નસીર, હમીદ અને ભારતની ટુકડે ગેંગ
--- ઉપરાષ્ટ્રપતિ પદે રહી ચૂકેલા હમીદે નિવૃત્તિ પછી
ભારત વિરોધી ઝેર ઓક્યું હતું. દાયકાઓથી ફિલ્મના માધ્યમથી ભોળા ભારતીયોના નાણાં
ઓળવી જનાર નસીરુદ્દીન શાહ હવે તેની અસલીયત ઉપર આવ્યો. આ ઘટનાઓ સામે આંખ આડા કાન
કરનાર ભોળા ભારતીયો પાસે પસ્તાવો કરવાનો સમય પણ નહીં રહે...
-- અલકેશ પટેલ
1947 પહેલાં જે લોકો “ડરતા” હતા એ બધા
પાકિસ્તાન નામે ઇસ્લામિક દેશની માગણી કરીને ત્યાં ચાલ્યા ગયા. ત્યારપછી એ “ડરતી” પ્રજામાંથી જે લોકો અહીં રોકાઈ ગયા એ એવું જ કહેતા રહ્યા કે અમને ભારત માટે
પ્રેમ છે એટલે અહીં રોકાયા છીએ. આવી પ્રજાના કેટલાક લોકોનો પરિચય છેલ્લાં ચાર
વર્ષમાં આપણને થયો છે – જેમ કે આમીર, હમીદ અને હવે નસીર. આમાંથી આમીર અને નસીર
હિન્દી ફિલ્મ ઉદ્યોગને ભ્રષ્ટ કરનાર તત્વો છે, અને હમીદ અનસારી ઉપરાષ્ટ્રપતિ હતો.
આમ તો આવા બીજા અનેક “ડરપોક તત્વો” છે, જેમનું કામ છૂપાઈ રહીને દૂધ
પીવાનું અને મોકો મળે ત્યારે ડંખ મારવાનું હોય છે.
જે લોકોને દુનિયાના ઇતિહાસની થોડીઘણી પણ જાણકારી છે તેઓ
સારી રીતે જાણે છે કે આશરે 1400 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા ઇસ્લામની પાયાની
મૂળભૂત ધારણા અન્ય તમામ ધર્મ-સમુદાયના લોકોને કાફીર માનવાની છે. કમનસીબે આ
માન્યતામાંથી હમીદ, નસીર, આમીર અને શાહરુખ જેવા તત્વો પણ બાકાત નથી. આ તત્વોને આ
દેશમાં ગમે તેટલું માન મળે, ગમે તેટલા સન્માન મળે, ગમે તેટલા નાણા મળે તો પણ અન્ય
ધર્મના લોકો પ્રત્યે ઝેર ફેલાવવાની પ્રવૃત્તિમાંથી બહાર ન નીકળે.
આ તત્વોની મોડસ ઓપરેન્ડી એક સમાન હોય છે. જ્યાં સુધી અન્ય
ધર્મ-સમુદાયના લોકો એમની વાતમાં હા-જી-હા કરે ત્યાં સુધી એ લોકો સારા લાગતા હોય
છે, પરંતુ જે ક્ષણે કોઈ તેમનો વિરોધ કરે અથવા તેમની અસલિયત ઓળખી જાય એ સાથે જ “ડર” નાં રોદણાં રોવા લાગે અને અન્ય ધર્મ-સમુદાયના “ભોળા” લોકોની
સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે. અને આ તત્વોએ જ અગાઉથી ગોઠવેલી વર્ણસંકર પ્રજાતિ
જેવી સેક્યુલર, ડાબેરી અને અર્બન નક્સલી જેવી પ્રજાતિઓ તરફથી સહાનુભૂતિ મળી પણ જતી
હોય છે.
નસીર, હમીદ, આમીર, શાહરુખ જેવા તત્વો જે ક્ષેત્રમાં કામ
કરતા હોય એ ક્ષેત્રમાં અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોની મજાક ઉડાવવાનું, અન્ય
ધર્મ-સંસ્કૃતિના લોકોને અપ્રામાણિક અને ખરાબ ચીતરવાનું, અન્ય ધર્મ-સંસ્કૃતિના
લોકોની પરંપરાઓની હાંસી ઉડાવવાનું કામ કરતા હોય છે. પણ જે ક્ષણે આવાં તત્વોને કોઈ
પડકારે એટલે તરત “ડર” અને “અસહિષ્ણુતા” જેવા શબ્દો
બોલવા લાગે.
