Monday, March 28, 2022

બંગાળ, દિલ્હી અને ભાજપ - ત્રણ ઘટનાના સૂચિતાર્થ શું છે?

 


દેશમાં હાલ એકમાત્ર રાજકીય પક્ષ એવો છે જ્યાં વ્યક્તિગત પરફોર્મન્સ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવે છે. બાકીના પક્ષોમાં કાંતો પરિવારવાદ છે અથવા આપખૂદશાહી

 

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ગત અઠવાડિયામાં આપણે ત્રણ ઘટના જોઈ. એક, પશ્ચિમ બંગાળમાં બાળકો અને મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવી. બે, ફેકરીવાલે વિધાનસભામાં કાશ્મીર ફાઇલ્સ વિશે નીચ માણસોને પણ શરમાવે એવું નિવેદન કર્યું અને ત્રણ, ભાજપ શાસિત ચારેય રાજ્યોમાં ચૂંટણી પહેલાં જે મુખ્યપ્રધાન હતા તેમને યથાવત્ રાખવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના બે મુસ્લિમ જૂથો વચ્ચે ગત થોડા દિવસોમાં હિંસક અથડામણ થઈ. એક મુસ્લિમ જૂથે બીજા મુસ્લિમ જૂથના અગ્રણીની હત્યા કરી દીધી એટલે એ જૂથના ટોળાએ હત્યા કરનારા મુસ્લિમ જૂથના ગામે પહોંચી જઇને તમામ ઘર બહારથી બંધ કરી દઇને આગ ચાંપી દીધી. સત્તાવાર આંકડા પ્રમાણે બે મુસ્લિમ બાળકો તથા છ મુસ્લિમ બહેનો સહિત આઠ નિર્દોષ જીવ જીવતા ભુંજાઈ ગયાં. જોકે ગામના અન્ય લોકોનો દાવો છે કે, મૃતકોની સંખ્યા 10થી 12 હોઈ શકે. પણ આવા જઘન્ય હત્યાકાંડ છતાં દેશના સેક્યુલર મીડિયા, કહેવાતા સેક્યુલર અગ્રણીઓ તેમજ અર્બન નક્સલીઓ ચૂપ છે. આ તમામના મોંમાં મગ ભરાઈ ગયા છે, કેમ કે ઘટના કથિત સેક્યુલર અને હિન્દુ-વિરોધી એવા મમતા બેનરજીના રાજ્યમાં બની છે.

તો બીજી તરફ, માઓવાદી – મિશનરી અને જેહાદી તત્વોના ડીએનએમાંથી તૈયાર થયેલા વર્ણસંકર ફેકરીવાલે ગુરુવારે વિધાનસભાની અંદર ધ કાશ્મીર ફાઇલ્સ વિશે જે નિવેદન કર્યું તેનાથી તો એના જન્મદાતા એવા માઓવાદી-મિશનરી-જેહાદી તત્વો પણ કદાચ શરમાઈ ગયા હશે. તમામ અનિષ્ટ તત્વોનું મિશ્રણ કરીને જે વ્યક્તિ તૈયાર કરવામાં આવે એ પણ આ હદે રાષ્ટ્રદ્રોહી અને હિન્દુ વિરોધી વલણ અખત્યાર કરવાની નીચતા ન દાખવી શકે જેટલી નીચતા ફેકરીવાલે દાખવી છે. પ્રામાણિક પ્રજાના ટેક્ષના પૈસે પોતાની જાહેરાતો કરનાર અને બાકીના પૈસામાંથી મફતિયા વહેંચણી દ્વારા પ્રજાને માયકાંગલી બનાવી દેવાનું કાવતરું કરનાર ફેકરીવાલ વાસ્તવમાં માનવજાતનું કલંક છે. અને એ વાતનો પરિચય એણે હિન્દુઓની પીડા વ્યક્ત કરતી ફિલ્મ વિશે વિધાનસભાની અંદર બિભત્સ ટિપ્પણી કરીને આપી દીધો છે.

