Showing posts with label Apnugujarat. Show all posts
Showing posts with label Apnugujarat. Show all posts

Sunday, July 12, 2020

ભાજપ માટે સાવધાન થવાનો સમય આવી ગયો છે

ગુજરાતમાં કોંગ્રેસે તેના સંગઠનમાં કેટલીક નિમણૂક કરીને સંદેશો આપી દીધો છે કે તેને રાજકીય શુદ્ધિમાં કોઈ રસ નથી. ભાજપ માટે જાણે બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયા જેવી સ્થિતિ છે...પરંતુ ના, સાવધાની હવે ભાજપે જ રાખવાની છે, રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે

n  અલકેશ પટેલ

 હવે ભાજપની જવાબદારી વધે છે. સાવધાન ભાજપે થવું પડશે કેમ કે, આટલી પછડાટ પછી પણ કોંગ્રેસ કોઈ પાઠ શીખવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસમાં શનિવારે 11 જુલાઈ, 2020ના રોજ થયેલી નવી નિમણૂક પ્રજાને, મતદારોને સ્પષ્ટ સંકેત છે કે એક બ્રિટિશ વ્યક્તિના માર્ગદર્શન અને તેની સૂચના અનુસાર સ્થાપિત 140 વર્ષ જૂના આ પક્ષને માત્ર જૂથવાદી અને ભાંગફોડિયા લોકો પસંદ છે.

એ વાત તો સાચી છે કે, કોની નિમણૂક કરવી અને કોની ન કરવી એ નિર્ણય લેવાનો જે તે પક્ષને અધિકાર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું પ્રજાએ આવી નિમણૂક સ્વીકારી લેવાની? જે વ્યક્તિએ તદ્દન ખોટી માગણી સાથે હજારો યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા થાય એવું વાતાવરણ ઊભું કર્યું હોય અને તેને કારણે શાંતિપ્રિય અને પ્રગતિશીલ રાજ્ય ગુજરાત અનેક દિવસ સુધી અશાંતિમાં લપેટાઈ ગયું હોય, જાહેર મિલકતોને નુકસાન થયું હોય, નિર્દોષ લોકોએ જીવ ખોયા હોય - એવા લોકો હજુ પણ પ્રજાનું નેતૃત્વ કરશે? જે લોકોને કારણે અનેક દિવસ સુધી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા પરસેવો વહાવતી પોલીસ બદનામ થઈ હોય એ જ પોલીસે ભવિષ્યમાં આવા લોકો શપથ લે પછી તેમને સલામ કરવાની?

આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? અનેક દાયકાથી ભારતીય માનસમાં એક ખોટી માન્યતા ઘૂસાડી દેવામાં આવી છે કે, રાજકારણમાં તો આવા જ લોકો ચાલે, સજ્જનોનું કામ નથી! તો મને લાગે છે આ માન્યતા બદલવાની જવાબદારી અને ફરજ ભાજપની છે.

ગુજરાત કોંગ્રેસમાં જે કંઈ ફેરફાર થયા તેને કારણે ભાજપને એમ લાગતું હશે કે તેમની પાસે હવે કોંગ્રેસને ઘેરવાની તક આવી ગઈ છે. ભાજપને એમ લાગતું હશે કે કોંગ્રેસના નવા નિમાયેલા લોકોને તેમના ભૂતકાળને કારણે માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં શરમજનક સ્થિતિમાં મૂકી શકાશે. તેની સાથે રાજ્યની ખૂબ મોટી સંખ્યામાં શાણી પ્રજા પણ સોશિયલ મીડિયામાં એવી વાતો કરી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના આવા નિર્ણયોથી ભાજપને ફાયદો થશે...તો મને કહેવા દો કે ભાજપ સહિત બધા જ ભૂલ કરે છે.

કારણ?

કારણ એટલું જ કે, હવે રાજકીય શુદ્ધિની ભાજપની જવાબદારી વધી જાય છે.
ભાજપે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની ટીકા કરવાની અસરકારકતા જાળવવી હશે તો શુદ્ધ વિકલ્પ આપવા જ પડશે. ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યહીનતા જો નેતા બનવાનાં લક્ષણ ગણાતા હોય તો અમારે એવા કોઈ રાજકીય પક્ષની જરૂર નથી જ. અને આ જ સંદેશ ભાજપ માટે પણ છે.

