Wednesday, September 5, 2018

अगर इतना करेगें तो सभी सामाजिक समस्या का समाधान मिल जाएगा


अथ श्री अध्याय 19
अगर इतना करेगें तो सभी सामाजिक समस्या का समाधान मिल जाएगा

--- पीछले साढे चार साल से यह देश सभी तरह की सामाजिक और आर्थिक समस्याओं से झुझ रहा है, अगर मेरा बताया सुजाव स्वीकार करोगे तो सभी समस्याओं का समाधान अवश्य मिल जाएगा

--- अलकेश पटेल

मैं आज यहां जो समाधान बताने जा रहा हुं उसे जरा सा भी हल्के में मत लिजिए. दर असल देश स्वतंत्र हुआ तब से कुछ ऐसी सामाजिक समस्याओं का सामना कर रहा है, जो अब हमें ओर ज्यादा परेशान कर रही है, खास करके पीछले साढे चार साल से तो ऐसा ही लगता है मानों यह देश में सब कुछ बरबाद हो जाएगा. चाहे वह अनामत कि बात हो, चाहे SC/ST एक्ट कि बात हो, चाहे सवर्ण समुदायों के गरीबों कि बात हो या फिर किसानो कि बात हो, इन सबका समाधान कुछ ही दिन में मिल सकता है. मैं पूरे देश को दावे के साथ कह सकता हुं कि इन सभी समस्याओं का समाधान कुछ ही दिन में आ जाएगा अगर सभी देशवासी मेरे बताये रास्ते के बारे में गंभीरता से न सिर्भ विचार करें लेकिन उस पर अमल करें. वह रास्ता यह है कि, देश के सभी राज्य में, सभी शहर और गांवों में जितने भी युवा है, महिलाएं है, किसान है, एससी-एसटी व ओबीसी के सदस्य है और सवर्ण समुदायों के सदस्य हैं – उन सबको अपने अपने क्षेत्र, अपने अपने गांव, अपने अपने शहर और अपने अपने राज्य – जहां कहीं भी कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयों के मुख्यालय है उनके बाहर जाकर धरणा देना होगा.

मेरे साथी देशवासीओं, मैं पूरी गंभीरता के साथ यह सुजाव दे रहा हुं. आपमें से ज्यादातर लोग, आपमें से कम से कम 90 प्रतिशत लोग यह बात अच्छी तरह जानते है कि आज हम जिन समस्याओं का सामना कर रहे है उसके मूल जनक कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयां है. लेकिन उस से विपरित पीछले साढे चार साल से इन सभी समस्याओं को लेकर देश में ऐसा माहौल बना दिया गया है कि यह सब कुछ मई 2018 के बाद पैदा हुआ और अगर मई 2019 में शासन में परिवर्तन होने के साथ सब कुछ सही हो जाएगा !

मेरी सोच यह है कि हमें मई 2019 तक इंतजार करने कि कोई जरूरत नहीं है. इन समस्याओं के जो जनक है – कांग्रेस पार्टी और लेफ्ट पार्टीयां – वह हमारे सामने ही है, हमारे आसपास ही है, तो क्यों न हम इन पार्टीयों के दफ्तरों के सामने धरणा दे कर उनको ही समाधान लाने के लिए बाध्य न करें?

साथी देशवासीओं, मेरा यह मौलिक विचार है और अगर आप सभी लोग इस पर थोडा सा गहराई से विचार करेंगे तो मुझे लगता है हम कुछ दिनों में या कुछ महिनों में ही इन सबसे बाहर आ कर अमेरिका, ब्रिटन, जापान, चीन, स्विट्झरलेंड जैसे देशों कि तरह प्रगति कि राह पर दौड सकेंगे.


            (यह तसवीर सिर्फ प्रतीकात्मक है)

अब मैं मेरा यह विचार आपको थोडा विस्तार से समजाता हुं, ताकि पूरी बात स्पष्ट हो जाय.

