Sunday, February 24, 2019

આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


આતંકિસ્તાન વિરુદ્ધ દેશહિતઃ તમે ક્યાં ઊભા છો?


--- 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF ઉપર આતંકી હુમલા પછી ભારત સરકાર એક પછી એક જે પગલાં લઈ રહી છે તેના પરથી નિશ્ચિત છે કે પાકિસ્તાન માટે આગામી સમય ઘણો કપરો હશે, પણ દેશ માટે તમે શું કર્યું..?

-- અલકેશ પટેલ

ભારતને નફરત કરતા પાકિસ્તાન તેમજ પાકિસ્તાન-વાદીઓએ આ વખતે ભારે કિમત ચૂકવવી પડશે એ નિશ્ચિત છે. પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં આપણી આસપાસ રહેતા પાકિસ્તાન-વાદીઓ કદાચ એ વાત ભૂલી ગયા હતા કે ભારતમાં હાલ ટુકડે ગેંગનો બચાવ કરનારી નહીં પરંતુ ટુકડે ગેંગ ઉપર પ્રહાર કરનારી સરકાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની વીરગતિને 10 દિવસ થયા છે અને આટલા સમયમાં પાંચ એવા મક્કમ પગલાં લેવામાં આવ્યા છે જેને કારણે પાકિસ્તાનની અંદર રીતસર ફફડાટ ફેલાઈ ગયો છે. એક તરફ પાકિસ્તાની લશ્કરની કાખઘોડી અને બીજી તરફ આતંકવાદીઓની કાખઘોડીના સહારે સત્તાસ્થાને બેઠેલા ઇમરાન ખાને 14 ફેબ્રુઆરીની આતંકી ઘટનાના પાંચ દિવસ પછી વીડિયો જાહેર કરીને ગોળ-ગોળ વાતો કરવી પડી એ જ બતાવે છે કે આ વખતે તો...

ખેર, આ બધાની વચ્ચે આજે અહીં એક અત્યંત અગત્યના મુદ્દે વાત કરવી છે. દેશ સાત દાયકા કરતાં વધારે સમયથી પાકિસ્તાનના આતંકથી પીડાઈ રહ્યો છે. આટલાં વર્ષોમાં પાકિસ્તાનીઓ ઓછામાં ઓછી ચાર વખત યુદ્ધના પ્રયાસ કરી ચૂક્યા છે. એક અઠવાડિયું એવું નથી જતું જ્યારે ના-પાક આતંકી હુમલાને કારણે આપણાં સશસ્ત્ર દળો કાંતો ઇજાગ્રસ્ત ન થાય અથવા વીરગતિ ન પામે. 2014 પહેલાં તો સ્થિતિ એ હતી કે આખા દેશમાં રોજેરોજ ડર અને ભયનો માહોલ રહેતો. આ ના-પાકીઓ ગમેત્યારે, ગમેત્યાં હુમલા કરતા અને સશસ્ત્ર દળોની સાથે સામાન્ય નાગરિકો પણ હણાતા હતા. છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય નાગરિકો મહદઅંશે સલામત છે, પરંતુ આપણાં સશસ્ત્ર દળો હજુ સંપૂર્ણ સલામત નથી.

તો મુદ્દો એ છે કે, આ પાકિસ્તાનીઓ તેમજ ભારતમાં બેઠેલા પાકિસ્તાન-વાદીઓ સામે સશસ્ત્ર દળો તો લડવાના જ છે, પરંતુ નાગરિકો તરીકે આપણે શું કરી શકીએ - એ વિશે કદી વિચાર્યું છે ખરું? આપણે બધા સરહદ ઉપર લડવા ન જઈ શકીએ. આપણે આપણી આસપાસ વસતા ત્રાસવાદીઓને ઓળખી ન શકીએ. પરંતુ શું આપણે આર્થિક રીતે, સામાજિક રીતે પાકિસ્તાનીઓને એકલા પાડી દઈને તેમને તેમની અસલિયતનું ભાન ન કરાવી શકીએ?!!

