Sunday, September 5, 2021

ગાય, ભારત અને માનવસભ્યતા

 



--- રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે સૌ શિક્ષકોને ચરણવંદન. 

દેશની એક હાઇકોર્ટે આ અઠવાડિયે ગાય વિશે અત્યંત આવકારદાયક ટિપ્પણી કરીને કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં. હાઇકોર્ટના એ નિરીક્ષણને પગલે વધુ એક વખત ગાય તરફ સૌનું ધ્યાન દોરાયું છે.

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

થોડા મહિના પહેલાં કોરોના રોગચાળો પીક ઉપર હતો ત્યારે તમારામાંથી ઘણા બધાએ સોશિયલ મીડિયામાં વાયરલ એક ફોટો તેમજ વીડિયો જોયો હશે, જેમાં મૂળ અમેરિકી ગોરા નાગરિકો માનસિક શાંતિ મેળવવા માટે ગાયોને ભેટીને બેઠેલા જોવા મળ્યા હતા. મહારોગચાળા અને તેને કારણે આવેલા લૉકડાઉન અને આર્થિક મંદીથી માનસિક રીતે અસ્વસ્થ લોકો ગાયને ભેટીને, તેની પાસે બેસીના શાતા મેળવતા હતા. આ વાત યાદ કરાવવાનું કારણ હજુ માંડ પાંચ દિવસ પહેલાં એટલે કે પહેલી સપ્ટેમ્બરે અલ્હાબાદ હાઇકોર્ટે ગૌહત્યાના એક આરોપી જાવેદની જામીન અરજી પરની સુનાવણી દરમિયાન કરેલાં નિરીક્ષણો છે. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નિરીક્ષણ કર્યું કે, ગાય એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે અને ગૌમાંસ ખાવું એ કોઇનો મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. ખાવાના અધિકારના નામે એક જીવનો ભોગ લેવો એ કોઈ રીતે યોગ્ય નથી તેમ પણ અદાલતે કહ્યું છે.

હાઇકોર્ટનું એ વિધાન અત્યંત સચોટ છે કે, ગૌમાંસ ખાવું એ કોઇનો પણ મૂળભૂત અધિકાર હોઈ જ ન શકે. હકીકતે, જેહાદી માનસિકતા ધરાવતા અમુક લોકોના ગૌમાંસ ખાવાના કટ્ટરવાદી વલણને કારણે જ ભારતમાં અનેક સદીથી હિન્દુ-મુસ્લિમ તણાવ રહ્યા કર્યો છે. હિન્દુઓ ગાયને પવિત્ર ગણે છે અને માતાનો દરજ્જો આપે છે અને તેથી હિન્દુઓને માનસિક રીતે હેરાન કરવા તથા તેમની શ્રદ્ધાને તોડી પાડવાના મલેચ્છ ઇરાદાથી ગૌમાંસ (બીફ) ખાવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ એ માટે ગાયોની ખૂબ મોટાપાયે દાણચોરી થાય છે. વળી આ દેશના કમનસીબે બદમાશ મીડિયા ગૌમાંસ ભક્ષકો અને ગૌ-તસ્કરોને છાવરે પણ છે! જો આવું બધું ન થતું હોત તો હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ દેશમાં હિન્દુ-મુસ્લિમ તણાવ આટલો બધો ન હોત.

ખેર, આજના લેખનો મુદ્દો પવિત્ર ગાયમાતા, તેના અસ્તિત્વનું મહત્ત્વ અને તેની સાથે સંકળાયેલા અર્થતંત્રનો છે. ગાય માત્ર પશુ નથી. ગાય એક જીવંત કામધેનુ છે. તેની હાજરી પણ જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરાવે છે. ગાયનું દૂધ તો દૂધ, પણ તેનું છાણ-મૂત્ર પણ માનવ સભ્યતાના જીવનચક્રને ચલાવવા માટે ઉપયોગી છે. એટલે જ – સ્કંદપુરાણમાં કહ્યું છેઃ

