“આઝાદી”નો
રોગ વકરી જાય એ પહેલાં જાગી જઇએ
n અર્બન
નક્સલીઓ તેમજ જેહાદીઓના રવાડે ચડેલી આઝાદી ગેંગ ભારતીયતાને પડકારી રહી છે. 19મી
સદીમાં કાર્લ માર્ક્સ નામના એક જંતુને ઊગતો ડામી ન દેવાયો એનાં અતિશય માઠાં પરિણામ
આખી દુનિયા આજે ભોગવી રહી છે. ભારતીયો માટે સમય છેઃ આ જંતુના વાયરસને ઓળખીને જાગી
જાવ... આસુરી માનસિકતા માથું ઊંચકી રહી છે, દૈવી શક્તિઓએ મેદાનમાં આવવું જ પડશે...ભારત મંથન કરવું જ પડશે...
--- અલકેશ પટેલ
આમ તો હું એક વાત વારંવાર કહી ચૂક્યો
છું કે, અર્બન નક્સલવાદીઓની બનેલી ટૂકડે ગેંગ કદમાં મોટી નથી, જ્ઞાનમાં પણ મોટી
નથી જ, પરંતુ દેશના કમનસીબે એ ગેંગ સંગઠિત છે – અને એટલે જ એ ગેંગ, ખાસ કરીને
2014થી આ દેશને વારંવાર અશાંતિ તરફ ધકેલી રહી છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય
કે, રાષ્ટ્રવાદી અને સનાતન ધર્મીઓ સંગઠિત નથી, એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત છે એ
કારણે પણ આ ટૂકડે ગેંગ અશાંતિ ઊભી કરવામાં સફળ થાય છે. પણ એ ગેંગનો ઇરાદો સફળ ન જ
થવા દેવાય. આપણે પણ સંગઠિત તો થવું જ પડે, ટૂકડે ગેંગને એની મર્યાદામાં રાખવી જ
પડે.
“અમે શું કરી
શકીએ?” “આપણે શું કરી શકીએ?”
“ભલે, મરશે મૂંઆ-એમના કર્યા ભોગવશે”... આવા નિવેદનો
કરવાનું આપણે હવે બંધ કરવું પડશે કેમ કે આઝાદીના નામે, લોકશાહીના નામે ચાલી રહેલો
ખેલ હકીકતે એક એવો મહારોગ છે જે આગળ જતાં દેશને બીજા અફઘાનિસ્તાન, બીજા પાકિસ્તાન,
બીજા બાંગ્લાદેશમાં પરિવર્તિત કરી દેશે. આ કંઈ તુક્કાબાજીથી તમને ડરાવતો નથી, પણ
દુનિયાના ઇતિહાસ અને ભૂગોળ અને તેમાં થયેલા રાજકીય અને વસ્તીલક્ષી પરિવર્તનની પૂરી
જાણકારી પછી કહું છું.
તેની શરૂઆત કાર્લ માર્ક્સ નામના એક
ઝેરી જીવાતથી થઈ હતી. એવું નથી કે આ ઝેરી જીવાત પહેલાં દુનિયા સ્વર્ગ સમાન હતી અને
કોઇને કોઈ તકલીફ જ નહોતી. ના, એવું કહેવાનો આશય નથી, કેમ કે તકલીફ તો માર્ક્સવાદી
કીડો ફેલાયો એ પહેલાં પણ હતી, પરંતુ બંને સમયગાળા વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે,
એ કીડા પહેલાંની તકલીફ સ્થાનિક સ્તરે જ હતી. અર્થાત અમેરિકામાં ક્યાંક ક્યાંક કોઈ
તકલીફ હોય તો એ અમેરિકા પૂરતી મર્યાદિત હતી. રશિયામાં ક્યાંક કોઈ તકલીફ હોય તો એ
રશિયા પૂરતી મર્યાદિત હતી. ચીનમાં કોઈ તકલીફ હોય તો એ ચીનની સરહદોની અંદર મર્યાદિત
હતી. એવી જ રીતે ભારતમાં જે કોઈ આંશિક તકલીફ હતી એ ભારત પૂરતી મર્યાદિત હતી. પરંતુ
માર્ક્સવાદી કીડાનો વાયરસ ફેલાયો એ આખી દુનિયાને બરબાદ કરી રહ્યો છે.
