Sunday, September 5, 2021

છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 




છંદ છોડીને કુછંદે ચડેલા કવિને ખુલ્લો પત્ર

 

કવિ મહાશય, છેલ્લા થોડા સમયથી તમે છંદ છોડીને કુછંદે ચડ્યા છો. તમને હિન્દુ, હિન્દુત્વ, ભાજપ, સંઘ, વિહિંપ – આ બધાને લગતી તમામ બાબતો અને આ બધા સાથે જોડાયેલા લોકો મુર્ખ, ડફોળ, હિંસક, પાપી, અપ્રામાણિક લાગે છે. તેથી વિરુદ્ધ એબ્રાહેમિક પંથો સાથે જોડાયેલા લોકો મહાન, પ્રામાણિક, શાંતિપ્રિય, વિદ્વાન લાગે છે. તમારી આવી માનસિક સ્થિતિનો સામાન્ય સંજોગોમાં કોઈ ઉપાય નથી.

કવિ મહાશય, આ સ્થિતિને ભ્રમણાની સ્થિતિ કહે છે અને આવી ભ્રમણા કાર્લ માર્ક્સ નામના એક આળસુ, મફતખોરે સમાજ અને દેશોને તોડવાની એક થીયરી ઘડી કાઢી હતી ત્યારથી તમારા જેવા ઘણા લોકો તેના વાયરસની અસરમાં આવ્યા અને મુક્ત થતા નથી.

ખેર, કવિ મહાશય, આપના ત્રણ ઊંબાડિયા વિશે વાત કરવી છે એટલે આ પત્ર લખ્યો છે. એક તો આપે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો હતો તે બદલ. બીજું આપે સ્વામી વિવેકાનંદ જે બોલ્યા જ નથી એ વાત એમના મોંમાં મૂકી તે બદલ. અને ત્રીજું, આપે ઋગ્વેદનું અનર્થઘટન કરવાની જે બદમાશી કરે તે બદલ.

સામાન્ય રીતે મારી માન્યતા એવી છે કે, કાદવમાં પથ્થર ન નાખવો, શ્વાનને ન છંછેડવું. પણ આપે જે ધૃષ્ટતા (અનેક અર્થમાંથી કનિષ્ઠ અર્થમાં) શરૂ કરી છે તેથી મને લાગ્યું કે એક જાગ્રત સનાતની તરીકે જવાબ તો આપવો જોઇએ.

એક વ્યક્તિ તરીકે, એક કહેવાતા કવિ તરીકે, એક કહેવાતા પ્રબુદ્ધ નાગરિક તરીકે તથા એક વૃદ્ધ વ્યક્તિ તરીકે આપને આપનો અભિપ્રાય હોય એમાં કોઇને કશો વાંધો ન હોવો જોઇએ, હોઈ પણ ન શકે. છતાં જવાબ આપવો, સંવાદ કરવો એ પણ ઉચ્ચ સનાતની પરંપરા જ છે.

સાચી વાત એ છે કે, આપના જેવા ઘણા કહેવાતા સર્જકો આભાસી દુનિયામાં જીવતા હોય છે. આપના જેવા કહેવાતા સર્જકને વિવિધ પ્રજાતિના લોકો વખાણતા હોય છે એટલે આપના જેવા લોકોને એમ લાગતું હોય છે કે આપ દુનિયાનું સૌથી મહાન કામ કરી રહ્યા છો. આ વખાણ કરનારાઓમાં હિંસાખોર-અસહિષ્ણુ માઓવાદીઓ પણ હોય છે, ધર્માંતરના સ્પષ્ટ ઇરાદા સાથે સમાજમાં રખડતા મિશનરીઓ પણ હોય છે. અને હા, તેમાં અર્થાત આ વખાણ કરનારાઓમાં હૃદયના ઊંડાણમાં જેહાદી માનસિકતાનું પાલન-પોષણ કરતા, પરંતુ ચહેરા ઉપર મહોરાં અને જીભ ઉપર આભાસી મીઠાશ (મીઠાશ જોખમી હોય છે એ તો જાણતા જ હશો ને કવિ!) રાખતા લોકો પણ હોય છે.

