વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ તરફ દોરવા માગું છું.

આ વાર્તાલાપ દરમિયાન વડાપ્રધાને બે અગત્યની વાત કરી (1) કોઈની સાથે સ્પર્ધા કરતા હોવ તો તેના મેદાનમાં જઈને લડવાનું ટાળો, પણ એ સ્પર્ધકને કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો અને એવું કરશો તો તમે જીતી શકશો. અને (2) ઈમોશનલ (ઈ-ક્યુ) નું મહત્ત્વ સમજો.

ઈ-ક્યુની વાત તો ફરી ક્યારેક કરીશું, પરંતુ પહેલો મુદ્દો – સ્પર્ધક કે દુશ્મને તમારા મેદાનમાં આવવા માટે ફરજ પાડો.. – જો આ વાત સમજાઈ હોય તો રાષ્ટ્રવાદી ચાહકોને હવે નરેન્દ્ર મોદી વિશે શંકા રાખવાની જરૂર નથી.

આજની વાતનું હેડિંગ મેં રાખ્યું છે, મજબૂત સેનાપતિના નબળા સાથીદારો... – આનો અર્થ એ છે કે સેનાપતિ પોતે મજબૂત છે, એ જાણે છે કે પોતે કયા દુશ્મનો સાથે લડે છે. એ સેનાપતિને તેની પોતાની યુદ્ધકળા ઉપર પૂરો આત્મવિશ્વાસ છે. દુશ્મનોને એ પોતાના મેદાનમાં ખેંચી લાવવા મજબૂર કરે છે... પરંતુ અફસોસ એ છે કે તેમના સાથીદારો એટલે કે દેશવાસીઓને એ સેનાપતિની કુશળતા-ક્ષમતા ઉપર વિશ્વાસ નથી. જરાક કોઈ ઘટના બને છે અને આ રાષ્ટ્રવાદી ચાહક દેશવાસીઓનો વિશ્વાસ ડગી જાય છે અને નરેન્દ્ર મોદીને કોસવા બેસી જાય છે.

અરે દોસ્તો, લાલગેંગ (કોંગી-ડાબેરીઓ-જેએનયુના પરચુરણ સહિત બધા) તો મોદીને પાડવા માગે જ છે, પણ તમે શા માટે વિશ્વાસ નથી રાખી શકતા મોદીની ક્ષમતા ઉપર..?  #AP/16/2/18

No comments:

Post a Comment