આજથી બરાબર બે વર્ષ પહેલાં, જાન્યુઆરી
2018માં મેં જિજ્ઞેશ મેવાણીના સંદર્ભમાં મેં પાંચ (5) હપ્તાની શ્રેણી લખી હતી અને
ડાબેરીઓ અને અર્બન નક્સલીઓ કોણ છે અને આપણી આસપાસ એ લોકો ક્યાં છે એ વિશે વિસ્તૃત
માહિતી આપી હતી. (એમાંથી જે ઉપલબ્ધ છે એ લેખોની લિંક અહીં મૂકું છું –(1) http://mijaaj.com/gujarati/people-like-jignesh-mevani-can-save-a-society-or-country જિજ્ઞેશ મેવાણી જેવા લોકો કોઈ સમાજ કે દેશનો ઉદ્ધાર કરી શકે ખરા? (2) http://mijaaj.com/gujarati/jignesh-mehvani-there-is-no-person-it-is-a-subversive-mentality જિજ્ઞેશ મેવાણીઃ કોઈ વ્યક્તિ નથી, વિધ્વંસક માનસિક્તા છે (3) http://mijaaj.com/gujarati/who-is-jignesh-mevani-colleagues કોણ છે મેવાણીના સાથીદારો? ઓળખી લો
બરાબર...(4) http://mijaaj.com/gujarati/a-scapegoat-has-arrived-in-gujarats-politics?seq=1 ગુજરાતના રાજકારણમાં બ્રેકિંગ ઈન્ડિયાનું એક પ્યાદું આવી પહોંચ્યું
છે (5) http://mijaaj.com/gujarati/what-is-the-priority-of-mla-jignesh-mevani?seq=1 ‘ધારાસભ્ય’ જિજ્ઞેશ મેવાણીની પ્રાથમિક્તા શી હશે? --- તા.ક. આ તમામ લિંક હાલ સક્રિય છે કે નહીં એની મને જાણ
નથી...છતાં અહીં આપું છું. જો આ લિંક નહીં ખૂલતી હોય તો પછી મૂળ લેખો મારી પાસે
પડ્યા છે એ મારા બ્લૉગ ઉપર મૂકીને નવેસરથી લિંક શૅર કરીશ.)
તો મૂળ વાત એ છે કે, માર્ક્સવાદી વાયરસને કોઇપણ દેશની રાજકીય
વ્યવસ્થા સામે વાંધો હોય છે. આ તત્વોને એક માત્ર ઇસ્લામ સિવાયના ધર્મો સામે વાંધો
છે. ઇસ્લામ સામે વાંધો નથી એનું કારણ તમે સૌ સમજી શકો એમ છો, એમાં મારે કંઈ ખુલાસો
કરવા પડે એમ નથી! અને અગાઉ કહ્યું એમ, આખી દુનિયાની
તકલીફ જ ત્યાંથી શરૂ થઈ. શાંતિ અને સમાનતાના સિદ્ધાંત માટે શરૂ થયેલા ઇસ્લામિક
સંપ્રદાયમાં આમ જોઇએ તો કોઈ વાંધો નથી. આપણી આસપાસ જે મુસ્લિમો છે એમને જોઇને કદી
એવું લાગે જ નહીં કે આ સંપ્રદાયમાં હિંસક માનસિકતા ધરાવતા લોકો હશે, અર્થાત જેહાદમાં
માનનારા લોકો પણ હશે. છતાં એવા લોકો છે એ હકીકત છે. મુશ્કેલી એ છે કે સારા-સમજદાર
મુસ્લિમો હિંમત કરીને જેહાદી માનસિકતા ધરાવતા લોકોને અટકાવતા નથી, તેમને હિંસા
છોડવા કહી શકતા નથી. આ જ સ્થિતિ માર્ક્સવાદી વાયરસ ધરાવતા ડાબેરીઓની છે. અને આ
ડાબેરીઓ સૌથી વધારે જોખમી છે. એ કેવી રીતે? સમજદાર,
શાંતિપ્રિય મુસ્લિમો જેહાદીઓને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ આ ડાબેરીઓ, અર્બન
નક્સલીઓ જેહાદીઓને પ્રોત્સાહન આપે છે. કદાચ પ્રોત્સાહન ન આપતા હોય તો પણ એ જેહાદીઓ
ખોટા છે એવું કહેવાની હિંમત કરતા નથી. પરિણામ એ આવે છે કે અંતિમવાદીઓની હિંમત વધી
જાય છે અને તેને કારણે જે તે સમાજ, જે તે શહેર, જે તે રાજ્ય અને જે તે દેશમાં
અશાંતિ અને અજંપો વધી જાય છે.