હવે સમસ્યા એ ઊભી થાય છે કે, આપના જેવા કહેવાતા સર્જકોને એમ લાગે છે કે, આ બધા મારી સાથે આટલું સારી રીતે વર્તે છે એટલે મારે એમનું માન જાળવવા હિન્દુડાઓને ગાળો તો દેવી પડે. અને એ શરૂ કરી દો. એવું શરૂ કરો એટલે એ વખાણ-પ્રજાતિ વધારે ખુશ થાય અને તમારા વધારે વખાણ કરે. એમાં ધીમે ધીમે ઇકોસિસ્ટમ પણ ગોઠવાતી જાય. મીડિયામાં બેઠેલા આવાં તત્વોના સ્લીપર સેલ તમને કોલમું લખવા નિમંત્રણ આપે. એમની બીજી ઇકોસિસ્ટમ આપના જેવા સર્જકો માટે માન-અકરામ-પુરસ્કારની ગોઠવણ કરે. જે કવિતાના ચાર-આનાય નહોતા ઉપજતા એવી કવિતાઓના સર્જકને આ બધું મળે તો ગલગલિયાં તો થાય ને! અને એ ગલગલિયાં કહેવાતા સર્જકોને કુછંદે ચડાવી રહ્યાં છે.

કવિ મહાશય, મારી ચિંતા અલગ છે. મારી ચિંતા તમારા જેવા તત્વોને કારણે આ સમાજમાં જે વિભાજનનાં બીજ રોપાઈ રહ્યાં છે તે છે. મારી ચિંતા 800-900 વર્ષ પહેલાં જેહાદીઓના આક્રમણથી ડરીને તેમની પૂંઠે ભરાઈ ગયેલા અને તેમને મહાન ચીતરતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાને સાચા અને નિર્દોષ સાબિત કરવા મથામણ કરવી પડે છે – તે છે. મારી ચિંતા 18મી-19મી સદીમાં વેપાર કરવાના નામે આ દેશમાં આવેલા અને દેશ એમના પિતાશ્રીની જાગીર હોય એમ કબજો જમાવી બેઠેલા અંગ્રેજોની ભાટાઈ કરવા આજ સુધી કુરનિશ બજાવતા તમારા જેવા કહેવાતા સર્જકોને કારણે સનાતનીઓએ આજે પણ પોતાનાં મૂળ સાબિત કરવા માથામણ કરવી પડે છે – તે છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકોની મુશ્કેલી એ હોય છે કે આપની પ્રજાતિને સર્વસમાવેશી સનાતની સમુદાયમાં તમામ પ્રકારની ખોટ દેખાય છે, કેમ કે એ ખોટ તમારા માટે ઇકોસિસ્ટમ ઊભી કરનાર મિશનરી અને જેહાદી પ્રજાએ બતાવેલી હોય છે.

કવિ મહાશય, આપના જેવા કથિત સર્જકો એ વાત સગવડપૂર્વક ભૂલી જાય છે કે, આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુહમ્મદ ઘોરી આટલી બધી વખત હુમલા કરી શક્યો જ ન હોત. આ જ હિન્દુ સમાજ જો- તમે માનો છો એવો અસહિષ્ણુ અને હિંસક હોત તો મુઠ્ઠીભર અંગ્રેજોને મસળી ન નાખત? બે દિવસ પહેલાં તમે ઋગ્વેદની ઋચાઓના નામે ફરી વખત હિન્દુ સમાજને અપમાનિત કરવાની ગલીચ હરકત કરી.

