Sunday, October 17, 2021

ભારતને બચાવવા ટુકડેગેંગનું કાવતરું સમજવું પડે

--- ટુકડેગેંગ કોઈ એકલદોકલ વ્યક્તિ કે એકલદોકલ સંગઠન નથી. આ એક આખું આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને ભારતમાં તમારી અને મારી આસપાસ એમના સ્લીપર સેલ છે. એ વાત સમજાવશે બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક


 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ 

શા માટે વિજયા દશમીની વહેલી પરોઢે નકલી ખેડૂત આંદોલનના સ્થળે-સિંઘુ સરહદે એક વ્યક્તિની હત્યા કરીને તેને પોલીસના બેરિકેડ સાથે લટકાવી દેવામાં આવ્યો? શા માટે એ ઘટનાના થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના લખીમપુરમાં કથિત ખેડૂત આંદોલનકારીઓ દ્વારા ભાજપના કાર્યકરોનું મૉબ લિંચિંગ થયું? રોહિત વેમુલા પ્રકરણ શા માટે ચગાવવામાં આવ્યું હતું? દાદરીની ઘટનામાં તમામ રાજકીય પક્ષો કેમ આટલો ઊંડો રસ લેતા હતા? CAA કાયદાના વિરોધમાં શાહીનબાગમાં આટલો લાંબો સમય આંદોલન કેમ ચાલ્યું હતું અને તેની પાછળ કયાં પરિબળો હતાં? ખેડૂત આંદોલનને એક વર્ષ થવા આવ્યું તો પણ હજુ કેમ ચાલુ છે, કોણ દોરીસંચાર કરે છે? અને ભાજપ સિવાયના રાજકીય પક્ષોને એમાં શો રસ છે? કોરોનાના બીજા વેવ વખતે ઑક્સિજનની અછત ઊભા કરવા પાછળ કયાં પરિબળો હતાં? ભારતીય રસી વિરૂદ્ધ કોણ અભિયાન ચલાવતા હતા?  - આ અને આવા બીજા અનેક પ્રશ્ન દેશના નાગરિકોને થતા હશે.

દેશનો એક ખૂબ મોટો વર્ગ છે જેને આવી બધી ઘટનાઓ અને તેની પાછળનાં કારણો વિશે કશો ખ્યાલ આવતો નથી. એજન્ડાધારી મીડિયામાં બેઠેલા અમુક તત્વોને બધુ ખબર હોય છે, પણ એ પ્રજાને સાચી વાત જણાવતા નથી કેમ કે એ લોકો પણ આંતરરાષ્ટ્રીય કાવતરાંનો જ એક ભાગ હોય છે. (આ વાત આ અઠવાડિયે જ 13 ઑક્ટોબરને બુધવારે આ સ્થળે રામચંદ્ર નામજોષીજીએ જે પત્રકારત્વના પુસ્તકની સમીક્ષા કરી હતી એ પુસ્તકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે)

ખેર, તો આ આખી વાત સમજવી હોય અને ભારતવર્ષને બચાવવો હોય તો શું કરવાનું? આ રહી ભારતને બચાવવાની રેસિપી.

ભારતના ટુકડા કરવાની માનસિક્તા બ્રેકિંગ ઈન્ડિયા તરીકે ઓળખાય છે. ડાબેરી ઉપરાંત ખ્રિસ્તી મિશનરીઓ તેમજ જેહાદી ફંડિંગથી ચાલતી સંસ્થાઓ બ્રેકિંગ ઈન્ડિયા (Breaking India) પરિબળો છે. તેમનો ઈરાદો સમગ્ર હિન્દુસ્થાનને છિન્નભિન્ન કરી નાખવાનો છે. બ્રેકિંગ ઈન્ડિયા પરિબળો આ કામ ઘણા દાયકાથી કરી રહ્યા છે. તેની સામે અમેરિકાસ્થિત પ્રખર સનાતની વિદ્વાન શ્રી રાજીવ મલ્હોત્રાએ તથા દક્ષિણ ભારતમાં વસતા અરવિંદન નીલકનંદન સાથે મળીને બ્રેકિંગ ઈન્ડિયા નામે પુસ્તક લખ્યું.

ભારત અને તેની સનાતન સંસ્કૃતિ ખૂબ પ્રાચીન છે. દુનિયાના તમામ સાચા વિદ્વાનો એક વાતે સંમત છે કે વેદો, મહાભારત તથા ભગવદ્ ગીતામાં આખી સૃષ્ટિનો સાર આવી જાય છે. સમાજજીવન હોય કે કૌટુંબિક જીવન, ધર્મ હોય કે આધ્યાત્મ, યુદ્ધ હોય કે શાંતિ, વિજ્ઞાન હોય કે ગણિત, રાજકારણ હોય કે અર્થતંત્ર દુનિયાના કોઈ વિષય એવા નથી જેના વિશે આપણાં શાસ્ત્રોમાં આધારભૂત રીતે કહેવામાં ન આવ્યું હોય. (https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati )

આવી તમામ જ્ઞાન-સમૃદ્ધિથી ભરેલો આપણો દેશ હજારેક વર્ષ પહેલાં જેહાદી આક્રમણકારીઓ અને ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓની નજરમાં આવી ગયો. મધ્યપૂર્વમાંથી નીકળેલા જેહાદીઓ માટે જમીનમાર્ગે ઉત્તર ભારત સુધી પહોંચવાનું સરળ હતું અને તેથી એ લોકોએ એ તરફ આક્રમણ કર્યાં, અત્યાચાર કર્યા, લૂંટફાટ અને બળાત્કાર કર્યા.

તો બીજી તરફ યુરોપમાં મજબૂત થઈ રહેલા ખ્રિસ્તી મિશનરીઓ દરિયામાર્ગે દક્ષિણ ભારત તરફ આવ્યા અને ત્યાં ચાલાકી અને લાલચ દ્વારા ધર્માંતર કરાવ્યા.

આ તમામ પ્રયાસો છતાં ધર્માંતરમાં ધાર્યા મુજબ સફળતા ન મળતા મિશનરીઓએ તેમની વ્યૂહરચના બદલી અને દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં એવો અપ-પ્રચાર શરૂ કર્યો કે, તમે જ મૂળ ભારતીયો હતા અને જર્મની તરફથી ઉત્તર ભારતમાં આવેલા આર્યોએ તમને હાંકી કાઢીને દક્ષિણમાં મોકલી દીધા. મિશનરીઓ આટલા અપ-પ્રચારથી અટક્યા નહીં પરંતુ તમિળ સાહિત્યમાં, તમિળ કળાઓમાં જીસસ અને ખ્રિસ્તી ધર્મનો જ પ્રભાવ છે એવો અપ-પ્રચાર ફેલાવવાનું વ્યવસ્થિત કાવતરું ઘડી કાઢ્યું. અનેક તમિળો આજે પણ ઉત્તર ભારતને તથા સંસ્કૃત તથા હિન્દી ભાષાને ધિક્કારે છે તેનું મૂળ કારણ આ જ છે.

 આ કાવતરાં કેવી રીતે ઘડાયાં, કોણે કોણે તેમાં શું ભૂમિકા ભજવી...એવા તમામ પ્રશ્નના જવાબ રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકંદને શોધ્યા અને તેને બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક દ્વારા દુનિયા સમક્ષ મૂક્યા. અંગ્રેજી તથા હિન્દી પછી આ પુસ્તક હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થયું છે (જેનો અનુવાદ કેનેડાસ્થિત શ્રી ઉદિત શાહે કર્યો છે). આ પુસ્તક વિશે દરેક શાળા-કૉલેજ, સંસ્થાઓ અને મંડળોમાં વાચન અને ચર્ચા કરવી આવશ્યક છે. જો એવું નહીં થાય તો આ દેશના અસંખ્ય ટુકડા થતા વાર નહીં લાગે. થોડા ટુકડામાં જેહાદીઓનું શાસન હશે અને થોડા ઉપર મિશનરીઓએ કબજો જમાવેલો હશે. હિન્દુસ્થાનમાં હિન્દુ જ ઓશિયાળો બની જશે...જો એ બચશે તો. આ પુસ્તક વાંચો, વંચાવો, તેની ચર્ચા કરો, ટુકડેગેંગ વિશે જાગ્રતિ ફેલાવો ત્યાં સુધીમાં એક નવા વિષય સાથે... મિલતે હૈ બ્રેક કે બાદ!

---------------- આ પુસ્તકનો વિમોચન સમારંભ આસો સુદ સાતમને મંગળવારે (12-10-2021) યોજાયો હતો. પુસ્તકનું વિમોચન સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી - પ્રખ્યાત રાષ્ટ્રવાદી સુશ્રી મોનિકા અરોરાએ કર્યો હતો. આ ઑનલાઇન કાર્યક્રમ માણવા નીચેની લિંક ઉપર ક્લિક કરો...👇👇👇 (પુસ્તક ખરીદવા માગતા હોવ તો એ માટેની લિંક પણ લેખને અંતે આપવામાં આવી છે)

Book Inauguration Ceremony Breaking India (Gujarati Edition) - YouTube 

---------------

પુસ્તક ખરીદવા માટે લિંક 👇👇👇

https://www.booksetu.com/product-page/copy-of-breaking-india-gujarati 


1 comment:

  1. આ પુસ્તક ને અભ્યાસ ક્રમમાં સ્થાન મળવું જોઈએ

    ReplyDelete