માર્ક્સવાદી ડાબેરી વાયરસ ધરાવતા અર્બન નક્સલોના કરતુતોને કારણે તેમની
સામે રાષ્ટ્રવાદીઓ પણ બેચેન બની જાય છે, તેઓ પણ ઉશ્કેરાય છે. એ ઉશ્કેરાટમાં કોઇ
જેહાદીને નાનો સરખો ઘા પડે તો પણ ખૂબ મોટે મોટેથી “અન્યાય”ના
રોદણાં શરૂ થઈ જાય છે. એ જેહાદી શસ્ત્રો ઉઠાવી લે અને ત્યારે પણ માર્ક્સવાદી વાયરસ
ધરાવતા ડાબેરી અર્બન નક્સલીઓ તેને યોગ્ય ઠેરવવા પ્રયાસ કરતા હોય છે.
ટૂંકમાં, આ એક એવું વિષચક્ર છે જે માર્ક્સવાદી ઝેરી વાયરસને કારણે
ઊભું થયું છે અને હવે દુનિયાને બચાવવી હશે તો આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખીને એમને “આઇસોલેશન”માં નાખવા જ પડશે...પછી એ જે.એન.યુ.માં હોય કે
આઈ.આઈ.એમ-અમદાવાદમાં હોય કે પછી એમ.એસ.યુનિવર્સિટી-વડોદરામાં હોય! આ વાયરસ ધરાવતા તત્વોને ઓળખવા જરાય અઘરા નથી.
બસ, તમારે દરેકે, દરેક નાગરિકે જે રાષ્ટ્રની એકતામાં માને છે, જે સનાતન ધર્મની
મહાનતામાં માને છે – તેમણે ડાબેરી વાયરસ ધરાવતા તત્વોને સવાલ પૂછવા પડશે, દેશ
તોડવાની, સનાતન ધર્મને બદનામ કરવાની દિશામાં એ લોકો આગળ વધી રહ્યા હોય તો તમારે
તેમની સામે દીવાલ બનીને ઊભા રહી જવું પડશે. યાદ રાખજો, માર્ક્સવાદી વાયરસનાં લક્ષણો
ધરાવતા લોકો હિંસક છે, એ નક્સલો છે, અર્બન નક્સલો છે – એ તમને હિંસા માટે ઉશ્કેરશે
અને તમને બદનામ કરશે, પણ તમારે હિંસા વિના તર્કથી અને મક્કમતાથી એમનો સામનો કરવાનો
છે.