કવિ મહાશય, તમારા અજ્ઞાન ઉપર દયા આવે છે. દયા એ વાતની આવે છે કે, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ વિશે તમને રાઈના દાણા જેટલી પણ જાણકારી નથી. તમારા જેવા તત્વો ઉપર દયા એટલા માટે આવે છે કે, વિરાટ અખંડ ભારતમાંથી સમેટાઈ-સમેટાઈને હિન્દુ આજે 1947 પછીના ભારતમાં પણ માંડ 20 રાજ્યમાં થોડી-ઘણી બહુમતીમાં રહ્યો છે અને તો પણ તમે ઋગ્વેદનો હવાલો આપીને અમને એ મિશનરીઓ અને એ જેહાદીઓના પગમાં પડવાનું કહો છે જે અમને કાફર માને છે?

કવિ મહાશય, આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે લાખોની હત્યા કરનાર માઓ અને તેના પગલે ચાલતા માઓવાદીઓને એક શબ્દ બોલવાની તમારામાં હિંમત નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 2000 વર્ષ પહેલાં કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા કરીને છૂટા પડેલા અને આભાસી વ્યક્તિના નામે કહેવાતું પવિત્ર પુસ્તક લખીને પંથ ઊભો કરનારા, પહેલાં હિંસાથી અને ત્યારબાદ સામ-દામ-દંડ-ભેદથી દુનિયાના 100 કરતાં વધુ દેશોમાં ધાર્મિક શાસન સ્થાપનાર મિશનરીઓની અસલિયત દેખાતી નથી. આપના જેવા સર્જકો હકીકતે માનવ સભ્યતાનું કલંક છે, કેમ કે માંડ 1400 વર્ષ પહેલાં વધુ એક કબિલાઈ આધિપત્યના મુદ્દે ઝઘડા બાદ છૂટા પડેલા અને શાંતિપૂર્વક જીવન જીવતા મૂર્તિપૂજકોને કાફર ગણાવીને તેમનાં મંદિરો અને મૂર્તિઓના વિધ્વંસ ઉપરાંત તેમની કત્લેઆમ કરનાર જેહાદી માનસિકતાની અસલિયત તમને દેખાતી નથી.

આપના જેવા નિર્વીર્ય સર્જકો કીડીથી માંડીને સૃષ્ટિના તત્વોમાં ઈશ્વરનો વાસ જોનાર હિન્દુઓને ઋગ્વેદનું જ્ઞાન આપવા હાલી નીકળે છે, કેમ કે તમને ખબર છે કે તમે જેને હિંસક-અસહિષ્ણુ ગણાવો છો એ હિન્દુડો તો તમને બે-ચાર ગાળો દઇને સાંજે ખીચડી-દૂધ ખાઈને સૂઈ જશે. પણ જો, પેલા મિશનરી-જેહાદી-માઓવાદી વિશે આવું કશું બોલ્યા તો...!?

કવિ મહાશય, હિન્દુઓનાં હજારો મંદિરો તોડી નાખવામાં આવ્યાં છે અને એ વાત હિન્દુ વિદ્વાનોએ નહીં પરંતુ ગઝનીના સમયથી લઇને નહેરુના સમય સુધીના મુસ્લિમ ઇતિહાસકારોએ લખેલી છે, એ આપને ખબર છે? આમ તો તમારા જેવા તત્વો બહુ નબળા માણસો હોય છે એટલે મારી વાત નહીં માનો, છતાં વધારે નહીં પણ બે પુસ્તક વાંચવાનું સૂચન કરું છું – (1) Hindu Temples: What Happened to Them(2) Breaking India તથા (3) Know the Anti-Nationals આ ત્રણે પુસ્તક સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિએ થયેલાં સંશોધન આધારિત છે.

આશા રાખું છું, આ ત્રણે પુસ્તક વાંચી લો ત્યાં સુધી હવે ભાઈ-ચારા ની સુફિયાણી સલાહ હિન્દુઓને આપવાનું સ્થગિત રાખશો.

2 comments:

  1. Yesss....absolutely right.
    Verrry well said.

    આવી વ્યક્તિ માટે કવિ-મહાશય શબ્દ વાપરવો ઉચિત નથી લાગતો....

    ReplyDelete