Tuesday, October 30, 2018

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?

એવા સરદાર પટેલ-સુભાષ બોઝ શું કામના..?


--- અલકેશ પટેલ

- એવા સરદાર પટેલ શું કામના, જેમણે દેશને સંગઠિત કર્યો હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે કાશ્મીરને સળગતું રાખ્યું.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે ખેડૂત આંદોલન કરીને બ્રિટિશ કાળમાં ખેડૂતોને હક અપાવ્યા હોય?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે સ્વતંત્રતા પછી પણ દાયકાઓ સુધી ખેડૂતોને બીચારા રાખ્યા હોય.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે પોતાના પરિવારના સભ્યોને રાજકારણમાં "ગોઠવ્યા" નહોતા?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે શાસન કરવાના આજીવન પરવાના જાતે મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમને દાયકાઓ સુધી ભારતરત્ન પણ નહોતો મળ્યો?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમણે જાતે જ પોતાના માટે ભારતરત્ન મેળવી લીધા હતા.

- એવા સરદાર પટેલ શું કામના જેમણે સોમનાથ મંદિર બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જે આજે પણ રામ મંદિર બનાવવામાં અવરોધ ઊભા કરે છે.

- એવા સુભાષચંદ્ર બોઝ શું કામના જેમણે પ્રખર રાષ્ટ્રવાદી વિચારધારા સાથે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઈએ જેમણે સુભાષ બોઝને ઇતિહાસમાંથી દૂર કરી દેવાના પ્રયાસ કર્યા હતા.

- એવા સુભાષ બોઝ શું કામના જેમણે "જયહિંદ" અને "વંદેમાતરમ્" - ને લોકોના દિલમાં સ્થાન આપવા મથામણ કરી હતી?
- અમારે તો એવા નહેરુ-ગાંધીઓ જોઇએ જેમને "જયહિંદ" અને "વંદેમાતરમ્" સામે સખત સૂગ હતી.

(31 ઑક્ટોબર, 2018ની પૂર્વ સંધ્યાએ લાગણીનો થોડો ઊભરો)

No comments:

Post a Comment