આ ડાબેરી અર્બન નક્સલોને તમારી સામે વ્યક્તિગત વાંધો નથી એનું કારણ
તમને ખબર છે? એનું કારણ એ છે કે, સરેરાશ ભારતીય
હિન્દુ ભોળો છે. સરેરાશ ભારતીય હિન્દુને માત્ર પોતાની વ્યક્તિગત અને પોતાના
પરિવારની જ ચિંતા છે. અને એ કારણે સરેરાશ ભારતીય હિન્દુ સંગઠિત નથી. તેનો ગેરલાભ
ડાબેરી અર્બન નક્સલીઓ જેહાદીઓને ઉશ્કેરીને ઉઠાવે છે. તમારે, એટલે કે દરેક સરેરાશ
ભારતીય નાગરિકે જાગવું પડશે કેમ કે આગામી સમય હજુ પણ અઘરો આવવાનો છે. દેશની
રાષ્ટ્રવાદી સરકાર અને રાષ્ટ્રવાદી નેતાઓ દેશને બચાવવા માટે, દેશને શિખર ઉપર લઈ
જવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અને તેથી એ જે પગલાં લેશે તેને કટ્ટર ડાબેરીઓ સહન
નહીં કરી શકે. એ તત્વો હિંસા ભડકાવવા પ્રયાસ કરશે. જે.એન.યુ.માં બે દિવસ પહેલાં
જેમ જાતે જ લાકડીઓથી હુમલા કરીને એ.બી.વી.પી.નું નામ આપ્યું અને હિન્દુત્વને બદનામ
કરવાનો પ્રયાસ કર્યો એવું આગળ જતાં પણ કરશે. હિન્દુત્વવાદી પક્ષો અને
હિન્દુત્વવાદી સંગઠનો ઉપર વિશ્વાસ તમારે જ રાખવાનો છે. તમને વિશ્વાસ હોવો જોઇએ કે એ.બી.વી.પી.,
ભાજપ, બજરંગ દળ કે બીજા આવા કોઈ સંગઠનના સાચા કાર્યકરો કદી મોં ઢાંકીને શૈક્ષણિક
સંસ્થામાં આવા હુમલા ન કરે, એ તમને સૌને વિશ્વાસ હોવો જોઇએ, બલ્કે હું કહીશ કે
વિશ્વાસ રાખજો જ.
વધારે લાંબું-પહોળું ન સમજી શકો અથવા ન વિચારી શકો તો... માત્ર એટલું
તો અવશ્ય યાદ રાખજો કે નરેન્દ્ર મોદી દેશને ઊગારી લેવા મથે છે. એમણે વ્યક્તિગત
રીતે કશું જ હાંસલ કરી લેવાનું નથી, અને એટલે જ દેશ માટે સમર્પિત થઈને 1000-1200
વર્ષથી જે કંઈ ખોટું થઈ રહ્યું હતું તેને આગળ વધતું અટકાવવા અને શક્ય હોય તો
સુધારી લેવા પૂરી પ્રામાણિકતાથી મથી રહ્યા છે. એમને ટેકો નહીં આપો તો કશો વાંધો
નહીં, પણ એમના ઇરાદા ઉપર શંકા ન કરશો. તમારી આજ સારી છે એટલે કોઈ ચિંતા નથી એવું
વિચારી બેસી ન રહેશો...તમારી ભાવિ પેઢી પણ તમારી જેમ નિશ્ચિંત રહી શકે એ માટે દેશના
વર્તમાન નેતૃત્વના પગલાં જ અસરકારક નિવડશે. તમારી ભાવિ પેઢી માટે લેવાઈ રહેલા એ
પગલાં તમારા સમર્થન વિના શક્ય નથી.
CAA, NRC,
વસ્તી નિયંત્રણ કાયદો, કૉમન સિવિલ કોડ આવા વિષયોની વિરુદ્ધમાં ફિલ્મી કલાકારો,
અન્ય સેલિબ્રિટી, નાટકના કલાકારો, લેખકો, પ્રાધ્યાપક, પત્રકાર-તંત્રી કે પછી આવા
કોઇપણ લેબલવાળા લોકો કશું બોલે તો સતર્ક થઈ જજો, એમના સમર્થનમાં નહીં પણ
રાષ્ટ્રવાદી સરકારના સમર્થનમાં ઉતરી પડજો...તો ઊગરી જશો. બાકી રામ રામ.-અલકેશ પટેલ
વાહ ભાઈ ખૂબજ સરસ લેખ, જય હિન્દ🇮🇳👍
ReplyDeleteભાઈ mijaaj.com વેબસાઈટ ઉપર આપની લીન્ક ના લેખો ખુલતા નથી, શક્ય હોય તો રી અપલોડ કરવા કૃપા કરશો
ReplyDelete