ટૂંકાગાળાના રાજકીય લાભ માટે સાંસદો કે ધારાસભ્યો કે તેથી નીચેના નેતાઓનું આયારામ-ગયારામ થતું હોય ત્યાં સુધી વાંધો નથી. એ અનિવાર્ય અનિષ્ટ છે અને પ્રજા અમુક અંશે એ ચલાવી લેશે...પરંતુ મુદ્દો રાજકીય શુદ્ધિકરણનો છે. ચૂંટણી જીતવા માટે બાહુબલીઓને ટિકિટ આપવી એ મજબૂરી છે એવી માનસિકતામાંથી કમ સે કમ ભાજપે બહાર નીકળવું જ પડશે. (તમામ પ્રકારના અનિષ્ટ ધરાવતા લોકો માટે હિન્દીમાં બાહુબલી શબ્દ છે, એ અર્થમાં ગુજરાતીમાં શબ્દ નથી. ગુજરાતીમાં એ માટેના સચોટ શબ્દ વાપરીએ તો કાનૂની ચક્કરમાં ફસાવાનું જોખમ છે એટલું હું અહીં ઇરાદાપૂર્વક બાહુબલી શબ્દ વાપરું છું...અર્થ બધાને ખબર જ છે.) કોઇની સામે રાજકીય કેસો હોય એ અલગ બાબત છે, પરંતુ ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા હોય એવા લોકોને ટિકિટ આપવામાંથી કમ સે કમ ભાજપે તો બચવું જ પડશે. અને તો જ તે અન્ય પક્ષો સામે આંગળી ચીંધી શકશે, અન્યથા તરત જ તમને કહેવામાં આવશે કે, તમે એક આંગળી ચીંધી પણ ત્રણ આંગળી તમારા તરફ છે...ત્યારે એનો જવાબ ભાજપ આત્મવિશ્વાસપૂર્વક નહીં આપી શકે. અને એ દિવસે કોઈ તમને પેલા સાધુ-મહાત્માની વાત યાદ અપાવશે કે એક પાપીને બીજા પાપી ઉપર પથ્થર ફેંકવાનો અધિકાર નથી.

એટલે જ પ્રજાની હંમેશાં અપેક્ષા રહેશે કે કોંગ્રેસની ખરાબીઓનું પુનરાવર્તન ભાજપ ન કરે.

યાદ રહે, ભાજપ માટે લડાઈ સહેલી નથી. ભાજપની સ્થિતિ અભિમન્યુ જેવી છે. તેણે એક સાથે અનેક બાજુ લડવાનું છે. સાત દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં ઘૂસી ગયેલી ભ્રષ્ટ માનસિકતા સામે, જાતિવાદી રાજકીય માનસિકતા સામે, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજકીય માનસિકતા સામે, સગાવાદની રાજકીય માનસિકતા સામે, જૂથવાદી રાજકારણ સામે – ભાજપે લડવાનું છે. પ્રજાએ તમને સત્તા આપી છે અને તમારી સત્તા ટકાવી રાખી છે તેનો સ્પષ્ટ સંદેશો એ જ છે કે ભાજપે આ બધા સામે લડવાનું છે...પણ આ બધી બદીઓની સામે લડતાં લડતાં બહાર નીકળતી વખતે જો તમે પણ બાહુબલીઓના ખભાનો ટેકો લેશો તો એ છેલ્લો કોઠો સાબિત થશે જેને તમે ભેદી નહીં શકો અને અભિમન્યુ બની જશો. ભાજપ વિજેતા અભિમન્યુ બને એમ મોટાભાગની પ્રજા દિલો-દીમાગથી ઇચ્છે છે.

ભાજપ આ કમનસીબ દેશનો એવો અભિમન્યુ છે જ્યાંના અખબાર, સામયિકો તેમજ ટીવી અને હવે વેબપોર્ટલ જેવા પરંપરાગત મીડિયા ઉપર ઘણેખરે અંશે બદમાશોનો કબજો છે. એ બદમાશોને વેટિકન અને જેહાદી નાણા મળે છે. અને તેથી એ બધા મીડિયા કદી તમારી સારી બાબતોને મહત્ત્વ આપે અથવા તમારા સારાં પાસાં પ્રજા સમક્ષ રજૂ કરીને સાચું પત્રકારત્વ કરે એ શક્યતા જ નથી. તમારી સાથે માત્ર આ દેશની શાંત અને શાંતિપ્રય બહુમતી પ્રજા જ છે. અને એટલે જ ભારતવર્ષની બહુમતી પ્રજા પ્રત્યે ભાજપે પણ જવાબદારી નિભાવવી પડશે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના આંતરિક વિખવાદ કે પછી એ પક્ષોની ભૂલો ઉપર આધાર રાખીને નૌકા પાર નહીં થઈ શકે. તોરલ-નામે-પ્રજા વિશુદ્ધ છે અને તે ભાજપની નૌકા પાર ઊતારવા સક્ષમ છે કેમ કે તેને તેના ઉપર વિશ્વાસ છે. જવાબદારી હવે ભાજપની છે કે એ તોરલના સંકેત સમજે છે કે નહીં.તો ચાલો અલકેશ પટેલના હરિઓમ.

Sunday, June 14, 2020

ગુજરાતના વાલીઓને પત્ર

ગુજરાતના વાલીઓને પત્ર

n  અલકેશ પટેલ

 

ટ્વિટર ઉપર #કોરોનાગ્રસ્ત કોંગ્રેસ પ્રેરિત એક અભિયાન ચાલી રહ્યું છે... વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાય એ માટે. એનએસયુઆઈ અને કોંગ્રેસ સેવાદળ અને એવા બધા આવી હેસટેગ સાથે હાલી નીકળ્યા છે.

મારે એમની સાથે કોઈ લેવાદેવા નથી. આ લોકો આવી માગણી કરે તો માત્ર એટલું જ કહેવાનું કે - જૈસી જીસકી સોચ.

--- પણ મારે ગુજરાતના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓને પૂછવું છે કે પરીક્ષા વિના પાસ થઈ જવાનું, માસ પ્રમોશનથી ઉપરના ધોરણમાં ચઢી જવાનું યોગ્ય છે?

--- તમારાં બાળકો ભવિષ્યમાં માસ પ્રમોશન વાળા કહેવાશે એ તમને ગમશે?

--- રાજકારણીઓ કે પછી રાજકીય પક્ષો સાથે જોડાયેલા સંગઠનોને કશું નહાવા-નીચોવવાનું નથી. એ આવા મુદ્દા ઉપાડે અને તમે વાલી તરીકે એમાં સાથ આપો...તો શું તમારે તમારાં બાળકોને રાજકારણમાં મોકલવાના છે? કેમ કે, હાલના જમાનામાં એકમાત્ર રાજકારણ જ એવું ક્ષેત્ર છે જ્યાં અભણ અથવા ઓછું ભણેલા અથવા ગુનાઇત ઇતિહાસ ધરાવતા અથવા માસ પ્રમોશન મેળવેલા લોકોને પ્રવેશ મળી જાય છે.

--- રાજકારણ એટલે તમામ પક્ષની વાત છે. તમામ રાજકીય પક્ષમાં આવા લોકો છે. શું તમારે પણ તમારાં બાળકોને એ દિશામાં મોકલવા છે?

--- પરીક્ષા માફી કે માસ પ્રમોશન જેવા વિપક્ષ પ્રેરિત આંદોલનમાં જોડાતા પહેલાં વિચારજો કે, તમારું બાળક સ્પર્ધાત્મક દુનિયામાં પગ મૂકશે ત્યારે આ માસ પ્રમોશન તેને મદદરૂપ થશે કે અવરોધક બનશે?

--- આ હાલી નીકળેલા કહેવાતા વિદ્યાર્થી પ્રેમી રાજકારણીઓ તમને કોરોનાના નામે ડરાવે છે, પરંતુ શું તમને ખબર નથી કે કોરોના એવો કોઈ મહાભયંકર રોગ નથી કે બધાને એ વળગી જ જાય અને જેને થાય એ મૃત્યુ જ પામે!

--- યોગ્ય જાગ્રતિ રાખવાથી કોરોના કશું જ બગાડી શકતો નથી. ન્યૂઝિલેન્ડ જેવા એક-બે દેશોએ તો પોતાને કોરોના-મુક્ત જાહેર પણ કરી દીધા. વ્યક્તિગત જાગ્રતિ અગત્યની છે.

--- તમારાં બાળકો માટે ઘરની બહાર અકસ્માત થવાનું જોખમ રહેલું છે...તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો માટે ઘરની બહાર કોઈ ટીબી વાળાના સંપર્કમાં આવીને ટીબી થવાનું જોખમ છે, તો શું તમે એને ઘરમાં પૂરી રાખો છો?

--- તમારાં બાળકો આજે પરીક્ષા ટાળશે અને કાલે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થશે ત્યારે આ જ રાજકારણીઓ તો છૂટી પડશે કે અમે તો તમારા માટે આંદોલન કર્યું હતું, પણ તમારાં બાળકો નાપાસ થાય એમાં અમે શું કરીએ – ત્યારે એ રાજકારણીઓનું તમે શું કરશો?

યાદ રાખો હિંમત કામ આવે છે, પીછેહઠ કે માસ પ્રમોશન નહીં. આભાર. અલકેશ.

Sunday, April 7, 2019

ચૂંટણી ઢંઢેરા દ્વારા કોંગ્રેસે અનેકને નારાજ કર્યા





ચૂંટણી ઢંઢેરા દ્વારા કોંગ્રેસે અનેકને નારાજ કર્યા

--- તમામ રાજકીય પક્ષ માટે અતિશય મહત્ત્વની કહી શકાય એવી 2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ભાજપ કરતાં એક ડગલું આગળ રહેવાનો પ્રયાસ તો કર્યો છે... પરંતુ ઢંઢેરામાં જે કંઈ જોવા મળ્યું તે અત્યંત ચિંતાજનક છે

-- અલકેશ પટેલ

ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની બાબતમાં આ વખતે પણ કોંગ્રેસે તેના મુખ્ય હરીફ પક્ષ ભાજપને પાછળ રાખી દીધો. આજે છ એપ્રિલે આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરા વિશે (જેને તે સંકલ્પ પત્ર કહે છે) તે વિશે કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. શક્ય છે કોંગ્રેસના ઢંઢેરાનો અભ્યાસ કરીને, તથા પ્રજા અને મીડિયામાં તેના પ્રત્યાઘાત જોઇને તેને આધારે ભાજપ પોતાનો ઢંઢેરો તૈયાર કરશે..! પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થવાનું છે અને ભાજપના સંકલ્પ પત્રનું ઠેકાણું નથી.
તો બીજી તરફ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. ક્યાંક વખાણ થઈ રહ્યા છે તો ક્યાંક ટીકા થઈ રહી છે. પણ એક તટસ્થ નિરીક્ષક તરીકે મારે કહેવું જોઇએ કે કોંગ્રેસનો 2019ની લોકસભા ચૂંટણીનો ઢંઢેરો અતિશય નિરાશાજનક, ચિંતાજનક અને દેશના ભવિષ્ય માટે જોખમી છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે ચિંતાજનક અને જોખમી બાબતો છે એ છે – આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટની સમીક્ષાનું વચન, દેશદ્રોહ વિરોધી કાયદો રદ્દ કરી દેવાનું વચન, કાશ્મીરી ત્રાસવાદીઓ સાથે કોઇપણ જાતની પૂર્વ શરત વિના વાતચીત કરવાનું વચન, મીડિયા ઉપર નિયંત્રણ લાદવાની જોગવાઈ. આ ઉપરાંત બીજી પણ કેટલીક જોખમી બાબતો છે, પરંતુ હાલ આ મુખ્ય મુદ્દાઓની  વિગતે વાત કરીએઃ
કોંગ્રેસ કહે છે કે, જો તે સત્તા ઉપર આવશે તો... આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટની સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસે સમીક્ષા શબ્દ વાપર્યો છે, પરંતુ આ પક્ષના અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડને જોતાં એવી આશંકા જરૂર થાય કે જેહાદી ત્રાસવાદીઓને ખુશ કરવા કોંગ્રેસ આ કાયદો રદ્દ પણ કરી દે. અહીં દેશના નાગરિકોએ અગાઉ કોંગ્રેસ દ્વારા આતંકવાદ વિરોધી બે કાયદા – પોટા અને ટાડા રદ્દ કરી દીધા હતા. કોંગ્રેસે દેખીતી રીતે જેહાદીઓને ખુશ કરવા જ તેમના ઉપર આ મહેરબાની કરી હતી. અને હવે એ જ પક્ષ આફસ્પા અર્થાત સલામતી દળોને ત્રાસવાદ સામે લડવા માટેના વિશેષ કાયદાને પણ રદ્દ કરી દેવા માગે છે.
કોંગ્રેસનો આ ઇરાદો અતિશય જોખમી છે. આમ તો એ પક્ષની કે તેના સાથી પક્ષોની હાલ સત્તામાં આવવાની કોઈ શક્યતા નથી, તેથી હાલ ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ કોંગ્રેસની આવી જોગવાઈનો અર્થ એ થાય કે, જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળો તેમની મેળે આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ આકરા પગલાં લઈ શકે નહીં. કોંગ્રેસની જોગવાઈનો અર્થ એ થાય કે જો કોઈ ત્રાસવાદી હુમલો થાય તો લશ્કરી દળો તેમજ અન્ય સલામતી દળોએ એ ત્રાસવાદીઓ સામે પગલાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રની પરવાનગી લેવી પડે..! હવે આ સંજોગોમાં સલામતી દળો પરવાનગી લેવા જશે ત્યાં સુધી શું ત્રાસવાદીઓ હુમલાની રાહ જોવાના છે? એ તો હુમલો કરીને સેંકડો નાગરિકો તેમજ સલામતી દળોને મારીને ચાલ્યા જશે. કોઇપણ સામાન્ય નાગરિક એટલું તો વિચારી શકે કે, સલામતી દળો પાસેથી આ રીતે પગલાં લેવાની સત્તા આંચકી લઈને કોંગ્રેસ જેહાદીઓ સામે સલામતી દળોને નબળા પાડવા માગે છે. આવા સંજોગોમાં સલામતી દળોને પણ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવવામાં રસ ન રહે. અને જો એવું થાય તો જેહાદીઓને તો મોકળું મેદાન મળી જાય.
કોંગ્રેસનો બીજો મુદ્દો દેશદ્રોહ વિરોધી કાયદો રદ્દ કરી દેવાનો છે. ભારતીય ફોજદારી ધારાની કલમ 124-એ હેઠળ હાલ દેશદ્રોહ વિરોધીઓ સામે કેસ થાય છે. એ વાત સાચી કે આ કાયદો અંગ્રેજો લાવ્યા હતા અને તે સમયે અંગ્રેજોનો વિરોધ કરવો તેને દેશદ્રોહ ગણાતો હતો. પરંતુ હજુ આજની તારીખે પણ દેશમાં એવા અનેક તત્વો છે જે ઉઘાડે છોગ દેશવિરોધી પ્રવૃત્તિ કરે છે. ભારતના ટુકડા કરવાના સૂત્રોચ્ચાર કરવા કે પછી ભારતીય ધ્વજનું અપમાન કરવું કે પછી નક્સલવાદી હિંસાને સમર્થન આપવા માટે ભાષણો કરવા એ દેખીતી રીતે દેશવિરોધી પ્રવૃત્તિ છે અને તેના ઉપર હાલ 124-એ હેઠળ કેસ થાય છે. પણ હવે કોંગ્રેસ તેને રદ્દ કરી દેવા માગે છે. શા માટે..? કેમ કે કોંગ્રેસને હવે નક્સલવાદીઓના અને તેમને સમર્થન કરતા અર્બન નક્સલીઓના તેમજ જેહાદીઓના મત જોઈએ છે..!
આ ઉપરાંત કોંગ્રેસે આ વખતે તેના ચૂંટણી ઢંઢેરામાં એક એવું પણ વચન આપ્યું છે કે, કોમી તોફાનો કે અન્ય હિંસક ઘટનાઓ દરમિયાન તેના મીડિયા રિપોર્ટિંગ ઉપર નિયંત્રણો મૂકવામાં આવશે. દેખીતી રીતે આ પણ જેહાદીઓને ખુશ કરનારી બાબત છે. કોમી તોફાનોમાં આમ તો લગભગ મોટાભાગના મીડિયા કોઈ જ્ઞાતિ-જાતિ કે ધર્મને ખુલ્લો નથી જ પાડતા, તેમ છતાં જો કોઈ મીડિયા આવો કોઈ પ્રયાસ કરે તો તેના ઉપર નિયંત્રણ માટે પ્રેસ કાઉન્સિલ અને એડિટર્સ ગિલ્ડ છે જ. તેમ છતાં કોંગ્રેસ એ બધાની ઉપરવટ જઈને પોતે જ મીડિયાને નિયંત્રિત કરી દેવા માગે છે. કોંગ્રેસના આ વચનનો સીધો અર્થ એ થાય કે જે રીતે 1975ની કટોકટી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અખબાર-સામયિકોનું ગળું ઘોંટી નાખ્યું હતું એ જ રીતે હવે જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો કોમી તોફાનોના રિપોર્ટિંગના નામે અખબારો, ટીવી વગેરે મીડિયાનું ગળું ઘોંટી નાખશે.
માત્ર એક ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપવામાં આવ્યાં છે તે ચિંતાજનક અને જોખમી છે એવું હવે આ વાંચ્યા પછી તમે વાચકો પણ સમજી ગયા હશો. વધારે ઘાતક બાબત એ પણ છે કે આફસ્પાની સમીક્ષા કરવાની વાત કરતી વખતે કોંગ્રેસે તેના ઢંઢેરામાં જેહાદી આતંકીઓ દ્વારા જે દલીલ કરવામાં આવે છે તેને સ્થાન આપ્યું છે. કોંગ્રેસે એવી દલીલ કરી છે કે આફસ્પાને કારણે જમ્મુ-કાશ્મીરમાં એવી લાગણી છે કે, ભારતીય લશ્કરી દળો ત્યાંની મહિલાઓ ઉપર બળાત્કાર કરે છે અને ત્યાંના નાગરિકો ઉપર અમાનુષી અત્યાચાર કરે છે. તેથી કાશ્મીરીઓની એવી લાગણી દૂર કરવા માટે આફસ્પાની સમીક્ષા કરવામાં આવશે. તદ્દન સ્પષ્ટ છે કે કોંગ્રેસ આ રીતે દેશનાં સલામતી દળો ઉપર શંકા વ્યક્ત કરે છે.
કોંગ્રેસે પાંચ દાયકા કરતા વધુ સમય શાસન કર્યું છે. શું તેને ખબર નથી કે ભારતીય લશ્કરી કે અન્ય સલામતી દળો અત્યાચારી, અમાનુષી તેમજ બળાત્કારી નથી..? કોઈ એવી દલીલ કરતા હોય તો પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસની ફરજ એવા લોકોને જડબાતોડ જવાબ આપવાની હતી, તેના બદલે આ પક્ષ તેના ચૂંટણી ઢંઢેરામાં જેહાદીઓના શબ્દો મૂકીને આડકતરી રીતે ભારતીય લશ્કર તેમજ અન્ય સલામતી દળોને જ અપમાનિત કરે છે.
મને લાગે છે કે કોંગ્રેસના આવા પ્રયાસો તેના પોતાના માટે તો જોખમી સાબિત થશે જ, પરંતુ સાથે દેશ માટે પણ જોખમી સાબિત થશે. કોંગ્રેસના આવા પ્રયાસોથી આપણા સલામતી દળોનું મોરલ તૂટશે અને પરિણામે લોકશાહી નબળી પડશે. આજે ચારે તરફ જ્યારે રાષ્ટ્રવાદી લાગણી ચરમસીમાએ છે ત્યારે કોંગ્રેસના આવા પ્રયાસોથી તેને ચૂંટણીમાં ભારે ફટકો પડશે અને તેને કારણે પણ બહુપક્ષીય સંસદીય લોકશાહીને નુકસાન થશે.