जैसे मैने कहा कि यह सभी समस्याएं चार-पांच साल में तो पैदा हुई नहीं. सभी समस्याओं की जडें 30 साल से लेकर 70 साल में फैली हुई है. उस वक्त कांग्रेस पार्टी और उसके साथ लेफ्ट पार्टीयां सत्ता में थीं. तो सीधा सा तर्क यह है कि इन समस्याओं को पैदा करने वाले कांग्रेस और लेफ्ट के नेता है. इस हालात में देश के किसी भी आम आदमी के लिए यह समझना मुश्किल नहीं होना चाहिए कि समस्या पैदा करनेवालों के पास ही समस्या का समाधान होगा, और होना ही चाहिए.

अगर पूरे देश में सभी युवा, सभी किसान, सभी समुदाय के लोग कांग्रेस और लेफ्ट पार्टीयों के दफ्तर पर महात्मा गांधी के बताए रास्ते चलकर धरणा देंगे तो समस्याएं पैदा करने वाली इन पार्टीयों पर दबाव आएगा, और फिर वह लोग सरकार के पास जा कर समाधान मागेंगे. सरकार पर दवाब आएगा तो सरकार को भी सभी राजकीय पार्टीयों के साथ बात करनी पडेगी. समाधान के लिए सरकार देश के राष्ट्रवादी बुद्धिजिवीओं को भी बातचीत के लिए बुलाएगी.

इस प्रक्रिया से एक तरह से फिर से समुद्र मंथन जैसे हालात होंगे, जिसमें से समाधान का अमृत अवश्य नीकलेगा. साथीओं, यह कोई कोरी कल्पना या सबको भटकाने कि बात नहीं है, मेरा विश्वास करो यह रास्ता ही एकदम सटीक है. हां, इसमें हम सबको इतना जरूर याद रखना होगा कि कहीं पर भी हिंसा न हों, कांग्रेस और लेफ्ट पार्टीयों ने गलतियां कि है उसका मतलब यह नहीं है कि हम में से कोई भी उनके साथ बुरा व्यवहार करें...नहीं कतई नहीं. सिर्फ और सिर्फ उनके दफ्तरों के बहार शांतिपूर्ण धरणा दे कर उनको ही उनके द्वारा खडी की गई समस्याओं का समाधन ढूंढने के लिए बाध्य करना है. जय हिंद। - अलकेश पटेल

Tuesday, September 4, 2018

સમાજ દ્વારા શિક્ષકની કદર થાય એ જ સાચો ‘શિક્ષક દિવસ’


--- બે દિવસ પછી પાંચ સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિવસની ઊજવણી થશે, સરકાર અને કેટલીક સંસ્થાઓ શિક્ષકોનું સન્માન કરશે...પણ મને લાગે છે કે સાચો શિક્ષક દિવસ ત્યારે જ શરૂ થશે જ્યારે સમાજમાં શિક્ષકોની કદર થાય 