त्वं माता सर्वदेवानां त्वं च यज्ञस्य कारणम्।

त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेडस्तु सदानधे

છતાં મિશનરી અને જેહાદી માનસિકતાના લોકો ઉપરાંત એ બંનેનું પોષણ કરનારા કથિત સેક્યુલર તત્વો ભલે ગાયના મહત્ત્વનો સ્વીકાર નથી કરતા, પરંતુ આધુનિક વિજ્ઞાન તેમજ પશ્ચિમી સંશોધકો તો ગાયના મહત્ત્વને સ્વીકારતા થયા છે – અને હા, આ વાતની  ગૂગલ કરીને ખાતરી કરી શકાય છે. મારી દૃષ્ટિએ તો આધુનિક વિજ્ઞાન અને પશ્ચિમી સંશોધકોનો હવાલો આપવો એ બાબત જ સાવ તુચ્છ અને છીછરી છે. કેમ કે, છેક વેદકાળથી ગાયના સનાતન મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવેલો છે. કહેવાય છે કે, વેદોમાં કુલ 1,311 વખત ગાયનો ઉલ્લેખ છે, જે પૈકી ઋગ વેદમાં 723 વખત, યજુર્વેદમાં 87, સામવેદમાં 170 તથા અથર્વવેદમાં 331 વખત ગાયનો ઉલ્લેખ આવે છે. હકીકતે તમામ દેવી-દેવતાનો વાસ ગાયમાં હોવાનું સનાતની પરંપરામાં સ્વીકારવામાં આવેલું છે.

છેક 18મી સદી સુધી ઋષિઓ દ્વારા ચાલતી ગુરુકુળ પરંપરામાં ગુરુની સાથે જ ગાયને પણ સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું હતું. આજની તારીખે પણ જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે છે (કર્ણાટક, ગુજરાત વગેરે રાજ્યોમાં) ત્યાં ગૌશાળાઓ અચૂક જોવા મળે છે. ગુજરાતમાં તો સરકારે આખી કામધેનુ યુનિવર્સિટી સ્થાપી છે જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગનું શિક્ષણ આપવામાં આવે છે.

અલ્હાબાદ હાઇકોર્ટના જજ શેખરકુમાર યાદવે ભલે તટસ્થતા જાળવવાના પ્રયાસમાં એવું કહ્યું હોય કે ગાયનું ધાર્મિક મહત્ત્વ નથી પરંતુ ગાય ભારતની સાંસ્કૃતિક પરંપરાનો આધાર છે, પણ હકીકતે ભારતની સાંસ્કૃતિક પરંપરા એટલે જ સનાતન પરંપરા. એ પરંપરાને ખતમ કરવા માગતા તત્વો જ ગૌમાંસ ખાવાને પોતાનો અધિકાર ગણાવી દીધો અને નબળા, દંભી, ભ્રષ્ટ રાજકારણીઓએ થોડા મત માટે થઇને હિન્દુ સમાજની લાગણી ઉપર થઈ રહેલા કુઠારા ઘાતને અટકાવ્યો નથી. એવું નથી કે, ગૌવંશના રક્ષણ માટે કોઈ પ્રયાસ નથી થયા કે પછી કોઈ કાયદા નથી બન્યા. પ્રયાસ પણ થયા છે અને કાયદા પણ બન્યા છે, છતાં નબળા અને ભ્રષ્ટ રાજકારણીઓની સાથે સાથે હાડકું પણ ચૂસી લેવાની વૃત્તિ ધરાવતા (અમુક) સરકારી અધિકારીઓ અને પોલીસતંત્ર પણ ગૌવંશની ચોરી અને ગૌહત્યા રોકવામાં નિષ્ફળ ગયા છે એવું તારણ ન્યાયમૂર્તિ શેખરકુમાર યાદવની ટિપ્પણીમાંથી કાઢી શકાય. આશા રાખીએ કે, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની તેમજ ગાયના રક્ષણને હિન્દુઓના મૂળભૂત અધિકાર ગણવાની હાઇકોર્ટની ભલામણનો સ્વીકાર થાય, અને જો એવું થશે તો આ દેશનું અર્થતંત્ર ફરી સુદર્શન-ગતિએ આગળ વધી શકશે.

છેલ્લે એક વાતનો સ્વીકાર કરવો જ જોઇએ કે, ગૌવંશની ચોરી અને ગૌહત્યામાં માત્ર જેહાદીઓ કે મિશનરીઓ જ જવાબદાર નથી, પણ કેટલાક લાલચુ અને વર્ણસંકરની પેદાશ સમાન હિન્દુઓ પણ જવાબદાર છે. અમુક પશુપાલકો પણ ગાયોને ગમેત્યાં છોડી દઇને ગૌહત્યાનો ભોગ બનવા દે છે. મોટાભાગના હિન્દુઓ ઘણી બધી અયોગ્ય જગ્યાએ ખર્ચા કરે છે અને ખોટી ખોટી જગ્યાએ દાન ઠાલવતા રહે છે, તેને બદલે જો ગૌશાળાઓમાં દાન કરે તો ગૌવંશને બચાવી શકાય તેમ છે. વિચારજો.

1 comment: