Showing posts with label Yogi. Show all posts
Showing posts with label Yogi. Show all posts

Saturday, June 9, 2018

ભાઈ, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (2)


ભાઈ, તારી વાત સાચી છે કે ભારતમાં લોકશાહી જોખમમાં છે (2)

--- અલકેશ પટેલ (કર્ણાવતી)

ગયા બુધવારે આપણે ગોવાના પાદરીના સંદર્ભમાં ભારતની લોકશાહી જોખમમાં હોવાની વાત કરી. એ વાતને આગળ વધારીએ... હવે આવાં તત્વોની સાથે નક્સલવાદીઓ પણ ભળ્યા છે... અર્બન નક્સલવાદીઓ...

શા માટે આવા લોકોને ભારતની લોકશાહી જોખમમાં હોવાનું લાગે છે?
આવા લોકોને ભારતની લોકશાહી જોખમમાં હોવાનું લાગે તેનું કારણ એ છે કે એમના ગોરખધંધા ઉપર નિયંત્રણ આવી રહ્યું છે. આ ગોરખધંધા એટલે ધર્માંતરના ધંધા.

સાચી વાત એ છે કે દેશમાં છેલ્લી કેટલીય સદીઓથી, (હા, કેટલીય સદીઓથી) ખ્રિસ્તી, ઇસ્લામ અને માઓવાદીઓની ત્રેખડ રચાયેલી છે અને તેમને આ દેશના જ કેટલાક સ્વાર્થી, અનૈતિક રાજકીય પક્ષોનો સાથ મળેલો છે.

આ ત્રેખડમાં સૌથી વધારે ખતરનાક તત્વો હોય તો એ નક્સલવાદીઓ છે – માઓવાદીઓ છે. આ તત્વો ડાબેરી વિચારધારાથી પીડાતા હોય છે. ડાબેરી વિચારધારાનું મૂળ હિંસક હોય છે. આ નક્સલવાદી-માઓવાદી ડાબેરી તત્વો આપણી આસપાસ જ હોય છે અને સતત આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ વિરુદ્ધ કાવતરાં કરતા રહે છે. આ તત્વો ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાઓ તેમજ સનાતન ધર્મમાં ખામીઓ રહેલી છે એવું યુવાનો અને મહિલાઓને સતત કહેતા રહે છે. યુવાનો અને મહિલાઓને નિશાન બનાવવાનું સહેલું છે કેમકે તેઓ ભાવુક હોય છે. દુનિયાના દરેક સમાજમાં હંમેશાં યુવાનો અને મહિલાઓના એક વર્ગને એવું લાગ્યા કરતું હોય છે કે પરિવારમાં – સમાજમાં તેમની સાથે અન્યાય થાય છે.

બસ, આ જ લાગણીનો આ નક્સલવાદી-માઓવાદી ડાબેરી તત્વો ગેરલાભ ઊઠાવતા હોય છે અને કહેવાતી મહિલા સમાનતાના નામે તેમને ભોળવીને સનાતન-હિન્દુ ધર્મ વિરોધી બનાવી દે છે. ભોળવાયેલી આ યુવતીઓ – મહિલાઓ ધીમે ધીમે ખ્રિસ્તી તેમજ અન્ય જેહાદી તત્વોની જાળમાં ફસાય છે અને ધર્માંતર કરી લે છે.

આ ત્રેખડી તત્વોએ જ ભેગા મળીને નરેન્દ્ર મોદીની હત્યા કરવાનું ભયંકર કાવતરું પણ ઘડી કાઢ્યું છે...કેમકે મોદી અને યોગી જેવા પ્રખર રાષ્ટ્રવાદી મહાનુભાવો ભાંગફોડિયા ખ્રિસ્તી-જેહાદી-નક્સલી તત્વોને રોકવા સમર્થ હોય છે.

આ ત્રેખડનું આખું એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે જેના માટે ચીન, વેટિકન તેમજ સાઉદી અરેબિયામાંથી નાણાંની વ્યવસ્થા થતી હોય છે. આગળ એ વિગતો જાણતા રહીશું... પરંતુ સાથેસાથે એ જાણવું – સમજવું જરૂરી છે કે દેશમાં એકાએક લોકશાહી અને બંધારણ જોખમમાં હોવાનાં રોદણાં શા માટે શરૂ થયાં..!?

તો મળીશું આ જ સ્થળે...(ક્રમશઃ) --- અલકેશ પટેલ (કર્ણાવતી)

પ્રથમ ભાગની લિંક --- (https://keshav2907.blogspot.com/2018/06/1.html