Wednesday, July 18, 2018

ડર ફેલાવવાનું રાજકારણ દેશ માટે ઘાતક સાબિત થશે

21મી સદીને 17 વર્ષ વીતી ગયાં અને દેશની સ્વતંત્રતાનાં 70 વર્ષ વીતી ગયાં છતાં કોંગ્રેસ પક્ષ હજુ પણ જ્ઞાતિ-ધર્મના રાજકારણથી ઉપર નથી ઊઠ્યો. રાહુલ ગાંધીનું છેલ્લું પગલું અને શશી થરૂરનું છેલ્લું નિવેદન આ બાબતનું પ્રમાણ છે.



--- અલકેશ પટેલ

ડર ફેલાવીને સત્તા કબજે કરવી એ કોંગ્રેસ પક્ષની મૂળભૂત નીતિ-રીતિ છે. કોંગ્રેસ સત્તા ઉપર આવે તેમાં કોઈને કશો વાંધો ન હોવો જોઈએ અને નથી, પરંતુ હકીકત એ છે કે એ પક્ષને દેશની પ્રગતિમાં ખરેખર કોઈ રસ જ નથી. કોંગ્રેસનું આખું ચરિત્ર અને તેનું રાજકારણ માત્ર એક પરિવારના પગમાં આળોટવામાં પૂરું થઈ જાય છે. અને આ પરિવાર પણ એવો છે જેને ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, ભારતીય પરંપરા પ્રત્યે કોઈ પ્રકારનું માન-સન્માન કે શ્રદ્ધા નથી. પરિણામે આ પક્ષ અને તેના રાજકારણીઓ એવાં કૃત્યો કરે છે અને એવાં નિવેદનો આપ્યાં કરે છે જેને કારણે સમાજમાં એક પ્રકારનો તનાવ પેદા થાય છે. અત્યંત કમનસીબ અને દુઃખદ વાત એ છે કે તણાવ મૂળભૂત રીતે કોંગ્રેસને કારણે પેદા થાય છે, પરંતુ કોંગ્રેસીઓ તેની જવાબદારી ભારતીય જનતા પક્ષ અને સંઘ પરિવાર ઉપર ઢોળી દે છે. વળી આ દેશનું મીડિયા પણ એ હદે હજુ પણ કોંગ્રેસની ગુલામી અવસ્થામાં છે કે કોંગ્રેસીઓ દેશને નુકસાન કરી રહ્યા છે એ એમને દેખાતું નથી. ઉલટાનું કોંગ્રેસીઓની વાતો સાંભળીને આ મીડિયા પણ ભાજપ અને સંઘ પરિવારને દોષિત ઠેરવી દે છે. આ દેશના મીડિયા પાસે પણ પોતાના સ્વતંત્ર વિચારો અને સમીક્ષા કરવાની સ્વતંત્ર ક્ષમતા નથી એનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે..!
કોંગ્રેસી નેતા અને એક સમયે યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શશી થરૂર આ હદે ભાગલાવાદી માનસિકતા ધરાવતા હશે એ જાણીને ભારતના નાગરિકોને ઉપરાંત વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને ભારે આઘાત લાગ્યો છે. થરૂરે એવું નિવેદન કર્યું છે કે, 2019માં જો ભાજપની સરકાર ચૂંટાશે તો ભારત દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. આ નિવેદન સ્પષ્ટ રીતે ભારતના લઘુમતી સમાજમાં ભય ફેલાવવા માટેનું છે. થરૂર જેવા લોકો ન જાણતા હોય કે હિન્દુ સમાજ ક્યારેય હિંસક બન્યો નથી અને બની શકે એમ નથી એવું કેવી રીતે માની શકાય..!? અને તેથી જ એ બાબતમાં કોઈ શંકા રહેતી નથી કે કોંગ્રેસીઓ પ્રજાને અને ખાસ કરીને લઘુમતીઓને ભયભીત કરવા માગે છે.
રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસને પૂરો અધિકાર છે કે ભાજપ સહિત તેના તમામ વિરોધી પક્ષો સામે આક્રમક બને. પોતાના વિરોધી પક્ષોની આકરી ટીકા કરવાનો કોંગ્રેસને પૂરો અધિકાર છે જ, પરંતુ છેલ્લા ચાર વર્ષથી કોંગ્રેસ જે કરે છે એ બધું આ દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ દોરી જશે એવું લાગ્યા વિના રહેતું નથી. કોંગ્રેસ હિન્દુઓ સામે મુસ્લિમોને ઉશ્કેરે છે, કોંગ્રેસ સવર્ણો સામે દલિતોને ઉશ્કેરે છે, કોંગ્રેસ દલિતો સામે ઓબીસી વર્ગોને ઉશ્કેરે છે, કોંગ્રેસ લિંગાયતો સામે લિંગાયતોને લડાવી મારે છે, કોંગ્રેસ પાટીદારો સામે પાટીદારોને લડાવી મારે છે. કોંગ્રેસનાં આ કૃત્યોનું પરિણામ એ આવ્યું છે કે આજે ભારતમાં દરેક સમાજ એક-બીજા સામે ગુસ્સામાં રહે છે અને નાની નાની વાતમાં હિંસક બની જાય છે.
આ જ અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે ગુપ્ત મુલાકાત કરી. ગુપ્ત મુલાકાત એટલા માટે કે એ બેઠક ક્યાં કરી, કોના કહેવાથી કરી, કયા હેતુથી કરી એ કોઈ જાણતું નથી. બસ, દેશને માત્ર એટલી ખબર છે કે રાહુલે આવી ગુપ્ત બેઠક કરી અને તેમાં કથિત મુસ્લિમ બુદ્ધિજીવીઓએ પોતાની વાત રજૂ કરી. સવાલે એ છે કે, શું ભારતમાં માત્ર મુસલમાનો રહે છે..!? શું કોંગ્રેસે માત્ર મુસ્લિમોને ખુશ કરવા સત્તા ઉપર આવવાનું છે..!? કોઈએ ક્યારેય પણ સાંભળ્યું છે કે ભાજપના કોઈ નેતાઓએ હિન્દુઓ સાથે આવી ગુપ્ત બેઠકો કરી હોય..!? અને એ જ કારણે રાહુલ ગાંધીનું આ કૃત્ય દેશના ભવિષ્ય માટે અત્યંત ખતરનાક છે એ સમજવું પડશે.
આ દેશે એ વાત કદી ભૂલવી ન જોઈએ કે અનેક દાયકા સુધી કોંગ્રેસે ઉઘાડે છોગ લઘુમતી તુષ્ટિકરણનું રાજકારણ રમવાનો દ્રોહ કર્યો છે અને એ કારણે ભાજપે પણ સત્તા મેળવવા હિન્દુ રાજકારણ રમવાનું શરૂ કરવું પડ્યું છે. કોંગ્રેસે સાચા અર્થમાં મુસ્લિમોનું કદી ભલું કર્યું નથી, માત્ર તેનો મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે. અને તેનું પરિણામ આપણે સચર સમિતિના અહેવાલ દ્વારા જોઈ ચૂક્યા છીએ. એ સમિતિની નિમણૂક પણ કોંગ્રેસે કરી હતી અને તેનો અહેવાલ પણ કોંગ્રેસના શાસન વખતે આવ્યો હતો. તેમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે મુસ્લિમોની સ્થિતિ સારી નથી. તેનાથી તદ્દન વિરુદ્ધ છેલ્લા ચાર વર્ષમાં દેશના તમામ જાતિ-ધર્મ-સમુદાયના લોકોની સ્થિતિમાં એક સાથે સુધારો આવ્યો છે.
