સત્ય પીડા આપે, પરંતુ અસત્ય તો હત્યા પણ કરી નાખે!
n મૂળ લેખકઃ Nandini Bahri-Dhanda
n અનુવાદઃ
અલકેશ પટેલ
શેખર
ગુપ્તા જેવા લોકો હજુ પણ એમ કહ્યા કરે કે, સમાજના એક વર્ગને બાકીના લોકો કરતાં
વધારે મહત્ત્વ મળવું જોઇએ, નાજૂક જીવોની જેમ તેમનું રક્ષણ કરવું જોઇએ, તેમની
આળપંપાળ કરવી જોઇએ, તેમની સતત ખુશામત કરતા રહેવું જોઇએ જેથી તેઓ આપણા બધાની
વિરુદ્ધમાં ન પડે! કેટલી
હાસ્યાસ્પદ વાત છે!
આશ્ચર્યની વાત છે કે આવા (શેખર ગુપ્તા જેવા) લોકો એ સમજી જ
શકતા નથી કે આવા ભયને કારણે જ આપણી લોકશાહીમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતને વિકૃત
કરી નાખ્યો છે અને આપણને સૌથી વધુ નુકસાન કર્યું છે.
આવી જ
રીતે આપણને એક વખત કહેવામાં આવ્યું હતું કે, “દેશનાં સ્ત્રોતો ઉપર પહેલો અધિકાર
એમનો છે” (ભૂતપૂર્વ
વડાપ્રધાન મનમોહનસિંહનું નિવેદન યાદ છે ને?) એ દ્વારા એવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, બીજા
કોઇપણ નાગરિકો કરતાં આ ચોક્કસ વર્ગની લાગણીઓ, સંદેવનો તેમજ ધાર્મિક બાબતોનું માન
જાળવવામાં આવે.
જોકે, આવા વલણનું પરિણામ એ આવ્યું કે, બીજો વર્ગ હવે ખુલ્લેઆમ
પોતાનો વિરોધ અને આક્રોશ વ્યક્ત કરતાં ખચકાતો નથી. શિક્ષણનું ક્ષેત્ર હોય કે
ધાર્મિક સ્થળો ઉપર સરકારી નિયંત્રણનો મામલો હોય, તહેવારો તથા પરંપરાની ઊજવણી હોય
કે પછી અખબારી અહેવાલોમાં અપરાધીઓના નામો સંતાડવાની બદમાશીભરી ચાલાકી હોય. આક્રોશ
અને વિરોધ સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યા છે.
હવે તો એવું લાગે છે કે, સર્વોપરિતાની વાત તો બાજુમાં રહી
પરંતુ માત્ર સમાનતાની માગણી થાય તો પણ દાયકાઓથી વિશેષાધિકારો ભોગવતો વર્ગ અસાલમતી
અનુભવે છે! અસાધારણ રીતે શાંત રહેલી બહુમતી
હવે અવાજ ઉઠાવી રહી છે એ જોઇને સેક્યુલારિઝમના ઝંડાધારીઓને આઘાત લાગ્યો છે. તેઓ
બહુમતીના અવાજને ધૃષ્ટતા ગણાવવા લાગ્યા છે!
શું બુદ્ધિજીવીઓ તેમજ મીડિયાના અમુક વર્ગની આંખ આડે પડદા
પડી ગયા છે કે પછી નવા વિચારોથી વંચિત થઈ ગયા છે જેથી ભૂતકાળની ભૂલો સ્વીકારવાને
બદલે અને સાથે જ ચોક્કસ વર્ગની ખુશામતના એ જ જૂના વિચારોના પ્રચારનો અતિરેક કરીને
હજુ તેઓ તમામ સમુદાય એકબીજામાં ભળી જાય, સંગઠિત થાય તથા તમામને સમાન તક મળે એવું
સૂચન કરવા પણ તૈયાર નથી?
લાગે તો એવું છે કે એ લોકોના તમામ પ્રયાસ એક સમુદાયને અલગ જ રાખવા માટેના છે.
માનસિક અને શારીરિક ઘેટ્ટોની સ્થિતિ લાંબાગાળે નથી સમુદાય માટે લાભદાયક કે નથી દેશ
માટે. ખરેખર કમનસીબ બાબત છે કે ભાગલાના 74 વર્ષ પછી પણ એ બદમાશ ટોળી હજુ પણ આપણી
વચ્ચે છે જેને કારણે આપણે આ સ્થિતિમાં મૂકાયા છીએ. આપણને તેમના વિરોધી તરીકે અંકિત
કરી દીધા છે. તેઓ તેમની ભૂલોને અલગ અલગ આવરણોથી ઢાંકી દેવા સતત પ્રયત્નશીલ છે.
--------x-------x---------
અને આ બધા પછી, આ ગંભીર સમસ્યાનું સરળીકરણ કરીને તથા જે કંઈ બની રહ્યું છે તે તેને
ગંભીરતાથી લેવાને બદલે હળવાશથી લેવાનો તર્ક કોઈ એક રવિવારે સવારે આપણા માથે મારી
દેવામાં આવે છે.
આપણી સમક્ષ એવાં ચાગલા-ચુગલા નિવેદનો કરવામાં આવે છે કે, “આધુનિક ભારતમાં ‘હિન્દુત્વ પહેલાંના સમયમાં’ ઉછરેલા મારી પેઢીના લોકો માટે
ઇસ્લામ એટલે પાંચ વખતનની નમાજ નહીં પરંતુ કવિતા, સાહિત્ય, સિનેમા અને સંગીત.
ભારતના ઇસ્લામે આ બધી બાબતો છોડી નથી દીધી(!). હિન્દુત્વ પહેલાંના દિલ્હી સાથે જોડાયેલી મારી ભૂતકાળની યાદો છે. એ સમયે
અમે મુશાયરામાં જતા અને દર ગુરુવારે સાંજે કવ્વાલી સાંભળવા નિઝામુદ્દીન ઓલિયાની
દરગાહે જતા અને જામા મસ્જિદની બાજુમાં કરીમના રેસ્ટોરામાં સવારે નાશ્તો કરવા જતા.”
કૉલમ લેખિકા (તવલીન સિંહ) આવી બધી ચાગલી-ચુગલી વાતો
કરે ત્યારે પ્રશ્ન એ થાય કે તો પછી શા માટે 1947માં પંજાબ અને પશ્ચિમ બંગાળ રાજ્યો
બે-બે ભાગમાં વહેંચાઈ ગયા? અને તો પછી કહેવાતા હિન્દુત્વ-પૂર્વેના
ભારતમાં સેંકડોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ કોમી તોફાનો શા માટે થતાં હતાં?
જો સ્પષ્ટ અભિપ્રાય આપવાના મારા અધિકારનો ઉપયોગ કરી
શકું તો હું કહેવા માગું છું કે, જે લોકો “કવ્વાલી સાંભળવા દરગાહમાં જતા હતા અને બ્રેકફાસ્ટ કરવા જામા મસ્જિદ પાસે
કરીમના રેસ્ટોરામાં જતા હતા” ...એ લોકોએ રાજકારણીઓ દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલી
અધકચરી ધર્મનિરપેક્ષતાના વિકૃત રાજકારણ સામે તેમની આંખો બંધ કરી દીધી હતી. આ
(તવલીન સિંહ જેવા) લોકોએ કોમી તોફાનો અને તેના અત્યાચારોનો ભોગ બની રહેલા બહુમતી
સમુદાયના સામાન્ય ભારતીય નાગરિકોના આક્રંદ પ્રત્યે આંખ આડા કાન કરી લીધા હતા. એ
રાજકારણીઓ અને એ ધર્મનિરપેક્ષતાના ઝંડાધારીઓને ચિંતા નહોતી, કેમ કે કોમી તોફાનો
પછીની સ્થિતિનો તેમને લાભ મળતો હતો. બધા જ એ લાભ લેવા મેદાનમાં હતા.
હવે જરા હકીકત તરફ નજર કરી લઇએ તો, “હિન્દુત્વ પહેલાંના ભારત” માં મારી પેઢીના જે લોકો 33 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે આટલાં કોમી તોફાન
જોયાં હતાં –
રાંચી - 1967
અમદાવાદ - 1969 અને 1973
મોરાદાબાદ - 1980
નેલ્લી –
1983
ભિવંડી –
1983
ગુજરાત –
1985
જમ્મુ અને
કાશ્મીર – 1986
મેરઠ – 1987
દિલ્હી –
1987
ઔરંગાબાદ –
1988
મુઝફ્ફરનગર –
1988
ભાગલપુર –
1989
કોટા – 1989
બદાયું –
1989
ઇન્દોર –
1989
કાશ્મીરી
પંડિત – 1990
કર્નલગંજ –
1990
ગુજરાત –
1990
કર્ણાટક –
1990
હૈદરાબાદ –
1990
કાનપુર –
1990
આગરા – 1990
ગોંડા – 1990
ખુરજા – 1990
સહારનપુર – 1990
મેરઠ – 1991
વારાણસી –
1991
સિતામઢી –
1992
મુંબઈ – 1992
કર્ણાટક –
1992
હુબલી – 1994
બેંગલોર –
1994
અને આમછતાં,
કેટલાક લોકોને કરીમની રેસ્ટોરાનો ચટાકેદાર બ્રેકફાસ્ટ જ યાદ રહે છે!
આ માટે શેરીઓમાં થોડું લોહી રેડાય તો પણ શું...?
“જો
તમે હંમેશાં એવું માનતા હોવ કે દરેકે એક સરખા નિયમો સાથે રમવું જોઇએ અને દરેકનું મૂલ્યાંકન
એક સમાન ધોરણે થવું જોઇએ, તો આવી માન્યતા બદલ 60 વર્ષ પહેલાં તમને કટ્ટરવાદી ગણાવી દેવામાં આવત, 30 વર્ષ પહેલાં લિબલર ગણવામાં આવત અને આજે
જાતિવાદીનું લેબલ તમારા ઉપર ચોંટાડી દેવામાં આવત” – થોમસ સોવેલ
(મૂળ અંગ્રેજી લેખ વાંચવા નીચેની લિંક ઉપર ક્લિક –
ક્લિક >>>
https://nandinibahri-dhanda.blogspot.com/2021/09/truth-hurts-but-lies-kill.html?m=1&s=03#more
સરસ આંકલન દરેક લીબરલ અને ગુનાહિત વૃત્તિ થી પીડાતા હિન્દુ એ વાંચવું જોઇએ
ReplyDelete