મને લાગે છે કે આવું થઈ શકે અને હકીકતે ધાર્યા કરતાં આ રીતે પાકિસ્તાનીઓ તેમજ તેમના ભારતમાં વસતા એજન્ટો સામે બદલો લેવાનું ઘણું સહેલું પણ છે. જે રીતે ગયા અઠવાડિયે ત્રણ રાષ્ટ્રવાદી ટીવી સમાચાર ચૅનલોએ આગામી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની હાકલ કરી એ સંપૂર્ણ યોગ્ય અને અસરકારક પગલું છે. વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનો બહિષ્કાર થવાથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ કંગાળ થઈ જશે અને એ લોકોએ સાચા અર્થમાં સજ્જન બનવું પડશે.

ક્રિકેટ ઉપરાંત ભારતીય નાગરિકોમાં જો ખરેખર દેશપ્રેમ હોય તો એવી તમામ હિન્દી ફિલ્મોનો બહિષ્કાર કરવો જોઇએ જેમાં આતંકિસ્તાની કલાકારોએ એક્ટિંગ કરી હોય અથવા ગીત ગાયાં હોય. ખૂબ મોટી સંખ્યામાં ભોળા ભારતીય નાગરિકોને ખબર જ નથી કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરવા આવતા અને અહીંથી લાખો-કરોડો રૂપિયા કમાતા આ આતંકિસ્તાની કલાકારો તેમના દેશ પાકિસ્તાનમાં જઇને ભારતની વિરુદ્ધમાં જ કામગીરી કરે છે. ખૂબ મોટી સંખ્યામાં ભોળા ભારતીય નાગરિકોને ખબર જ નથી કે, આ આતંકિસ્તાની કલાકારોને કારણે સોનુ નિગમ, અભિજિત મજુમદાર, કંગના રાણાવત, અક્ષય કુમાર, વિવેક ઓબેરોય જેવા રાષ્ટ્રવાદી કલાકારોને કામ મળતું નથી. આ રાષ્ટ્રવાદી કલાકારોને કામ નહીં મળવાનું કારણ એ છે કે આપણા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વર્ણસંકર જાતિના લોકોનું પ્રભુત્વ છે જેઓ પોતાની જાતને સેક્યુલર ગણાવે છે. આ સેક્યુલર-પ્રજાતિનું મુખ્ય કામ મુસ્લિમોની ખુશામત કરવાનું જ હોય છે. હવે જો દેશના સાચા રાષ્ટ્રવાદી નાગરિકોને આ વિષચક્ર સમજાય તો ખબર પડશે કે, આતંકિસ્તાની કલાકારો મુસ્લિમ છે. તેમના દબાણમાં આવી જતા ભારતના સેક્યુલર-પ્રજાતિના ડિરેક્ટર, નિર્માતા, સંગીતકારો, ફાઇનાન્સરો – એ બધા રાષ્ટ્રવાદી કલાકારોને કામ આપતા નથી. બીજી તરફ પાકિસ્તાની કલાકારોની હાજરી વાળી ફિલ્મોમાં ભારત, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મ અને ભારતીય સમાજની મજાક ઉડાડવામાં આવે છે.

સાચા નાગરિકો આવી ફિલ્મોનો પણ બહિષ્કાર કરીને દેશ-સેવા કરી જ શકે છે. સરકાર પોતાની રીતે આતંકિસ્તાનને કાબુમાં લેવા મથે છે. ભારતીય લશ્કર, સીઆરપીએ, બીએસએફ સહિત સલામતી દળો પોતાની રીતે આતંકીઓનો ખાત્મો બોલાવે છે. તો હવે રહ્યા આપણે સૌ... આપણે ક્રિકેટ અને હિન્દી ફિલ્મ જ્યાં જ્યાં પાકિસ્તાનીઓનો અપવિત્ર પડછાયો હોય તેનો બહિષ્કાર કરીને તેમને તેમનું સ્થાન બતાવીને દેશ-સેવાના યજ્ઞમાં થોડી આહુતી આપી શકીએ. વિચારજો.

No comments:

Post a Comment