આઘાતજનક બાબત એ છે કે આવા તત્વોને આતંકવાદી હુમલા થાય
ત્યારે કોઈ ડર નથી લાગતો. નસીરુદ્દીને તો ભારતીય સંસદ ઉપરના હુમલાના આરોપી
આતંકવાદી અફઝલ ગુરુની ફાંસી અટકાવવા માટેની અરજી ઉપર પણ સહી કરી હતી. નસીર, હમીદ,
આમીર, શાહરુખ જેવા તત્વોએ કોઈ દિવસ હિન્દુઓના હિતો, ભારતીય લશ્કરી દળોના હિતોની
તરફેણમાં કશું કહ્યું નથી. કરોડો-કરોડો ભારતીયો માટે આસ્થા સમાન ગૌમાતાની તરફેણમાં
કોઈ કશું બોલે તો તરત જ આ જેહાદી તત્વો “અસહિષ્ણુતા” નાં રોદણાં
રોવાનું શરૂ કરી દે, પરંતુ એમાંના એકેય ગાયોની દાણચોરી અને કતલ કરનારા જેહાદીઓ
વિરુદ્ધ એકપણ શબ્દ બોલતા નથી.
ભારત અને દુનિયાના અન્ય દેશોની કમનસીબી એ છે કે દરેક દેશમાં
નપુંસકતાની હદે પહોંચી ગયેલા મીડિયા અને બુદ્ધિજીવીઓ હોય છે. આ નપુંસક મીડિયા અને
બુદ્ધિજીવીઓ ઇસ્લામિક જેહાદીઓ દ્વારા ઊભી કરવામાં આવેલી તદન નકલી “ડર” અને “અસહિષ્ણુતા” ની વાતોને પડકારતા નથી, બલ્કે એ
જેહાદીઓને પોતાના ખોળામાં બેસાડીને એમની ખોટી વાતનો પ્રોત્સાહન આપે છે. મીડિયા અને
બુદ્ધિજીવીઓ નપુંસક એટલા માટે છે કે રાષ્ટ્રવાદની સામે તો બેફામ બોલવાની હિંમત કરે
છે, રાષ્ટ્રવાદીઓને અપરાધી અને વિલન ચીતરીને બદનામ કરવામાં એ લોકો કશું બાકી નથી
રાખતા, પરંતુ જેહાદીઓ સામે બોલવાની તેમની હિંમત હોતી નથી. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં
જેહાદીઓની વગ એ હદે વધી ગઈ છે કે સોનુ નિગમ અને અભિજીત ભટ્ટાચાર્ય જેવા
રાષ્ટ્રવાદી ગાયકોને કામ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.
સમગ્રતયા સ્થિતિ ચિંતાજનક છે. 2019ની લોકસભા ચૂંટણી આવી રહી
છે એટલે રાષ્ટ્રવાદીઓને સત્તા ઉપર આવતા રોકવા માટે આ બધા જેહાદીઓ તમામ પ્રકારનાં
ગતકડાં કરશે. આ એક એવી “ટુકડે ટુકડે ગેંગ” છે જેમને ભારતની બરબાદીમાં રસ છે.
ભારતીય સંસ્કૃતિ અને તેનું જતન કરવા માગતા લોકોને માનસિક અને આર્થિક રીતે ભાંગી
નાખવાનું કામ આ “ટુકડે ગેંગ” ચૂપચાપ કરી રહી છે. આ
વાતની સમજ પ્રજાને પડવી જોઈએ. આ તત્વોની ચાલ-ચલગત સમજવી પડશે અને જે “ભોળા” ભારતીયો એ નહીં સમજે તેમના માટે થોડા દાયકા
પછી પસ્તાવા માટેનો સમય પણ નહીં રહે...
No comments:
Post a Comment