-- અલકેશ પટેલ

પાંચ સપ્ટેમ્બરને બુધવારે ભારત ઇમોશનલ-ઇમોશનલ થઈ જશે. શિક્ષકોના નામે અને શિક્ષકો માટે લાગણીસભર સંદેશા આખો દિવસ ઇન્ટરનેટ મારફત સ્માર્ટફોન, લૅપટૉપ અને પીસી વચ્ચે ઝોલાં ખાશે. સાંજ પડતાં બધું ધીમે ધીમે ઓછું થઈ જશે અને રાત પડતાં શિક્ષક દિવસ પૂરો... બીજા દિવસ સવારથી એ જ નકારાત્મક માનસિકતા એ જ ભારતીયો ઉપર સવાર થઈ જશે જેમણે હજુ આગલા દિવસે શિક્ષકો વિશે સારું સારું કહ્યું હતું, મેસેજ ફોરવર્ડ કર્યા હતા. આ નકારાત્મક માનસિકતા એટલે શિક્ષકો પ્રત્યેની મજાક, શિક્ષકો પ્રત્યેની ઘૃણા, શિક્ષકો પ્રત્યેનો તિરસ્કાર. હા, આ જ હકીકત છે. સરેરાશ ભારતીય નાગરિક 365માંથી 363 દિવસ શિક્ષક પ્રત્યે માન ધરાવતો નથી. જે બે દિવસ બાકાત થયા તેમાં એક ગુરુ પૂર્ણિમા અને બીજો શિક્ષક દિવસ.
જે દિવસથી ભારતીયો મોગલો અને અંગ્રેજોની ગુલામી માનસિકતામાં સપડાયા ત્યારથી શિક્ષકની કદર કરવાનું ભૂલી ગયા છે. પહેલાં આપણા સમાજમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ હતું. મોટાં મોટાં ગુરુકુળ સ્થપતાં અને દરેક વર્ગના વિદ્યાર્થીઓ એક સાથે ત્યાં તમામ વિદ્યાનો અભ્યાસ કરતા. એકલવ્યની ઉપજાવી કાઢેલી વાતમાં હું આજે પણ વિશ્વાસ નથી કરતો. મને ખાતરી છે કે આદિકાળથી આ દેશમાં ગુરુકુળ હતાં અને ત્યાં કોઈ ભેદભાવ નહોતો.
ખેર, હવે શું? આ બધાની ગુલામીમાંથી મુક્ત થયે સાત દાયકા પસાર થઈ ગયા છે. આ દરમિયાન આપણે એકમાત્ર ગુરુ પૂર્ણિમા ઊજવતા હતા અને શિક્ષક દિવસની ઊજવણી તો છેક 1967થી શરૂ થઈ. પરંતુ અહીં મૂળ મુદ્દો એ છે કે મોગલો અને અંગ્રેજોના આક્રમણ પહેલાં જે રીતે ભારતીય સમાજમાં ગુરુનું સ્થાન અને માન-પાન હતાં એ સ્થિતિ ફરી આવવી જોઈએ. ગુરુ પૂર્ણિમા અથવા શિક્ષક દિવસ તો આપણા ગુરુઓનું ઋણ અદા કરવાની એક વિધિ માટે છે, પણ ગુરુ-શિક્ષક પ્રત્યેનું માન રોજે રોજ, હર પળ હોવું જોઈએ.
આ કામ સમાજે કરવું પડશે – કરવું જોઈએ. માતા-પિતાને બાદ કરતાં બાળક છેક કૉલેજનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી સૌથી વધુ સમય શિક્ષક-ગુરુ પાસે રહે છે. સામાજિક વ્યવહારો સિવાયની તમામ બાબતો આપણે શિક્ષક-ગુરુ પાસેથી જ શીખીએ છીએ.
તો પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કમનસીબી એ છે કે આજે એ જ શિક્ષક – એ જ ગુરુ સૌથી વધુ મજાકનું પાત્ર છે. આવું શા માટે છે? આવી સ્થિતિ હોવાનું પહેલું કારણ શિક્ષણનું વેપારીકરણ છે. જે દિવસથી ટ્યૂશન પ્રથા અને ટ્યૂશન ક્લાસિસ શરૂ થયાં ત્યારથી શિક્ષકો પ્રત્યે માન ઓછું થવાની શરૂઆત થઈ હતી એવું કહેવાય.
બીજું કારણ થોડાક શિક્ષકોની અસજ્જતા. મોટા ભાગના શિક્ષકો પૂરતી તૈયારી કરતા હોય છે, પરંતુ થોડા એવા પણ હોય છે જે માત્ર નોકરી કરવા ખાતર કરતા હોય છે અને તેથી ભણાવવા જતાં પહેલાં પૂરતી તૈયારી કરતા નથી, જેને કારણે વિદ્યાર્થીઓને પણ આવા શિક્ષકો પ્રત્યે માન રહેતું નથી.
ત્રીજું કારણ શિક્ષણનું વેપારીકરણ. આ કારણ છેલ્લાં 15-20 વર્ષમાં ઉમેરાયું છે. ખાનગી સ્કૂલો અને તેમાંય ખાસ કરીને કૉન્વેન્ટ સ્કૂલો શરૂ થઈ પછી કેટલાક શિક્ષકો પણ એ વેપારી-દોડનો ભાગ બની ગયા અને પોતાનું માન ગુમાવતાં ગયા. આવા શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષક સમાજ પણ વગોવાયો.
ચોથું કારણે ફિલ્મ અને ટીવી શ્રેણીઓમાં શિક્ષકોની ઉડાવાતી મજાક. હા, આ અતિશય ગંભીર બાબત છે. આપણી હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓએ ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવામાં જે ભૂમિકા ભજવી છે તે વિશે સરકારે અને સમાજે ગંભીરતાથી વિચારવું પડશે. ફિલ્મ અને ટીવી શ્રેણીઓમાં 10માંથી આઠ કિસ્સામાં શિક્ષક, પોલીસ, વકીલ, જજ વગેરે એક સમયનાં સન્માનજનક પાત્રોને કાંતો ભ્રષ્ટ અથવા લંપટ અથવા હાસ્યાસ્પદ દર્શાવવામાં આવે છે. તેની સમાજ અને બાળકો ઉપર અસર પડે છે અને પરિણામે તેઓ પણ પોતાની આસપાસનાં આ પાત્રો પ્રત્યે માન ધરાવતા નથી.
આ સ્થિતિ બદલવી જરૂરી છે. શિક્ષકે પોતે પણ સજ્જ થવું પડશે અને સમાજે પણ એ બાબતે વધારે કાળજી લેવી પડશે કે શિક્ષકો અને ગુરુઓનું અપમાન ન થાય. શિક્ષકો અને ગુરુઓ મજાકનું પાત્ર ન બને, તેઓ ઘૃણા અને તિરસ્કારનાં પાત્રો ન બને તેની કાળજી સમાજ અને સરકારે લેવી પડશે.
તાળી કોઈ દિવસ એક હાથે પડતી નથી. આપણે એક નવી શરૂઆત કરીને એવો વિચાર તેમજ આચાર ફેલાવવો પડશે કે દરેક બાળક માટે શિક્ષક એ ત્રીજા નંબરના વાલી છે અને તેમને એ રીતે માન આપવું જોઈએ. સામે દરેક શિક્ષકે પણ બાળક અને એ દ્વારા પરિવાર અને એ દ્વારા સમાજ અને એ દ્વારા રાષ્ટ્રના નિર્માણ માટેના પોતે પણ એક મુખ્ય પરિબળ છે એ સમજીને જ્ઞાનથી સજ્જ-સભર થવું પડશે. શિક્ષકો – ગુરુ પોતે સજ્જ થશે તો નવી પેઢીને આપી શકશે જેઓ આગળ જઈને રાષ્ટ્રનિર્માણ કરવાના છે. તો ચાલો આ પાંચમી સપ્ટેમ્બરે જ શપથ લઇએ કે સમાજ દરેક શિક્ષકનું સન્માન જાળવશે અને સામે દરેક શિક્ષક પણ તેમની સાચી ભૂમિકા બજાવશે.

Monday, September 3, 2018

નાળિયર તેલને ‘ઝેરી’ કહેવા પાછળનું (અર્થ)કારણ કયું?



--- અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી સંલગ્ન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં કાર્યરત સંશોધક કેરિન માઇકલ્સે સંશોધન કરીને એવું જાહેર કરવામાં આવ્યું છે કે કોકોનટ ઑઇલ તો ઝેર છે. એ સાથે ભારત ઉપરાંત હવાઈ, ફિલિપિન્સ અને થાઇલેન્ડમાં વિરોધ

n  ભારત ઉપરાંત પૂર્વના ઘણા દેશમાં કોકોનટ ઑઇલ અર્થાત નાળિયર તેલને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. બીજા કોઈ તેલનું સંશોધન પણ નહોતું થયું ત્યારથી અહીં કોકોનટ ઑઇલ ખવાય છે.

n  હાર્વર્ડનાં મહિલા સંશોધકના કહેવા મુજબ કોકોનટ ઑઇલથી હૃદય રોગ થાય અને માણસો મૃત્યુ પામે. આ તર્કથી જોઈએ તો દક્ષિણ ભારતમાં આજે કોઈ હયાત જ ન હોત! દક્ષિણ ભારતમાં કોઈ ખાદ્ય પદાર્થ કોકોનટ ઑઇલ વિના હોતો નથી.

n  હકીકત એ છે કે કાં તો કોકોનટ ઑઇલની અવેજીમાં કેરિનબેન કોઈ તેલ બજારમાં લાવવાનાં હશે, અથવા એ લોકોને કોકોનટ ઑઇલની પેટન્ટ મેળવીને પછી આ તેલના વિશાળ વેપારમાં ઝંપલાવવું હશે!

-- અલકેશ પટેલ

અમેરિકાની હેલ્થલાઇન નામની એક વેબસાઇટ છે, તેમાં હજુ આ વર્ષે જાન્યુઆરીમાં જ, અર્થાત આઠ મહિના પહેલાં જ એક ખૂબ વિસ્તૃત લેખ છપાયો છે. કોકોનટ ઑઇલના ટોચના 10 પુરાવા-આધારિત આરોગ્ય લાભ (Top 10 Evidence-Based Health Benefits of Coconut Oil) એવા શીર્ષક હેઠળ ક્રિસ ગનર્સ નામના અમેરિકન સંશોધકે નાળિયર તેલના મુખ્ય દસ ફાયદા વિશે પુરાવા આધારિત વિગતો રજૂ કરી છે. એવી જ રીતે સપ્ટેમ્બર 2017માં એટલે કે એકાદ વર્ષ પહેલાં ત્વચા અને આરોગ્ય માટે કોકોનટના 30 ફાયદા (30 Best Benefits Of Coconut (Nariyal) For Skin And Health) શીર્ષક હેઠળ અર્ષી અહેમદ નામની આરોગ્ય અને લાઇફસ્ટાઈલ નિષ્ણાતે સ્ટાઇલક્રેઝ નામની એક લાઇફસ્ટાઈલ વેબસાઇટમાં લેખ લખ્યો છે. હાલ અહીં આપણે માત્ર બે જ ઉદાહરણથી વાત આગળ ચલાવીએ. કેમકે અનેક અનેક વર્ષથી નાળિયર માનવજીવનનો અભિન્ન હિસ્સો રહ્યો છે અને તેથી તેના વિશે પુસ્તકોનાં પુસ્તકો, હજારોની સંખ્યામાં અખબારી લેખો અને હજારોની સંખ્યામાં વેબ-આર્ટિકલ લખાયા છે તેથી બધાનો ઉલ્લેખ શક્ય નથી, તાજાં ઉદાહરણોથી વાત આગળ વધારીએ.

તો વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીનાં એક પ્રાધ્યાપિકાએ તાજેતરમાં એક કહેવાતું સંશોધન જાહેર કરીને એવું જાહેર કરી દીધું કે કોકોનટ ઑઇલ ખાવું એ સીધું ઝેર ખાવા સમાન છે. કેરિન માઇકલ્સ નામનાં આ સંશોધકે તેમના એવું તારણ આપ્યું કે કોકોનટ ઑઇલમાં સેચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધારે હોવાથી આ તેલ ખાવા માટે નુકસાનકારક છે અને હૃદય માટે તો જોખમી છે. હવે મજાની વાત એ છે કે અનેક દાયકાથી જે સંશોધન થયાં છે તેમાં સંશોધકોએ કેરિનબેનથી તદ્દન વિરુદ્ધ વાત કરી છે. અગાઉનાં સંશોધનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કોકોનટ ઑઇલમાં સેચ્યુરેટેડ ફૅટ હોવાને કારણે જ સૌથી સલામત છે. આ ફૅટ વાસ્તવમાં વજન ઘટાડવામાં અને શરીર પાતળું રાખવામાં ઉપયોગી છે તેવું અગાઉનાં તમામ સંશોધનમાં કહેવામાં આવ્યું છે, અને એ કારણે જ તે હૃદય માટે પણ સારું છે એવાં તારણ નીકળેલાં છે.

સ્વાભાવિક રીતે તો પછી પ્રશ્ન એ થાય કે કેરિન માઇકલ્સ એકાએક આવાં તારણ સાથે શા માટે ઉપસ્થિત થયાં? આનાં બે કારણ હોઈ શકે. તમારામાંથી અનેક વાચકો એ બાબત જાણતા હશે કે ગળાકાપ સ્પર્ધા અને માર્કેટિંગના આ જમાનામાં કંપનીઓ જાતજાતનાં ગતકડાં અખત્યાર કરતી હોય છે. ખાસ કરીને પશ્ચિમના વિશ્વમાં આ રીતે યુનિવર્સિટી સંશોધનના નામે એક ઘણો મોટો ધીકતો ધંધો ચાલે છે. સંશોધનના નામે તમારામાંથી ઘણા દર છ મહિને કાંતો કોઈ ચૉકલેટ અથવા કૉફી અથવા ચા અથવા અન્ય એવા કોઈ ખાદ્યપદાર્થો વિશે વાંચતા હશો જેમાં છ-બાર મહિના કે બે-પાંચ વર્ષ પહેલાં કહેવાયું હોય તેનાથી તદ્દન વિરુદ્ધ તારણ આપવામાં આવે. અર્થાત થોડા મહિના કે થોડાં વર્ષ પહેલાં કોઈ યુનિવર્સિટીનાં સંશોધનમાં એમ કહેવામાં આવ્યું હોય કે કૉફી પીવી સ્વાસ્થ્ય માટે સારી છે અને આટલા કપ કૉફી પીવી જોઈએ. પછી થોડા મહિના કે થોડાં વર્ષ પછી તેનાથી ઊંધું તારણ આવે, કે કૉફી સ્વાસ્થ્ય માટે જરાય યોગ્ય નથી. ચૉકલેટ વિશે પણ આવાં એક-બીજાથી વિરુદ્ધનાં સંશોધનો તમારામાંથી ઘણાએ વાંચ્યા હશે. વાસ્તવમાં આવાં વિરોધી સંશોધનો એ બીજું કંઈ નહીં પરંતુ હરીફ કંપનીઓને પછાડીને આગળ આવવા માટેના પેંતરા જ હોય છે.

ગયા વર્ષે યુરોપિયન યુનિયને ગૂગલ કંપનીને અબજો ડૉલરનો દંડ કર્યો હતો. શું તમે કારણ જાણો છો કે આ દંડ શા માટે કર્યો હતો? કારણ એ હતું કે ગૂગલની હરીફ ઇન્ટરનેટ કંપનીએ એવું પ્રસ્થાપિત કર્યું હતું કે ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ચેડાં કર્યાં છે અને દુનિયામાં કોઈપણ વ્યક્તિ સર્ચ કરે તો માત્ર એવાં રિઝલ્ટ જ ઉપર અથવા વેબના પહેલા પાને આવે છે જેની ગોઠવણ ગૂગલ સાથે થયેલી હોય અથવા ગૂગલની પોતાની પેટા કંપનીઓ હોય. એ હરીફ કંપનીએ પ્રસ્થાપિત કર્યું હતું કે ગૂગલના આવા કાવતરાને કારણે ગૂગલ સાથે નહીં જોડાયેલી અથવા ગૂગલની હરીફ કંપનીઓનાં રિઝલ્ટ ખૂબ પાછળ આવતાં હોવાથી ગ્રાહકો ત્યાં સુધી પહોંચી શકતા નથી અને તેથી એ કંપનીઓને ભારે આર્થિક નુકસાન થાય છે. આ દાવાની યુરોપિયન યુનિયને બરાબર તપાસ કરી અને તેમાં સચ્ચાઈ જણાયા બાદ ગૂગલને ભારે દંડ કર્યો હતો.

આ જ સ્થિતિ યુનિવર્સિટી સંશોધનોના કિસ્સામાં પણ છે. કોઈ વગદાર કંપનીને પોતાની કોઈ નવી પ્રોડક્ટ લૉન્ચ કરવી હોય અને અગાઉની જે પ્રોડક્ટ બજારમાં છે તેની સામે સીધે સીધો મુકાબલો કરવાનું શક્ય ન હોય તો રિસર્ચના નામે એ અગાઉની પ્રોડક્ટની વિરુદ્ધમાં ભારે અપપ્રચાર શરૂ થઈ જાય, અને ધીમે ધીમે એ પ્રોડક્ટનું વેચાણ સાવ ઘટી જાય પછી જેણે એ રિસર્ચને સ્પૉન્સર કર્યું હોય તે તેની પોતાની પ્રોડક્ટ સાથે બજારમાં કૂદી પડે અને તેને બીજી કોઈ વધારે મહેનત વિના બજારનો ઘણો મોટો હિસ્સો મળી જાય. (ભારતમાં બે વર્ષ પહેલાં મૅગીનો વિવાદ અહીં યાદ આવે છે..?)

તેથી જ શક્ય છે કે કેરિન માઇકલ્સે કોકોનટ ઑઇલને બદનામ કરવાનું જે કોઈ સંશોધન રજૂ કર્યું છે તેની પાછળ પણ આવી કોઈ ગણતરી કે ચાલ હોઈ શકે. આપણને એ અંગે કોઈ જાણકારી કે ખાતરી નથી, પરંતુ આવી શંકા કરવાનું કારણ એટલું જ છે કે આપણું નાળિયર તેલ વાસ્તવમાં અમૃત છે. દક્ષિણ ભારત ઉપરાંત થાઇલેન્ડ, ફિલિપિન્સ અને હવાઈ વગેરે દેશોમાં પણ અનેક અનેક દાયકાથી કોકોનટ ઑઇલ રોજિંદા ખોરાકનો ભાગ છે અને કેરિનબેન કહે છે તેમ જો એ ઝેર હોત તો આ બધે કોઈ માણસો બચ્યા જ ન હોય આજ સુધી..! ઉપરાંત કોકોનટ ઑઇલના તો ઔષધીય ગુણો પણ અપાર છે. સાંધાના દુઃખાવા, ત્વચા (ચામડી)ના રોગ, અલ્ઝાઇમર વગેરે રોગોના ઉપાયમાં તો કોકોનટ ઑઇલ સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે. કોકોનટ ઑઇલમાં જે સેચ્યુરેટેડ ફૅટ છે તે વાસ્તવમાં અન્ય તેલમાં જોવા મળતા ફૅટની સરખામણીમાં લાભદાયક છે કેમ કે તે ચરબીને કાપવામાં મદદ કરે છે. ઘણાખરા આયુર્વેદ ઉપચારોમાં કોઇકને કોઇક રીતે કોકોનટ થતો હોય છે એટલું જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં તો સદીઓથી થતા કુદરતી ઉપચારોમાં કોકોનટ ઑઇલ જ મુખ્ય હોય છે.

એ જ કારણે કેરિન માઇકલ્સે તેમનું સંશોધન જાહેર કર્યું તે સાથે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ તેમને ટ્વિટર ઉપર અનેક લોકોએ જવાબ આપી દીધા કે કાંતો તમારાં સંશોધનમાં ખોટ છે અથવા ઇરાદો સાચો નથી. ટૂંકમાં, સો વાતની એક વાત એ છે કે જે વસ્તુ આપણી પોતાની છે અને જેના ઉપર સદીઓથી આપણે ભરોસો રાખી શકીએ છીએ અને જે અંગે આપણા આયુર્વેદ સહિત ધર્મશાસ્ત્રો સ્પષ્ટ છે ત્યારે આપણે કોઈ પશ્ચિમી સંશોધક ના અધકચરા સંશોધન ઉપર વિશ્વાસ મૂકીને ચિંતા કરવા જેવી નથી. કોકોનટ ઑઇલ અર્થાત નાળિયર તેલનો જય હો.

Saturday, September 1, 2018

શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત


अथ श्री अध्याय 19
શહેરી નક્સલીઓ અને જંગલી નક્સલીઓ વચ્ચેનો તફાવત

--- 30 ઑગસ્ટે આપણે અર્બન અર્થાત શહેરી નક્સલીઓ તૈયાર કરતી ફૅક્ટરી વિશે જાણ્યું. તેના પહેલાં અર્બન નક્સલીઓ કોણ એ ઓળખ્યા. હવે આજે ત્રીજા ભાગમાં – જંગલમાં રહી હિંસા કરતા અને શહેરમાં રહેતા નક્સલીઓ વચ્ચેનો તફાવત સમજીએ


--- અલકેશ પટેલ

મને ખ્યાલ છે કે છેલ્લા થોડા દિવસથી તમારામાંથી અનેક લોકો એ વાતે મુંઝવણમાં હશે, કન્ફ્યુઝ હશે કે નક્સલીઓ તો જંગલી હોય છે – અર્થાત જંગલમાં રહેતા હોય છે અને એ તો હિંસા કરે છે. તો પછી આ અલગ અલગ શહેરોમાંથી પ્રતિષ્ઠિત લોકોની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે?
 વાસ્તવમાં આ તત્વો પ્રતિષ્ઠિત છે એવું તમારા મનમાં ઠસાવવામાં આવ્યું હોય છે. પણ મૂળભૂત રીતે આ તત્વો જંગલી નક્સલીઓ કરતાં વધારે ખતરનાક, વધારે જોખમી હોય છે.
એ કેવી રીતે?
શહેરોમાં આપણી આસપાસ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, વકીલ, પત્રકાર, તંત્રી, લેખક, કવિ, માનવ અધિકારવાદી – એવાં એવાં સ્વરૂપમાં રહેતા નક્સલી તત્વો જ વાસ્તવમાં ખરા વિલન છે. જંગલમાં વસતા હિંસક નક્સલી તત્વોને તૈયાર કરનારા આ શહેરી નક્સલી તત્વો જ હોય છે. આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોને અન્યાય, અત્યાચાર, અસમાનતા, ભેદભાવ, કોમવાદ, ફાસીવાદ, હિટલર, ગોડસે, સામંતવાદ, મૂડીવાદ... – એવા એવા અનેક શબ્દોથી ભ્રમિત કરી દે છે.
આ શહેરી નક્સલી તત્વો જ કૉન્વેન્ટમાંથી નીકળીને નબળા મનના થઈ ગયેલા લોકોનું બ્રેઇનવૉશ કરી દે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ત્યાંની ભોળી પ્રજાને ઉશ્કેરે છે. ત્યાંના ખેડૂતોને ઉશ્કેરે છે. ત્યાંના ખેતમજૂરોને ઉશ્કેરે છે.
ભ્રમિત અને બ્રેઇનવૉશ થયેલા આ નબળા કૉન્વેન્ટિયા શહેરી વિસ્તારોમાં ફૅક્ટરી-કારખાનામાં કામ કરતા મજૂરોને ઉશ્કેરે છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં આવીને ચાલીઓમાં રહેતા ગરીબ મજૂરોને ઉશ્કેરે છે. સફાઈ કામ જેવા ઉમદા કામમાં રોકાયેલા લોકોને ઉશ્કેરે છે.
અને આ રીતે ઉશ્કેરાતા લોકો ધીમે ધીમે હિંસક મનોવૃત્તિ કેળવવા લાગે છે. જે લોકો હિંસક થાય તેમને પછી આ શહેરી નક્સલીઓ જંગલ વિસ્તારોમાં રવાના કરીને દેશની વિરુદ્ધમાં, પોલીસની વિરુદ્ધમાં, સલામતી દળોની વિરુદ્ધમાં, ત્યાંની સ્થાનિક સરકારની વિરુદ્ધમાં હિંસા કરવા જણાવે છે.
હવે અહીં નોંધવાની વાત એ છે કે જંગલ વિસ્તારોમાં હિંસક નક્સલી પ્રવૃત્તિ કરતા 95 થી 98 ટકા લોકો કાંતો નિરક્ષર (અભણ) અથવા સાવ બે-ચાર ધોરણ ભણેલા હોય છે. બાકીના બે થી પાંચ ટકા નક્સલીઓ જ ભણેલા હોય છે જે બાકીના 95-98 ટકા ઉપર પ્રભુત્વ રાખતા હોય છે. આ ગરીબ-અભણ લોકોને ખરેખર તો બીજી કશી ખબર નથી હોતી. એ તો આ શહેરી નક્સલોની વાતોમાં ભરમાઈને શસ્ત્રો ઉઠાવી લે છે અને હિંસા કરે છે. એ લડાઈમાં સલામતી દળો પગલાં લે ત્યારે એ ગરીબ – અભણો જ મરાય છે. એમને ઉશ્કેરનારા બે-પાંચ ટકા નેતાઓ તો ક્યાંક સંતાઈને બેઠા હોય છે અને તેમના પણ ગુરુઓ શહેરોમાં એરકંડિશન બંગલાઓમાં રહેતા હોય છે.
તેથી... શહેરોમાં, નગરોમાં તમારી આસપાસ રહેતા આવા અર્બન નક્સલી તત્વોને ઓળખાવાનું શરૂ કરી દો. આપણે એમને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી, પરંતુ તેમને એકલા પાડી દેવાના છે જેથી એ તત્વો દેશને નુકસાન ન પહોંચાડે...જેથી એ તત્વો આપણા સનાતન ધર્મને નુકસાન ન પહોંચાડે.
એ લોકો આ રાષ્ટ્ર અને આ ધર્મને ખતમ કરવા નીકળ્યા છે, આપણે એમને ઓળખીને એ બધું બચાવી લેવાનું છે બસ...  (ક્રમશઃ)...