સાચી વાત તો એ છે કે દેશનું અર્થતંત્ર અને તેની સાથે નાગરિકોનું જીવનધોરણ સુધરી રહ્યું છે એ જોઈને કોંગ્રેસને પોતાનું ભવિષ્ય અંધકારમય લાગે છે. કોંગ્રેસ પક્ષ સમજી ગયો છે કે નરેન્દ્ર મોદી સરકાર જો આ જ રીતે કામ કરશે તો 15 વર્ષ સુધી તેને સત્તા પરથી દૂર નહીં કરી શકાય. અને એ જ કારણે કોંગ્રેસીઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ, ભાજપ વિરુદ્ધ અને સંઘ વિરુદ્ધ ભય ફેલાવે છે. ત્રિપલ તલાક અને હલાલા જેવા મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધના દમનકારી પર્સનલ લૉ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે. ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ ત્રિપલ તલાક અને હલાલાનો ભોગ બને છે અને તેથી તેમાંથી છૂટવા માગે છે. નરેન્દ્ર મોદી સરકારે મુસ્લિમ મહિલાઓનો પક્ષ લીધો છે અને એ વાત કોંગ્રેસીઓ ઉપરાંત મુલ્લાઓને પસંદ નથી પડતી. આ જ કારણે હવે કટ્ટરવાદી મુસ્લિમોએ શરિયા કોર્ટનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે. અને આ દેશના કમનસીબે કોંગ્રેસ જેવા ભાગલાવાદી પક્ષે તેનું સમર્થન પણ કર્યું છે. શક્યતા તો એવી પણ છે કે આ શરિયા કોર્ટનો મુદ્દો કોંગ્રેસ અને ડાબેરીઓએ જ પડદા પાછળ રહી ઉપસ્થિત કરાવ્યો હોય..! એક સમયના દેશના ઉપરાષ્ટ્રપતિ જેવા ટોચના હોદ્દા ઉપર રહી ચૂકેલા પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હમીદ અનસારીએ પણ શરિયા કોર્ટનું સમર્થન કર્યું છે. શરિયા કોર્ટ એ સ્પષ્ટ રીતે દેશને ઇસ્લામી શાસન તરફ લઈ જવાના વ્યાપક કાવતરાનો પ્રારંભ છે એ દરેક જણે સમજવું પડશે. જેમને ના સમજાતું હોય એમણે ઇસ્લામના ઇતિહાસ અને શરિયા કાયદા વિશે જાણી લેવું જોઈએ. ભારત જો આ દિશામાં આગળ વધશે તો થોડાં વર્ષ પછી પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, કેરળ જેવાં રાજ્યોમાં અલગ મુસ્લિમ દેશની માગણી ઊભી થશે એ વાતમાં શંકા નથી કેમકે આ રાજ્યોમાં મુસ્લિમોની વસ્તી બહુમતીમાં આવી ગઈ છે.
આ સ્થિતિની કોંગ્રેસીઓને કાંતો સમજ નથી પડતી અથવા જાણી જોઈને મતબેંક ખાતર આ પક્ષ ભારતને એક ભયંકર જોખમ તરફ ધકેલી રહ્યો છે. આ દેશનો કોઈ નાગરિક મુસ્લિમોનો વિરોધી નથી. એ યાદ રાખવું જોઈએ કે બહારથી આવેલા ઇસ્લામી હુમલાખોરોએ અહીં શાસન સ્થાપ્યા પછી ઇસ્લામ ફેલાયો છે અને ત્યારે જગ્યા કરી આપનારા અને અનુકૂળતા કરી આપનાર આ દેશના લોકો જ હતા. તેઓ હજુ પણ ઇસ્લામ વિરોધી નથી, પરંતુ એ પણ એટલું જ સાચું છે કે કોંગ્રેસ અને ડાબેરીઓની મિલીભગતથી થઈ રહેલું તુષ્ટિકરણ જોખમી તો છે જ.