યાદ રહે, આ એ જ ફેકરીવાલ છે જેણે અયોધ્યામાં રામમંદિરની વિરુદ્ધમાં નિવેદનો કર્યા હતા એટલું જ નહીં પરંતુ એના એનાર્કિસ્ટ જૂથના એક સાંસદે રામમંદિર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ દાખલ કરી હતી. આ એ જ ફેકરીવાલ છે જેના નાકની નીચે દિલ્હીમાં તોફાન થયા હતા અને એ તોફાનના મોટાભાગના આરોપી એના એનાર્કિસ્ટ જૂથના છે. યાદ રહે, આ એ જ ફેકરીવાલ છે જેણે દિલ્હીની સિંઘુ સરહદે રસ્તા રોકીને બેસી ગયેલા ખાલિસ્તાન-પ્રેરિત અરાજકતાવાદીઓને એક વર્ષ સુધી વીજળી અને પાણી પૂરા પાડ્યા હતા. અને હા, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા એણે જ માગ્યા હતા ને!

માઓવાદી-મિશનરી અને જેહાદી ડીએનએમાંથી બનેલા વર્ણસંકર પાપીયા દેશનું વધુ એક વિભાજન કરાવી નાખે એ હદે જોખમી છે, માટે સાવધાન ગુજરાતીઓ..!

ખેર, બંગાળ અને દિલ્હીનાં બે અનિષ્ટ તત્વોની વધારે પડતી નકારાત્મક વાતો થઈ ગઈ, હવે થોડી હકારાત્મક વાત કરી લઇએ. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરની ચૂંટણીમાં જીતેલા ચારેય રાજ્યમાં મુખ્યપ્રધાનોને યથાવત્ રાખ્યા છે – એનું કારણ શું? એનું કારણ એ જ કે, દેશનો આ એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જે નેતાઓ તેમજ કાર્યકરોના વ્યક્તિગત પરફોર્મન્સને મહત્ત્વ આપે છે. તે ઉપરાંત એ નેતાઓ – કાર્યકરોમાં નેતૃત્વની ક્ષમતા કેવી છે, તેઓ પોતાની સાથેના તમામને સંગઠિત રાખીને આગળ વધી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ, આવા નેતાઓ – કાર્યકરોની છબી સ્વચ્છ છે કે નહીં – વગેરે બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.

યોગી આદિત્યનાથ, પુષ્કરસિંહ ધામી, પ્રમોદ સાવંત તથા એન. બિરેનસિંહઆ ચારેય મુખ્યપ્રધાનોએ રાષ્ટ્રવાદને સર્વોચ્ચ સ્થાને રાખીને, કોઇપણ જાતિ-ધર્મ-સંપ્રદાય વચ્ચે ભેદભાવ રાખ્યા વિના કામગીરી કરી બતાવી છે. કેન્દ્રીય નેતૃત્વની મહેનતની સાથે સાથે આ ચારેય નેતાઓની પ્રામાણિક કામગીરીએ જ તેમને મુખ્યપ્રધાનપદનો તાજ ફરી પહેરાવવામાં આવ્યો છે. રાજકીય પક્ષમાં જૂથવાદ ન જ હોય એવું શક્ય નથી. તમામ રાજકીય પક્ષોમાં જૂથવાદ તો હોય જ, ભાજપ પણ એમાંથી બાકાત ન હોય, છતાં ભાજપ વિશે દેશવાસીઓને એટલી ખાતરી છે કે, નાની-મોટી નારાજગી છતાં મૂળ-ભાજપના કોઈ નેતા પક્ષને તોડીને દેશ નબળો પડે એવું કોઈ પગલું નહીં લે. હા, બીજા પક્ષમાંથી વરસાદી દેડકાની જેમ માત્ર લાભ ખાટવા ભાજપમાં આવ્યા હોય અને ઈચ્છિત ન મળે તો નાસભાગ કરે એ વાત અલગ!

છેલ્લા એક અઠવાડિયાના ઘટનાક્રમ દ્વારા ત્રણ અલગ અલગ પક્ષના પ્રજા અને દેશ પ્રત્યેના વલણનો સંકેત મળે છે, છેવટે હુકમનું પત્તું ઈવીએમ-ના બટન સ્વરૂપે પ્રજાના હાથમાં હોય છે,  વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment